Skip to main content

ભારત અને બાંગ્લાદેશનાગાઢ બનતા સંબંધો અંગે સમીક્ષા

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા બે દિવસની ઢાકાની મુલાકાતે ગયા હતા. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંદેશ પ્રધાનમંત્રી શેખ હસીનાને આપ્યો હતો. ભારતીય વિદેશ સચિવનું શેખ હસીના દ્વારા વ્યક્તિગતરૂપે સ્વાગત કરાયું હતું. કોવિડ-19 મહામારી દરમિયાન મહિનાઓ બાદ પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રથમવાર વિદેશી મહાનુભાવ તરીકે વિદેશ સચિવનું સ્વાગત કર્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓમાં નવી દિલ્હી અને ઢાકા વચ્ચે દ્વિપક્ષીય વર્સ્યુયલ બેઠક યોજાઈ હતી. આ મહામારીના કારણે દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થાને વ્યાપક અસર થઈ છે. તે જોતાં આ મુલાકાત મહત્વપૂર્ણ ગણી શકાય. વિદેશ સચિવે બાંગ્લાદેશના વિદેશમંત્રી એ.કે.અબ્દુલ મોમેન, વિદેશ રાજ્યમંત્રી શહેરીઅર આલમ અને તેમના સમકક્ષ વિદેશ સચિવ મસૂદ બિન મોમેન સાથે પણ મુલાકાત યોજી હતી. 

એક કલાક લાંબી ચાલેલી મુલાકાત દરમિયાન ભારતીય વિદેશ સચિવ અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી વચ્ચે બંને દેશો વચ્ચેના સંપર્કના માર્ગો અને ઉપાયો પુનઃ શરૂ કરવા કોવીડ-૧૯ ની રસીને વિકસાવવા પરસ્પર સહયોગ અને સંયુકત પણે ચાલુ મુજાબ બોર્શો ની ઉજવણીના સમાપન અંગે ચર્ચા વિચારણા થઇ હતી. બંને દેશો વચ્ચે કોવીડ-૧૯ રોગચાળા બાદ ઉભા થનારા આર્થિક પડકરો અને વ્યુહ રચના અંગે પણ વિચાર વિમર્શ થયો હતો. ભારતે સંયુકત સલાહકાર પરીષદ પુનઃ પ્રારંભ કરવાનો પ્રસ્તાવ મુકયો હતો, જે વિદેશ મંત્રી સ્તરે, બાંગ્લાદેશમાં વિવિધ ભારતીય ભંડોળ પુરૂ પાડતી પરીયોજનાઓની દેખરેખ કરે છે તેમજ બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય મુદ્રા પર પણ ચર્ચા કરે છે. ભારતે આ પ્રક્રિયા ફરી શરૂ કરવ વર્ચ્યુઅલ મીટીંગનો પ્રસ્તાવ ફેબ્રુઆરીમાં મળ્યો હતો. ભારતે બંને દેશો વચ્ચે એર બબલ બનાવવાનો પ્રસ્તાવ મુકયો હતો. જેથી ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ અને ભારતમાં તબીબી સારવારની ઇચ્છા રાખનારાઓ માટે મુલાકાતો સરળ બની રહે. આપને યાદ અપાવીએ કે ભારતમાં તબીબી સારવાર માટે અન્ય દેશોના નાગરીકો આવે છે જેમાં બાંગ્લાદેશ મોખરે છે. બાંગ્લાદેશે પણ તેમના દેશમાં કોરોના વાયરસની ભારતીય રસીના પરીક્ષણ અંગે ચર્ચા કરી હતી. બાંગ્લાદેશ પણ આ કોવીડ-૧૯ મહામારી સામે લડવાના પ્રયાસો અંગે વિશ્વના અન્ય દેશો સાથે ચર્ચા કરે છે.

