Skip to main content

Posts

Showing posts from August, 2020

પ્રધાનમંત્રીએ સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદન બાબતે જાહેર કરેલું ભાવિ આયોજન અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન અંગેની વિડિયો કોન્ફરન્સને સંબોધી હતી, ભારતીય સંરક્ષણ ઉત્પાદકોની સોસાયટી અને ફિક્કી દ્વારા સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ વિડિયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, સંરક્ષણ ક્ષેત્રેના સાધનો બાબતે દેશને આત્મનિર્ભર બનાવવાનું મહત્વ સમજાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાનગી ક્ષેત્રના સહકારથી સંરક્ષણ સાધનોનું ઉત્પાદન વધારવું અને આ ક્ષેત્રે નવી ટેક્નોલોજીનો ઉપયગો કરવો જરૂરી છે, સંરક્ષણમંત્રી રાજનાથ સિહં અને તેમની ટીમના બધા જ સભ્યોએ સતત કરેલા પ્રયાસોને પ્રધાનમંત્રીએ બિરદાવ્યા હતા, શ્રી મોદીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, સ્વદેશી ટેકનોલોજીથી શસ્ત્રોના ઘરઆંગણે ઉત્પાદનને ટૂંક સમયમાં વેગ મળશે. ભારત જ્યારે આઝાદ થયો હતો ત્યારે આપણી પાસે શસ્ત્રો ઉત્પાદન ક્ષેત્રે ઝડપથી આગળ વધવાની તક હતી, પણ આ દિશામાં ગંભીર પ્રયાસો થયા નથી, તેમ જણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું કે પરિસ્થિતિમાં ધીમે ધીમે પરીવર્તન આવી રહ્યું છે. શ્રી મોદીએ તેમની સરકાર દ્વારા શસ્ત્ર નિકાસની પ્રક્રિયા સરળ બનાવવી, લાયસન્સની પ્રક્રિય...

અફઘાનિસ્તાનના પુનઃ નિર્માણમાં ભારતની મહત્વની ભૂમિકા અંગે સમીક્ષા

તાલિબાનની દોહા ખાતેની રાજકીય કચેરીના વડા મુલ્લા અબ્દુલ ઘની બરદારના વડપણ હેઠળના પ્રતિનિધી મંડળે. અફઘાનિસ્તાન શાંતિ પ્રક્રિયામાં હવે પછી ચર્ચા કેવી રીતે આગળ વધારવી તે અંગે વાતચીત કરવા પાકિસ્તાનની મુલાકાત લીધી છે. છેલ્લા 10 મહિનામાં મુલ્લા બરદારની પાકિસ્તાનની આ બીજી મુલાકાત છે. અગાઉ ઓક્ટોબર 2019માં તેણે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. વર્ષ 2019ની મુલાકાત પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાનો અમેરીકન સૈનિકો ઉપર હુમલા કરી રહ્યા હોવાનો આક્ષેપ કરીને અફઘાન શાંતિ પ્રક્રિયા અધવચ્ચે રોકી હતી.  ઇસ્લામાબાદમાં યોજાયેલી વાતચીતમાં પાકિસ્તાનની કુખ્યાત આઈ.એસ.આઈ.ના વડા લેફટનંન્ટ જનરલ ફૈઝ હમીદ પણ ઉપસ્થિત રહ્યા હતા. રશિયાએ વર્ષ 1980માં અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો ત્યારથી આઈ.એસ.આઈ. અફઘાનના તાલિબાનો સાથે સારો સંબંધ ધરાવે છે. તાલિબાનોને શાંતિ પ્રક્રિયામાં જોડવામાં તથા અમેરિકા સાથે ગત ફેબ્રુઆરી માસમાં સમજૂતી કરવામાં આઈ.એસ.આઈ.એ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. તાલિબાનો અફઘાનિસ્તાનની અશરફ ઘની સરકારને માન્યતા આપતા નથી. તેઓ વર્તમાન અફઘાન સરકારને પશ્ચિમી દેશોનો પ્રભાવ ધરાવતી સ...

