Skip to main content

Posts

Showing posts from February, 2020

ચોથી પશ્ચિમ એશિયા પરીષદ અંગે સમીક્ષા

ભારતની મનોહર પરીકર સંરક્ષણ, અભ્યાસ અને વિશ્લેષણ સંસ્થા ધ્વારા નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં રાજકીય અને આર્થિક પરીવર્તનના દસ વર્ષ આ થીમ પર ચોથી પશ્ચિમ એશિયા પરીષદનું આયોજન કરવામાં આવ્યું. આ સંમેલનમાં લેબેનોનના પુર્વ પ્રધાનમંત્રી ફૌદ સીનીયોરા અને ઇજીપ્તના પુર્વ વિદેશ મંત્રી નબીલ ફહમી સહિત ઘણા ભારતીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. જેમણે આ ક્ષેત્રને લગતા વિવિધ મહત્વપુર્ણ મુદૃાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. બે દિવસ સુધી છ સેશનમાં ચર્ચાઓ કરવામાં આવી હતની. જેમાં પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ બાહય પરીબળોની ભૂમિકા, અર્થતંત્ર, સંઘર્ષનું પરીવર્તનશીલ સ્વરૂપ, પશ્ચિમ એશિયા સાથે ભારતનું વધતુ જોડાણ જેવા વિષયોનો સમાવેશ કરાયો હતો. કેન્દ્રીય માર્ગ, પરીવહન અને ધોરીમાર્ગ રાજયમંત્રી નિવૃત જનરલ વિજયકુમાર સિંઘે મુખ્ય સંબોધન કર્યુ હતું. જેમાં છેલ્લા એક દાયકામાંઆ ક્ષેત્રે ઉતાર – ચઢાવનો પડકાર ઉભો થયો હતો. તેની વાત કરતા દર્શાવ્યું કે ભારત આ પ્રદેશને મહત્વપુર્ણ ગણે છે. મનોહર પરીકર સંરક્ષણ, અભ્યાસ અને વિશ્લેષણ સંસ્થાના અધ્યક્ષ સુજાન આર ચિનોયે જણાવ્યું કે ભારત આ પ્રદેશના ઘણા દેશો સાથે વ્યુહાત્મક ભાગીદારી મ...

ભારત-અમેરિકાની સર્વગ્રાહી વૈશ્વિક વ્યુહાત્મક ભાગીદારી અંગે સમીક્ષા

સ્વાતંત્ર્ય બધા જ નાગરિકો સાથે સમાન વ્યવહાર, માનવ અધિકારો તથા કાયદાના શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા આ પરિબળોના આધારે ટકેલી લોકશાહી વ્યવસ્થા ધરાવતા ભારત અને અમેરિકાના વડાઓ શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેની આંતરરાષ્ટ્રીય સ્તરની વ્યુહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. ભારત અને અમેરિકા વચ્ચેની આ વ્યુહાત્મક ભાગીદારી પરસ્પર વિશ્વાસ, સમાન હિત, શુભેચ્છા અને નાગરિકો વચ્ચેના ઘનીષ્ઠ સંપર્કના આધારે વધુ મજબૂત બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માહિતીના આદાન-પ્રદાન, સંયુક્ત સહકાર, સૈનિકોની કવાયત, અદ્યતન તાલીમ વગેરે બાબતોના આધારે બંને દેશો વચ્ચેના સલામતી ક્ષેત્રનો સહકાર વધુ મજબુત બનાવવાનો નિર્ણય લીધો. બંને દેશોની સલામતી ક્ષેત્રની ઉત્પાદક કંપનીઓ વચ્ચેનો સહકાર અને આદાન-પ્રદાન વધારવાનો પણ તેમાં સમાવેશ કરાયો. બંને આગેવાનો સંરક્ષણ ક્ષેત્રે વધુ સઘન સહકાર વધે અને સમજૂતીઓ પર હસ્તાક્ષર થાય તે માટે પણ ઉત્સુક હતા. શ્રી મોદી અને શ્રી ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, મૂડીરોકાણ તથા હાઈડ્રોકાર્બન ક્ષેત્...

