સંસદના બંને ગૃહો - લોકસભા અને રાજ્યસભામાં ગત સપ્તાહની કામગીરીમાં કોરોના વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને લોકસભામાં જણાવ્યું હતું કે, સંયુક્ત આરબ અમીરાત - UAEમાં રહેતા આઠ ભારતીયોને અલાયદા રાખવામાં આવ્યા છે. ઈરાનમાં જમ્મુ અને કાશ્મીર તથા મહારાષ્ટ્રના અગીયારસો ભાવિકો સહિત કુલ છ હજાર ભારતીયો અટવાયા છે. આ લોકોમાં કાશ્મીરના વધુ અને અન્ય સ્થળના 300 જેટલા વિદ્યાર્થીઓ, કેરળ, તમીળનાડુ તથા ગુજરાતના આશરે એક હજાર જેટલા માછીમારો પણ ઈરાનમાં અટવાયા છે. શ્રી મુરલીધરને ગૃહને જાણકારી આપી હતી કે, ઈરાનમાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાની બાબતને અગ્રતા આપવામાં આવી છે. આ હેતુથી ભારતીય તબીબોની છ ટીમો ઈરાન મોકલવામાં આવી છે. આ ટીમ ત્યાં અટવાયેલા ભારતીયોના સેમ્પલ લઈ ચકાસશે. અત્યાર સુધીમાં એક હજાર 706 ભારતીયોના સેમ્પલ પરિક્ષણ હેતુથી એકત્ર કરાયા છે. ગત 16મી માર્ચ સુધીમાં 205 ભારતીય શ્રદ્ધાળુઓ સહિત 389 ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા છે. તબીબી પરિક્ષણો બાદ ઈરાનમાં અટવાયેલાં બાકીના ભારતીયોને પણ ભારત પાછા લાવવામાં આવશે. સત્તાવાળાઓ ઈરાનની પરિસ્થિતિ ઉપર ચાંપ...