Skip to main content

ભારત અને બાંગ્લાદેશના આગળ વધી રહેલા દ્વિપક્ષીય સંબંધો

ભારતીય વિદેશ સચિવ, હર્ષ વર્ધન શ્રિંગલાની ઢાકાની મુલાકાત, ભારત બાંગ્લાદેશ વચ્ચેના સ્થાયી અને ગાઢ સંબંધો દર્શાવે છે. ખાસ કરીને પ્રધાનમંત્રી શેખ હસીનાના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની હાલની અવામી લીગ સરકારના કાર્યકાળમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વેગ મળ્યો છે. શ્રી શ્રીંગલાની મુલાકાત મહત્વપૂર્ણ છે કારણ કે તેમણે જાન્યુઆરી 2019 સુધી બાંગ્લાદેશમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી હતી અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તાજેતરનાં ભૂતકાળમાં, બાંગલાદેશે ભારતની અમુક ઘરેલુ બાબતો ઉપર વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે તેને ડર લાગતો હતો કે તેનાથી બાંગલાદેશના સ્થાનિક અસર પડી શકે છે. જો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગલાદેશને ખાતરી આપી છે કે, ભારતના વિકાસનો બાંગ્લાદેશ પર કોઈ અસર પડશે નહીં અને બાંગલાદેશને સત્તાવાર સ્તરે આ અંગે જણાવવામાં આવ્યું છે.

વિદેશ સચિવની મુલાકાતનું મુખ્ય કારણ વંગબંધુ શેઠ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી ઉજવણીમાં ભાગ લેવા માટે આ મહિનામાં યોજનારી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની બાંગલાદેશ મુલાકાત માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરવાનું હતું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, શેઠ મુજીબુર રહેમાન આપણા પણ રાષ્ટ્રીય નાયક છે. બીજા ઘણા મુદ્દાઓ છે કે જે અંગે બંને દેશો આગામી અઠવાડીયામાં ચર્ચા કરાશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને બાંગ્લાદેશે એક બીજાની ચિંતાઓને દૂર કરવા માટે લીધેલા ઘણાં પગલાંના કારણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સુધારો જોવા મળ્યો છે. ઐતિહાસિક જમીન સીમા કરાર અને આંતરરાષ્ટ્રીય લવાદ દ્વારા દરિયાઇ સીમાના સમાધાનથી આ મુદ્દાઓ પરના ભારતના અભિગમ અંગેની ગંભીર ફરિયાદો નિકાલી કાઢવામાં આવી છે. સીમાંકન કરવાથી સરહદી ચોકીદારીમાં સુધારો થયો છે અને 2001 માં પિર્ડીવાહની ઘટના દરમિયાન બનેલી હિંસા જેવા બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમ છતાં, સરહદ પર ક્યારેક ગોળીબાર ઘટનાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું અસ્તિત્વ બતાવે છે જે સરહદોની સલામતીને પડકારરૂપ સાબિત થાય છે.

ભારત સરકારે 2011માં ખાસ કરીને કાપડ સહિતની 61 ચીજવસ્તુઓને જકાત મુક્ત કરતાં દ્વિપક્ષી વ્યપાર સતત વધતો રહ્યો છે. નિકાસ પ્રોત્સાહન બ્યૂરો ઈપીબીના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાંથી અગાઉના વર્ષે કરાયેલી 77 કરોડ 32 લાખ ડોલરની નિકાસ વધીને આ વર્ષે સવા અબજ ડોલર થઈ છે. જે 42.91 ટકાનો વધારો દર્શાવે છે. બાંગ્લાદેશનો વિકાસ વાર્ષિક સાત ટકાના દરે થઈ રહ્યો છે. પરિણામે દ્વિપક્ષી વેપારને પણ બળ મળશે. જોકે, જકાત મુક્ત માલસામાન સિવાયનો માલ મુખ્ય અવરોધરૂપ રહ્યો છે. સુચિત બાંગ્લાદેશ-ભૂતાન-ભારત-નેપાળ-બીબીઆઈએન મોટર વાહન ધારો – એમવીએ અને બીમસ્ટેક મોટરવાહન ધારો અમલમાં આવ્યા પછી સંપર્ક અને આંતર માળખાકીય પરિયોજનાઓ પૂરી થતાં દ્વિપક્ષી વેપાર નવી ઊંચાઈ હાંસલ કરશે તેવી આશા છે. બંને દેશ વચ્ચેના વેપાર અને વાણિજ્યમાં ઊંર્જા વેપાર તથા જળમાર્ગ દ્વારા સંપર્કો વધવાથી તે પણ મહત્વની ભૂમિકા ભજવશે.

આ મહિનાના અંત ભાગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઢાકાની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહકાર વધારવા અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે. જોકે ભારતે બાંગ્લાદેશને 50 કરોડ ડોલરની સંરક્ષણ શાખ મંજૂર કરી છે. પરંતુ તેના અમલ અંગે હજી બંને દેશો વચ્ચે મંત્રણાઓ ચાલે છે. આ શાખના અમલ માટે આગળ વધાવાનો સમય હવે કદાચ પાકી ગયો છે. બંને દેશોએ અગાઉ દરિયા કાંઠાના સર્વેક્ષણ માટેની વ્યવસ્થા ઊભી કરવા માટે 2019માં સમજુતી કરાર પર સહીઓ કરી હતી. આ મુલાકાત દરમિયાન તે અંગે પણ વધુ ચર્ચામંત્રણા થશે. બંને દેશોએ ત્રાસવાદ વિરોધી ક્વાયત ‘સમપ્રિતી’ અંતર્ગત સહિયારી સુરક્ષા બાબતે અને સંકલિત ચોકીદારી અંગે પણ કામગીરી કરી છે.

ભારતે મંજૂર કરેલી 7.5 અબજ ડોલરની શાખના તત્કાળ અમલીકરણની પણની જરૂર છે. અહેવાલ અનુસાર છેલ્લા આઠ વર્ષના ગાળામાં ભારતે મંજૂર કરેલી ચાર ધિરાણ યોજનાઓ પૈકી માત્ર 51 ટકાનો જ અમલ થયો છે. વિવિધ શાખ ધિરાણ હેઠળ કુલ 51 કરોડ ડોલરથી વધુના ત્રણ રેલવે પ્રોજેક્ટ નિર્ધારિત કરવામાં આવ્યા છે. તે પૈકી ડિસેમ્બર 2019 સુધીમાં કેવળ આઠ કરોડ 77 ડોલરનો જ ઉપયોગ કરાયો છે. મંજૂર કરેલા નાણાં છૂટા કરવા માટે જરૂરી પરિયોજના અહેવાલ તૈયાર કરવામાં બાંગ્લાદેશ થોડું ધીમું છે. પરિણામે કેટલીક પરિયોજનાઓનો ખર્ચ પણ વધી ગયો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં નવી ટ્રેનો અને બસો શરૂ થવાથી ભારત અને બાંગ્લાદેશના લોકો વચ્ચેનો સંપર્ક સારો એવો વધ્યો છે. ભારત સરકારની ‘પાડોશી પહેલો’ નીતી અંતર્ગત બાંગ્લાદેશના નાગરિકોને વિઝા મંજૂર કરવાના ધારાધોરણો હળવા બનાવવાથી અને તબીબી સારવાર માટેના અલગ વિઝા શરૂ થવાથી આ સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે. આ પરિપ્રેક્ષમાં ભારતના વિદેશ સચિવની મુલાકાત બંને દેશો વચ્ચે સંબંધો સર્વોચ્ચ સ્તરે લઈ જવા માટે ખૂબ મહત્વની છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...