અમેરાકના રાષ્ટ્રપ્રમુખની ભારતની મુલાકાતથી દ્વિપક્ષીય- વ્યુહત્મક ભાગીદારી મજબૂત બનીએ અંગે સમીક્ષા

અમેરીકાના રાટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની 36 કલાકની મુલાકાત કાર્યક્રમ એ મહત્વ બન્ને દ્રષ્ટિએ અગત્યતની હતી. ભારતની મુલાકાત લેનાર શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકાના સાતમા રાષ્ટ્ર પ્રમુખ છે. આ બાબત, ભારત અને અમેરીકાના વધતા જતા સંબંધો દર્શાવે છે. શ્રી ટ્રમ્પની સાથે, તેમના પત્ની મેલેનીયા ટ્રમ્પ, તેમના પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અને જમાઇ જેરોડ કુશનર તથા ઉચ્ચકક્ષાનું પ્રધિનિધીમંડળ પણ ભારત આવ્યું હતું.  રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવ્યા ત્યારે હજ્જારો લોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી પછી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ઉપસ્થીત એક લાખથી વધુ જનમેદનીને સંબોધન કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે પાંચ મહિના પહેલા અમેરીકાના હ્યુસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં શ્રી ટ્રમ્પ અને શ્રી મોદીએ અમેરીકામાં રહેતા ભારતીયોને સંબોધન કર્યું હતું. શ્રી ટ્રમ્પે, શ્રી મોદીના નેતૃત્વમાં, તથા ભારતે માત્ર 70 વર્ષમાં કરેલી પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે ભારત આર્થિક મહાસત્તા બન્યું ...

FATF એ ઇરાનને બ્લેક લીસ્ટ કર્યું, જ્યારે પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં જ રાખ્યું – એ અંગે સમીક્ષા

આંતરરાષ્ટ્રીય સ્તરની અને આતંકવાદીઓને મળતી આર્થિક સહાય ઉપર દેખરેખ રાખતી સંસ્થા FATF એ ગયા શુક્રવારે ઇરાનને બ્લેક લીસ્ટમાં રાખવાનો નિર્ણય લીધો હતો. જો કે, આજ બેઠકમાં FATFએ પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં રાખવાનો નિર્ણય કર્યો હતો. FATF દ્વારા આ પ્રકારે કેન્દ્રિત કરાયેલા દેશોને વિવિધ શ્રેણીમાં મુકવાથી વિશ્વ સમુદાયના અન્ય દેશોને સંબંધિત દેશો સાથે આર્થિક વ્યવહાર કરતી વખતે ધ્યાન રાખવાનો સંદેશો મળે છે. FATF દ્વારા બ્લેક લીસ્ટ કરાયેલા દેશોનો અર્થ થાય છે કે આવા દેશો સાથે આર્થિક સંબંધો રાખવા ખતરારુપ છે. જ્યારે ગ્રે લીસ્ટના દેશોનો અર્થ થાય છે કે તેમને આતંકવાદ સામેની લડતમાં વધુ સઘન કાર્યવાહીની સૂચના અપાઇ છે. ઇરાનને બ્લેક લીસ્ટ કરવાનો નિર્ણય FATFએ જાહેર કર્યો હતો. તે જ દિવસે ઇરાનમાં સંસદીય ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં રુઢીવાદી પક્ષો બહુમતી મેળવશે તેવા સંકેતો પણ મળ્યા છે. અમેરીકા અને ઇરાન વચ્ચેના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા, તે જ સમયગાળામાં આ ચૂંટણી યોજાઇ છે. ઇરાનના પરમાણુ કાર્યક્રમનું કારણ દર્શાવીને અમેરીકાએ ઇરાન સાથેની સંધિમાંથી ખસી જવાનો અને તેની ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો હતો. અમેરીકાના આર્થિક પ...

