Skip to main content

ભારતની એક્ટ ઇસ્ટ નીતિમાં મહત્વપૂર્ણ ભાગીદારી અંગે સમીક્ષા

ભારત – વિયેતનામ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી નગુએન ઝુઆન ફુકે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આમ તો ભારત – વિયેતનામ મજબૂત દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે, પરંતુ હિંદ-પ્રશાંત ખાસ કરીને દક્ષિણ ચીની સમુદ્ર ક્ષેત્રે અને ભારત – ચીન સરહદ – LAC મુદ્દે થયેલા વિકાસના કારણે દ્વિપક્ષીય સંબંધોમાં વ્યૂહાત્મક આયામો ઉમેરાયા છે.

પ્રધાનમંત્રી મોદીએ વિયેતનામને ભારતની એક્ટ ઇસ્ટ નીતિનો મહત્વપૂર્ણ આધાર તથા ભારતના હિંદ-પ્રશાંત દૃષ્ટિકોણ માટે મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ભારત વિયેતનામ સાથે લાંબાગાળાના અને વ્યૂહાત્મક સંબંધો ઇચ્છે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, બંને દેશો હિંદ-પ્રશાંત વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને સમૃધ્ધિ ઇચ્છે છે. તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં શાંતિ સ્થિરતા માટે બંને દેશોની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શબ્દોમાં વિયેતનામના હિસ્સેદારી ધરાવતા દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની પ્રભાવી વર્તણૂકનો પડઘો પડે છે. પ્રધાનમંત્રી મોદીની લાગણીને ટેકો આપતા વિયેતનામના પ્રધાનમંત્રીએ કહ્યું કે, વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાથી એકબીજાના દૃષ્ટિકોણ, હિતો અને મુદ્દાઓને સમજવામાં મદદ મળી છે. બંને દેશો વચ્ચે ઘણા દ્વિપક્ષીય કરારો કરવામાં આવ્યા. જેમાં શાંતિ, સમુદ્વિ માટે ભારત – વિયેતનામ સંયુક્ત દૃષ્ટિકોણનો પણ સમાવેશ થાય છે. જેનો હેતુ ભારત વિયેતનામની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારોને વધુ વિકસાવવાનો છે.

2021થી 2023 માટેની કાર્યયોજના વ્યાપક વ્યૂહાત્મક સહભાગીતાના અમલીકરણ પર કેન્દ્રિત છે. આ બેઠકમાં કરાયેલી મહત્વપૂર્ણ જાહેરાત મુજબ વિયેતાન સરહદી દળો માટે હાઈ સ્પીડ ગાર્ડ બોટનું ઉત્પાદન કરાશે. જે ભારતે વિયેતનામને આપેલી 100 મિલિયન અમેરિકી ડોલરની સંરક્ષણ ધિરાણ હેઠળ કરાશે. ભારતમાં ઉત્પાદિત અને વિયેતનામને સોંપાયેલી એક હાઇસ્પીડ ગાર્ડ બોટ તથા અન્ય બે બોટનો પ્રારંભ પણ કરાવાયો છે. વધુ સાત હાઈ સ્પીડ બોટનું ઉત્પાદન વિયેતનામમાં કરાશે. 

ભારતે વિયેતાનમના નાહ ત્રાંગ ખાતે રાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન ખાતેના લશ્કરી સોફ્ટવેર પાર્ક માટે પાંચ મિલિયન અમેરિકી ડોલરની સહાય જાહેર કરી છે. આ કરાર દ્વારા નાહ ત્રાંગના આર્મી સોફ્ટવેર પાર્ક ખાતે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં સરળતા મળશે. અન્ય મહત્વપૂર્ણ જાહેરાતોમાં ત્રણ નવા પ્રોજેક્ટોનો સમાવેશ છે, જેમાં હેરિટેઝ સંરક્ષણમાં ભાગીદારી પ્રોજેક્ટ્સ તથા ભારત વિયેતનામ સંસ્કૃતિ અને સાંસ્કૃતિક સંબંધો પર એક એનસાયક્લોપીડિયા બનાવવા દ્વિપક્ષીય પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. 

ભારતના પરમાણુ ઊર્જા નિયમનકારી બોર્ડ અને વિયેતનામ એજન્સી વચ્ચે રેડિયેશન અને પરમાણુ સલામતી માટેના સમજુતી કરારોનો હેતુ કિરણોત્સર્ગ સુરક્ષા અને પરમાણુ સલામતીના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. કાઉન્સિલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (CSIR) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ અને વિયેતનામ પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચેનો એમઓયુ પેટ્રોલિયમ સંશોધન અને તાલિમમાં સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. ટાટા મેમોરિયલ સેન્ટર ઓફ ઇન્ડિયા અને વિયેતનામ નેશનલ કેન્સર હોસ્પિટલ વચ્ચેના એમઓયુમાં તાલિમ અને વૈજ્ઞાનિક સંશોધન, આરોગ્ય સંભાળ સેવાઓ કેન્સરના દર્દીઓના નિદાન અને સારવારના સહયોગના ક્ષેત્રમાં આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાની સમજુતી સધાઈ છે. ભારત અને વિયેતનામ ક્લીન એનર્જી એસોસિએશનની નેશનલ સોલર ફેડરેશન વચ્ચેનો એમઓયુ જ્ઞાનના આદાનપ્રદાન તથા માહિતીની વહેંચણી અને સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે નવી વેપારની તકો શોધવાનો છે.તમામ કરારો દર્શાવે છે કે, ભારત લોકો કેન્દ્રીત વિકાસની ફિલસૂફી ધરાવે છે. આ યોજનાઓ અને સહાયો વિયેતનામના લોકોને સશક્ત કરવા માટે છે. ભારત તરફથી વિયેતનામને અપાઈ રહેલી સહાયમાં કોઈ છૂપો ઉદેશ્ય નથી. ભારત વિયેતનામ સાથે લાંબાગાળા મજબૂત પ્રતિષ્ઠિત સંબંધો ઇચ્છે છે.
લેખક – ડોક્ટર રૂપા નારાયણ દાસ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...