Skip to main content

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે.

નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી.

છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે.

વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા.

ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાના ઉદેૃશથી યોજાઇ રહી છે.

આ વૈશ્વીક પરીષદમાં ભવિષ્યના ઉર્જા ક્ષેત્રના વિકલ્પોની જાણકારી આપવા તથા આ ક્ષેત્રના ઉત્પાદકો, રોકાણકારો, નવકલ્પનાકારો તથા ડેવલરોને મંચ આપવાના હેતુથી યોજાઇ છે. આ પરીષદમાં ૭પ મંત્રીસ્તરના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, એક હજાર વૈશ્વીક અગ્રણીઓ અને પચાસ હજાર પ્રતિનિધિઓ ભાગ લઇ રહયાં છે.

નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિશ્વના ટોચના ઉત્પાદક દેશોમાં ભારત ચોથુ સ્થાન ધરાવે છે તેમજ તેની વીજ ઉત્પાદન ક્ષમતામાં ઝડપથી વધારો થઇ રહયો છે. ભારતમાં આ ક્ષેત્રે ૧૩૬ ગીગા વોટ વીજ ઉત્પાદન થાય છે, જે આ ક્ષેત્રની કુલ વીજ ઉત્પાદન ક્ષમતાના ૩૬ ટકા જેટલુ છે.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, આબોહવામાં પરીવર્તનની સમસ્યાને ઉકેલવાની ભારતની પ્રતિબધ્ધતાના કારણે જ ભારતે નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે પ્રગતી સાધી છે. ભારતમાં આ ક્ષેત્રે વધી રહેલા મુડીરોકાણના લીધે, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થઇ રહયો છે. ભારત વિશ્વને એ બતાવી રહયો છે કે મજબુત પર્યાવરણીય નીતીના લીધે મજબુત અર્થતંત્ર રચી શકાય છે.

ભારતની ઉર્જા ક્ષેત્રની નીતી અંગે બોલતાં પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે ભારતની આ ક્ષેત્રની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. ભારતને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે રોકાણનું કેન્દ્ર તરીકે ઓળખાવીને શ્રી મોદીએ કહયું કે છેલ્લા છ વર્ષમાં ભારતમાં આ ક્ષેત્રે ૬૪ અબજ અમેરીકી ડોલરનું રોકાણ થયું છે.

ભારત કૃષિ ક્ષેત્રે સૌર ઉર્જા આધારીત વીજ ઉત્પાદન ધ્વારા ક્રાંતી લાવવાની નોમ ધરાવે છે. ભારતે અપનાવેલી ઉદાર રોકાણનીતીના લીધે વિદેશી રોકાણકારો સ્વતંત્ર રીતે અથવા સ્થાનિક ભાગીદાર સાથે મળીને નવીનીકરણી ઉર્જા ક્ષેત્રના વીજ ઉત્પાદન એકમો સ્થાપી શકે છે.

નવી નીતીવિષયક પહેલોમાં સર્વગ્રાહી રાષ્ટ્રીય હાઇડ્રોજન ઉર્જા મીશનનો સમાવેશ થાય છે. આ નીતીમાં હાઇડ્રોજન તથા ઓકસીજનના અણુઓને જોડીને હાઇડ્રોજન ઇંધણનું ઉત્પાદન કરવાનો સમાવેશ થાય છે. હાઇડ્રોજન ઇંધણના સેલનો પરીવહન, તાકીદની પરિસ્થિતિમાં પાવર બેકઅપ તરીકે તેમજ મીરીયલ હેન્ડલીંગ જેવા વિવિધ ક્ષેત્રે ઉપયોગ કરી શકાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોકાણકારોને જણાવ્યું હતું કે, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે પ્રતિ વર્ષ ર૦ અબજ અમેરીકી ડોલર જેટલી વ્યવસાયીક માંગણી ઉભી થવાની સંભાવનાઓ છે. પ્રધાનમંત્રીએ કહયું કે આબોહવામાં પરીવર્તનની સમસ્યા સામે લડવામાં અગ્રીમ હરોળના દેશ એવા ભારતમાં છેલ્લા એક દાયકામાં ઉર્જા ક્ષેત્રના ઉત્સર્જનની તીવ્રતામાં વીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

હાલમાં ભારતમાં પર કેપીટા કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ૧.૬ ટન છે, જે વૈશ્વિક સરેરાશ ૪.૪ ટન કરતા ઘણુ ઓછુ છે. આમ છતાં લો-કાર્બન વીજ પુરવઠા ક્ષેત્રે પ્રગતિ હજી ભારત માટે એક પડકાર છે.

આંતરરાષ્ટ્રીય ઉર્જા સંસ્થાના અભ્યાસ મુજબ વર્ષ ર૦૪૦ સુધીમાં ભારતની ઉર્જા ક્ષેત્રની માંગણી બમણી થવાની સંભાવના હોવાથી ભારતે ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર મુડીરોકાણની જરૂર પડશે.

શ્રીરંગ તેડુંલકર –મુકેશ

લેખક ઃ ભારતીય વિજ્ઞાન પત્રિકાના કાર્યકારી તંત્રી એન. ભદ્રન નાયર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...