ભારત અને જર્મની વચ્ચે બહુમુખી વૈવિધ્યપુર્ણ ભાગીદારી અંગે સમીક્ષા

ભારતના વિદેશમંત્રી ડો.એસ.જયશંકરે જર્મનીના મ્યુનિકમાં મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભાગ લીધો હતો. આ મુલાકાત દરમિયાન ડો.એસ.જયશંકરે ઓમાન, સ્પેન, કુવૈત, આર્મેનિયા, સાઉદ્દી અરેબિયા, અને ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત તેમણે સિંગાપોર, જર્મની અને બેલ્જિયમના સંરક્ષણમંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ સાથે પણ વાતચીત કરી હતી. બાદમાં વિદેશમંત્રીએ બર્લિનની મુલાકાત લીધી હતી અને જર્મનીના વિદેશમંત્રી હેઇકો માસ અને જર્મનીના સંરક્ષણમંત્રી સુશ્રી એનેગ્રેટ ક્રેમ્પ કેરેનબોર સાથે પરસ્પર દ્વિપક્ષી સંબંધો અંગે તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે વિસ્તાર પૂર્વક ચર્ચાવિચારણા કરી હતી. ભારત અને જર્મનીના આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત દ્વિપક્ષીય સંબંધો છે અને બંને દેશો ગાઢ સહયોગી ભાગીદાર પણ છે. આ જ પરંપરાને આગળ વધારતા, ભારત, બહુપક્ષીય જોડાણ માટે નોંધપાત્ર રીતે ફ્રાન્કો-જર્મનમાં પણ યોજાયું છે. ડો.એસ. જયશંકરે આ જાહેરાત કરતાં જણાવ્યું કે, આજે રાષ્ટ્રવાદ અને વ્યાપારીકરણના કારણે બહુપક્ષીયતા જોખમમાં છે. ભારત, સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થતા અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર...

મ્યુનિચ સુરક્ષા સંમેલન 2020-મહત્વની બાબતો

56મી મ્યુનિચ સુરક્ષા પરિષદ – એમએસસી ગયા અઠવાડિયે જર્મનીમાં મળી ગઈ. આ વખતની પરિષદનું મુખ્ય ધ્યાન પશ્ચિમના સાથ વિનાની કામગીરીની સંકલ્પના ઉપર હતું. હાલ અમેરિકા અન્ય યુરોપીય દેશોના મૂલ્યો અને વ્યૂહાત્મક કામગીરીમાંથી અલગ થયું તેના કારણે મતભેદો અને અચોક્કસતા ઊભી થઈ હોવાથી આ મુદ્દો ખાસ ચર્ચાયો હતો. આ પરિષદમાં નાટો સંગઠનના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે તેમના ઉદ્બોધનમાં અમેરિકા જોડાણ અને વૈશ્વિક મહત્વની બાબતોમાં અલગ થયું તેની ખાસ નોંધ લીધી હતી. યુરોપની આ દિશામાં ખાતરીના આગ્રહ કરતાં અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પેએ જણાવ્યું હતું કે, આંતર એન્ટલાન્ટિકનું જોડાણના અંત અંગે વધુ પડતી ચિંતા સેવાઈ રહી છે. તેમના મતે અમેરિકા અને તેના સાથે દેશો જીતી રહ્યા છે અને હકીકતમાં સાથે મળીને જીતી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, નાટો દ્વારા યુરોપની સરહદોનું રક્ષણ કરવામાં અમેરિકા મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. અને ઇસ્લામિક ત્રાસવાદી સંગઠન આઈએસઆઈને હરાવવાના બહુરાષ્ટ્રીય પ્રયાસોમાં આગેવાની લઈ રહ્યું છે. તેમની આ ટિપ્પણી જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમીના નિવેદનના પ્રતિભાવ રૂપે પણ જોવાઈ હતી. શ્રી વેલ્મેરે તેમ...