ભારત અને વિયેતનામના દ્વિપક્ષી સંબંધો મજબૂત બન્યા એ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2017માં વિયેતનામની મુલાકાત લીધી ત્યારપછી ભારત અને વિયેતનામના દ્વિપક્ષી સંબંધો સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીવાળા બન્યા છે. આ બાબત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે સાથે ભારત – પ્રશાંત વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં મદદરૂપ થઈ રહી છે.  ચીન દ્વારા દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં અપનાવાયેલ આક્રમક વલણને ધ્યાનમાં લેતાં ભારત વિયેતનામ વચ્ચેના સંબંધો આગવું મહત્વ ધારણ કરે છે. હવેથી ભારત અને વિયેતનામના જુદા જુદા આગેવાનો વચ્ચે નિયમિત સમયે સંવાદ થતો રહેશે. તાજેતરમાં ભારત – વિયેતનામ સંયુક્ત પંચની બેઠક વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાઈ ગઈ જેમાં વેપાર, આર્થિક અને વૈજ્ઞાનિક સહકાર વધારવા ઉપર ભાર મુકાયો હતો. વિદેશમંત્રી એસ.જયશંકર અને વિયેતનામના નાયબ પ્રધાનમંત્રી ખામ બીન મિન્હે આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ભારત વિયેતનામ વ્યૂહાત્મક ભાગીદારીમાં તાજેતરમાં થયેલ ઘટના ક્રમની સમીક્ષા કરવામાં આવી હતી.  બંને પક્ષો આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રે નવા સંબંધો મજબૂત બનાવવા સંમત થયા હતા. આ ઉપરાંત બંને પક્ષોએ નાગરિક ક્ષેત્રે પરમાણુ ઉર્જા, અવકાશ, નવી ...

માર્ગો દ્વારા ભારતને જોડવાની યોજના અંગે સમીક્ષા

કોઈપણ દેશ માટે માર્ગ એ જીવાદોરી સમાન હોય છે. સારા માર્ગોના કારણે માલ-સામાન અને મુસાફરોની હેરફેર સરળતાથી થતી હોવાથી અર્થતંત્રના વિકાસમાં તે મદદરૂપ બને છે. ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશની પ્રગતિ માટે નવા માર્ગોનું નિર્માણ ખૂબ જ અગત્યનું ગણાવી શકાય. કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત હેઠળ સારા માર્ગોની માળખાકીય સુવિધા વિકસાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની માર્ગની સુવિધામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના વિવિધ સ્થળોએ સારા માર્ગોની સુવિધા ઉપલબ્ધ થવા લાગવાથી ઝડપી વિકાસ શક્ય બન્યો છે. ભારત પાસે સમગ્ર વિશ્વમાં આશરે 55 લાખ કિલો મીટર લંબાઈના ધોરીમાર્ગોનું વિશ્વમાં સૌથી મોટુ નેટવર્ક છે, જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો તથા શહેરી અને ગ્રામીણ માર્ગોનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં ઉપલબ્ધ માર્ગના કુલ નેટવર્કમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોનો હિસ્સો બે ટકા જેટલો છે અને તે કુલ પરિવહનમાં 40 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ભારત સરકારે અમલમાં મુકેલી ભારત માલા પરિયોજના દેશમાં 66 હજાર 100 કિલોમીટરના આર્થિક કોરિડોર, સરહદી અને દરિયાકાંઠાના માર્ગો અને એક્સપ્રેસ-વે બાંધવાની નેમ...

