ભારતે તેનું અર્થતંત્ર પાંચ ટ્રીલીયન અમેરીકી ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે. આ ધ્યેય ઘરઆંગણે વેપાર અને મુડી રોકાણ બાબતે મજબુત અને યોગ્ય વાતાવરણ ઉભુ કરવુ અને બીજી તરફ વૈશ્વિક અર્થતંત્ર સાથેના જોડાણો વધુ મજબુત તથા જોમવંતા બનાવવા એ બંને પાયા ઉપર આધારી છે. આ ધ્યેયને સાકાર કરવા ભારતે વસ્તુ અને સેવા કર – જીએસટી તથા નાધરીને લગતો કાયદો – આઇબીસી કોડ જેવા શ્રેણીબધ્ધ સુધારાઓ હાથ ધર્યા છે. ભારતે પોતાના બજારના હિતોને ધ્યાનમાં લઇને વૈશ્વિક સ્તરે ભારતીય વેપાર ઉદ્યોગને મદદરૂપ થાય તેવી પુરક ભાગીદારી વધારવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. રચનાત્મક અને પરસ્પર લાભદાયક આર્થિક સંબંધો સુદૃઢ બનાવવા ભારતે ઘર આંગણે વધુ મુકત વેપાર વ્યવસ્થા ઉભી કરવા તથા દ્વિપક્ષીય આર્થિક સંબંધો મજબુત બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ બાબતે વૈશ્વિક સ્તરે ભારત બંધ બારણાની સંરક્ષણાત્મક આર્થિક નીતીઓમાં માને છે, તેવી જો કોઇ ખોટી માન્યતા હોય તો તેને દુર કરવા ભારતે હાથ ધરેલી આર્થિક ચર્ચા અને વ્યવહારની નીતી ઉપયોગી નીવડશે. કેટલાક વર્ષો પહેલા ભારતે યુરોપીયન સંઘ, ચુરેશિયન આર્થિક સંઘ, મોરીશીયસ, ઇઝરાયેલ સહિત ઘણા દેશો તથા સંગઠન...