વિયેતનામ – ભારતની એક્ટ ઇસ્ટ પોલીસીનો સૂત્રધાર

વિયેતનામ સોશ્યાલિસ્ટ રિપબ્લીકના ઉપરાષ્ટ્રપતિ ડાંગ થાઈ ન્ગોક થિન્હે પ્રતિનિધિમંડળ સાથે સત્તાવાર ભારત યાત્રાએ આવીને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુની સાથે ઉચ્ચસ્તરીય મંત્રણાઓ કરી હતી. વિયેતનામ એ ભારતની એક્ટ ઇસ્ટ પોલીસી અને ભારતની વિશાળ ભારત –પ્રશાંત વ્યૂહરચનામાં મુખ્ય નિર્ણાયક સૂત્રધાર છે. આ ઉપરાંત હનોઈ સીએલએમવી એટલે કે, કંબોડિયા, લાઓ પીડીઆર, મ્યાનમાર અને વિયેતનામ દેશો પ્રત્યેના ભારતના અભિગમ અંગે મુખ્ય ભૂમિકા ભજવે છે જેનો મુખ્ય હેતુ, દક્ષિણ-પૂર્વ એશિયા સાથે વ્યાપક, આર્થિક અને વ્યૂહાત્મક જોડાણોને પોષવાનો છે.  તાજેતરની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત – વિયેતનામ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો હતો. ઉપરાષ્ટ્રપતિ ડાંગ થાઇ ન્ગોક થિન્હની મુલાકાતનો અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દો, એ ભારત – વિયેતનામને જોડતી સીધ ફ્લાઇટની જાહેરાત હતો. આ ઉપરાંત, દિલ્હીમાં વોઈસ ઓફ વિયેતનામ કાર્યાલય સ્થાપના અંગે કરાર કરવામાં આવ્યા હતા. વિયેતનામના ઉપરાષ્ટ્રપતિએ ભારત યાત્રા દરમિયાન, બોધિગયાની પણ મુલાકાત લીધી હતી.  વર્ષ 2016માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામની મુલાકાત લીધી હતી. ત્...

ભારત-આફ્રિકા સંરક્ષણ મંત્રીઓનું સંમેલન

લખનૌ ખાતે ડિફેન્સ એક્સ્પ ઇન્ડિયાના ભાગરૂપે સૌપ્રથમ વાર ભારત આફ્રિકા સંરક્ષણ મંત્રીઓનું સંમેલન યોજાઈ ગયું. આફ્રિકા ખંડના દેશો સાથે સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા ભારત તરફથી આ મહત્વપૂર્ણ પગલું લેવાયું છે જે દ્વારા ભારત અને આફ્રિકા વચ્ચેની 1950થી શરૂ થયેલી સુરક્ષા ક્ષેત્રને ભાગીદારી જાળવી રાખવાની સાથે સાથે ભારતમાં તૈયાર થયેલા સંરક્ષણ ઉત્પાદનોની આફ્રિકાના દેશોમાં નિકાસ કરવા એક વ્યાસપીઠ પૂરું પાડવામાં આવ્યું છે. આ સંમેલનમાં 14 આફ્રિકન દેશોના સંરક્ષણ મંત્રીઓ ઉપરાંત આફ્રિકન દેશોના 154 જેટલા મહાનુભાવો, સંરક્ષણ અને સેનાના ૧૯ વડાઓ અને ૮ કાયમી સચિવોએ આ સંમેલનમાં ભાગ લીધો હતો જે બતાવે છે કે તેઓ સંરક્ષણ ક્ષેત્રની ભારત-આફ્રિકા ભાગીદારીને ટોચની પ્રાથમિકતા આપી રહ્યા છે. આફ્રિકાના દેશો માટે શાંતિ અને સલામતી આ હાલના ટોચની અગ્રતા ધરાવતા મુદ્દા છે આફ્રિકન સંઘની આ વર્ષની વિષયવસ્તુ છે- શસ્ત્રો મૂકીને આફ્રિકાના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું' . આ વિજન હાંસલ કરવા માટે આફ્રિકન સંઘે તૈયાર કરેલો રોડમેપ શાંતિ સલામતી અને વિકાસના સમન્વય ઉપર ભાર મૂકે છે. જે પ્રધનમંત્રી નરેન્દ્ર મોદીના સાગર વિજન એટલે કે ક...