ભારત – આસીયાન સંબંધો વધુ 

ભારતની એક્ટ ઇસ્ટ નીતી અને ભારત પ્રશાંત વિસ્તારની ભાવિ સ્થિતિને ધ્યાનમાં રાખીને આસીયાન તેમજ ભારતના તજજ્ઞોના સંગઠન AINTTની છઠ્ઠી ગોળમેજી બેઠક ગયા અઠવાડિયે ઓનલાઈન યોજાઈ ગઈ. બેઠકમાં આ વર્ષે ચર્ચાના કેન્દ્રમાં કોવિડ પછીની સ્થિતિમાં આસિયાન અને ભારતની સહભાગિતા વધુ મજબૂત બનાવવાનો મુદ્દો મુખ્ય હતો. ભારતે 2009માં AINTTની સંકલ્પના રજૂ કરી હતી. અને આસીયાન દેશો તેમજ ભારતની વ્યૂહાત્મક સહભાગિતાને બળ આપવાનો તેનો હેતુ હતો. તેમાં માહિતીના આદાન પ્રદાનની ખાઈ દૂર કરવા અને સહકારના સંભવિત ક્ષેત્રોની નીતી વિષયક ભલામણ કરવાનો ઉદ્દેશ પણ હતો. વિદેશમંત્રી ડો.એસ.જયશંકર, થાઈલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ડોન પ્રમુદવિનાય અને આસિયાનના મહાસચિવ દાતોલિમ જો હોઈએ આ વર્ષની ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો. ડો.જયશંકરે એવી દલીલ મુકી હતી કે, આ રોગચાળાએ એક તરફ પ્રતિસ્પર્ધાત્મક આંતરરાષ્ટ્રીય રાજનીતી અને બીજી તરફ બહુપક્ષવાદ પર ઉંડી અસર કરી છે. સૌથી મહત્વનો પાયાના પ્રશ્ન એ હતો કે, કોવિડ-19 વિશ્વ વ્યવસ્થાને કેવું રૂપ આપશે. કારણ કે, ભારત અને અગ્નિ એશિયાને વૈશ્વિકરણમાં પરસ્પર હિત છે. વિદેશમંત્રીએ તેમની ટકોરમાં કોવિડ-1...

પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ ઉપર મૂકાયેલા પ્રતિબંધો વાસ્તવિક છે કે નહીં? એ અંગે સમીક્ષા

પાકિસ્તાન સરકારે ગયા સપ્તાહમાં બે જાહેરનામા બહાર પાડીને 88 આતંકવાદીઓ ઉપર આર્થિક પ્રતિબંધો લાદવની જાહેરાત કરી છે. આ જાહેરનામામાં ઘણા આતંકવાદી સંગઠનોના નેતાઓ ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરાઈ છે. જેમાં 2008 માં મુંબઈ પરના આતંકવાદી હુમલાના સૂત્રધાર મનાતા મસૂદ અઝહરનો પણ સમાવેશ થયો છે. એવી જ રીતે ભારતમાં દાણચોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હાથ ધરવાનો આરોપ ધરાવતા દાઉદ ઇબ્રાહીમનો પણ આ સૂચિમાં સમાવેશ કરાયો છે.  પાકિસ્તાન સરકારે તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, લશ્કર-એ-જાંગવી અને હરકત-ઉલ-અન્સાર જેવી કૃખ્યાત આતંકવાદી સંસ્થાઓ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાન સરકારે સંબંધિત આતંકવાદીઓ અને સંસ્થાઓની સ્થાવર અને જંગમ અસ્કયામતો જપ્ત કરવાનો તથા તેમના બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુજબ સંબંધિતોને વિદેશ જવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદની સૂચના મુજબ પાકિસ્તાન સરકારે આ પગલાં લીધા છે. પાકિસ્તાને પ્રથમવાર કબૂલ કર્યું હતું કે, દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં છે. આતંકવાદીઓની સૂચિમાં દાઉદ ઇબ્રાહીમનું નામ અને કરાંચી ખાતેનું તેનું સરનામું પણ પાકિ...

અમેરીકાને રાષ્ટ્રપ્રમુખને 2020માં યોજાનારી ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો એ અંગે સમીક્ષા