જુલાઇ માસમાં ભારતે, બાંગ્લાદેશ સાથેના વ્યાપારીક સંબંધો સામાન્ય બને તે માટે અનેક પગલાં લીધા હતા, જેને કોવીડ-૧૯ ના કારણે અસર પહોંચી હતી. કોરોના મહામારીના કારણે બે મહિનાથી વધુ સમયથી સરહદ પારના વ્યાપારીક સંબંધો ખોરવાયા હતા. જે જુન માસમાં પુનઃ શરૂ થયા હતા. ભારતે તેના અનુદાન સહાય કાર્યક્રમ હેઠળ દસ ડીઝલ બોકોટોટીવ્સ બાંગ્લાદેશને સોપ્યા હતા. જુલાઇ માસમાં બંને દેશો વચ્ચે સંબંધો સુધર્યા હતા. કોલકત્તાથી અગરતલા અન ેકરીમગંજ વાઘા ચિત્રગોંગ બંદરના પ્રથમ કન્ટેનર જણજની દરીયાઇ મુસાફરી, જે પપ વર્ષો અગાઉ બંધ થઇ હતી. તે મોટા માલવાહક જહાજમાં સ્ટીલની પટૃીઓ અને કઠોળના સામાન સાથે ચાલુ થઇ હતી.

પ્રથમવાર ઇલેકટ્રોનીક રીતે સીલ કરેલુ સરચા અને કાપડ સાથેનું રેક આંધ્રપ્રદેશના ગુંટુરથી બાંગ્લાદેશના બેનાપોલ રવાના થયું હતું. ઢાકાની એક મોટી ચિંતા બાંગ્લાદેશના રોહિગ્યા શરણાર્થીઓની હાજરી છે. આ વિસ્થાપિતોની હાજરીના કારણે બાંગ્લાદેશ પ્રાદેશિક સુરક્ષા પર ભાર મુકતા, ભારતનું ધ્યાન દોર્યુ છે. 

બાંગ્લાદેશે ભારતને વિનંતી કરી છે કે તે પોતાના સારા સંબંધોનો ઉપયોગ કરી મ્યાનમારને રોહિંગ્યા શરણાર્થીઓને પરત બોલાવવા આગ્રહ કરે. ભારતે બાંગ્લાદેશને સહયોગ આપતા, મ્યાનમારને રોહિંગ્યા શરણાર્થીને પાછા બોલાવવા કહયું છે. ભારત પણ રોહિંગ્યા શરણાર્થીઓને માનભેર વ્હેલામાં વહેલી તકે તેમના સ્વદેશ પરત મોકલવા તૈયાર છે. ભારતે તેમની સુવિધા માટે રપ૦ રહેણાંક, મ્યાનમાર સાથેના સમજુતી કરારના ભાગરૂપે તૈયાર કર્યા છે. ઓપરેશન ઇન્સાનિયત હેઠળ ભારતે, બાંગ્લાદેશમાં શરણાર્થી કેમ્પમાં રહેતા રોહિંગ્યા માટે સહાય પુરી પાડી છે.

જે આશ્ચર્ય નથી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બને દેશો વચ્ચેના સંબંધોને સોનેરી અધ્યાય તરીકે ઓળખાય છે અને વિદેશ મંત્રી ડોકટર અમે. જયશંકરે આ પ્રદેશામાં રોલ મોડેલ તરીકેનું નામ આપ્યું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ.કે.અબ્દુલ મોમેને પણ ભારત અને મ્યાનમારના સંબંધોને ઐતિહાસીક મજબુત અને અંગત ગણાવ્યા છે. વિદેશ સચિવની કોવીડ-૧૯ મહામારી વચ્ચેની બાંગ્લાદેશની મુલાકાત દ્વિપક્ષી સંબંધોને વધુ ગાઢ બનાવે છે.




રૂપલ જાની – રમેશ પરમાર – મુકેશ પરમાર



લેખિકા – ડો.શ્રુતિ પટ્ટનાયક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...