Skip to main content

Posts

Showing posts from August, 2019

ભારત અને રશિયાની સહકારના નવા ક્ષેત્રો તરફ આગેકૂચ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યક્રમમાં ભારત અને રશિયા તેમના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા તરફ આગળ વધી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્લાદીવિસ્તોક ખાતે આગામી ૪ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી પાંચમી પૂર્વીય આર્થિક મંચની વાર્ષિક અને ૨૦મી ભારત અને રશિયા વચ્ચેની દ્વિપક્ષીય પરિષદમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ભારત અને રશિયા વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઉર્જા આપવા અને સહકારમાં નવા ક્ષેત્રો ઉમેરવા અંગે હાલ નવી તકો શોધવામાં છે. ભારતીય બંધારણમાંથી કલમ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયનું સ્વાગત કરનાર સૌપ્રથમ દેશોમાં રશિયાનો સમાવેશ થાય છે. રશિયાએ આ બાબતને ભારતની આંતરિક બાબત ગણાવી હતી અને વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતના અભિગમને ટેકો જાહેર કર્યો હતો આ મહિનાની શરૂઆતમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોય લે વ્લાદીવિસ્તોકની મુલાકાત લીધી હતી અને રશિયાના પૂર્વીય છેવાડે આવેલા રાજ્યો અને ભારતીય રાજ્યો વચ્ચે ભાગીદારી વધારવા અંગે રશિયાના નાયબ પ્રધાનમંત્રી યુરી તુતનેવ સાથે ચર્ચા વિચારણા કરી હતી.. રશિયાના અતિ દૂરના પૂર્વીય રાજ્યો સાથે આર...

જાપાન-દક્ષિણ કોરીયા વેપારી તણાવો

પૂર્વીય એશિયાના બે મહત્વના અર્થતંત્ર ગણાતા જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચે વેપારી તણાવો સર્જાયા છે. જાપાને રાષ્ટ્રીય સલામતીને અનુલક્ષીને હાઈ ટેક ઉદ્યોગોમાં વપરાતા હાઈડ્રોજન ફ્લુઓરિડ, ફ્લોરિનેટેડ પોલીમાઈડ અને ફોટો રેઝિસ જેવા ત્રણ રસાયણીક પદાર્થોની દક્ષિણ કોરિયાને થતી નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જાપાને આ રાસાયણિક પદાર્થોની વપરાશ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ પદાર્થોનો ઉપયોગ સૈન્ય કાર્યવાહીમાં પણ થઈ શકે છે. જાપાને દક્ષિણ કોરિયા દ્વારા કરાયેલા સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદના પ્રતિબંધોના અમલીકરણ તેમજ સંવેદનશીલ પદાર્થોની નિયંત્રિત વૈશ્વિક નિકાસ પદ્ધતિના પાલન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જાપાને દક્ષિણ કોરિયાને તેના વિશ્વાસાહી વેપારી ભાગીદારીની વાઈટ યાદીમાંથી પણ કાઢી નાખ્યું છે અને જાપાન દ્વારા દક્ષિણ કોરિયામાં થતી ૧ હજાર ૧૦૦ જેટલી મહત્વપૂર્ણ ચીજવસ્તુઓની નિકાસ પર કડક ચકાસણી નિયમો લગાવ્યા છે. જા જાપાન દ્વારા આ પ્રતિબંધિત વેપારના પગલા શરૂ રહેશે તો વૈશ્વિક પુરવઠા સાંકળ ઉપર તેની પ્રતિકૂળ અસર થશે. ટોચની દક્ષિમ કોરિયન કંપનીઓ જરૂરી રાસાયણિક પદાર્થો માટે જાપાન ઉપર નિર્ભર છે. જા કે હાલના પ...

