વ્યાપક જનાદેશ સાથે સતત બીજીવાર કેન્દ્રમાં સત્તામાં આવેલી રાષ્ટ્રીય લોકશાહી દળ (એનડીએ) સરકાર હવે રોજગાર નિર્માણ અને નાગરિકોનું જીવનમાન સુધારવાના લક્ષ્યાંક સાથે ભારતીય અર્થતંત્રને વિકાસપથ લઈ જવા સજ્જ બની છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે, તેમની સરકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપવા નાણાકીય પ્રવૃત્તિઓમાં વ્યાપક સુધારા હાથ ધરશે. નીતિ આયોગ દ્વારા યોજાયેલા અર્થશા†ીઓ તેમજ તજજ્ઞો સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ દેશમાં વિદેશી સીધું મુડીરોકાણ (એફ.ડી.આઈ.)ને આકર્ષવા ભારતીય અર્થતંત્રને સ્પર્ધાત્મક બનાવવા ઉપર ભાર મુક્યો હતો.
શ્રમ અને રોજગાર, કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રના નિષ્ણાતો સાથે થયેલી આ બેઠક કેન્દ્ર સરકારના પાંચમી જુલાઈએ રજુ થનારા વાર્ષિક અંદાજપત્ર પહેલા યોજાઈ ગઈ હતી એટલે એ વિશેષ મહત્વ ધરાવે છે.
ઉલ્લેખનિય છે કે, રોજગાર, કૃષિ અને જળસંશોધન, નિકાસ તેમજ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં નવતર પહલો અને સૂચન કરવા નિષ્ણાતોને પાંચ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. આ પાછળનો મુખ્ય હેતુ અર્થતંત્રનો વિકાસ દર વધારવા અને રોજગારની તકો નિર્માણ કરવા માટે એક અસરકારક કાર્યયોજના બનાવવાના છે. ઉલ્લેખનિય છે કે, પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે દેશના અર્થતંત્રને વિકાસવાનો મોટો પડકાર શ્રી મોદી સામે હતો. સરકારે વિકાસદર વધારવા કેટલાક જરૂરી પગલાં લઈ ભારતીય અર્થતંત્રનો વિશ્વનું ઝડપી વિકસી રહેલું અર્થતંત્ર બનવાનો માર્ગ સરળ બનાવ્યો હતો.
હવે ફરી એકકવાર એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારે તેની સામે વિકાસદર જાળવી રાખવાનો પડકાર છે, જેમાં બેરોજગારી સાથે સંકળાયેલા અને માગણી ઉભી કરવાના પડકારોનો સમાવેશ થાય છે. હવે આવતા જુલાઈમાં રજુ થનારા વાર્ષિક અંદાજપત્રમાં માળખાકીય સુવિધા ક્ષેત્રે રોકાણ અને વપરાશ વધારવા માટે નવી યોજના જાહેર થશે, તેવી મહત્વકાંક્ષી અપેક્ષા છે. સરકાર માટે બેંકોની Âસ્થતિ એ મુખ્ય લક્ષ્યાંક છે અને અગાઉના કાર્યકાળ દરમ્યાન બેંકોની પ્રવાહિતા નાદારી કોડ (આઈબીસી) જેવા વિવિધ મુદ્દે અમલીકરણ સહિતના પગલાં લેવામાં આવ્યા હતા, જેથી બેંકોની નાણાંકીય Âસ્થતિ જાણી શકાય. ખરેખર પ્રોત્સાહક પરિણામો મળ્યા છે અને નવા નાણામંત્રીને બેંકોની મજબૂત Âસ્થતિ સહિત ધિરાણનીતિઓ અંગે વધુ આશા અપેક્ષિત છે.
