Skip to main content

ઈમરાનની મુશ્કેલી – અતિશયોક્તિભર્યા પ્રવચનનો પ્રભાવ પડતો નથી – એ અંગે સમીક્ષા



ગત 29મી જૂન – 2020ના રોજ કરાંચી ખાતેના શેરબજાર ઉપર અલગતાવાદી બલોચ લોકોએ કરેલા હુમલામાં ચાર ઉગ્રવાદીઓ સહિત 13 જણાના મોત થયા હતા.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને અગાઉથી જાણે પ્રતિભાવ તૈયાર હોય, તેમ તક ગુમાવ્યા વિના આ હુમલા માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. આ બાબત એટલા માટે આશ્ચર્યકારક નથી, કારણ કે પાકિસ્તાન પરની કોઈ પણ મુશ્કેલી માટે ભારતને જવાબદાર ઠેરવવાની પાકિસ્તાનના નેતાઓની જાણે આદત બની ચૂકી છે.

વાસ્તવમાં કરાંચી શેરબજારની ઘટના બની તે પહેલાં જ ઈમરાન ખાનના પક્ષના કેટલાક નેતાઓએ ભારત વિરોધી ભાષણો આપવાની શરૂઆત કરી હતી. શું ઈમરાન ખાન હવે એવું કહેશે કે એજન્સીઓને આ અંગે જાણ હતી ? જો જાણ હતી તો સંભવિત હુમલાને રોકવાનો પ્રયાસ શા માટે ન કરાયો ? ઘણાં વર્ષોથી પાકિસ્તાનના અત્યાર સુધીના નેતાઓ જાહેર જીવનમાં પોતાની ભૂલોથી પાકિસ્તાનના નાગરિકોનું ધ્યાન બીજે વાળવા માટે આજ ઉપાય કરતાં રહ્યા છે.

વાસ્તવમાં ઇમરાન ખાને આ પ્રકારના પાયા વિનાના આક્ષેપો ભારત સામે કરીને પાકિસ્તાન હાલ જે પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે, તે ઉપરથી લોકોની ધ્યાન બીજે વાળવા મદદરૂપ થવા બલોચ ઉગ્રવાદીઓનો જાણે આભાર માન્યો છે. વાસ્તવમાં ઈમરાન ખાને છેલ્લા કેટલાંક સમયથી પોતે ચાર તરફથી ધેરાયેલો માણસ હોય તેવો વ્યવહાર શરૂ કર્યો છે. પસંદ કરાયેલા પ્રધાનમંત્રી તરીકે મહેણાનો સામનો કરી રહેલા ઈમરાન ખાનની સ્થિતિ નબળી પડી હોય તેમ જણાય છે. ઘણા વિશ્લેષકોએ ઇમરાન ખાન પ્રધાનમંત્રી બન્યા ત્યારે રાજકારણ તથા અર્થતંત્રની બાબતો અંગે તેમની શૈલી જુદી હોવાનો મત વ્યક્ત કર્યો હતો. આ જ બાબત હવે ઇમરાન ખાનના વિરોધમાં ગઈ છે.

NAB સંસ્થાનો દુરૂપયોગ કરવાનો તથા ભ્રષ્ટાચારીઓ સામે કાયદાનો ઉપયોગ ન કરવાના આક્ષેપો હવે થવા લાગ્યા છે. વાસ્તવમાં તેઓની આસપાસ ભ્રષ્ટ લોકો વધ્યા છે અને આ પૈકી કેટલાંક પાકિસ્તાનના મંત્રીમંડળમાં સભ્ય પણ છે.

તેના સમર્થક ગણાતા પત્રકાર અરશદ ભટ્ટીએ પોતાના ઉર્દુ સમાચારપત્રમાં ઈમરાનને નીષ્ફળ પ્રધાનમંત્રી ગણાવ્યો છે. હસન નિસ્સાર લખે છે કે, છેલ્લાં 22 મહિનાથી પાકિસ્તાનના લોકોનો સમય વેડફવા માટે ઈમરાન ખાનને પાક નાગરિકોને જવાબ આપવો પડશે. ઈમરાન ખાનના પક્ષ તહેરીક – એ- ઈન્સાફ પી.ટી.આઈ.ના જાણીતા નેતા ફવાદ ચૌધરીએ પક્ષની નિષ્ફળતા અને વિવાદોને તાજેતરમાં તેમણે આપેલી મુલાકાતમાં વાચા આપી હતી.

તેમણે કામગીરી કરવામાં પાકિસ્તાન સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. કેટલાંક દિવસો પહેલા સત્તાધારી મોરચાના ઘટક પક્ષ બલોચ નેશનાલીસ્ટ પાર્ટીએ પણ મોરચો છોડવાની ચિમકી આપી હતી.

આ પક્ષના નેતા અખતર મેંગલે, બલોચ લોકોના ઉત્કર્ષ માટે અપાયેલા વચનો નહીં પાળવાનો આક્ષેપ કર્યો હતો. અન્ય બલોચ આગેવાનોની જેમ અખતરે પણ બલોચ લોકોની માગણીઓ સંતોષવા લોકશાહી પદ્ધતિઓનો પ્રયોગ કર્યો જ હશે.

પ્રધાનમંત્રી ઈમરાન ખાને કદાચ સરતચૂકથી હશે, પણ ઓસામ બિન લાદેનને શહિદ ગણાવતા પાકિસ્તાનના ઉદ્દામવાદીઓને નવું બળ મળ્યું છે.

આથી જ પાકિસ્તાનમાં વિપક્ષો ઈમરાનને પ્રધાનમંત્રી પદ પરથી દૂર કરવાની માગણી કરવા લાગ્યા છે. વિપક્ષે પાકિસ્તાન સરકારના બજેટને ગરીબ વિરોધી, લોક વિરોધી ગણાવ્યું તે ટીકાને ઘણાં લોકોએ સમર્થન આપ્યું છે.

વિપક્ષો નેશનલ એસેમ્બ્લીના અધ્યક્ષ સામે વિશ્વાસની દરખાસ્ત લાવવાની માગણી કરી રહ્યા છે. ટૂંકમાં આવનારા દિવસોમાં પાકિસ્તાનના વિપક્ષો પોતાની સ્થિતિ મજબૂત બનાવીને ઈમરાન સામે પડકાર ઉભો કરે તેવી શક્યતા છે.

એવી પણ અફવા છે કે, પાકિસ્તાનમાં સર્વશક્તિમાન ગણાતી સેનાના વડાઓ આ સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. કારણ કે, ઇમરાનની નિષ્ફળતામાં તેઓ ક્યારેય જોડાવા ઈચ્છશે નહીં. આ બધી જ પાર્શ્વભૂમિકા વચ્ચે ઇમરાન વગર નેતૃત્વની ફોર્મ્યુલા પાકિસ્તાની પ્રચાર માધ્યમોમાં હેડલાઈન બનવા લાગી છે.

લેખક- ડોક્ટર અશોક બેહુરિયા, દક્ષિણ એશિયા કેન્દ્રના કો-ઓર્ડિનેટર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...