જી-૭ શિખિર સમિતિ

મહત્વના વૈશ્વિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા વિશ્વના સાત સૌથી વિકસિત અર્થતંત્રોને એકસમાન મંચ પૂરૂં પાડવાના ઉદ્દેશ્ય સાથે ફ્રાન્સે ૧૯૭૩માં જી-૭ શિખર પરિષદોનો પ્રારંભ કર્યો. જી-૭ સિવાયના દેશોને મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે આવરી લેવામાં આવ્યા બાદ, જી-૭ ચર્ચાઓની વૈશ્વિક અસર જાવા મળી છે. ૧૯૮૯માં ફ્રાન્સના યજમાન પદે યોજાયેલી જી-૭ પરિષદમાં આતંકવાદને અપાતી સહાય તેમજ પૈસાની અવેધ હેરાફેરીને અટકાવવા નાણાંકીય કાર્યવાહી કાર્ય એફ.એ.ટી.એફ.ની સ્થાપના કરવામાં આવી. છેલ્લા વર્ષોમાં એફ.એ.ટી.એફ.ના સભ્ય તરીકે ભારતે આ મંચના માધ્યમથી પાકિસ્તાન દ્વારા આતંકવાદને અપાતા નાણાંકીય સહાયનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે સહકાર માંગ્યો હતો.  ફ્રાન્સના બિયારિટ્‌ઝ શહેરમાં યોજાયેલી જી-૭ પરિષદમાં સહભાગી થવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપેલું આમંત્રણ એ ભારતને વિશ્વની મહત્વની લોકશાહી તરીકે ગણવાની ફ્રાન્સની ઇચ્છા પરથી પ્રેરિત હતું. વિશ્વમાંથી તમામ પ્રકારની અસમાનતા વધુ અસરકારક અને બહુપક્ષીય રીતે નાબૂદ કરવા ભારતને વિશ્વના ટોચના લોકશાહી દેશોમાં સ્થાન આપવાની ફ્રાન્સની ઇચ્છા છે.  વિશ્વમાં ...

ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખની મુલાકાતથી ભારત અને ઝાંબીયાના સંબંધોને મળેલા નવા બળ અંગે સમીક્ષા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આમંત્રણના પગલે ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખ એડગર ચાગવા લુંગુએ ભારતની મુલાકાત લીધી હતી. ઝાંબીયામાં નવી સરકારની રચના બાદ ત્યાંના ઉચ્ચ અધિકારીઓની આ પ્રથમ મુલાકાત છે. આ અગાઉ એપ્રિલ ૨૦૦૩માં એટલે કે ૧૬ વર્ષ પહેલા તે વખતના ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખ લેવી મવાનવાસાએ ભારતની મુલાકાત લીધી હતી. ભારતે આફ્રિકાના દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાની અપનાવેલી નીતિની દૃષ્ટિએ જાતા આ મુલાકાત આગવું મહત્વ ધારણ કરે છે. ભારત-આફ્રિકા શીખર બેઠક બાદ આફ્રિકાના ૩૫ દેશોના જ્યારે ભારતના ૩૨ આગેવાનોએ એકબીજાના દેશોની મુલાકાત લીધી હતી. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એપ્રિલ ૨૦૧૮માં ઝાંબીયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષાની નવી તક ઉભી થઈ. ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખને રાષ્ટ્રપતિ ભવન-દિલ્હી ખાતે વિધિવત આવકાર અપાયો હતો. આ ઉપરાંત તેમણે રાજઘાટની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી સાથે પ્રતિનિધિસ્તરની વાતચીત કરી હતી. શ્રી લુંગુએ દિલ્હીમાં યોજાયેલી ઝાંબીયા ભારત વેપાર મંચની બેઠકમાં ભાગ લીધો હતો. ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિનિધિ સ્તરની વાતચી...

ભારત અને ફ્રાંસના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા એ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાંસની આ સપ્તાહમાં લીધેલી મુલાકાતથી બંને દેશો વચ્ચે વ્યુહાત્મક સંબંધો હજી મજબૂત બન્યા છે. કાશ્મીરને ખાસ દરજ્જા આપતી ૩૭૦મી કલમ રદ કરાયા બાદ ઊભી થયેલી પરિÂસ્થતિમાં ફ્રાંસે આ સમગ્ર બાબતને ભારતની આંતરીક બાબત ગણાવતા, ભારતના દાવાને મજબૂત સમર્થન મળ્યું કહેવાય. સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં બંધ બારણે કાશ્મીર મુદ્દો ચર્ચાયો ત્યારે ફ્રાંસે ભારતના વલણને સમર્થન આપ્યું હતું.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાંસના સંબંધો સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંત ઉપર ટકયા છે. બંને દેશોના વડાઓએ ભારત - ફ્રાંસ વચ્ચેની વર્ષો જૂના મિત્રતા અને સહકારના સંબંધો હજી મજબૂત બનાવવા ઉપર ભાર મૂકીને આ હેતુથી આયોજન કર્યું હતું. બંને દેશોએ સહકાર વધારવા કૌશલ્ય વિકાસ નાગરીક ઉડ્ડયન, માહિતી ટેકનોલોજી તથા અવકાશ ક્ષેત્રોને તારવી કાઢયા છે. શ્રી મોદીએ સંરક્ષણ ક્ષેત્રનો સહકાર વધુ મજબૂત ગણાવીને સપ્ટેમ્બર માસમાં રાફેલ યુદ્ધ વિમાનોનો પ્રથમ જથ્થો મળવાનો છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી. આતંકવાદ તથા ઉદ્દામવાદને વિશ્વ સામેના મોટા પડકારો ઓળખાવીને બંને અગ્રણીઓએ સલામતી ક...

