ભારત તેના ‘પાડોશી પ્રથમ’ નીતિ પ્રત્યે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ મે 2014 માં પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારથી કેટલાક સમારોહમાં આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે 26 મી મે 2014 ના રોજ તેમના શપથ ગ્રહણ સમારોહમાં પણ દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક સહકાર સંગઠન-સાર્કના રાષ્ટ્રપ્રમુખોને નિમંત્રિત કર્યા હતા. એ જ વર્ષે, તેઓ તેમની પ્રથમ વિદેશ મુલાકાતે ભૂટાન ગયા હતા. શ્રી મોદીએ ગરીબી, કુપોષણ, બધા માટે શિક્ષણ જેવા મુદ્દાઓનો ઉકેલવા સામૂહિક પ્રયાસોની જરૂર હોવાનું જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે ભારત તેમના પાડોશી દેશોના કલ્યાણ માટે તેમને મદદ કરવા તૈયાર છે.
નવા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના રાજા જિગમે ખેસર નામ્ગ્યેલ વાંચૂક, ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે, પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે , માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ શેખ હસીના અને નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીને ટેલિફોન પર વાતચીત કરી હતી અને ભારત અને ભારતના નાગરિકો તરફથી તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે તેમણે ફરી એક વખત ‘પાડોશી પ્રથમ નીતિ’ માટેની ભારતની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂક્યો હતો અને શાંતિ, સલામતી તેમજ આ પ્રદેશમાં આવતા ભારતના બધા મિત્ર અને ભાગીદાર દેશોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે સહિયારા પ્રયાસો અંગેની ભારતની નીતિ અંગે પણ વાત કરી હતી.
ભૂટાનના રાજા સાથેની તેમની વાતચીતમાં પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના વિશેષ સંબંધો વધુ દ્રઢ બનાવતી છેલ્લા વર્ષની મહત્વની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમની છેલ્લી ભૂટાન મુલાકાતમાં લોકો તરફથી મળેલ પ્રેમ અને સ્નેહને પણ શ્રી મોદીએ યાદ કર્યા હતા. તેમણે બંને દેશોના યુવાનો વચ્ચે વિચારોના આદાન પ્રદાનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને ભૂટાનના રાજાની આગામી ભારત મુલાકાત માટે તેઓ ઉત્સુક હોવાનું પણ જણાવ્યુ હતું.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી ગોતબાયા રાજ્યપક્ષે એ પણ શ્રી મોદીની શુભેચ્છાઓને ઉષ્માપૂર્વક આવકારતા 2020માં બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધો વધુ મજબૂત બનશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.
શ્રીલંકાન પ્રધાનમંત્રી શ્રી મહિન્દ્રા રાજપક્ષે સાથેની વાતચીતમાં પણ શ્રી મોદીએ શ્રીલંકા સાથેના સંબંધો વધુ વિકસીત કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. પ્રધાનમંત્રી રાજપક્ષેએ પણ શ્રી મોદીની શુભેચ્છાઓનો ઉષ્માભેર પ્રતિભાવ આપતાં બંને દેશોના સંબંધો વધુ વિકસીત કરવાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ માલદીવના રાષ્ટ્રપ્રમુખ અને માલદીવના લોકોને વિકાસ માટેના તેમના પ્રયાસોમાં સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપ્રમુખ સોલીહે શ્રી મોદીની શુભેચ્છાઓનો પ્રતિભાવ આપતા બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ કરવા તથા દ્વિપક્ષીય સહભાગીતા વધારવા અને નવા ક્ષેત્રોમાં સંબંધો આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ત્રણ વર્ષ માટે અવામી લીગના વડા તરીકે ફરીથી ચૂંટાવા બદલ પ્રધાનમંત્રી મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને અભિનંદન આપ્યા હતા. શ્રી મોદીએ બાંગ્લાદેશના ભારત ખાતેન રાજદૂત સૈયદ મુઝેન અલીના નિધન બદલ શોકની લાગણી વ્યક્ત કરી હતી.
શ્રી મોદીએ વર્ષ 2019માં ભારત – બાંગ્લાદેશના સંબંધોમાં થયેલ પ્રગતિની નોંધ લીધી હતી.
તેમણે કહ્યું કે, બંગબંધુની આગામી શતાબ્દી, બાંગ્લાદેશની મુક્તિને 50 વર્ષ પૂર્ણ થવા તથા દ્વિપક્ષીય રાજદ્વારી જોડાણો બંને દેશો વચ્ચેના સંબંધો વધુ નીકટ બનાવવા માટે મહત્વપૂર્ણ છે. અને તેમની સરકારની પ્રાથમિકતા પણ છે.