કોરના રાગચાળાના કારાણે સમગ્ર વિશ્વમાં 200 દેશોમાં રહેલા લોકોના સામાજીક અને આર્થિક જીવન ઉપર સૌથી વધુ અસર થઈ છે. નોંધપાત્ર રીતે આ પરિસ્થિતિની લોકશાહી દેશોમાં રાજકીય ગતિવિધિ ઉપર પણ અસર થઈ છે, લોકશાહી વ્યવસ્થામાં સમયાંતરે ચૂંટણી યોજાતી હોય છે, અને આ ચૂંટણી વહિવટી વ્યવસ્થા માટે જરૂરી હોય છે, વિશ્વમાં સૌથી વધુ શક્તિશાળી અને સમુદ્ધ લોકશાહી ધરાવતા અમરેકામાં પણ કોરોનાના લીધે રાજકીય પ્રવૃતિમાં અવરોધ ઉભો થયો છે, દર ચોથા વર્ષે અમેરીકામાં નવા રાષ્ટ્ર પ્રમુખ માટે મતદાન થાય છે, ક્યાંરેક વર્તમાન રાષ્ટ્રપ્રમુખ બીજી મુદ્દત માટે પણ ચૂંટાય છે, કોરોનાના લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં હાલમાં અમેરીકામાં મુખ્ય ચર્ચા થાય છે કે શું આ વર્ષે રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી સરળતાથી યોજાશે ખરી તેમજ શું ડોનાલ્ડ ટ્રમ્પ બીજી મુદ્દત માટે રાષ્ટ્રપ્રમુખ ચૂંટાશે ખરા ? આગામી 3જી નવેમ્બરે અમેરીકામાં યોજાનારી રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીની પ્રક્રિયા હવે ધીમેધીમે સરળ બની રહી છે, કોરોનાના લીધે પહેલા લૉકડાઉન અને પછી તબક્કાવાર અનલોકની હાથધરાયેલી પ્રક્રિયાના કારણે લોકોમાં હજી પણ કોરોનાના ચેપનો ભય ઉભો છે, આથી અમેરીકામાં મોટી સંખ્યમા...

ભારત અને બાંગ્લાદેશનાગાઢ બનતા સંબંધો અંગે સમીક્ષા

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા બે દિવસની ઢાકાની મુલાકાતે ગયા હતા. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંદેશ પ્રધાનમંત્રી શેખ હસીનાને આપ્યો હતો. ભારતીય વિદેશ સચિવનું શેખ હસીના દ્વારા વ્યક્તિગતરૂપે સ્વાગત કરાયું હતું. કોવિડ-19 મહામારી દરમિયાન મહિનાઓ બાદ પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રથમવાર વિદેશી મહાનુભાવ તરીકે વિદેશ સચિવનું સ્વાગત કર્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓમાં નવી દિલ્હી અને ઢાકા વચ્ચે દ્વિપક્ષીય વર્સ્યુયલ બેઠક યોજાઈ હતી. આ મહામારીના કારણે દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થાને વ્યાપક અસર થઈ છે. તે જોતાં આ મુલાકાત મહત્વપૂર્ણ ગણી શકાય. વિદેશ સચિવે બાંગ્લાદેશના વિદેશમંત્રી એ.કે.અબ્દુલ મોમેન, વિદેશ રાજ્યમંત્રી શહેરીઅર આલમ અને તેમના સમકક્ષ વિદેશ સચિવ મસૂદ બિન મોમેન સાથે પણ મુલાકાત યોજી હતી.  એક કલાક લાંબી ચાલેલી મુલાકાત દરમિયાન ભારતીય વિદેશ સચિવ અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી વચ્ચે બંને દેશો વચ્ચેના સંપર્કના માર્ગો અને ઉપાયો પુનઃ શરૂ કરવા કોવીડ-૧૯ ની રસીને વિકસાવવા પરસ્પર સહયોગ અને સંયુકત પણે ચાલુ મુજાબ બોર્શો ની ઉજવણીના સમાપન અંગે ચર્ચા વિચારણા થઇ હતી. બંને દેશો વચ્ચે કોવીડ-૧૯ રોગચાળા બાદ...