દ્વિપક્ષીય સંબંધોને નવી ઉંચાઇએ લઈ જવાનો ભારત અને નેપાળનો લક્ષ્યાંક

કાઠમંડુ ખાતે તાજેતરમાં થયેલી ભારત –નેપાળ સંયુક્ત પંચની પાંચમી બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો પર વ્યાપક ચર્ચાવિચારણા કરાઈ હતી. જેમાં, બે દેશો વચ્ચેની કનેÂક્ટવીટી, આર્થિક ભાગીદારી, વેપાર, ઉર્જા, જળસંશાધનો સંસ્કૃતિ અને શિક્ષણ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. બંને દેશોના વિદેશી મંત્રીઓના સહ અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ ગઈ. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર ઢાકા ખાતે બાંગ્લાદેશના આગેવાનો સાથે પરસ્પર હિત અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ કાઠમંડુ જવા રવાના થયા હતા.  સંયુક્ત પંચની બેઠક પહેલા ડો.જયશંકરે નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલીની મુલાકાત લીધી હતી. શ્રી નરેન્દ્ર મોદી બીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ, કોઈપણ ભારતીય મંત્રી દ્વારા કરેલી આ પહેલી ઉચ્ચસ્તરીય મુલાકાત હતી. નેપાળના વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર છેલ્લા બે વર્ષ દરમિયાન થયેલી ઉચ્ચસ્તરીય મુલાકાતોના પગલે ભારત અને નેપાળ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં મળેલી ગતિ અંગે સંયુક્ત પંચે ખુશી વ્યક્ત કરી હતી. નેપાળના પ્રધાનમંત્રી શ્રી ઓલીએ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ભારતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મે અને ઓગસ્ટ ૨૦૧૮માં પ્રધાન...

સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન એકલુ પડયું – અંગે સમીક્ષા

કાÂશ્મર મુદૃ વૈશ્વિક બનાવવાના પાકિસ્તાનના પ્રયાસો ફરી નિષ્ફળ રહયાં છે. સંયુકત રાષ્ટ્રસંઘના સુરક્ષા પરિષદ ધ્વારા તે અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ચીને તેના દીર્ધકાળના સાથી પાકિસ્તાનની વિનંતી ઉપર આ મુદૃ એ સુરક્ષા પરિષદના તમામ ૧પ સભ્યોની તાત્કાલીક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં માત્ર ચીન જ જમ્મુ અને કાશ્મીર અંગે ભારતે લીધેલા નિર્ણય અંગે ચિંતા વ્યકત કરી હતી. જયારે બાકીના બધા સભ્યોએ પાકિસ્તાનને આ મુદૃ અંગે ભારત સાથે દ્વિ-પક્ષીય વાટાઘાટો કરવા સલાહ આપી હતી. ભારતે તેના બંધારણમાંથી જમ્મુ અને કાશ્મીર રાજયને લગતા કલમો રદ કર્યા બાદ આ મામલે પાકિસ્તાનની ઉંધ ઉડી ગઈ છે. ભારતના આ પગલા બાદ પાકિસ્તાનના કાશ્મીર ઉપરના દાવાને ઠપકો અપાયો છે. જમ્મુ અને કાશ્મીર અંગેનો નિર્ણય તેની આંતરીક બાબત છે તેવા ભારત ધ્વારા આપેલા નિવેદનની સંયુકત રાષ્ટ્ર વહીવટી તંત્ર ધ્વારા નોંધ લેવામાં આવી છે. રશિયાએ આ પગલા ભારતીય બંધારણની ક્ષેત્ર મર્યાદામાં લેવાયા હોવાનું જણાવ્યું હતું અને બંને દેશોને આ મુદૃ રાજકીય અને રાજદ્વારી વાટાઘાટોથી ઉકેલવા જણાવ્યું હતું. સુરક્ષા પરિષદે આ બેઠકના પરીણામ અનૌપચારીક રીતે જાહેર કરવાના ...

