સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદે બહાલી આપેલા ઠરાવ ક્રમાંક 1373ને 20 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે સલામતી પરિષદની બેઠક વીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાઈ ગઈ. આ ઐતિહાસિક ઠરાવ આતંકવાદ સામેની લડાઈ અંગેનો હતો. અમેરિકામાં નવેમ્બર માસમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે સલામતી પરિષદે આ ઠરાવને બહાલી આપી હતી. એક રીતે આતંકવાદ સામેની વિશ્વ સમુદાયની લડાઈને જોતાં, આ ઠરાવ ઐતિહાસિક ગણાવી શકાય. આ ઠરાવ અંગેની બેઠકને સંબોધતાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યુ હતું કે, આ ઠરાવ આપણને યાદ અપાવે છે કે, આતંકવાદ એ સમગ્ર માનવજાતિ માટે સૌથી મોટો ખતરો છે. તે માત્ર માનવજીવન ઉપર જ નહીં પણ માનવતાના પાયા ઉપર કૂઠરાઘાત કરે છે. આ ઠરાવમાં સમગ્ર સલામતી પરિષદે માનવ સામે ખતરારૂપ આતંકવાદના દૂષણને ડામવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. શ્રી જયશંકરે જણાવ્યું હતું કે, આતંકવાદનો સામનો વિશ્વ સમુદાયે સાથે મળીને કરવો જોઈએ. તે બાબતની તરફેણ ભારતે પ્રથમથી જ કરી હતી. રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં 1373 ઠરાવ મંજૂર કરાયો તે પહેલાં જ આતંકવાદનો સામનો કરવા માટે સર્વગ્રાહી કાયદાકીય માળખું પુરું પાડવાના હેતુથી ભારતે પહેલ કરીને આંતરરાષ્ટ્રીય આતંકવાદ...