શ્રીલંકાના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોને નવું બળ મળ્યું – એ અંગે સમીક્ષા

શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી. શ્રી રાજપક્ષે તથા તેમની સાથે ભારત આવેલા પ્રતિનિધિમંડળે, ભારતીય અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સાથે વિવિધ વિષય ઉપર ચર્ચા – વિચારણા કરી. વિદેશમંત્રી – એસ. જયશંકરે પણ શ્રી રાજપક્ષે સાથે મંત્રણા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જણાવ્યું હતું કે ભારત અને શ્રીલંકા બન્ને ખાસ મિત્ર દેશો છે. આ બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સાંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક તથા ભાષા જેવા ઘણાં પાસાઓ રહેલા છે. સલામતી હોય કે આર્થિક પ્રગતિ હોય પણ ભારત અને શ્રીલંકા વર્ષોથી એકબીજા સાથે સંકળાયેલા છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રીલંકાની સ્થિરતા સલામતી અને સમૃદ્ધિ એ માત્ર શ્રીલંકાના જ નહિ પણ સમગ્ર હિંદ મહાસાગર વિસ્તારના હિતમાં છે, તેમ ગણાવી શકાય. તેમણે એમ પણ કહ્યું કે ભારત શ્રીલંકાને અને તેની સાથેના સંબંધોને પ્રાથમિકતા આપે છે. પ્રાદેશિક સલામતીના મુદ્દે શ્રીલંકાએ ભારત સાથે કામ કરવાની દર્શાવેલી તત્પરતાને ભારતે આવકારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી...

IOWAના આયોજન સાથે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનો વિધિવત આરંભ

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી, એ આશરે એક વર્ષ સુધી ચાલતી પ્રક્રિયા છે. જેમાં પ્રમુખ બે પક્ષોના ઉમેદવારો, પોત પોતાના પક્ષોના વિધિવત ઉમેદવાર ચૂંટાવા માટે ચૂંટણીપ્રચાર શરૂ કરતા હોય છે. અમેરિકામાં ડેમોક્રેટિક અને રિપબ્લિક નામના બે મુખ્ય રાજકીય પક્ષ છે. વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રિપબ્લિકન પક્ષના હોવાથી, અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં તેઓ રિપબ્લિકન પક્ષના ઉમેદવાર રહેશે. જો કે, ડેમેક્રેટિક પક્ષમાં, રાષ્ટ્રપ્રમુખ પદના પક્ષના ઉમેદવાર બનવા એકથી વધુ લોકો પ્રયાસો કરી રહ્યા છે. આખરે દરેક પક્ષના રાષ્ટ્રીય સંમેલનમાં પક્ષનો વિધિવત ઉમેદવાર કોણ હશે, તે બાબતે આખરી નિર્ણય લેવાય છે. પક્ષના રાષ્ટ્રીય સંમેલનમાં તે અગાઉ યોજાનાર પ્રાઈમરી અને કોકસેસમાં ચૂંટાનાર પ્રતિનિધિઓ ઉપસ્થિત રહે છે. અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં યોજાતાં પ્રાઈમરીમાં જુદાં જુદાં રાજ્યોના પક્ષના સભ્યો ઉપસ્થિત થઈને રાષ્ટ્રીય સંમેલન માટેના પ્રતિનિધિઓ ચૂંટે છે. આ વખતે ગુપ્ત મતદાન પ્રક્રિયા વડે રાષ્ટ્રીય સંમેલનના પ્રતિનિધિઓની વરણી થાય છે. જ્યારે કોકસેસમાં પ્રતિનિધિઓની વરણી ઉપસ્થિત સભ્યો હાથ ઊંચો કરીને પોતાનો મત આપીન...