યેમનમાં સ્વપ્નવત બની રહેલી શાંતિ અંગે સમીક્ષા

યેમનમાં છેલ્લા સપ્તાહમાં બનેલા ઘટનાક્રમમાં રસપ્રદ વળાંક આવ્યો હતો. એડનના બળવા બાદ યેમનમાં અલગતાવાદી ચળવળના વડાએ પ્રથમવાર સાઉદી અરેબીયા દ્વારા શરૂ કરાયેલી શાંતિવાર્તામાં સહભાગી થવાની તૈયારી દર્શાવી છે. સંયુક્ત આરબ અમીરાત – યુએઈના સમર્થન ધરાવતા અલગતાવાદી જૂથે લોહીયાળ સંઘર્ષ ખેલીને પ્રેસીડેન્શીયલ પેલેસ ઉપર કબજા મેળવ્યો હતો. આ સંઘર્ષમાં ૪૦ લોકોના મોત થયા હતા તથા ૨૬૦ લોકોને ઈજા થઈ હતી. અલગતાવાદી જુથના નેતા ઐદારૂસ-અલ-ઝુબૈદીએ દાવો કર્યો હતો કે, એ.એમ.હૈદીના દળોએ હૌતી ચળવળના નેતાની હત્યાનો પ્રયાસ કરતા હિંસા ફાટી નીકળી હતી. સાઉદી અરેબીયાના દળોએ એડન શહેરના સદર્ન ટ્રાન્ઝીશનલ કાઉન્સીલના ઠેકાણા ઉપર હવાઈ હુમલા શરૂ કરતા વાતચીત બાબતે જાહેરાત કરાઈ છે. યુએઈ તથા સાઉદી અરેબીયાએ એડનમાં તનાવ ઘટાડવા માટે સરકાર તરફી યેમનના પક્ષોને આવતા અઠવાડીયે ચર્ચા કરવાનું સૂચન કર્યું છે. આ સંઘર્ષના મૂળ વર્ષ ૨૦૧૧ની ઘટના સુધી પહોંચે છે. વર્ષ ૨૦૧૧માં થયેલા આરબ વિદ્રોહમાં અલી અબ્દુલ્લાહ સાલેહને સત્તાના સૂત્રો પોતાના નાયબ હાદીને સોંપવાની ફરજ પડી હતી. હાદીની સરકાર પોતાના શાસનકાળમાં જેહાદી હુમલા જેવા આંતરીક બાબતો...

એકલા પડી ગયેલા પાકિસ્તાન અંગેની સમીક્ષા

પાકિસ્તાન ધ્વારા કાશ્મીર મુદૃને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાના પ્રયત્નોને પ્રતિકુળતા મળી છે. પાકિસ્તાનના મિત્રો ચીન અને સાઉદી અરેબીયાએ પણ આ બાબતે ઉદાસીનતા બતાવી છે. રીયાધ અને બૈઇઝિંગ બંનેએ ઈસ્લામાબાદને કહયું છે કે તેઓ આ બાબતે વધુ કરી શકે તેમ નથી. હકિકતમાં બંને દેશોએ શાંતિ સ્થાપવાનું જણાવ્યું છે. ભારતે તેના બંધારણની ત્રણસો સિત્તેરની કલમ રદ કરી છે, ત્યારથી પાકિસ્તાનની સિવિલ અને મિલેટ્રી સત્તાવાળાઓએ પ્રયત્નો કર્યા છે. ભારતે અગાઉના રાજ્ય જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુનઃગઠન કર્યુ છે, જેમાં જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. ભારતની સંસદના બંને સભાગૃહોએ ખુબ જ ઉમળકા પૂર્વક મતદાન કરી તરફેણ કરી હતી. આ બે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવા પાછળનો હેતુ બંને પ્રદેશોમાં વિકાસને ઝડપી બનાવવાનો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર રાજય છેલ્લા ત્રણ દાયકાઓથી સરહદ પારના આતંકવાદને સહન કરી રહ્યું હતું. આતંકવાદ નજર રાખવાનો પણ હેતુ છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદથી ત્રણ દાયકાઓમાં આશરે બેતાલીસ હજારથી વધુ નિર્દોષોના જાન ગયા છે. ત્રણસો સીત્તેરમી કલમ રદ બાતલ કરવા...

