Skip to main content

પાડોશી પ્રથમ નીતિનો ભારતે કરેલો પુનરોચ્ચાર

ભારત તેના ‘પાડોશી પ્રથમ’ નીતિ પ્રત્યે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ મે 2014 માં પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારથી કેટલાક સમારોહમાં આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે 26 મી મે 2014 ના રોજ તેમના શપથ ગ્રહણ સમારોહમાં પણ દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક સહકાર સંગઠન-સાર્કના રાષ્ટ્રપ્રમુખોને નિમંત્રિત કર્યા હતા. એ જ વર્ષે, તેઓ તેમની પ્રથમ વિદેશ મુલાકાતે ભૂટાન ગયા હતા. શ્રી મોદીએ ગરીબી, કુપોષણ, બધા માટે શિક્ષણ જેવા મુદ્દાઓનો ઉકેલવા સામૂહિક પ્રયાસોની જરૂર હોવાનું જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે ભારત તેમના પાડોશી દેશોના કલ્યાણ માટે તેમને મદદ કરવા તૈયાર છે.

નવા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના રાજા જિગમે ખેસર નામ્ગ્યેલ વાંચૂક, ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે, પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે , માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ શેખ હસીના અને નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીને ટેલિફોન પર વાતચીત કરી હતી અને ભારત અને ભારતના નાગરિકો તરફથી તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે તેમણે ફરી એક વખત ‘પાડોશી પ્રથમ નીતિ’ માટેની ભારતની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂક્યો હતો અને શાંતિ, સલામતી તેમજ આ પ્રદેશમાં આવતા ભારતના બધા મિત્ર અને ભાગીદાર દેશોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે સહિયારા પ્રયાસો અંગેની ભારતની નીતિ અંગે પણ વાત કરી હતી.

ભૂટાનના રાજા સાથેની તેમની વાતચીતમાં પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના વિશેષ સંબંધો વધુ દ્રઢ બનાવતી છેલ્લા વર્ષની મહત્વની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમની છેલ્લી ભૂટાન મુલાકાતમાં લોકો તરફથી મળેલ પ્રેમ અને સ્નેહને પણ શ્રી મોદીએ યાદ કર્યા હતા. તેમણે બંને દેશોના યુવાનો વચ્ચે વિચારોના આદાન પ્રદાનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને ભૂટાનના રાજાની આગામી ભારત મુલાકાત માટે તેઓ ઉત્સુક હોવાનું પણ જણાવ્યુ હતું.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી ગોતબાયા રાજ્યપક્ષે એ પણ શ્રી મોદીની શુભેચ્છાઓને ઉષ્માપૂર્વક આવકારતા 2020માં બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધો વધુ મજબૂત બનશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.

શ્રીલંકાન પ્રધાનમંત્રી શ્રી મહિન્દ્રા રાજપક્ષે સાથેની વાતચીતમાં પણ શ્રી મોદીએ શ્રીલંકા સાથેના સંબંધો વધુ વિકસીત કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. પ્રધાનમંત્રી રાજપક્ષેએ પણ શ્રી મોદીની શુભેચ્છાઓનો ઉષ્માભેર પ્રતિભાવ આપતાં બંને દેશોના સંબંધો વધુ વિકસીત કરવાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ માલદીવના રાષ્ટ્રપ્રમુખ અને માલદીવના લોકોને વિકાસ માટેના તેમના પ્રયાસોમાં સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપ્રમુખ સોલીહે શ્રી મોદીની શુભેચ્છાઓનો પ્રતિભાવ આપતા બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ કરવા તથા દ્વિપક્ષીય સહભાગીતા વધારવા અને નવા ક્ષેત્રોમાં સંબંધો આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ત્રણ વર્ષ માટે અવામી લીગના વડા તરીકે ફરીથી ચૂંટાવા બદલ પ્રધાનમંત્રી મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને અભિનંદન આપ્યા હતા. શ્રી મોદીએ બાંગ્લાદેશના ભારત ખાતેન રાજદૂત સૈયદ મુઝેન અલીના નિધન બદલ શોકની લાગણી વ્યક્ત કરી હતી.

શ્રી મોદીએ વર્ષ 2019માં ભારત – બાંગ્લાદેશના સંબંધોમાં થયેલ પ્રગતિની નોંધ લીધી હતી.

તેમણે કહ્યું કે, બંગબંધુની આગામી શતાબ્દી, બાંગ્લાદેશની મુક્તિને 50 વર્ષ પૂર્ણ થવા તથા દ્વિપક્ષીય રાજદ્વારી જોડાણો બંને દેશો વચ્ચેના સંબંધો વધુ નીકટ બનાવવા માટે મહત્વપૂર્ણ છે. અને તેમની સરકારની પ્રાથમિકતા પણ છે.

નેપાળના પ્રધાનમંત્રી શ્રી ઓલી સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ 2019માં ભારત – નેપાળ સંબંધોમાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

2019માં કેટલીક પરિયોજનો પૂર્ણ થઈ છે. જેમાંથી શ્રી મોદીએ રેકોર્ડ સમયમાં પૂર્ણ થયેલી મોતીહારી – અમલેખગંજ પેટ્રોલીયમ પ્રોડક્ટ પાઇપલાઈનનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બંને નેતાઓને બીટાનગર ચેક પોસ્ટ અને નેપાળના હાઉસિંગ રી-કન્ટ્ર્કશન યોજનાના ઝડપી ઉદ્ઘાટન માટે સંમતિ દર્શાવી હતી.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...