સીંગાપોરમા; ગત અઠવાડીયે થયેલી સામાન્ય ચુંટણીમાં જીત મેળવી પીપલ્સ એકશન પાર્ટી – પીએપી સત્તાધારી પક્ષ અને પ્રધાનમંત્રી લી સીન લુંગ ફરીથી સત્તા પર આવ્યા છે. ચુંટણીમાં કુલ ૯૬ ટકા મતદાન થયું હતું. પીએપી પક્ષે ૯૩ માંથી ૮૩ બેઠકો પર વિજય મેળવ્યો હતો. બાકીની ૧૦ બેઠકો વિરોધપક્ષ વર્કસ – પક્ષના ફાળે ગઇ હતી. ૧૯૫૯ માં સત્તા પર આવ્યા બાદ પીએપી નો આ સળંગ ૧પ મો વિજય છે. સીગાપોરમાં ચુંટણીઓ માટે ફસ્ટ પસ્ટ ધ પોસ્ટ ચુંટણી પધ્ધતિ અનુસરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચુંટણીમાં જીત બદલ સીંગાપોરના પ્રધાનમંત્રી લી સીન લુંગને અભિનંદન પાઠવ્યા હતા. સીંગાપોર ચુંટણીના પરીણામો થી ભારત સીંગાપુર જોડાણો વધુ સખત અને સઘન બનશે. ભારતના તથા સીંગાપોરના પ્રધાનમંત્રીના વડપણ હેઠળ બંને દેશોના સંબંધ વધુ ઉંડા બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા સ્વ. લી કુન યે ની પ્રશંસા કરી છે. શ્રી એ સીંગાપોરના સ્થાપક પિતા કહી શકાય. તેઓ ૧૯પ૯ થી ૧૯૯૦ સુધધી સીંગાપોરના નિર્માણમાં તેમનું મહત્વપુર્ણ યોગદાન છે. પ્રધાનમંત્રી મોદીએ ર૦૧પ માં શ્રી યુના અંતીમ સંસ્કારમાં હાજરી આપી હતી. શ્રી મોદીએ તેમને શ્રધ્ધાંજલી પાઠવત...