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં માળખાકીય સુવિધાઓની ભૂમિકા અંગે સમીક્ષા

ભારત તેનાં અર્થતંત્રનું આગામી પાંચ વર્ષમાં વિસ્તરણ કરીને પાંચ ટ્રિલીયન ડોલરનું અને તે પછીના પાંચ વર્ષમાં ૧૦ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા સજ્જ થઇ રહ્યો છે. આ ભગીરથ કાર્યમાં માળખાકીય સુવિધાનું મહત્વ સ્વીકારવું જ પડે. સંસદના તાજેતરમાં પૂરા થયેલા સત્રમાં જણાવ્યા મુજબ ભારત માળખાકીય સુવિધાઓ માટે દર વર્ષે એક ટ્રિલીયન ડોલર ખર્ચ કરી રહ્યું છે. નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે, લોકસભામાં તાજેતરમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં માળખાકીય સુવિધા માટે અંદાજપત્રીય ખર્ચ ૫.૯૭ ટ્રિલીયન રૂપિયા આંકવામાં આવ્યો છ. દેશના અર્થતંત્રને વર્ષ ૨૦૨૫ સુધીમાં વધારીને પાંચ ટ્રિલીયન ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક વધુ ઊંચો જણાતો હોવા છતા, તે મેળવવો શક્ય છે. આથી જ સરકારે માળખાકીય પ્રોજેકટો માટે અનુકૂળ વલણ રાખીને તેને અગ્રતા આપી છે. નિષ્ણાંતોએ દેશના અર્થતંત્રનો વિકાસ દર આગામી પાંચ વર્ષમાં ૮ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. વાસ્તવમાં મંદીના વાતાવરણમાં પણ દેશનો વિકાસદર ૬ – ૭ ટકા રહેવા પામ્યો હતો. બજેટ પૂર્વે જાહેર થયેલ આર્થિક સર્વેક્ષણમાં તથા બજેટ રજુ કરતી વખતે નાણામંત્રી નિર્મલા ...

અમેરિકા અને તાલીબાનો વચ્ચે મંત્રણા તથા ભારત સામેના વિકલ્પો અંગે સમીક્ષા

દોહામાં અમેરિકા તથા તાલીબાનોના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી મંત્રણાઓ સકારાત્મક વલણ સાથે પૂર્ણ થઈ છે. આ મંત્રણામાં ચોક્કસ સમયમર્યાદામાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકા તથા નાટો સંગઠનના દળોને પાછા બોલાવા બાબતે શાંતિ સમજૂતી સધાઈ છે. તેના બદલામાં તાલીબાનોએ ખાતરી આપી છે કે, તેઓ અફઘાનિસ્તાનમાં અલ-કાયદા તથા આઈએસઆઈએસ જેવા આતંકવાદી સંગઠનોને પગ મૂકવા દેશે નહીં. એવી જ રીતે તાલીબાનોએ સત્તાની વહેંચણી બાબતે અફઘાન સરકાર સાથે મંત્રણા કરવાનો તથા અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થીરતા સ્થાપવાનો પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. અમેરિકા સાથે મંત્રણા કરવા માટે વર્ષ ૨૦૧૩માં તાલીબાનોની દોહા ઓફિસનો આરંભ થયો હતો. અગાઉ મંત્રણાના દોર યોજાયા હતા પણ મંત્રણા નિષ્ફળ ગઈ હતી. વર્ષ ૨૦૧૪માં અમેરિકા અને નાટોના દળોએ આક્રમણની ઝુંબેશ પૂરી કરીને આ જવાબદારી અફઘાનિસ્તાનની સેનાએ સોંપી ત્યારપછી મંત્રણા ફળદાયી થવાનો માર્ગ મોકળો થયો. હાલ તાલીબાનો અફઘાનિસ્તાનના ૫૦ ટકા વિસ્તાર ઉપર કબજા ધરાવે છે અને અફઘાન સેનાની ક્ષમતા તાલીબાનો કરતા ઓછી છે. આથી એ બાબત સ્પષ્ટ થઈ કે તાલીબાનો સાથે મંત્રણા કર્યા વિના કે તેમને સત્તામાં હિસ્સો આપ્યા વિના અફઘાનિસ્તાનમાં શાંતિ...