ભારત અને યુએઈ વચ્ચે ઘનિષ્ઠ બનતા વ્યુહાત્મક સંબંધો અંગે સમીક્ષા

ભારત અને સંયુક્ત આરબ અમીરાત - UAEએ શાંતિ અને સમૃદ્ધિ અંગેના પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના ક્રાઉન પ્રિન્સ મહંમદ બિન જાયદ અલ નહયાનના નેતૃત્વ હેઠળ બંને દેશોએ વેપાર, મૂડીરોકાણ, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા સઘન પગલાં લીધા છે. બંને દેશોએ સંયુક્ત પંચની બેઠક દ્વારા આ દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવા પણ પ્રયાસો કર્યા છે. ભારત અને UAEની સંયુક્ત પંચની 13મી બેઠક વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાઈ ગઈ. વિદેશમંત્રી એસ.જયશંકર અને UAEના વિદેશમંત્રી અબ્દુલ્લાહ બિન જહયાદ અલ નહયાન આ બેઠકમાં ઉપસ્થિત હતા. બંને પક્ષોએ કોવિડના લીધે ઉભી થયેલી અસાધારણ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી તથા દ્રિપક્ષીય બાબતો અંગે પણ ચર્ચા કરી હતી. બંને દેશોએ આ મહામારીનો સાથે મળીને સામનો કરવાનો નિર્ણય લીધો છે. ભારતે ગત એપ્રિલ મહિનામાં કોવિડના સારવારમાં ઉપયોગી એવી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની 55 લાખ ગોળીઓ UAEને આપી હતી. ગત મે માસમાં ભારતે UAEમાં આઈસીયુમાં સારવાર લઈ રહેલા કોવિડના દર્દીઓને મદદરૂપ થવા 88 નર્સ મોક...

દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ અર્થતંત્રની ગતિને વેગ આપશે તેવા રિઝર્વ બેન્કના નિવેદન અંગે સમીક્ષા

ભારતનું અર્થતંત્ર કોવિડની અસરથી બહાર નીકળીને વિકાસ માટે પ્રયાસ કરી રહ્યું છે તે વખતે ભારતીય રિઝર્વ બેન્કે ગૃહદ્ આર્થિક પર્યાવરણને ધ્યાનમાં રાખીને ધિરાણ દરમાં ફેરફાર નહીં કરવાનો અને અર્થતંત્ર માટે સમાવેશક અભિગમ અપનાવવાનો કરેલો નિર્ણય વ્યવહારુ ગણાવી શકાય. આરબીઆઈના ગવર્નરના વડપણ હેઠળની છ સભ્યોને આર્થિક નીતી સમિતિએ ઐતિહાસિક ચાર ટકાના સ્તરે રહેલો ધિરાણના દર નહીં ઘટડવાનો અને ધિરાણની પરત ચૂંકવણીના સમયગાળાની પુનઃ રચના કરવાનો લીધેલો નિર્ણય અર્થતંત્રમાં હિતકારક ગણાવી શકાય. ઉલ્લેખનીય છે કે, ગત 22મી મેએ ભારતીય રીઝર્વ બેન્કે વ્યાજદરમાં ફેરફાર કર્યો હતો અને વ્યાજદરને ઐતિહાસિક ઓછી સપાટીએ મુક્યો હતો. ઝડપથી બદલાઈ રહેલ ગૃહદ આર્થિક પર્યાવરણ અને વિકાસમાં થઈ રહેલા ઘટાડાને કારણે નાણાંનીતી સમિતિને આ વર્ષે માર્ચ અને મે મહિનામાં બેઠકો યોજવાની ફરજ પડી હતી. વિશ્લેષકોનું માનવું છે કે, વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય ધારણા મુજબનો છે. તથા કોવિડની અસરનો યોગ્ય રીતે સામનો ઉદ્યોગો કરી શકે તે માટે ધિરાણ પરત ચૂકવણીના સમયગાળાની પુનઃ રચનાનો નિર્ણય વ્યાજબી ગણાવી શકાય. ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે થોડા દિવસ પહે...

સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરવા તૈયાર થતાં ભારત અંગે સમીક્ષા

ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે શસ્ત્રો નિકાસ કરતાં દેશોની હરોળમાં સ્થાન લેવાના ઇરાદા સાથે સંરક્ષણ ઉત્પાદન અને નિકાસનીતિનો મુસદ્દો તૈયાર કર્યો છે. વર્ષ 2025 સુધીમાં ભારતથી સંરક્ષણ ક્ષેત્રે થતી નિકાસમાં સ્વદેશી ઉત્પાદનનું પ્રમાણ વધારીને 25 અબજ અમેરિકી ડોલર કરવાની નેમ વ્યક્ત કરાઈ છે. ભારત સંરક્ષણ ક્ષેત્રની આયાત કરનાર વિશ્વમાં ત્રીજા ક્રમાંકનો દેશ છે. નવી સંરક્ષણ નીતિમાં સ્વદેશી ઉત્પાદન વધારીને ભારતની આયાત ઘટાડીને તેને વિશ્વમાં પાંચમા ક્રમાંકનો આયાતકર્તા દેશ બનાવવાની નેમ રખાઈ છે. સંરક્ષણ મંત્રાલયે નવી સંરક્ષણ નીતિનો મુસદ્દો જાહેર કર્યો છે અને લગતાવળગતાઓને આ અંગે સૂચનો મોકલવાની અપીલ કરી છે. સંબંધિતોએ આગામી ત્રણ સપ્તાહમાં સૂચનો મોકલવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રે સીધા વિદેશી રોકાણની મહત્તમ મર્યાદા 49 ટકા હતી તે તાજેતરમાં વધારીને 74 ટકા કરી છે. આ પાર્શ્વ ભૂમિમાં ભારત સરકારે જાહેર કરેલો સંરક્ષણ ક્ષેત્રની નવી નીતિનો મુસદ્દો આગવું મહત્વ ધારણ કરે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સરકાર સંરક્ષણ ક્ષેત્રની ખરીદી વખતે આંતરરાષ્ટ્રીય સ્તરના અદ્યતન શસ્ત્રો ઉપર ધ્ય...

ભારત – મોરેશ્યસ સંબંધો નવી ઉંચાઇએ પહોંચવા તૈયાર અંગે સમીક્ષા

ભારત અને મોરેશ્યસે તેમની ખાસ દોસ્તીમાં વધુ એક સીમાચિન્હ હાંસલ કર્યુ છે. મોરેશ્યસની રાજધાની પોર્ટલુઇમાં ભારતની સહાયથી બાંધવામાં આવેલ સર્વોચ્ચ અદાલતનું ભવનનું તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશ્યસના પ્રધાનમંત્રી પ્રવીણ જગન્નાથે ઉદઘાટન કર્યુ. તે સાથે બંને દેશોના સહકારનો નવો એક અધ્યાય શરૂ થયો. ભારત અને મોરેશ્યસ બંને લોકશાહી વ્યવસ્થાના મહત્વના સ્તંભ તરીકે સ્વતંત્ર ન્યાયતંત્રને માન આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂઆતના અંદાજીત ખર્ચમાં રહીને જ સમયસર આ ભવનનું બાંધકામ પુરૂ કરવા બદલ સંતોષ વ્યકત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમણે અને શ્રી જગન્નાથે મોરેશ્યસના મેટ્રો પ્રોજેકટ અને એક અદ્યતન નવી હોસ્પીટલનું સંયુકત રીતે થોડા મહિના પહેલા જ ઉદઘાટન કરીને મૈત્રીનું નવુ સિમાચિન્હ હાંસલ કર્યુ હતું. આ બંને પરીયોજનાઓ પણ મોરેશ્યસની જનતાને ખુબ ઉપયોગી પુરવાર થઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશ્યસમાં પહેલીવાર હિંદ મહાસાગર ક્ષેત્રની સલામતી અને સમૃધ્ધિ માટેની ભારતની દ્રષ્ટી સાગર વિશે વાત કરી હતી. કારણ કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના અભિગમના કેન્દ્રમાં મોરેશ્યસ છે. તેમણે ઉમેર...

