Skip to main content

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી.

ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોંધપાત્ર ઘટાડો કર્યો હતો.

આ આતંકીના મોતના સમાચાર ઘણાને માટે સાચા માનવા મુશ્કેલ હતા. કારણ કે, આ ત્રાસવાદીના મોતના સમાચાર પહેલીવાર સામે ન હતા આવ્યા, એટલે કે વારંવાર આ પ્રકારના ખોટા સમાચાર આવેલા. પરંતુ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે જ આ જાહેરાત કરી હતી. તેમની આરબ નીતી મુખ્યત્વે આઈએસઆઈએસનો ખુરદો બોલાવવા માટે જ ધ્યાન કેન્દ્રીત હતી. તેમણે જાહેરાત કરી કે, આ ત્રાસવાદીનું મોત કૂતરો અને કાયરની જેમ થયું છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, આ બગદાદીએ ટનલમાં પકડાયા બાદ, પોતાના જ વિસ્ફોટકથી ભરેલા અંગરખામાં વિસ્ફોટ કર્યો હતો, અને માર્યો ગયો હતો. પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેન સામેના ઓપરેશનમાં અકીન, અમેરિકન સ્પેશિયલ ડેલ્ટા ફોર્સનો ઉપયોગ અબુ બકર અલ બગદાદીને પણ ખતમ કરવા માટે કરવામાં આવ્યો હતો.

અમેરિકાએ બગદાદી માટે 25 કરોડ ડોલરના ઇનામની જાહેરાત કરી હતી.

બગદાદીના માર્યા ગયા બાદ, આતંકરરાષ્ટ્રીય સમુદાય હવે વૈશ્વિક આતંકવાદના બગદાદી બાદનું વાતાવરણ કેવું હશે તે જાણવા ઉત્સુક હશે. ઓસામાના અંત બાદ વળી સામે એવી જ ચિંતાનો ઊભી થઈ હતી.

જોકે, આતંકવાદના સફાયાનાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યું નથી. તાજેતરમાં બે ભયંકર ત્રાસવાદી સંગઠનો અલ નુસરાહ અને ઇસ્લામિક સ્ટેટનો અલકાયદાના અવશેષોમાંથી જ ઉદભવ થયો છે.

અલ કાયદા નબળું પડતા આઈએસઆઈએસ વધુ મજબૂત બન્યું અને તેના આતંકી સભ્યો દ્વારા વિશ્વભરમાં ભયાનક હુમલા કરાયા હતા. બગદાદી અને ઓસામા માત્ર ચહેરા હતા અને આભાસ હતા. પરંતુ ખરેખર તો વહીવટકર્તા ન હતા. આજે આઈએસઆઈએસએ ઘણા દેશોમાં તેનું નેટવર્ક ઊભી કર્યું છે અને તેના વિસ્તારમાં તેઓ કાર્યરત છે. મુખ્ય નેતૃત્વની ભૂમિકા નજીવી છે. આઈએસઆઈએસ સામે યુદ્દ ચાલી રહ્યું છે. અને તેમાં થોડીક સફળતા મળી છે. સીરીયા અને ઇરાકમાંથી હજારો આઈએસઆઈએસ આતંકીઓને પકડવામાં આવ્યા છે અને તેમાં કેટલાંક યુરોપીયન પણ છે. તેમણે દેશવટો આપવામાં આવશે. જોકે, ઘણા એવા છે તેઓ આઈએસઆઈએસની વિચારધારાથી અસર પામ્યા છે. તેમનો તાત્કાલિક હલ લાવવાની જરૂર છે.

અલગ અલગ સામાજિક સંગઠનોમાં આઈએસઆઈએસ કેડરના પ્રવેશથી કટ્ટરપંથીકરણ થાય છે. એવું માનવું ખોટું છે કે, બગદાદીના અંત સાથે આઈએસઆઈએસની વાર્તા પણ પૂરી થઈ છે. ત્યાં થોડા સમય માટે વાતાવરણમાં શૂન્યાવકાશ લાગે, વળી ઉત્તરાધિકારીઓ વચ્ચે પણ આતંરિક ઝગડા થઈ શકે છે. પણ રાજકીય શૂન્યાવકાશ અને અસ્થિરતાઓના કારણે આઈએસઆઈએસનું અસ્તિત્વ તો રહેશે જ.

ભારતનો મત છે કે, આઈએસઆઈએસ સામેની લડાઈ ચાલુ જ રાખવી જોઈએ. આઈએસઆઈએસના આતંકીઓએ કરેલા અત્યાચારને લોકોએ યાદ રાખવો જ જોઈએ. આઈએસઆઈએસની મધ્યયુગની વિચારધારામાં ભાગ્યે જ કોઈ જાદુમંત્રથી ફેરફાર થાય. આરબોના વિશાળ વિશ્વમાં અસ્થિર રાજકીય પ્રણાલીમાં પુનઃ વિશ્વાસનું વાતાવરણ ઊભી થવું જોઈએ.

લેખક - ફઝુર રહેમાન સિદ્દીકી, વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...