પ્રધાનમંત્રી દ્વાર રજૂ કરાયેલી જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના વિકાસની રૂપરેખા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજાગ સંદેશમાં જમ્મુ અને કાશ્મીરને રાજ્યને વિશેષ દરજ્જા આપતા અનુચ્ચેદ ૩૭૦ને રદ કરવા પાછળના કારણોની વિગતવાર છણાવટ કરી હતી. આ અઠવાડિયામાં સંસદના બંને ગૃહમાં અનુચ્છેદ રદ કરવાની તરફેણમાં મતદાન થયું હતું, જેથી હવે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ આ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દાયકાઓથી ચાલી રહેલા આતંકવાદ, અલગતાવાદ, પરિવારવાદ આધારિત રાજકારણ, ભ્રષ્ટાચારથી જમ્મુ અને કાશ્મીરમાં અરાજકર્તા ફેલાઈ હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અનુચ્છેદ ૩૭૦ મુક્ત જમ્મુ અને કાશ્મીર એ હવે વાÂસ્તવકતા બની છે.  સીમાપારના આતંકવાદીઓ આ અનુચ્છેદનો ઉપયોગ દેશને નિશાન બનાવવામાં અને પૃથ્વી પરના આ નંદનવનમાં અશાંતિ ફેલાવવા માટે કરતા હતા. છેલ્લા ત્રણ દાયકાથી જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ૪૨ હજારથી વધુ ભારતીયોના મૃત્યુ માટે પાકિસ્તાન જવાબદાર છે.  અનુચ્ચેદ ૩૭૦ના કારણે દેશના કાયદાઓ જમ્મુ અને કાશ્મીરમાં અસરકારક રીતે લાગુ પડતા નહતા. પહેલાના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં યુવાન, મહિલાઓ અને સમાજના પછાત વર્ગોને સૌથી વધુ નુકસાન થયું હતું. યુ...

જમ્મુ કાશ્મીરની ઐતિહાસીક કાયા પલટ – આ વિષે સમીક્ષા

ભારતીય બંધારણની ૩૭૦મી કલમમાં સુધારો કરતો રાષ્ટ્રપતિએ પાંચ ઓગષ્ટ ર૦૧૯ ના રોજ આદેશ જાહેર કર્યો છે. આ કલમથી જમ્મુકાશ્મીરને ટુંકા સમય માટે ખાસ દરજજા આપવામાં આવ્યો હતો. તેને પરત ખેંચી લેવામાં આવ્યો છે. ભારતમાં અન્ય ભાગોમાં જે કાયદાઓ અમલમાં છે તે હવેથી જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડશે. રાષ્ટ્રપતિએ આર્ટીકલ ૩પ-એ ને પણ રદ કરતો હુકમ જારી કર્યો છે. આ કલમ રાજયના લોકોને સંમ્પતીનો હક આપતી હતી. રાજય સભાએ એ જ દિવસે રાજયના પુનઃગઠન વિધેયકને પણ મંજુર કર્યો હતો. ખાસ દરજજાનો અંત આવે છે અને તેની જગ્યાએ બે કેન્દ્ર શાસિત પ્રદેશો અમલમાં આવે છે. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે અને તેમાં વિધાનસભા પણ રહેશે. લદાખમાં કેન્દ્ર શાસિત પ્રદેશ હશે પણ તેમાં વિધાનસભા નહી હોય લેફટનન્ટ ગવર્નર રહેશે. ગૃહમંત્રીએ રાજયસભામાં ચર્ચા દરમિયાન એ વાત પર ભાર મુકયો કે સંસદ ધ્વારા અમલમાં આવેલા ભારતીય કાયદાઓ જમ્મુ અને કાશ્મીરને પણ લાગુ પડશે. આમ શિક્ષણનો અધિકાર અને મહિલાઓને સમાન અધિકારથી જમ્મુ કાશ્મીરમાં વંચિત રખાયા હતા તે ભેદભાવ હવે દુર થશે. સંમ્પત્તીને લગતો કાયદો પણ અન્ય રાજયોની જેમ લાગુ પડશે. આમ જમ્મુ કાશ્મીરની વિધાનસભાની મુદત ...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પશ્ચિમ આફ્રિકાના દેશો મુલાકાતથી ભારતના આ દેશો સાથેના સંબંધો મજબૂત બન્યા – આ વિષે સમીક્ષા

