કાઠમંડુ ખાતે તાજેતરમાં થયેલી ભારત –નેપાળ સંયુક્ત પંચની પાંચમી બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો પર વ્યાપક ચર્ચાવિચારણા કરાઈ હતી. જેમાં, બે દેશો વચ્ચેની કનેÂક્ટવીટી, આર્થિક ભાગીદારી, વેપાર, ઉર્જા, જળસંશાધનો સંસ્કૃતિ અને શિક્ષણ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. બંને દેશોના વિદેશી મંત્રીઓના સહ અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ ગઈ. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર ઢાકા ખાતે બાંગ્લાદેશના આગેવાનો સાથે પરસ્પર હિત અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ કાઠમંડુ જવા રવાના થયા હતા.
સંયુક્ત પંચની બેઠક પહેલા ડો.જયશંકરે નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલીની મુલાકાત લીધી હતી. શ્રી નરેન્દ્ર મોદી બીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ, કોઈપણ ભારતીય મંત્રી દ્વારા કરેલી આ પહેલી ઉચ્ચસ્તરીય મુલાકાત હતી. નેપાળના વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર છેલ્લા બે વર્ષ દરમિયાન થયેલી ઉચ્ચસ્તરીય મુલાકાતોના પગલે ભારત અને નેપાળ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં મળેલી ગતિ અંગે સંયુક્ત પંચે ખુશી વ્યક્ત કરી હતી. નેપાળના પ્રધાનમંત્રી શ્રી ઓલીએ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ભારતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મે અને ઓગસ્ટ ૨૦૧૮માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેપાળની મુલાકાતે ગયા હતા.
ભારતના મદદથી મોતીહારી- અમલેખગુંજ પેટ્રોલિયમ ઉત્પાદનોની પાઇપલાઇન દ્વારા કાર્ય યોજના તેમજ ભુકંપ બાદ, નુવાકોટ અને ગોરખા જિલ્લાઓમાં ખાનગી હોÂસ્પટલોનું પુનનિર્માણનું કામ પૂર્ણ થયું છે. તે અંગે સંયુક્ત પંચે ખુશી વ્યક્ત કરી હતી. બંને મંત્રીઓની ઉપÂસ્થતિમાં ભારતે ગૃહનિર્માણ પ્રોજેક્ટ માટે વળતરનો ૨.૪૫ અબજ નેપાળી રૂપિયાનો ચેક નેપાળને સુપ્રત કર્યો હતો. આ ઉપરાંત, નેપાળના તેરાઈ વિસ્તારમાં માર્ગ વિકાસ જેવી માળખાકીય સુવિધા વિકસાવવા માટેની ભારત સરકારની ૫૦૦ કરોડ રૂપિયા આપવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે નેપાળને ૮૦ કરોડ રૂપિયાનો બીજા ચેક પણ આપવામાં આવ્યો તેરાઈ વિસ્તારમાં હલાકારી માર્ગના ચાર તબક્કાનું કામ પૂર્ણ થયું છે.
બંને મંત્રીઓની ઉપÂસ્થતિમાં અન્ન સલામતી અને ગુણવત્તા સ્તર અંગે નેપાળના ફૂડ ટેકનોલોજી તેમજ ગુણવત્તા નિયંત્રણ વિભાગ અને ભારત સરકારના અન્ન સુરક્ષા અને ગુણવત્તા સ્તર માટેની સંસ્થા – એફએસએસએ૧ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા.
બેઠકની સહઅધ્યક્ષતા કરનાર ડોક્ટર જયશંકર અને નેપાળના વિદેશમંત્રી પ્રદીપ ગ્યાવલી, બંનેએ જયાનગર-જનકપુર અને જાગબની – બિરાટનગર સેક્શનના સરહદી રેલવે પ્રોજેક્ટો અને બિરાટનગરની એકીકૃત ચેકપોસ્ટ માટે થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી ઓલીની ભારત મુલાકાત દરમિયાન સંમતિ સંધાયેલા નવા ત્રણ વિસ્તારો-રક્ષાઉલ-કાઠમંડુ વીજળીકૃત રેલ લાઇન, આંતરિક જળમાર્ગો અને કૃષિ ભાગીદારીમાં પ્રગતિની પણ સમીક્ષા કરી.
ભારત – નેપાળની સંયુક્ત ટૂકડીઓ દ્વારા રક્ષાઉ-કાઠમંડુ રેલ લીંક માટે પૂર્વ – સંભવિતતા અભ્યાસ પૂર્ણ કરી દેવાયો છે. તથા નેપાળમાં નારાયણી અને કોસી નદીઓમાં મધ્યમ કદના જહાંજ ચલાવવા માટેના આંતરિક જળમાર્ગોના પ્રોજેક્ટને ઝડપી બનાવાયો છે.
બંને મંત્રીઓએ ૧૯૫૦ની ભારત – નેપાળ શાંતિ અને મૈત્રી સંધિ અંગે અને નેપાળ - ભારત સંબંધો માટેના મહત્વના વ્યÂક્તઓના જૂથ અંગેનો અહેવાલ બંને દેશોના પ્રધાનમંત્રીઓને રજૂ કરવા અંગે પણ વિચારોની આપલે કરી. બંને પક્ષો વેપાર અને પરિવહન સંધિઓ અને સમજૂતીઓની સમીક્ષાનો જલ્દી અંત લાવવા અંગે સંમત થયા અને મહત્વના સરહદી સ્થળોએ માળખાકીય અને લોજીસ્ટીક સુવિધાઓમાં સુધારો અને તેની જાળવણી અંગે પણ સહમતી વ્યક્ત કરી.
નેપાળ ભારત સરહદ પર વારંવાર પુર અને પુરની ગંભીર ચિંતા વ્યક્ત કરતા, સંયુક્ત પંચના અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવેલ ભલામણો પર કાર્યવાહી કરવા પર સંમત થયા હતા.
નેપાળ ભારત સંયુક્ત કમિશનની બેઠક લગભગ ત્રણ વર્ષના અંતર પછી યોજાઈ હતી, જે ઓક્ટોબર ૨૦૧૬માં નવી દિલ્હીમાં યોજાઈ હતી.
સંયુક્ત આયોગ તંત્રની સ્થાપના ૧૯૮૭માં બંને દેશો દ્વારા આખા સ્પેકટ્ર્મની સમીક્ષા કરવાના આદેશ સાથે કરવામાં આવી હતી. જેનો હેતુ દ્વિપક્ષી સંબંધો અને પ્રાદેશિક સહયોગનો હતો, પરંતુ ઘણા વર્ષો સુધી તે નિષ્ક્રિય રહ્યો.
ભારતના વિદેશમંત્રીએ કાંઠમંડુની પોતાની મુલાકાત દરમિયાન નવી દિલ્હી રવાના થતા પહેલા નેપાળના રાષ્ટ્રપતિ્ વિદ્યાદેવી ભંડારીને પણ મળ્યા હતા.
આશા છે કે, સંયુક્ત પંચની બેઠકમાં બંને પક્ષો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી પ્રતિબદ્ધતા નેપાળ સંબંધોને નવી ઉંચાઇ પર લઈ જશે.
લેખકઃ રતન સલ્દી, રાજકીય સમીક્ષક
Comments
Post a Comment