પાકિસ્તાનમાં વિરોધ પક્ષોના સરકાર વિરોધી ગઠબંધન – પાકિસ્તાન ડેમોક્રેટીક મુવમેન્ટ – પીડીએમ એ લાહોરના મિનારે પાકિસ્તાન ખાતે કરેલા દેખાવો સાથે પ્રથમ તબકકાના વિરોધ પ્રદર્શનનું સમાપત કર્યુ. પીડીએમએ આ પ્રદર્શનને ઇમરાનખાનની પાકિસ્તાન – તહરી એ ઇન્સાફ સરકારને પાડી નાખવાનો અંતીમ ફટકો ગણાવ્યો.
જો કે લાહોર – જલસા ઇચ્છીત પરીણામો મેળવવામાં નિષ્ફળ નીવડી અને પીએમએલ – એન પક્ષની મજબુત પકડ ધરાવતા પંજાબમાં પોતાની વાત પહોંચાડવામાં અસફળ રહી.
પીડીએમ ધ્વારા વીરોધ પ્રદર્શનના બીજા તબકકાની જાહેરાત કરાઇ છે. જેમાં ઇસ્લામાબાદમાં કુચની જાહેરાત કરાઇ છે. જો કે પીડીએમનો જુસ્સો ઓસરતો દેખાઇ રહયો છે. પીડીએમના પણ સભ્યોએ લાહોર જલસા બાદ રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભાઓમાંથી રાજીનમા આપવાના વિચારનો વિરોધ કર્યો છે.
જમાતે – ઉલેમા એ ઇસ્લામીમાં તિરાડો પડવાની શરૂઆત થઇ છે અને એન્ટી – મૌલાના – ફઝલ – અર – રહેમાન ના અવાજો વધુ મજબુત બની રહયાં છે. આજ સમયે પાકીસ્તાન સરકારે તેની વ્યુહરચના વધુ તીક્ષ્ણ કરી છે અને પીડીએમ સાથે મંત્રણા કરવાની તૈયારી બતાવી છે. પીએમએલ – એનના મોહમદ આસીફની રાષ્ટ્રીય જવાબદેહીના બ્યુરો – એનએબી ધ્વારા કરાયેલી ધરપકડ પીડીએમને લાગેલો મોટો ફટકો છે. આ ધરપકડ આવક કરતા વધારે સંપતી ધરાવવા બદલ કરાઇ છે.
દબાણ વધારવા પીડીએમએ ઇમરાન ખાન રાજીનામુ નહી આપે તો પ્રથમ વખતે તેમની કુચ પાકિસ્તાની લશ્કરી હેડ કવાર્ટર – રાવલપીંડી સુધી લંબાવવાનો સંકેત આપ્યો છે.
અત્યારે તો પીડીએમે સરકારને સત્તા છોડવા ૩૧ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. જેના બાદ પીડીએમ ધ્વારા સઘન દેખાવો હાથ ધરાશે. આ દેખાવોમાં રાવલપીંડી સુધીની કુચ, પાકિસ્તાન ચુંટણી પંચની તથા એનએબીની કચેરી બહાર વિરોધ પ્રદર્શનો વિગેરેનો સમાવેશ થાય છે.
પીડીએમના વડા મૌલાના ફલ્ક ઉર રહેમાને કહયું કે તેમની ટીકાના નિશાન પર લશ્કરી સ્થાપનો રહેશે. તેમણે કહયું કે પીડીએમ લશ્કર તથા જનરલનું સન્માન કરે છે પરંતુ હવે લશ્કર તથા જનરલે બંધારણીય જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવુ પડશે.
જો કે પીએમએલ –એન ને ફટકો આપતા સરકારે ફેબ્રુઆરી ર૦ર૧માં પુરો થતો નવાઝ શરીફનો પાસપોર્ટ રદ કરવાનો નિર્ણય કર્યો છે. પીટીઆઇ સરકારે કહયું કેઆનાથી નવાઝ શરીફ રાજયવિહીન બનવા મજબુર બનશે અને યુકેમાં આશ્રય માટે અરજી કરવા બીજા દેશમાં જવા અથવા પાકિસ્તાન પાછા આવવા તથા પાકિસ્તાની અદાલતનો સામનો કરવા મજબુર બનશે.
કેટલાક નિષ્ણાંતોનું માનવુ છે કે નવાઝ શરીફનો પાસપોર્ટ રદ કરવાથી તેનું પાકિસ્તાની નાગરીકત્વ રદ થશે નહી માત્ર તેમની આંતરરાષ્ટ્રીય યાત્રા પર પ્રતિબંધો આવશે.
તાજેતરની લાહોર બેઠક બાદ પીડીએમ પાકિસ્તાન પીપલ્સ પક્ષના લોકશાહી માર્ગે ચાલવાના સુચનથી સહમત થઇ હોય તેવુ જણાય છે. કારણ કે પીડીએમએ આગામી પેટાચુંટણીમાં ભાગ લેવાનું નકકી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે કોરોના રોગચાળાના પગલે રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભાની બેઠકો માટેની પેટાચુંટણીઓ મુલતવી રહી હતી.
પાકિસ્તાનના ચુંટણી પંચ અનુસાર આનાથી આગામી સેનેટ ચુંટણી માટે ઇલેકટ્રોલ કોલેજ પુર્ણ થવાનો માર્ગ મોકળો બનશે. જો કે વીરોધ પક્ષના કેટલાક સભ્યોનું માનવુ છે કે પીડીએમ અત્યારે આ લક્ષ્યમાં ખુબ પાછળ છે અને આ વર્ષે ઇમરાન ખાનની સરકારનો અંત થાય તેવુ દેખાતું નથી. ફુગાવો, અર્થતંત્રની ખરાબ સ્થિતિ અને પ્રથમ દોઢ વર્ષ મુદૃાઓને સમજવામાં ગયું છે, તેવી ઇમરાન ખાનની કબુલાતથી જનતામાં અસંતોષ ફેલાઇ શકે છે, નાગરીકો રસ્તા પર ઉતરી દેખાવો કરી શકે છે.
રાજકીય ઉથલપાથલ વચ્ચે ઇમરાન ખાનની સરકારે ર૬/૧૧ હુમલાના ષડયંત્રકારી ઝાકી – ઉર – રહેમાનની ધરપકડ કરી આતંકવાદ વિરોધી પગલા લઇ રહયાં હોવાનો દેખાવ કર્યો છે. જો કે આ પગલુ એફએટીએફ ને પ્રભાવિત કરવા લેવાયું હોય તેવુ લાગે છે. કારણે એફએટીએફનું આગામી સત્ર આવતા મહિને મળવાનું છે, જયારે પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં જ રાખવુ કે પછી બ્લેક લીસ્ટમાં મુકવુ તે નકકી કરાશે.
Comments
Post a Comment