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પશ્ચિમ આફ્રિકાના ત્રણ દેશો – ગામ્બીયા , બેનીન તથા ગીનીની સાત દિવસની સત્તાવાર મુલાકાત લીધી. રાષ્ટ્રપતિની મુલાકાત માટે ભારતે જે ત્રણ દેશોની પસંદગી કરી હતી, તેથી ભારત આફ્રિકા સાથેના સંબંધો મજબૂત બનાવવાને કેટલું મહત્વ આપે છે, તે બાબત પુરવાર થઇ છે. ભારતના રાષ્ટ્રપતિ પ્રથમવાર આ ત્રણ દેશોની મુલાકાતે ગયા હોવાથી શ્રી રામનાથ કોવિંદની મુલાકાતે આગવું મહત્વ ધારણ કર્યું. બાકીના આફ્રિકન દેશોની તુલનાએ પશ્ચિમ આફ્રિકાના દેશો સાથેના ભારતના સંબંધો ભાષાની મુશ્કેલી તથા અંતરના લીધે અગાઉ મજબૂત ન હોતા. ભારતે આફ્રિકાના દેશો સાથે સંબંધો વધારવા ભૂતકાળમાં જે નીતિ અપનાવી કે પહેલો કરી હતી, તેમ છતાં પશ્ચિમ આફ્રિકાના દેશો સાથેના તેની ક્ષમતા કરતા ઓછા રહ્યા હતા. તાજેતરમાં ભારતે આફ્રિકામાં ૧૮ મીશનો શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પૈકી મોટાભાગના મીશનો પશ્ચિમી આફ્રિકાના દેશોમાં સ્થપાશે. આ મીશનો સ્થપાતા સંબંધિત દેશો સાથે ભારતની ઉચ્ચસ્તરીય મુલાકાતો વધશે અને આ દ્રષ્ટિએ પશ્ચિમી આફ્રિકન દેશો સાથેના સંબંધોને ભારત કેટલું મહત્વ આપે છે, તે બાબત સ્પષ્ટ થાય છે. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે – બેનીન સહ...

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારનું એક વર્ષ – ઉજવણી અને દેખાવો – અંગે સમીક્ષા

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારને સત્તામાં એક વર્ષ પૂર્ણ થયું હતું. સરકારે, મતદારો અને નાગરિકો પ્રત્યે આભાર વ્યક્ત કરતા દિવસ તરીકે ઉજવણી કરી હતી જ્યારે વિપક્ષોએ એક વર્ષની કામગીરીના વિરોધમાં દેખાવો કર્યા હતા. પી.એમ.એલ. (એન) પી.પી.પી. સહિત બધા જ વિરોધ પક્ષોએ લાહોર, કરાંચી, કવેટા સહિત વિવિધ શહેરોમાં સરકાર વિરોધી દેખાવો સાથે મળીને કર્યા હતા. મરીયમ નવાઝ, બીલાવલ, ભુટ્ટો સહિત બધા જ વિપક્ષી નેતાઓએ – અમેરીકાના આદેશ મુજબ વર્તન કરવાનો આર્થિક મુશ્કેલી વધારતી કામગીરી કરનાર, વિપક્ષ સામે વેરભાવ રાખવાના આક્ષેપો પાકિસ્તાનની સરકાર સામે કર્યા હતા. મૌલાના ફઝલુર રહેમાને ઓગસ્ટ માસમાં પ્રધાનમંત્રી ઇમરાખન ખાનને રાજીનામુ આપવાની અથવા સમગ્ર દેશ ઇસ્લામાબાદ સુધી કૂચ કરીને સરકારને પદ પરથી ખસેડવામાં આવશે, તેવી ચીમકી આપી છે. ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાને ભૂતકાળમાં નવાઝ શરીફને પદ પરથી ખસેડવા માટે આંદોલન તથા રેલી જેવા માર્ગોનો પ્રયોગ કર્યો હતો. તેમણે ઇસ્લામાબાદ તરફથી કૂચ તથા ઇસ્લામાબાદમાં ધરણા જેવા આંદોલનો કર્યા હતા, જેના લીધે જનજીવન ઠપ્પ થયું હતું. હવે વિપક્ષે પણ એજ માર્ગે આગળ વધવાનો નિર્ણય લીધો છે. ઇમ...