તાલિબાનો સામે શાંતિ ઇચ્છતું અમેરિકા

અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ કરાર ઉપર અંતિમ મોહોર લાગે તે પહેલા સ્થાયી યુદ્ધવિરામ માટે બંને પક્ષો દ્વારા જુદી જુદી સમયરેખા મૂકવામાં આવી રહી છે જેના પગલે અફઘાન શાંતિ પ્રક્રિયા તેના અત્યંત નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન સાથે વાટાઘાટો કરવાના સંવેદનશીલ કામ માટે ઝલ્મય ખલીલજાદની વિશેષ પ્રતિનિધિ તરીકે નિમણૂક કર્યા બાદ બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં કેટલાક ઉતાર ચડાવ જોવા મળ્યા છે એના કારણે યુદ્ધવિરામ માટે બંને પક્ષો વચ્ચેના વિશ્વાસના સ્તરની કસોટી લાગશે. જોકે, બંને પક્ષ અફઘાનિસ્તાનમાં લડાઇમાં ફસાયેલા રહ્યા છે. યુદ્ધવિરામ માટે દસ દિવસનો સમય જોઈએ એ વાત પર અમેરિકા મક્કમ છે જ્યારે તાલિબાન યુદ્ધવિરામ માટે સાત દિવસનો સમય માંગે છે. આ સોદાબાજી વાટાઘાટોની સૌથી મુશ્કેલ પ્રક્રિયા બની છે. આ શાંતિ વાટાઘાટોમાં ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નિર્ણાયક વલણ આવ્યું હતું જ્યારે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક જ સાથે તાલિબાનની રાજકીય વાટાઘાટોની ટીમ તેમજ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીની ટિમ સાથે બેઠકની યજમાની કરવા સહમતી આપી હતી. જોકે, શાંતિ મંત્રણાની સ્થિતિને ધ્યાનમાં...

ભારત અને તુર્કમેનીસ્તાને મજબુત બનાવેલા દ્વિપક્ષીય સંબંધો અંગે સમીક્ષા

તુર્કમેનીસ્તાનના વિદેશ મંત્રી રશીદ મેરોદોવે તાજેતરમાં ભારતની ટુંકી મુલાકાત લઇને વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મંત્રણાઓ કરી. બંને આગેવાનોએ દ્વિપક્ષીય તથા પ્રાદેશિક મુદૃાઓ અંગે સઘન ચર્ચા કરી હતી. શ્રી જયશંકરે જણાવ્યું હતું કે, ચર્ચાના અંતે પ્રાદેશિક મુદૃાઓ બાબતે બંને દેશોના દ્રષ્ટીકોણ સમાન હોવાનું જણાયું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૯૦ માં તે વખતના યુએસએસઆર અર્થાત સેવિયેત યુનીયનમાંથી આઝાદ થનાર પાંચ મધ્ય એશિયાઇ દેશોમાં તુર્કમેનીસ્તાનનો સમાવેશ થાય છે. ભારત – મધ્ય એશિયાના દેશોને પણ પાડોશી દેશ તરીકે ગણે છે. તુર્કમેનીસ્તાનનું ભૌગોલિક દ્રષ્ટીએ જે સ્થાન છે તે સંબંધીત દેશો સાથેના વ્યવહારમાં તેની અગત્યતા વધારે છે. આ દેશ દક્ષિણ, મધ્ય તથા પશ્ચિમ એશિયાના દેશોને જોડે છે, તો અફઘાનીસ્તાન તથા ઇરાન પણ તેના પાડોશી દેશો છે. મધ્ય એશિયાના કઝકસ્તાન અને ઉઝબેકીસ્તાન પાસે દરિયા કિનારો છે, જે યુરેશિયા તથા યુરોપના દેશો માટે પ્રવેશ દ્વાર સમો છે. તુર્કમેનીસ્તાને સંપર્ક અર્થાત માર્ગ, રેલ વગેરેને પ્રાથમિકતા આપી છે. વર્ષ ર૦૧૬ માં તુર્કમેનીસ્તાને ર પોઇન્ટ ત્રણ અબજ અમેરીકી ડોલરના ખર્ચે આ વિસ્તારનું સૌથી મોટુ વિમાનમથક બાંધ્ય...