જ્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને આ Âસ્થતિનિે ટકાવી રાખવા દેશની અર્થવ્યવસ્થામાં ૭ ટકાની વૃદ્ધિ થવાની ધારણા છે, ત્યારે કેન્દ્ર સરકાર મંદી કરતા કેટલાક મુખ્ય ક્ષેત્રોમાં વૃદ્ધિદર વધે તેવા પગલાં લેવા વિચારે છે. નિષ્ણાતોના સૂચન છે કે, સરકારને બીજી પેઢીના આર્થિક સુધારા સાથે આગળ વધવું પડશે, તે ચાલુ પીએસયુ ડિસઈન્વેસ્ટમેન્ટને આગળ વધારશે. જીએસટીને વધુ સરળ બનાવશે, ઉદ્યોગોને અપાતા ધિરાણ સરળ બનાવાશે, આયાત જકાત ઘટાડાશે અને અમેરિકા ચીન વચ્ચેના વ્યાપાર યુદ્ધનો લાભ લઈ નિકાસની તકો વધારાશે.
એવું માનવામાં આવે છે કે, જા સરકાર ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થા સાથે મૂકી સારી છબી ઉપસાવવા ઈચ્છે છે તો તેણે નવીનત્તમ સુધારા કરવા પડશે. ૧૯૯૧માં ભારતના આર્થિક સુધારા દરમ્યાન ઉત્પાદનોને ખુલ્લા બજારોમાં મૂકી સ્પર્ધામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
સુધારાના આગળના તબક્કામાં જમીન, શ્રમ અને મૂડી જેવા ઉત્પાદનના પરિબળો પર ધ્યાન આપવાની જરૂર છે. જ્યાં સુધી આ ક્ષેત્રે સુધારાના દેખાય ત્યાં સુધી સરકારના પ્રયાસો ચાલુ રહેશે. ભારતીય ઉત્પાદન અને સેવાઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક હોવાનું સંભવ છે.
નિષ્ણાતો જણાવે છે કે, જમીન બજાર ખુલ્લા નહીં થાય ત્યાં સુધી ભારતીય ઉત્પાદકકો વૈશ્વિક સ્તર સુધી પહોંચી શકશે નહીં, આથી શ્રમ બજારમાં સુગમતા રહેશે. વધુ લોકોને સઘન ઉત્પાદન અને રોજગારી માટે માર્ગ મોકળો થશે અને રોજગારીની ઘણી તકો ઉપલબ્ધ થશે.
લેખક–આદિત્ય રાજ દાસ, વરિષ્ઠ આર્થિક બાબતોના પત્રકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે, તેમની સરકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપવા નાણાકીય પ્રવૃત્તિઓમાં વ્યાપક સુધારા હાથ ધરશે. નીતિ આયોગ દ્વારા યોજાયેલા અર્થશા†ીઓ તેમજ તજજ્ઞો સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ દેશમાં વિદેશી સીધું મુડીરોકાણ (એફ.ડી.આઈ.)ને આકર્ષવા ભારતીય અર્થતંત્રને સ્પર્ધાત્મક બનાવવા ઉપર ભાર મુક્યો હતો.
શ્રમ અને રોજગાર, કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રના નિષ્ણાતો સાથે થયેલી આ બેઠક કેન્દ્ર સરકારના પાંચમી જુલાઈએ રજુ થનારા વાર્ષિક અંદાજપત્ર પહેલા યોજાઈ ગઈ હતી એટલે એ વિશેષ મહત્વ ધરાવે છે.
ઉલ્લેખનિય છે કે, રોજગાર, કૃષિ અને જળસંશોધન, નિકાસ તેમજ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં નવતર પહલો અને સૂચન કરવા નિષ્ણાતોને પાંચ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. આ પાછળનો મુખ્ય હેતુ અર્થતંત્રનો વિકાસ દર વધારવા અને રોજગારની તકો નિર્માણ કરવા માટે એક અસરકારક કાર્યયોજના બનાવવાના છે. ઉલ્લેખનિય છે કે, પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે દેશના અર્થતંત્રને વિકાસવાનો મોટો પડકાર શ્રી મોદી સામે હતો. સરકારે વિકાસદર વધારવા કેટલાક જરૂરી પગલાં લઈ ભારતીય અર્થતંત્રનો વિશ્વનું ઝડપી વિકસી રહેલું અર્થતંત્ર બનવાનો માર્ગ સરળ બનાવ્યો હતો.
