Skip to main content

Posts

Showing posts from January, 2021

ભારતે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાના અનુરોધ અંગે સમીક્ષા

સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદે બહાલી આપેલા ઠરાવ ક્રમાંક 1373ને 20 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે સલામતી પરિષદની બેઠક વીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાઈ ગઈ. આ ઐતિહાસિક ઠરાવ આતંકવાદ સામેની લડાઈ અંગેનો હતો. અમેરિકામાં નવેમ્બર માસમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે સલામતી પરિષદે આ ઠરાવને બહાલી આપી હતી. એક રીતે આતંકવાદ સામેની વિશ્વ સમુદાયની લડાઈને જોતાં, આ ઠરાવ ઐતિહાસિક ગણાવી શકાય. આ ઠરાવ અંગેની બેઠકને સંબોધતાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યુ હતું કે, આ ઠરાવ આપણને યાદ અપાવે છે કે, આતંકવાદ એ સમગ્ર માનવજાતિ માટે સૌથી મોટો ખતરો છે. તે માત્ર માનવજીવન ઉપર જ નહીં પણ માનવતાના પાયા ઉપર કૂઠરાઘાત કરે છે. આ ઠરાવમાં સમગ્ર સલામતી પરિષદે માનવ સામે ખતરારૂપ આતંકવાદના દૂષણને ડામવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. શ્રી જયશંકરે જણાવ્યું હતું કે, આતંકવાદનો સામનો વિશ્વ સમુદાયે સાથે મળીને કરવો જોઈએ. તે બાબતની તરફેણ ભારતે પ્રથમથી જ કરી હતી. રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં 1373 ઠરાવ મંજૂર કરાયો તે પહેલાં જ આતંકવાદનો સામનો કરવા માટે સર્વગ્રાહી કાયદાકીય માળખું પુરું પાડવાના હેતુથી ભારતે પહેલ કરીને આંતરરાષ્ટ્રીય આતંકવાદ...

પરસ્પર સંવેદનશીલ અભિગમ ઉપર આધારિત, ભારત-શ્રીલંકા વચ્ચેની ભાગીદારી અંગે સમીક્ષા

ભારતના વિદેશમંત્રી ડો.જયશંકરે, શ્રીલંકાના વિદેશમંત્રીના આમંત્રણના પગલે તાજેતરમાં શ્રીલંકાની બે દિવસની સત્તાવાર મુલાકાત લીધી હતી. શ્રી જયશંકરની વર્ષ 2021ની આ પ્રથમ વિદેશયાત્રા હતી. શ્રી જયશંકરે, શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ગોતાબાયા રાજપકસેને મળીને તેમની સાથે મંત્રણા કરી હતી. આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપકસે વિદેશમંત્રી દિનેશ ગુણવર્દને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી – ડગલસ દેવનંદ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસીંઘે, વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસા, તમીળોના અગ્રણીઓ તથા શ્રીલંકાના વેપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ કર્યો હતો. શ્રી જયશંકરની શ્રીલંકાની મુલાકાતનો મુખ્ય હેતુ દ્વિપક્ષીય સંબંધોને લગતા બધા જ મુદ્દાઓ અંગે સઘન ચર્ચાવિચારણા કરવાનો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે વિવિધ ક્ષેત્રે થયેલા સમજૂતી કરારમાં થઈ રહેલો વિલંબનો મુદ્દો ચર્ચામાં અગ્રસ્થાને રહ્યો હતો. ભારતના વિદેશમંત્રીએ ઉર્જા, માળખાકીય સુવિધાઓ, સંપર્ક જેવા ક્ષેત્રે થયેલા પ્રોજેક્ટોના ઝડપી અમલ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, આમ થવાથી બંને દેશોના અર્થતંત્રની ગતિ ઝડપી બનશે. શ્રીલંકાના વિદેશમંત્રી સાથેની મંત્રણા બા...

પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય દાવપેચ અંગે સમીક્ષા

પાકિસ્તાનમાં વિરોધ પક્ષોના સરકાર વિરોધી ગઠબંધન – પાકિસ્તાન ડેમોક્રેટીક મુવમેન્ટ – પીડીએમ એ લાહોરના મિનારે પાકિસ્તાન ખાતે કરેલા દેખાવો સાથે પ્રથમ તબકકાના વિરોધ પ્રદર્શનનું સમાપત કર્યુ. પીડીએમએ આ પ્રદર્શનને ઇમરાનખાનની પાકિસ્તાન – તહરી એ ઇન્સાફ સરકારને પાડી નાખવાનો અંતીમ ફટકો ગણાવ્યો. જો કે લાહોર – જલસા ઇચ્છીત પરીણામો મેળવવામાં નિષ્ફળ નીવડી અને પીએમએલ – એન પક્ષની મજબુત પકડ ધરાવતા પંજાબમાં પોતાની વાત પહોંચાડવામાં અસફળ રહી. પીડીએમ ધ્વારા વીરોધ પ્રદર્શનના બીજા તબકકાની જાહેરાત કરાઇ છે. જેમાં ઇસ્લામાબાદમાં કુચની જાહેરાત કરાઇ છે. જો કે પીડીએમનો જુસ્સો ઓસરતો દેખાઇ રહયો છે. પીડીએમના પણ સભ્યોએ લાહોર જલસા બાદ રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભાઓમાંથી રાજીનમા આપવાના વિચારનો વિરોધ કર્યો છે. જમાતે – ઉલેમા એ ઇસ્લામીમાં તિરાડો પડવાની શરૂઆત થઇ છે અને એન્ટી – મૌલાના – ફઝલ – અર – રહેમાન ના અવાજો વધુ મજબુત બની રહયાં છે. આજ સમયે પાકીસ્તાન સરકારે તેની વ્યુહરચના વધુ તીક્ષ્ણ કરી છે અને પીડીએમ સાથે મંત્રણા કરવાની તૈયારી બતાવી છે. પીએમએલ – એનના મોહમદ આસીફની રાષ્ટ્રીય જવાબદેહીના બ્યુરો – એનએબી ધ્વારા કરાયેલી ધરપકડ પી...

