Skip to main content

ભારતના ચંદ્રયાન બે મિશનનો થનારો આરંભ અંગે સમીક્ષા

ભારતના ચંદ્રયાન, બે અભિયાનનો આગામી જુલાઈથી આરંભ થશે. ઈસરોના જણાવ્યા મુજબ ચંદ્રયાન બેમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે તથા માહિતી એકઠી કરવા માટે દેશભરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા કરાનાર 13 ઉપકરણો ગોઠવવામાં આવશે.

આશરે 3.8 ટન વજન ધરાવાત આ યાનમાં ઓર્બિટર, લેન્ડર અને રોવર એમ ત્રણ ભાગ હશે. આ બધા જ ઉપકરણોને આગામી નવમી 16મી જુલાઈ સુધી ચંદ્રયાન બે ઉપર ગોઠવવામાં આવશે, તથા આગામી છઠ્ઠી સપ્ટેમ્બર ચંદ્રયાન - બે ચંદ્ર ઉપર મોકલવામાં આવશે. ઓર્બિટર ચંદ્રની સપાટીથી આશરે 100 કિલોમીટરની અંતરે આવેલી ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવશે. જ્યારે લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ઉતારવામાં આવશે.

એવી જ રીતે રોવર ચંદ્રની ભૂમિ ઉપર વિવિધ પ્રયોગો કરશે. ભારચના ચંદ્રયાન એક અભિયાનને મોટી સફળતા મળી હતી. આ અભિયાનમાં ચંદ્રની સપાટી ઉપર પાણી હોવાની વાત પ્રથમવાર જાણવા મળી હતી. ચંદ્રયાન - એકમાં યુરોપના ત્રણ તથા અમેરિકાના બે મળી પાંચ ઉપકરણો ગોઠવવામાં આવ્યા હતા.

ચંદ્રયાન બે અભિયાન ચંદ્ર માટે હાથ ધરાનાર સૌથી અદ્યતન ટેકનોલોજીવાળું અભિયાન બની રહેશે. ઈસરોના અધ્યક્ષ ડૉક્ટર કે. શિવાને જણાવ્યું હતું કે, વિક્રમ નામનું પાંચ સ્ટેન્ડવાળું લેન્ડર ચંદ્રની સપાટી ઉપર છ અથવા તે પહેલાં સપ્ટેબરમાં ઉતારવામાં આવશે.

જ્યારે પ્રજ્ઞાન નામનું રોવર ચંદ્રની ભૂમિ ઉપર ફરીને પ્રયોગો હાથ ધરશે. પ્રજ્ઞાન રોવર પૃથ્વીની ગણના મુજબ 14 દિવસ સુધી ચંદ્રની ભૂમિ ઉપર વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરશે.

ચંદ્રની ભૂમિના વિવિધસ્તરની માહિતી મેળવીને તેની વિશ્લેષણાત્મક માહિતી તથા તસવીરો ઓર્બિટરની મદદથી માત્ર 15 મિનિટમાં મોકલવામાં આવશે. શ્રી શિવાને કહ્યું કે, આશરે 3 હજાર 800 કિલોગ્રામ વજન ધરાવતું ચંદ્રયાન બે-એ સૌથી જટીલ કામગીરીવાળું મિશન છે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે નિર્ધારીત સ્થળ ઉપર લેન્ડર અને રોવરને સફળતાપૂર્વક ઊતાર્યા બાદ ઈસરો ચંદ્રની ભૂમિ તથા તેની રચાનાની માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરશે.

ઈસરોએ યાનનું ઉતરાણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક કરાવવાનો નિર્ણય લીધો છે અને આ ભાગ હજી સુધી ખેડાયેલો નથી. બીજા શબ્દોમાં કહીએ તો ચંદ્રયાન - બે-એ અગાઉના ચંદ્રયાન- એકની અદ્યતન આવૃત્તિ ગણાવી શકાય.

આશરે 10 વર્ષ પહેલાં હાથ ધરાયેલા ચંદ્રયાન - એક અભિયાન વખતે યાનની સાથે ભારતના પાંચ , યુરોપના - 3, અમેરિકાનો - એક તથા બલ્ગેરિયાનો એક પેલૉડ ચંદ્ર ઉપર મોકલવામાં આવ્યા હતા. જો ચંદ્રયાન બે વખત ભારતનું યાન સફળતાપૂર્વક ચંદ્રની ભૂમિ પર ઉતરશે, તો આ પ્રકારની સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો ચોથો દેશ બનશે.

અગાઉ રશિયા, અમેરિકા અને ચીનના અવકાશયાનો એ જ ચંદ્રની ભૂમિ ઉપર સફળ ઉતરાણ કર્યું હતું.

ભારતનું ચંદ્રયાન - બે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઊતારવામાં આવશે અને આ સ્થળે માત્ર ચીને જ તેનું યાન ઊતારવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચીને ગત જાન્યુઆરીમાં ચાંગ - ચાર નામનું તેનું અવકાશ યાન પૃથ્વીની સામે રહેતી ચંદ્રની ભૂમિની પાછળની બાજુ જેને વૈજ્ઞાનિકો ડાર્ક સાઈડ તરીકે ઓળખે છે. ત્યાં ઊતાર્યું હતું. ચંદ્રની આ ભૂમિ અંગે વૈજ્ઞાનિકો જાણતા નથી.

આમ સમગ્ર રીતે જોતા ચંદ્રયાન બેની સફળતા ઈસરોની સફળતાઓમાં નવો અધ્યાય ઉમેરશે, એ વાત નક્કી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ઈસરોએ અત્યાર સુધી અવકાશયાનોને અવકાશમાં મોકલવાની બાબતમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...