નેપાળના પ્રધાનમંત્રી શ્રી ઓલી સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ 2019માં ભારત – નેપાળ સંબંધોમાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
2019માં કેટલીક પરિયોજનો પૂર્ણ થઈ છે. જેમાંથી શ્રી મોદીએ રેકોર્ડ સમયમાં પૂર્ણ થયેલી મોતીહારી – અમલેખગંજ પેટ્રોલીયમ પ્રોડક્ટ પાઇપલાઈનનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બંને નેતાઓને બીટાનગર ચેક પોસ્ટ અને નેપાળના હાઉસિંગ રી-કન્ટ્ર્કશન યોજનાના ઝડપી ઉદ્ઘાટન માટે સંમતિ દર્શાવી હતી.
નવા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના રાજા જિગમે ખેસર નામ્ગ્યેલ વાંચૂક, ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે, પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે , માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ શેખ હસીના અને નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીને ટેલિફોન પર વાતચીત કરી હતી અને ભારત અને ભારતના નાગરિકો તરફથી તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે તેમણે ફરી એક વખત ‘પાડોશી પ્રથમ નીતિ’ માટેની ભારતની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂક્યો હતો અને શાંતિ, સલામતી તેમજ આ પ્રદેશમાં આવતા ભારતના બધા મિત્ર અને ભાગીદાર દેશોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે સહિયારા પ્રયાસો અંગેની ભારતની નીતિ અંગે પણ વાત કરી હતી.
ભૂટાનના રાજા સાથેની તેમની વાતચીતમાં પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના વિશેષ સંબંધો વધુ દ્રઢ બનાવતી છેલ્લા વર્ષની મહત્વની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમની છેલ્લી ભૂટાન મુલાકાતમાં લોકો તરફથી મળેલ પ્રેમ અને સ્નેહને પણ શ્રી મોદીએ યાદ કર્યા હતા. તેમણે બંને દેશોના યુવાનો વચ્ચે વિચારોના આદાન પ્રદાનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને ભૂટાનના રાજાની આગામી ભારત મુલાકાત માટે તેઓ ઉત્સુક હોવાનું પણ જણાવ્યુ હતું.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી ગોતબાયા રાજ્યપક્ષે એ પણ શ્રી મોદીની શુભેચ્છાઓને ઉષ્માપૂર્વક આવકારતા 2020માં બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધો વધુ મજબૂત બનશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.
શ્રીલંકાન પ્રધાનમંત્રી શ્રી મહિન્દ્રા રાજપક્ષે સાથેની વાતચીતમાં પણ શ્રી મોદીએ શ્રીલંકા સાથેના સંબંધો વધુ વિકસીત કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. પ્રધાનમંત્રી રાજપક્ષેએ પણ શ્રી મોદીની શુભેચ્છાઓનો ઉષ્માભેર પ્રતિભાવ આપતાં બંને દેશોના સંબંધો વધુ વિકસીત કરવાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ માલદીવના રાષ્ટ્રપ્રમુખ અને માલદીવના લોકોને વિકાસ માટેના તેમના પ્રયાસોમાં સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપ્રમુખ સોલીહે શ્રી મોદીની શુભેચ્છાઓનો પ્રતિભાવ આપતા બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ કરવા તથા દ્વિપક્ષીય સહભાગીતા વધારવા અને નવા ક્ષેત્રોમાં સંબંધો આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ત્રણ વર્ષ માટે અવામી લીગના વડા તરીકે ફરીથી ચૂંટાવા બદલ પ્રધાનમંત્રી મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને અભિનંદન આપ્યા હતા. શ્રી મોદીએ બાંગ્લાદેશના ભારત ખાતેન રાજદૂત સૈયદ મુઝેન અલીના નિધન બદલ શોકની લાગણી વ્યક્ત કરી હતી.
શ્રી મોદીએ વર્ષ 2019માં ભારત – બાંગ્લાદેશના સંબંધોમાં થયેલ પ્રગતિની નોંધ લીધી હતી.
તેમણે કહ્યું કે, બંગબંધુની આગામી શતાબ્દી, બાંગ્લાદેશની મુક્તિને 50 વર્ષ પૂર્ણ થવા તથા દ્વિપક્ષીય રાજદ્વારી જોડાણો બંને દેશો વચ્ચેના સંબંધો વધુ નીકટ બનાવવા માટે મહત્વપૂર્ણ છે. અને તેમની સરકારની પ્રાથમિકતા પણ છે.
નેપાળના પ્રધાનમંત્રી શ્રી ઓલી સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ 2019માં ભારત – નેપાળ સંબંધોમાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
2019માં કેટલીક પરિયોજનો પૂર્ણ થઈ છે. જેમાંથી શ્રી મોદીએ રેકોર્ડ સમયમાં પૂર્ણ થયેલી મોતીહારી – અમલેખગંજ પેટ્રોલીયમ પ્રોડક્ટ પાઇપલાઈનનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બંને નેતાઓને બીટાનગર ચેક પોસ્ટ અને નેપાળના હાઉસિંગ રી-કન્ટ્ર્કશન યોજનાના ઝડપી ઉદ્ઘાટન માટે સંમતિ દર્શાવી હતી.
Comments
Post a Comment