આફ્રિકા ખંડમાં ચીનના વધતા જતાં મૂડીરોકાણના થનાર પરિણામો અંગે સમીક્ષા

ભારત અને ચીન એશિયામાં ઊભરતી બે સત્તાઓ છે અને તેમના આફ્રિકા ખંડના દેશો સાથે દ્વિપક્ષીય સંબંધો વર્ષો જૂના રહ્યા છે. જોકે તાજેતરના વર્ષોમાં બંને દેશોની આફ્રિકાના દેશો સાથેના સંબંધોમાં વધુ ઘનિષ્ઠતા જોવા મળે છે. આફ્રિકા ખંડોના દેશોમાં વેપાર અને ઉદ્યોગ માટે સાનૂકુળ વાતાવરણ તૈયાર થયું છે. જોકે ચીને બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવ – બી.આર.આઈ. પ્રોજેક્ટ હેઠળ આફ્રિકાના માળખાકીય ક્ષેત્રમાં અસાધારણ મૂડીરોકાણ શરૂ કર્યું છે. આફ્રિકાના દરેક દેશો ઉપર આ મૂડીરોકાણમાં અલગ પરિણામો જોવા મળશે. ચીન સરકાર, ચીની બેન્ક અને ચીની કંપનીઓએ વર્ષ 2000 થી 2017 ના સમયગાળામાં આફ્રિકાના માળખાકીય સુવિધા પ્રોજેક્ટોમાં 143 અબજ અમેરિકી ડોલરનું રોકાણ કર્યું છે. ચીનનો બી.આર.આઈ. પ્રોજેક્ટ એ સંબંધિત દેશો સાથે વેપાર અને ઉદ્યોગ સઘન બનાવવા ઉપરાંત સંબંધિત દેશોમાં તેનું રાજકીય પ્રભુત્વ પણ વધારશે. આ બધાની સાથે સાથે નવા જળમાર્ગો અને સંદેશા વ્યવહારના સાધનો દ્વારા ચીન તેના વ્યૂહાત્મક બંદરોનું પણ પોતાનો પ્રભાવ વધારવા ઉપયોગ કરી રહ્યું છે. ખાસ કરીને પૂર્વ આફ્રિકાના દેશો સાથે ચીન વીજળી મથકો, માછીમારી માટેના બંદરો, રેલવે જેવી સુવિધાઓ વધારી રહ્યું છ...

કાશ્મીરના ભવ્ય સાંસ્કૃતિક વારસા અંગે સમીક્ષા

ભારતના ઉત્તર દિશાએ આવેલ કાશ્મીરમાં વિવિધ સંસ્કૃતિ ધરાવતાં લોકો સદીઓથી એકબીજાની પરંપરા અને સંસ્કૃતિને વધુ સમૃદ્ધ બનાવતાં શ્રેષ્ઠ સહ અસ્થિત્વનો પરિચય આપી રહ્યા છે. કાશ્મીરીયત તરીકે જાણીતી વિચારધારામાં હિન્દુત્વ, બૌદ્ધ અને ઇસ્લામ તત્વ જ્ઞાનનો નોંધપાત્ર પ્રભાવ જોવા મળે છે. આ તત્વ જ્ઞાનનું મુખ્ય તત્વ છે સુમેળ સાથે અને ભાઈચારાની ભાવના સાથે જીવો. 14મી સદીમાં ઇસ્લામના કાશ્મીરના ઉદય પહેલાં કાશ્મીરના જનજીવન ઉપર હિન્દુત્વ અને બૌદ્ધ વિચારધારાનો પ્રભાવ જોવા મળતો હતો પણ ત્યારપછી ઇસ્લામનો પ્રભાવ વધ્યો. ત્રણ ધર્મની આ વિચારધારા એક રીતે જોઈએ તો એકબીજાને પુરક છે. આથી જ કાશ્મીરમાં હિન્દુ આધ્યાત્મ વાદની સાથે સાથે ઇસ્લામના સુફી ચળવળનો પ્રભાવ પણ જોવા મળે છે. લાલદેડ તરીકે જાણીતા કવયત્રી લાલેશ્વરી તેમની કવિતાઓ દ્વારા આધ્યાત્મનો પ્રચાર કર્યો હતો. તેમની રચનાઓએ ઇસ્લામના ઉદય પહેલાના અને પછીના સમયગાળામાં સેતુ રૂપ કામ કર્યું છે. આ કામગીરી નુન્દરેસી તરીકે જાણીતા શેખ નુર ઉદ દીન નુરાનીએ સંભાળી હતી. કાશ્મીરના જનજીવનમાં વિવિધ વિચારધારાઓનો સુમેળ જોવા મળે છે. અહીં હિન્દુ અને મુસ્લિમો સંપૂર્ણ કોમી એખલાસ સાથે જીવી રહ્યા છે....