પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વર્ષ 2021માં દેશ નવી ઉંચાઇઓ હાંસલ કરશે. તેવી આશા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ ભારતની છબી વિશ્વમાં વધુ મજબુત બને તેવી અપેક્ષા દર્શાવી છે. પ્રધાનમંત્રીએ વીતી રહેલા વર્ષની યાદો મમળાવતા જનતા કફર્યુ જેવા અનુભવોમાં નાગરીકોની ઉત્સાહભેર ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, જયારે આખા દેશના લોકોએ થાળી વગાડી કોરોના વોરીયર્સનું સન્માન કર્યું ત્યારે કોરોના સામેની લડતમાં લોકોની એકજૂટતા અને ભાગીદારીના દર્શન થયા. શ્રી મોદીએ કહ્યું કે, દેશના સામાન્યમાં સામાન્ય લોકોએ પરીવર્તનની અનુભુતિ કરી. શ્રી મોદીએ કહ્યું કે, તેમણે દેશમાં આશાની અસાધારણ લહેર જોઇ. કોરોના દરમિયાન અનેક પડકારો આવ્યા દુનિયાભરમાં સપ્લાય ચેન વ્યવસ્થા ખોરવાઇ, પણ આપણે પ્રત્યેક પડકારમાંથી નવો પાઠ શીખ્યા. દેશમાં નવી ક્ષમતાઓ ઉભી થઇ. દેશમાં આત્મનિર્ભર-સ્વનિર્ભર થવાની ક્ષમતા ઉભી થઇ. પ્રધાનમંત્રીએ વિશાખાપટ્ટનમના વૈંકટ મુરલી પ્રસાદના પત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વેંકટે રોજબરોજ વપરાતી ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેશનરી, સેલ્ફકેર સહિતની અનેક વસ્તુઓની યાદી બનાવી છે. વેંકટે પ્રધાન...