Skip to main content

પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય દાવપેચ અંગે સમીક્ષા


પાકિસ્તાનમાં વિરોધ પક્ષોના સરકાર વિરોધી ગઠબંધન – પાકિસ્તાન ડેમોક્રેટીક મુવમેન્ટ – પીડીએમ એ લાહોરના મિનારે પાકિસ્તાન ખાતે કરેલા દેખાવો સાથે પ્રથમ તબકકાના વિરોધ પ્રદર્શનનું સમાપત કર્યુ. પીડીએમએ આ પ્રદર્શનને ઇમરાનખાનની પાકિસ્તાન – તહરી એ ઇન્સાફ સરકારને પાડી નાખવાનો અંતીમ ફટકો ગણાવ્યો.

જો કે લાહોર – જલસા ઇચ્છીત પરીણામો મેળવવામાં નિષ્ફળ નીવડી અને પીએમએલ – એન પક્ષની મજબુત પકડ ધરાવતા પંજાબમાં પોતાની વાત પહોંચાડવામાં અસફળ રહી.

પીડીએમ ધ્વારા વીરોધ પ્રદર્શનના બીજા તબકકાની જાહેરાત કરાઇ છે. જેમાં ઇસ્લામાબાદમાં કુચની જાહેરાત કરાઇ છે. જો કે પીડીએમનો જુસ્સો ઓસરતો દેખાઇ રહયો છે. પીડીએમના પણ સભ્યોએ લાહોર જલસા બાદ રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભાઓમાંથી રાજીનમા આપવાના વિચારનો વિરોધ કર્યો છે.

જમાતે – ઉલેમા એ ઇસ્લામીમાં તિરાડો પડવાની શરૂઆત થઇ છે અને એન્ટી – મૌલાના – ફઝલ – અર – રહેમાન ના અવાજો વધુ મજબુત બની રહયાં છે. આજ સમયે પાકીસ્તાન સરકારે તેની વ્યુહરચના વધુ તીક્ષ્ણ કરી છે અને પીડીએમ સાથે મંત્રણા કરવાની તૈયારી બતાવી છે. પીએમએલ – એનના મોહમદ આસીફની રાષ્ટ્રીય જવાબદેહીના બ્યુરો – એનએબી ધ્વારા કરાયેલી ધરપકડ પીડીએમને લાગેલો મોટો ફટકો છે. આ ધરપકડ આવક કરતા વધારે સંપતી ધરાવવા બદલ કરાઇ છે.

દબાણ વધારવા પીડીએમએ ઇમરાન ખાન રાજીનામુ નહી આપે તો પ્રથમ વખતે તેમની કુચ પાકિસ્તાની લશ્કરી હેડ કવાર્ટર – રાવલપીંડી સુધી લંબાવવાનો સંકેત આપ્યો છે.

અત્યારે તો પીડીએમે સરકારને સત્તા છોડવા ૩૧ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. જેના બાદ પીડીએમ ધ્વારા સઘન દેખાવો હાથ ધરાશે. આ દેખાવોમાં રાવલપીંડી સુધીની કુચ, પાકિસ્તાન ચુંટણી પંચની તથા એનએબીની કચેરી બહાર વિરોધ પ્રદર્શનો વિગેરેનો સમાવેશ થાય છે.

પીડીએમના વડા મૌલાના ફલ્ક ઉર રહેમાને કહયું કે તેમની ટીકાના નિશાન પર લશ્કરી સ્થાપનો રહેશે. તેમણે કહયું કે પીડીએમ લશ્કર તથા જનરલનું સન્માન કરે છે પરંતુ હવે લશ્કર તથા જનરલે બંધારણીય જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવુ પડશે.

જો કે પીએમએલ –એન ને ફટકો આપતા સરકારે ફેબ્રુઆરી ર૦ર૧માં પુરો થતો નવાઝ શરીફનો પાસપોર્ટ રદ કરવાનો નિર્ણય કર્યો છે. પીટીઆઇ સરકારે કહયું કેઆનાથી નવાઝ શરીફ રાજયવિહીન બનવા મજબુર બનશે અને યુકેમાં આશ્રય માટે અરજી કરવા બીજા દેશમાં જવા અથવા પાકિસ્તાન પાછા આવવા તથા પાકિસ્તાની અદાલતનો સામનો કરવા મજબુર બનશે.

કેટલાક નિષ્ણાંતોનું માનવુ છે કે નવાઝ શરીફનો પાસપોર્ટ રદ કરવાથી તેનું પાકિસ્તાની નાગરીકત્વ રદ થશે નહી માત્ર તેમની આંતરરાષ્ટ્રીય યાત્રા પર પ્રતિબંધો આવશે.

તાજેતરની લાહોર બેઠક બાદ પીડીએમ પાકિસ્તાન પીપલ્સ પક્ષના લોકશાહી માર્ગે ચાલવાના સુચનથી સહમત થઇ હોય તેવુ જણાય છે. કારણ કે પીડીએમએ આગામી પેટાચુંટણીમાં ભાગ લેવાનું નકકી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે કોરોના રોગચાળાના પગલે રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભાની બેઠકો માટેની પેટાચુંટણીઓ મુલતવી રહી હતી.

પાકિસ્તાનના ચુંટણી પંચ અનુસાર આનાથી આગામી સેનેટ ચુંટણી માટે ઇલેકટ્રોલ કોલેજ પુર્ણ થવાનો માર્ગ મોકળો બનશે. જો કે વીરોધ પક્ષના કેટલાક સભ્યોનું માનવુ છે કે પીડીએમ અત્યારે આ લક્ષ્યમાં ખુબ પાછળ છે અને આ વર્ષે ઇમરાન ખાનની સરકારનો અંત થાય તેવુ દેખાતું નથી. ફુગાવો, અર્થતંત્રની ખરાબ સ્થિતિ અને પ્રથમ દોઢ વર્ષ મુદૃાઓને સમજવામાં ગયું છે, તેવી ઇમરાન ખાનની કબુલાતથી જનતામાં અસંતોષ ફેલાઇ શકે છે, નાગરીકો રસ્તા પર ઉતરી દેખાવો કરી શકે છે.

રાજકીય ઉથલપાથલ વચ્ચે ઇમરાન ખાનની સરકારે ર૬/૧૧ હુમલાના ષડયંત્રકારી ઝાકી – ઉર – રહેમાનની ધરપકડ કરી આતંકવાદ વિરોધી પગલા લઇ રહયાં હોવાનો દેખાવ કર્યો છે. જો કે આ પગલુ એફએટીએફ ને પ્રભાવિત કરવા લેવાયું હોય તેવુ લાગે છે. કારણે એફએટીએફનું આગામી સત્ર આવતા મહિને મળવાનું છે, જયારે પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં જ રાખવુ કે પછી બ્લેક લીસ્ટમાં મુકવુ તે નકકી કરાશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...