Skip to main content

Posts

Showing posts from June, 2019

જાપાનમાં ઓસાકા ખાતે યોજાયેલી બ્રિક્સ સંગઠનના અગ્રણીઓની અનૌપચારીક બેઠક અંગે સમીક્ષા

જાપાનના ઓસાકા ખાતે યોજાયેલી જી-વીસ દેશોના વડાઓની શિખર પરીષદ વખતે, બ્રીકસ સંગઠનના – બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના વડાઓની બેઠક પણ ઓસાકામાં યોજાઇ ગઇ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બ્રાઝીલના વડા જે. બોલસેનારો, રશિયાના વ્લાદિમીર પુતીન, ચીનના – શી જીનપીંગ તથા દક્ષિણ આફ્રિકાના સીરીલ રામફોસાએ, જી – વીસ સંગઠનની શીખર પરિષદનું આયોજન કરવા તથા આ બેઠકમાં વેપાર, નવકલ્પના જેવા મુદ્દાઓ બાબતે ચર્ચા કરવા માટે જાપાનને અભિનંદન આપ્યા હતા. બ્રીકસના આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિશ્વનો આર્થિક વિકાસ દર ધીરે ધીરે Âસ્થર થઇ રહ્યો છે જાકે આગામી ૨૦૨૦ સુધીમાં તે વધશે. જાકે રાજકીય તથા ભૌગોલીક ક્ષેત્રે વધતા જતા તનાવો ચીજ વસ્તુઓની કિંમતમાં થતી અસાધારણ વધ-ઘટ અસમાનતા જેવા વિવિધ કારણોસર આર્થિક વિકાસ દર મજબૂત બનાવવો એ પડકાર છે. બ્રીક્સ સંગઠને આંતરરાષ્ટ્રીય વેપારમાં સાતત્યપૂર્ણ વિકાસ માટે અનુકૂળ આર્થિક વાતાવરણની તરફેણ કરી છે. છેલ્લા દસકામાં બ્રીક્સ સંગઠનના દેશો વૈશ્વિક વિકાસના મુખ્ય ચાલકબળ રહ્યા છે. તેઓ વિશ્વના ઉત્પાદન ક્ષેત્રે ત્રીસ ટકા હિસ્સો ધરાવે છે. માળખાકીય સુધારા જા યથાવત રખાશે તો બ્રિકસના વિ...

ભારત – અમેરિકા સંબંધો મુદૃ વાટાઘાટા u

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓની ભારતની મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ સાથે મહત્વપુર્ણ બેઠકો યોજાઈ હતી. ભારત અને અમેરિકા વચ્ચેના વિવિધ મહત્વપુર્ણ મુદૃ દ્વિપક્ષીય મતભેદો જેવા કે, વેપાર, ઈરાન સાથે સંબંધોને મંજુરી, ભારતીયોને એચ-વન-બી વીઝા અંગેના નિયમો, વેનેજુએલા સાથે ઉર્જા વેપાર અને રશિયા પાસેથી હથિયારોની ખરીદી જેવા વિવિધ મુદૃ બંને દેશો વચ્ચે તણાવપુર્ણ માહોલ હતો. જે અંગે બે દેશના નેતાઓ વચ્ચે વાટાઘાટો અત્યંત જરૂરી હતી. ઓસાકામાં જી-ર૦ શિખર સંમેલન દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરીકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત તેમજ જાપાન, ભારત અને અમેરીકા વચ્ચે ત્રિ-પક્ષીય બેઠક પહેલા અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પીઓની ભારત મુલાકાત અત્યંત મહત્વપુર્ણ અને જરૂરી ગણવામાં આવે છે. આ મુલાકાતને એ માટે પણ મહત્વની ગણવામાં આવે છે કેમ કે ર૦૧૯ ની લોકસભાની ચુંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી જવલંત સફળતાબાદ અમેરિકાના ઉચ્ચ પદાધિકારીની ભારતની આ પ્રથમ મુલાકાત છે. જે મુદૃઓ ઉપર મતભેદો હતા. તેને અનુલક્ષીને જા ...