બ્રેક્ઝિટ , યુરોપીયન સંઘ અને તેની ભારતપરની અસર અંગે સમીક્ષા

બ્રિટને 2016 માં થયેલા બ્રેક્ઝિટ અંગેના જનમતને સમર્થન આપ્યા બાદ, યુનાઈટેડ કિંગડમ અને યુરોપીયન સંઘ વચ્ચેના 47 વર્ષ જૂના સંબંધો 31 મી જાન્યુઆરી 2020 ના રોજ સમાપ્ત થયા. 1973 માં યુકે સૌપ્રથમ વાર યુરોપીયન આર્થિક સંઘમાં સહભાગી થયું હતું . લિસ્બન કરાર હેઠળના કલમ 50 અન્વયે યુરોપીયન સંઘમાંથી ખસી જનાર યુકે પહેલું રાષ્ટ્ર બન્યું છે. આ નિર્ણયની અસર યુકે તેમજ ઈયુ પર અલગ અલગ રીતે થશે. બ્રેકઝિટના સમર્થકો માટે આ નિર્ણય દેશને મજબૂત બનાવશે અને બ્રિટન ઈયુપાસેથી તેની સત્તા ફરી મેળવી શકશે જેથી વૈશ્વિક સ્તરે બ્રિટન પોતાની ઓળખ ઊભી કરી શકશે. જો કે , બ્રિટન માટે આ પ્રવાસ એટકો સહેલો નથી. બ્રિટનને બધા જ દેશો સાથે નવા વેપાર કરાર કરવા પડશે અને બધા દેશોના બજારમાં પ્રવેશ મેળવો પડશે. ઈયુના નાણાકીય સેવા અને નાણાકીય બજારોના ક્ષેત્રે બ્રિટનનો મોટો ફાળો હોવાના કારણે બ્રિટનને મજૂર, ભંડોળ તેમજ સેવા ઉપર આ નિર્ણયની અસર જોવા મળશે. ઈયુ એ બ્રિટનનો આયાત અને નિકાસ માટેનો સૌથી મોટો બજાર હોવાના કારણે બ્રેકઝિટના પગલે કેટલાક વેપારી મુદ્દાઓ ઊભા થયા છે જેને ઉકેલવા એક નવો કરાર જરૂરી છે અન્યથા દરો અથવા કોટાથી બંને પક્ષોના વેપાર પર ખરા...

કેન્દ્ર સરકારે, ભારતના અર્થતંત્રને 5 ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા, રાષ્ટ્રીય માળખાકીય યોજના – એન.આઇ.પી.ની કરેલી દરખાસ્ત અંગે સમીક્ષા

ભારત સરકારે આગામી પાંચ વર્ષમાં દેશના સામાજીક તથા આર્થિક ક્ષેત્રે મહત્વના પરિવર્તનો લાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. આ પ્રતિબધ્ધતાના ભાગરૃપે જ 102 લાખ કરોડ રુપિયાના ખર્ચે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન – NIP – એટલે કે માળખાકીય સુવિધાઓ વધારવાની યોજના બજેટમાં સૂચવવામાં આવી છે. આઝાદી પછીના સમયગાળામાં વિવિધ સરકારોએ ઘણી યોજનાઓ અમલમાં મૂકી અને તેનાથી વિકાસને ગતિ પણ મળી, પણ, આ વખતની માળખાકીય યોજના માળખાકીય વિકાસની સાથે – સાથે , દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની નેમ ધરાવે છે. પોતાની રીતે આગામી વિશેષતા ધરાવતી NIP યોજના, રોજગારીની નવી તકોના નિર્માણની ખાતરી આપે છે. તથા સર્વસમાવેશક વિકાસ દ્વારા જીવન જીવવામાં સરળતા લાવવાની ખાતરી પણ આપે છે. ગયા વર્ષે 15 મી ઓગસ્ટે રાષ્ટ્રજોગ સંબોધન કરતા પ્રધાનમંત્રીએ આગામી પાંચ વર્ષમાં માળખાકીય વિકાસ ક્ષેત્રે 100 લાખ કરોડ રુપિયાના રોકાણનો સંકેત આપ્યો હતો. આ ભગીરથ કાર્ય માટે આર્થિક બાબતોના વિભાગના સચિવના અધ્યક્ષપદે ખાસ કાર્યદળની રચના સપ્ટેબર 2019 માં કરવામાં આવી. આ ખાસ કાર્યદળે ચાર મહિનાના સમયગાળામાં લાગતાવળગતાઓ સાથે 70 જેટલી મસલતો કર્યા પછ...