ભારતે કોવિડની રસી પ્રસ્તુત કરી એ અંગે સમીક્ષા

આત્મનિર્ભર ભારત અને મેઇક ઇન ઇન્ડિયા પહેલને મજબૂત બનાવવા ભારતના વૈજ્ઞાનિકો તથા તબીબી સમુદાયે સ્વદેશી ટેકનિકથી કોવિડની રસી ઘરઆંગણે તૈયાર કરી છે. હૈદરાબાદ ખાતેની ભારત બાયોટેકે તૈયાર કરેલી રસીને ભારતના ઔષધ નિયંત્રણ નિદેશકે ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપી છે. એવી જ રીતે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટે ઓક્સફર્ડ એકસ્ટ્રાઝેનેકાના સાથ – સહકારમાં તૈયાર કરેલી કોવિશીલ્ડને પણ ઇમરજન્સી ઉપયોગ માટે DGCI દ્વારા માન્યતા આપવામાં આવી છે. આ બંને રસીઓ સલામત, કાર્યક્ષમ વાજબી દરવાળી તથા ભારતીય હવામાનને અનૂકુળ. સીરમ તથા ભારત બાયોટેકની રસીઓના બે ડોઝ આપવાના રહેશે. આ રસીનો 2-8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સંગ્રહ કરી શકાય છે. સરકાર, રસીકરણના કાર્યક્રમની ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કંપનીઓની રસીના ઇમરજન્સી ઉપયોગને મળેલી માન્યતાને કોવિડ સામેની લડતમાં મહત્વનો નિર્ણય તરીકે ઓળખાવ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, આ બંને કંપનીઓએ દેશને કોવિડ મુક્ત અને તંદુરસ્ત રાષ્ટ્રના પંથે મૂકી આપ્યો છે. તેમણે દેશના વૈજ્ઞાનિકોને અથાક અને સઘન પ્રયાસોથી મેળવેલી સિધ્ધિ માટે બિરદાવ્યા હતા. ઉલ્લેખનીય ...

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં 8મી મુદતનો પ્રારંભ કરતા ભારત અંગે સમીક્ષા

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં ભારતે પહેલી જાન્યુઆરીથી બે વર્ષ માટે સભ્ય તરીકે 8મી મુદતનો પ્રારંભ કર્યો છે.  વર્ષ 1950થી રાષ્ટ્રસંઘની મહાસભામાં ભારત દરેક વખતે લગભગ બે તૃતિયાંશ મતોથી ચૂંટાતું આવ્યું છે.  આની સરખામણીએ રાષ્ટ્રસંઘની સલામતી પરિષદના કાયમી સભ્યોને પણ મહાસભામાં આટલા મોટા પ્રમાણમાં મતદારોનું સમર્થન ક્યારેય મળ્યું નથી. રાષ્ટ્રસંઘની સલામતી પરિષદ કેવી રીતે નિર્ણય લેશે, તેના ઉપર ભારતનો આ પરિષદ ઉપર કેટલો પ્રભાવ પડશે, તે બાબત નિર્ધારિત થશે.  કારણ કે, સલામતી પરિષદના પાંચ કાયમી સભ્યો પાસે વિટો પાવર રહેલો છે. અને તેમણે વર્ષ 1946થી અત્યાર સુધીમાં 293 વખત વિટોનો ઉપયોગ કરીને મહત્વના નિર્ણયોને અસર પહોંચાડી છે.  વીટો પાવરની ગંભીર અસરથી ઘણી વખત માનવી જીવન ગુમાવવાની પણ ઘટનાઓ બની છે.  તાજેતરમાં જ વર્ષ 2020ની શરૂઆતમાં અમેરિકા અને ચીન વચ્ચે ઊભી થયેલી મડાગાંઠના લીધે કોવિડ અંગેના ઠરાવને બહાલી મળી શકી નથી.  આમ, વીટોની સત્તા ધરાવતી વિશ્વની પાંચ મહાસત્તાઓનો પ્રભાવ હોવા છતાં ભારત પોતાના હિતોની જાળવણી કેવી રીતે કરે છે, તે બાબત વાસ્તવમાં ભારતની અગ્નિપરીક્ષા સમાન બની રહે...