પ્રધાનમંત્રીએ વિકાસનો એજન્ડા ભારપૂર્વક દોહરાવ્યો એ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી મુદત માટે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ સમગ્ર વિશ્વને એ બાબત જણાવી હતી કે, ગરીબોનું કલ્યાણ તથા આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવી, એ તેમની સરકારના મુખ્ય ધ્યેય છે. રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને કરેલા સંબોધન અંગેના આભાર પ્રસ્તાવ વખતે બોલતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક દોહરાવ્યું હતું કે, તેમની સરકાર વિકાસના એજન્ડાના પથ ઉપરથી સહેજ પણ ખસી નથી. એટલું જ નહીં પણ વિકાસની આ કાર્યસૂચીમાં ઘટાડો પણ કરાયો નથી. દરેક નાગરિક અધિકારસંપન્ન હોય, દેશમાં અદ્યતન માળખાકીય સુવિધા ઉપલબ્ધ હોય તથા દેશ પ્રગતિના પંથે આગળ વધતો રહે તે ખૂબ જ અગત્યનું છે. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતો તથા અસંગઠિત ક્ષેત્રના કામદારો સહિત ઘણા લોકો માટે લોકકલ્યાણની ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. એવી જ રીતે સરકારે આધુનિકીકરણનો પાથ પણ અપનાવ્યો છે. દેશમાં અદ્યતન તબીબી સુવિધા ધરાવતી એઇમ્સની સંખ્યા ૬ છે, જે આગામી પાંચ વર્ષમાં વધારીને ૨૦ કરાશે. એવી જ રીતે ૧૫૦ જિલ્લા હોÂસ્પટલોને મેડિકલ કોલેજ તથા હોÂસ્પટલોમાં ફેરવવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે, સમગ્ર ભારતમાં સાત ન...

દેશનો વિકાસદર વધારવા સરકારનો લક્ષ્યાંક

વ્યાપક જનાદેશ સાથે સતત બીજીવાર કેન્દ્રમાં સત્તામાં આવેલી રાષ્ટ્રીય લોકશાહી દળ (એનડીએ) સરકાર હવે રોજગાર નિર્માણ અને નાગરિકોનું જીવનમાન સુધારવાના લક્ષ્યાંક સાથે ભારતીય અર્થતંત્રને વિકાસપથ લઈ જવા સજ્જ બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે, તેમની સરકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપવા નાણાકીય પ્રવૃત્તિઓમાં વ્યાપક સુધારા હાથ ધરશે. નીતિ આયોગ દ્વારા યોજાયેલા અર્થશા†ીઓ તેમજ તજજ્ઞો સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ દેશમાં વિદેશી સીધું મુડીરોકાણ (એફ.ડી.આઈ.)ને આકર્ષવા ભારતીય અર્થતંત્રને સ્પર્ધાત્મક બનાવવા ઉપર ભાર મુક્યો હતો. શ્રમ અને રોજગાર, કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રના નિષ્ણાતો સાથે થયેલી આ બેઠક કેન્દ્ર સરકારના પાંચમી જુલાઈએ રજુ થનારા વાર્ષિક અંદાજપત્ર પહેલા યોજાઈ ગઈ હતી એટલે એ વિશેષ મહત્વ ધરાવે છે. ઉલ્લેખનિય છે કે, રોજગાર, કૃષિ અને જળસંશોધન, નિકાસ તેમજ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં નવતર પહલો અને સૂચન કરવા નિષ્ણાતોને પાંચ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. આ પાછળનો મુખ્ય હેતુ અર્થતંત્રનો વિકાસ દર વધારવા અને રોજગારની તકો નિર્માણ કરવા માટે એક અસરકારક કાર્યયોજના બનાવવાના છે. ઉલ્...

ધાર્મિક સ્વતંત્રતા પરના અમેરિકાના અહેવાલ અંગે ભારતની અવગણના

અમેરિકાએ ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગેની કામગીરી ઉપર ટીકા કરતા આપેલા અહેવાલને રદિયો આપ્યો છે અને તેને દંભી ગણાવ્યો છે. અમેરિકી સરકારના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા વિષય પરના વાર્ષિક અહેવાલ અન્ય દેશોની ધાર્મિક સ્વતંત્રતા અંગેની વિશ્વસનીયતા પર નૈતિક ચુકાદા આપવાની અમેરિકાની ગેરનીતિ બતાવે છે. અહેવાલના જણાવ્યા મુજબ, હિંસક ઉગ્રવાદીઓ દ્વારા લઘુમતી સમુદાયના લોકો પર સામૂહિક હુમલાની ઘટનાઓ ૨૦૧૮માં ચાલુ હતી. આ અહેવાલની કડક નિંદા કરતા ભારતે કહ્યું હતું કે, તેના નાગરિકોની Âસ્થતિ અંગે ટિપ્પણી કરવાનો અમેરિકાને કોઈ અધિકાર નથી. ભારત તેની ધર્મનિરપેક્ષ, તેમજ વિશ્વની સૌથી મોટી લોકશાહી અને સહિષ્ણુતા અને સમાવેશકતા માટેની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતા સાથેના બહુમતવાદી સમાજ તરીકેની ઓળખ પર ગૌરવ અનુભવે છે. અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચના અધ્યક્ષ ટેન્ઝોન ડોરજીએ અમેરિકાના અહેવાલ અંગે અસહમતી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારત એક મજબૂત લોકશાહી અને ન્યાય વ્યવસ્થા સાથે ખુલ્લી સમાજ રચના ધરાવતા દેશ છે. પંચ દ્વારા ધાર્મિક સ્વતંત્રતાના ગંભીર ઉલ્લંઘન બહાર પાડવામાં આવે છે. ટ્રમ્પ વહીવટી તંત્રની વિચારધારાને ...