દક્ષિણ ચીની સમુદ્રમાં વધી રહેલા તણાવ-આ અંગે સમીક્ષા

દક્ષિણ ચીની સમુદ્રમાં તણાવો વધતાં દક્ષિણ ચીની સમુદ્ર અંગેનો વિવાદ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. બેંકોક ખાતે ચાલી રહેલી નવમી પુર્વ એશિયાના વિદેશ મંત્રીઓની પરિષદમાં આ વિવાદ ઉપર ચર્ચા થવાની પુર્ણ સંભાવના છે.ભારત તરફથી વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર આ પરિષદમાં ભાગ લઈ રહયાં છે. હૈયાંગડિઝી આઠ નામના ગત મહિનાના પહેલા અઠવાડીયામાં ચીનના સર્વેક્ષણ જહાજે વિયેતનામના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં ર૦૦ મીટર અંદર ઘુસી દરિયાઈમાં ધરતીકંપને લગતું સર્વેક્ષણ હાથ ધર્યુ હતું. જેના પગલે વિયેતનામમાં ચિંતાઓ વધી ગઈ હતી. ચીન, તૈવાન અને બુનાઈ, મલેશિયા, ફિલીપાઈન્સ જેવા પ્રમુખ દક્ષિણ પુર્વ એશિયાઈ દેશો દક્ષિણ ચીન સમુદ્ર ઉપર દાવો કરે છે. આ એક લાંબા સમયથી ચાલી રહેલો દરિયાઈ સીમા વિવાદ છે. જેના કેન્દ્ર સ્થાને ચીન છે. દક્ષિણ ચીની સમુદ્ર મામલે ચીનના વર્તનનું ધ્યાનપુર્વક વિશ્લેષણ કરીએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે ચીન તેનો દાવો છોડવા અને અન્ય દેશોને છુટ આપવા ઈચ્છતુ નથી. રાષ્ટ્રપ્રમુખ રોડિગો ડયુર્ટેની આગેવાની હેઠળ ફિલીપાઈન્સના દાવાનો ગંભીરતા ઓછી થઈ છે. પરંતુ વિયેતનામ હજુ પણ દક્ષિણ ચીન સમુદ્રમાં દરિયાઈ સરહદ અંગેના તેના અભિગમ ઉપર મકકમ છે...

ભારત-મોઝામ્બીક સંબંધો

ભારત અને મોઝામ્બીક વચ્ચેના સંબંધો નવી ઉંચાઈ પર પહોંચ્યા છે અને વધુ દૃઢ બન્યા છે. ભારતે મોઝામ્બીકમાં આર્થિક મૂડીરોકાણ વધારીને મહત્વનું પગલું લીધું છે અને તે માટેના મહત્વના કરાર પણ કર્યા છે. સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહ તાજેતરમાં જ મોઝામ્બીકની ત્રણ દિવસની મુલાકાતે જઈ આવ્યા. ત્રણ દિવસ દરમિયાન તેમણે શ્રેણી બદ્ધ બેઠકો યોજી હતી અને તેમાં બંને દેશો વચ્ચેના ઘનીષ્ઠ સંબંધોમાં આર્થિક બાબતોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. મોઝામ્બીકના સંરક્ષણમંત્રી શ્રી અરાનાસીઓ દ્રમુકે સાથેની બેઠકમાં શ્રી રાજનાથસિંહે બંને દેશો વચ્ચેની દ્વિપક્ષી બાબતો પર ભાર મૂક્યો હતો. ભારતે મોઝામ્બીકને મૈત્રીપૂર્ણ દેશ તરીકેનો દરજ્જા આપ્યો હોવાનું તેમણે જણાવ્યું તથા આફ્રિકામાં મહત્વપૂર્ણ ભાગીદાર દેશ ગણાવ્યો. આંકડાઓ પર નજર કરીએ તો ભારત દ્વારા મોઝામ્બીકમાં સાત અબજ ડોલરનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે, તેમાં ઉર્જા ક્ષેત્ર, કોલસા ક્ષેત્ર ચોથા ભાગનું છે. ૨૦૧૭માં મોઝામ્બીકની નિકાસમાં ભારત મહત્વપૂર્ણ દેશ હતો અને તેની કુલ નિકાસમાં ભારતમાં થતી નિકાસ ૩૫ ટકા જેટલી છે. મહત્વની વાત એ છે કે, સંરક્ષણ મંત્રી તરીકે શ્રી રાજનાથસિંહની આ સ...