આર્થિક સર્વેક્ષણ 2020 અંગે સમીક્ષા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે, સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધી તે સાથે જ સંસદના બજેટસત્રનો આરંભ થયો છે. ત્યારપછી નાણામંત્રી નિર્મલા સીતારામને ગૃહમાં આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણ કોઇ એક નાણાકીય વર્ષમાં દેશની આર્થિક ક્ષેત્રની સિદ્ધિઓ અને ત્રૂટિઓ દર્શાવતો સંખ્યાત્મક અને વિશ્લેષણાત્મક દસ્તાવેજ હોય છે. ભારતીય અર્થતંત્રની ગતિ આ વર્ષે સહેજ ધીમી પડી હોવાથી આ વખતનો આર્થિક સર્વે આગવું મહત્વ ધરાવે છે. આ સર્વેક્ષણમાં વર્ષ 2019-2020માં GDPનો વિકાસ દર 5 ટકા અંદાજવામાં આવ્યો છે. જે પૂર્વધારણા મુજબ જ છે. આમ છતાં, આ વખતના આર્થિક સર્વેક્ષણમાં કેટલાક મહત્વના મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે. સર્વેક્ષણ માને છે કે, ભારતનું અર્થતંત્ર નવી ગતિ મેળવશે અને વર્ષ 2020 – 2021માં તે 6 થી સાડા છ ટકાનો વિકાસ દર મેળવશે. ભારતીય અર્થતંત્રની કામગીરી ફિસ્કલ કોન્સોલીડેશન અર્થાત્ આર્થિક મજબૂતીકરણ ક્ષેત્રે સારી કામગીરી કરી હતી. સર્વેક્ષણ જણાવે છે કે, ફુગાવાનો દર પણ યોગ્ય રીતે નિયંત્રણ હેઠળ રાખી શકાયો છે જેમ કે છૂટક ફુગાવો માત્ર 4.1 ટકા જયારે જથ્થાબંધ ફુગાવો...

ટ્રમ્પ બે રાષ્ટ્ર યોજના

પદ પરથી કાઢી નાખવાની શક્યતાના ડર વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાઇલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ ઇઝરાઇલ-પેલેસ્ટિનિયન સંઘર્ષ અંગે શાંતિ યોજનાની જાહેરાત કરવા ગઇકાલે વ્હાઇટ હાઉસ મળ્યા હતા. ‘શાંતિથી સમૃદ્ધિ’ નામનો આ 180 પાનાનો દસ્તાવેજ પેલેસ્ટેનિયન અને ઇઝરાઇલી લોકોના જીવનમાં સુધાર લાવવા માંગે છે. મોટાભાગે ઇઝરાયલી અધિકારીઓ અને અરબ નેતાઓ સાથે કેટલાક મહિના વાટાઘાટો કર્યા બાદ, ટ્રમ્પના મધ્ય પૂર્વ માટેના પ્રતિનિધિ જેરેડ કુશનેરે મોટાભાગે આ યોજનાના લાભાર્થી એવા પેલેસ્ટાઈનીઓને અવગણ્યા હતા.  રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેને 'વાસ્તવિક શાંતિ યોજના' અને પેલેસ્ટાઈનવાસીઓ માટે છેલ્લી તક ગણાવી હતી તો શ્રી નેતન્યાહુએ આ યોજનાને 'ઐતિહાસિક' ગણાવી હતી. આ યોજના ‘પેલેસ્ટાઇનના લોકોની આત્મનિર્વાહની ઇચ્છાને કાયદેસર માન્યતા આપે છે; જો કે, આ યોજના મુજબ જેરુસેલમ 'ઇઝરાઇલની અવિભાજિત રાજધાની રહેશે' અને પેલેસ્ટાઇન લોકો પૂર્વ જેરુસેલમમાં અલ-કુદ્સ ખાતે અથવા અન્ય કોઈ શહેરમાં તેમની રાજધાની સ્થાપિત કરી શકશે. યોજના સાથે જોડાયેલ ‘કાલ્પનિક નકશા’ માં વેસ્ટ બેન્ક વિસ્તારના તમામ યહૂદી વસાહતો...