એફ.એ.ટી.એફ.માં પાકિસ્તાનની બદનામીનો ચાલુ રહેલો દોર – અંગે સમીક્ષા

અમેરીકાના ઓર્લેન્ડોમાં યોજાયેલી આર્થિક કામગીરી કાર્યદળ - એફ.એ.ટી.એફ.ની પૂર્ણકક્ષાની બેઠકમાં પાકિસ્તાને દર્શાવેલી પ્રતિબધ્ધતાઓના પાલનમાં તેને નિષ્ફળતા મળવા માટે પાકિસ્તાનને કડક શબ્દોમાં ઠપકો અપાયો હતો. એટલું જ નહી પણ પ્રતિબધ્ધતાઓનું પાલન કરો અથવા ગ્રે લીસ્ટ માંથી વધુ એક શ્રેણી ગૂમાવીને બ્લેક લીસ્ટમાં મુકાવવા તૈયાર રહો તેવી ચેતવણી પણ અપાઇ છે. છેલ્લા એક વર્ષથી પાકિસ્તાને મનીલોન્ડરીંગ પ્રવૃત્તી રોકવા તથા આતંકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવા સી.ટી.એફ. અંગે નક્કર કાર્યવાહી કરવાની પ્રતિબ્ધતા એફ.એ.ટી.એફ.સમક્ષ વ્યક્ત કરી હતી. જા કે આ ક્ષેત્રે પાકિસ્તાનનો દેખાવ નબળો રહ્યો છે. પોતાની ધરતી પર સક્રિય આતંકવાદીઓ અને તેમની પ્રવૃત્તિઓ રોકવા દેખાવ પૂરતા પગલાં લેવા સિવાય પાકિસ્તાને કશું જ કર્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓને મળતી આર્થિક સહાય તથા મની લોન્ડીરંગની સમસ્યાઓ ડામવા સમયસર, ચોક્કસ લક્ષ્ય સાથે અને અસરકારક રીતે પગલાં લેવાના મુદ્દે એફ.એ.ટી.એફ. એ છેલ્લા ૩૦ વર્ષમાં નોંધપાત્ર શાખ ઉભી કરી છે. એક તરફ એફ.એ.ટી.એફ.નું દબાણ વધતુ જાય છે. ત્યારે મની લોન્ડરીંગ તથા આતંકવાદીઓને મળતી સહાય મુદ્દે કામગીરી ક...

સંસદના ગત સપ્તાહ અંગે સમીક્ષા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે , ભાજપના વડપણ હેઠળની એન . ડી . એ . સરકાર ભારતના નાગરિકોની આશા – આકાંક્ષાઓ મુજબના મજબૂત , સલામત , સમૃદ્ધ તથા સર્વસમાવેશક ભારતના નિર્માણની દિશામાં આગળ વધી રહી છે . તેમણે કહ્યું કે , ભારતના વિકાસ પ્રગતિનું ચાલકબળ છે – સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ . રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે , સંસદના સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધતાં વધુમાં કહ્યું કે , કેન્દ્ર સરકાર દેશના નાગરિકોનું જીવનધોરણ સુધારવા પ્રતિબદ્ધ છે . આ હેતુથી સરકાર તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડશે , તથા ગેર વહિવટના બદલે સારા વહિવટ દ્વારા તેમનું દુઃખ દૂર કરશે . દેશના નાગરિકોએ સરકારના પ્રથમ કાર્યકાળની કામગીરી જાયા પછી , બીજી મુદ્દતમાં તેમને મજબૂત સમર્થન પૂરૂં પાડ્યું છે . આ વખતની લોકસભામાં અડધો અડધ સાંસદો પ્રથમવાર ચૂંટાયા છે , જ્યારે મહિલા સાંસદો પણ મોટી સંખ્યામાં ચૂંટાઈ છે . શ્રી ગોવિંદે જણાવ્યું કે , કેન્દ્ર સરકાર ગ્રામીણ ભારતને મજબૂત કરવા ઉપર ધ્યાન...