હવે ફરી એકકવાર એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારે તેની સામે વિકાસદર જાળવી રાખવાનો પડકાર છે, જેમાં બેરોજગારી સાથે સંકળાયેલા અને માગણી ઉભી કરવાના પડકારોનો સમાવેશ થાય છે. હવે આવતા જુલાઈમાં રજુ થનારા વાર્ષિક અંદાજપત્રમાં માળખાકીય સુવિધા ક્ષેત્રે રોકાણ અને વપરાશ વધારવા માટે નવી યોજના જાહેર થશે, તેવી મહત્વકાંક્ષી અપેક્ષા છે. સરકાર માટે બેંકોની Âસ્થતિ એ મુખ્ય લક્ષ્યાંક છે અને અગાઉના કાર્યકાળ દરમ્યાન બેંકોની પ્રવાહિતા નાદારી કોડ (આઈબીસી) જેવા વિવિધ મુદ્દે અમલીકરણ સહિતના પગલાં લેવામાં આવ્યા હતા, જેથી બેંકોની નાણાંકીય Âસ્થતિ જાણી શકાય. ખરેખર પ્રોત્સાહક પરિણામો મળ્યા છે અને નવા નાણામંત્રીને બેંકોની મજબૂત Âસ્થતિ સહિત ધિરાણનીતિઓ અંગે વધુ આશા અપેક્ષિત છે.
જ્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને આ Âસ્થતિનિે ટકાવી રાખવા દેશની અર્થવ્યવસ્થામાં ૭ ટકાની વૃદ્ધિ થવાની ધારણા છે, ત્યારે કેન્દ્ર સરકાર મંદી કરતા કેટલાક મુખ્ય ક્ષેત્રોમાં વૃદ્ધિદર વધે તેવા પગલાં લેવા વિચારે છે. નિષ્ણાતોના સૂચન છે કે, સરકારને બીજી પેઢીના આર્થિક સુધારા સાથે આગળ વધવું પડશે, તે ચાલુ પીએસયુ ડિસઈન્વેસ્ટમેન્ટને આગળ વધારશે. જીએસટીને વધુ સરળ બનાવશે, ઉદ્યોગોને અપાતા ધિરાણ સરળ બનાવાશે, આયાત જકાત ઘટાડાશે અને અમેરિકા ચીન વચ્ચેના વ્યાપાર યુદ્ધનો લાભ લઈ નિકાસની તકો વધારાશે.
એવું માનવામાં આવે છે કે, જા સરકાર ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થા સાથે મૂકી સારી છબી ઉપસાવવા ઈચ્છે છે તો તેણે નવીનત્તમ સુધારા કરવા પડશે. ૧૯૯૧માં ભારતના આર્થિક સુધારા દરમ્યાન ઉત્પાદનોને ખુલ્લા બજારોમાં મૂકી સ્પર્ધામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
સુધારાના આગળના તબક્કામાં જમીન, શ્રમ અને મૂડી જેવા ઉત્પાદનના પરિબળો પર ધ્યાન આપવાની જરૂર છે. જ્યાં સુધી આ ક્ષેત્રે સુધારાના દેખાય ત્યાં સુધી સરકારના પ્રયાસો ચાલુ રહેશે. ભારતીય ઉત્પાદન અને સેવાઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક હોવાનું સંભવ છે.
નિષ્ણાતો જણાવે છે કે, જમીન બજાર ખુલ્લા નહીં થાય ત્યાં સુધી ભારતીય ઉત્પાદકકો વૈશ્વિક સ્તર સુધી પહોંચી શકશે નહીં, આથી શ્રમ બજારમાં સુગમતા રહેશે. વધુ લોકોને સઘન ઉત્પાદન અને રોજગારી માટે માર્ગ મોકળો થશે અને રોજગારીની ઘણી તકો ઉપલબ્ધ થશે.
Comments
Post a Comment