Skip to main content

દેશનો વિકાસદર વધારવા સરકારનો લક્ષ્યાંક

વ્યાપક જનાદેશ સાથે સતત બીજીવાર કેન્દ્રમાં સત્તામાં આવેલી રાષ્ટ્રીય લોકશાહી દળ (એનડીએ) સરકાર હવે રોજગાર નિર્માણ અને નાગરિકોનું જીવનમાન સુધારવાના લક્ષ્યાંક સાથે ભારતીય અર્થતંત્રને વિકાસપથ લઈ જવા સજ્જ બની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે, તેમની સરકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપવા નાણાકીય પ્રવૃત્તિઓમાં વ્યાપક સુધારા હાથ ધરશે. નીતિ આયોગ દ્વારા યોજાયેલા અર્થશા†ીઓ તેમજ તજજ્ઞો સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ દેશમાં વિદેશી સીધું મુડીરોકાણ (એફ.ડી.આઈ.)ને આકર્ષવા ભારતીય અર્થતંત્રને સ્પર્ધાત્મક બનાવવા ઉપર ભાર મુક્યો હતો.

શ્રમ અને રોજગાર, કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રના નિષ્ણાતો સાથે થયેલી આ બેઠક કેન્દ્ર સરકારના પાંચમી જુલાઈએ રજુ થનારા વાર્ષિક અંદાજપત્ર પહેલા યોજાઈ ગઈ હતી એટલે એ વિશેષ મહત્વ ધરાવે છે.

ઉલ્લેખનિય છે કે, રોજગાર, કૃષિ અને જળસંશોધન, નિકાસ તેમજ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં નવતર પહલો અને સૂચન કરવા નિષ્ણાતોને પાંચ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. આ પાછળનો મુખ્ય હેતુ અર્થતંત્રનો વિકાસ દર વધારવા અને રોજગારની તકો નિર્માણ કરવા માટે એક અસરકારક કાર્યયોજના બનાવવાના છે. ઉલ્લેખનિય છે કે, પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે દેશના અર્થતંત્રને વિકાસવાનો મોટો પડકાર શ્રી મોદી સામે હતો. સરકારે વિકાસદર વધારવા કેટલાક જરૂરી પગલાં લઈ ભારતીય અર્થતંત્રનો વિશ્વનું ઝડપી વિકસી રહેલું અર્થતંત્ર બનવાનો માર્ગ સરળ બનાવ્યો હતો.

હવે ફરી એકકવાર એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારે તેની સામે વિકાસદર જાળવી રાખવાનો પડકાર છે, જેમાં બેરોજગારી સાથે સંકળાયેલા અને માગણી ઉભી કરવાના પડકારોનો સમાવેશ થાય છે. હવે આવતા જુલાઈમાં રજુ થનારા વાર્ષિક અંદાજપત્રમાં માળખાકીય સુવિધા ક્ષેત્રે રોકાણ અને વપરાશ વધારવા માટે નવી યોજના જાહેર થશે, તેવી મહત્વકાંક્ષી અપેક્ષા છે. સરકાર માટે બેંકોની Âસ્થતિ એ મુખ્ય લક્ષ્યાંક છે અને અગાઉના કાર્યકાળ દરમ્યાન બેંકોની પ્રવાહિતા નાદારી કોડ (આઈબીસી) જેવા વિવિધ મુદ્દે અમલીકરણ સહિતના પગલાં લેવામાં આવ્યા હતા, જેથી બેંકોની નાણાંકીય Âસ્થતિ જાણી શકાય. ખરેખર પ્રોત્સાહક પરિણામો મળ્યા છે અને નવા નાણામંત્રીને બેંકોની મજબૂત Âસ્થતિ સહિત ધિરાણનીતિઓ અંગે વધુ આશા અપેક્ષિત છે.

જ્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને આ Âસ્થતિનિે ટકાવી રાખવા દેશની અર્થવ્યવસ્થામાં ૭ ટકાની વૃદ્ધિ થવાની ધારણા છે, ત્યારે કેન્દ્ર સરકાર મંદી કરતા કેટલાક મુખ્ય ક્ષેત્રોમાં વૃદ્ધિદર વધે તેવા પગલાં લેવા વિચારે છે. નિષ્ણાતોના સૂચન છે કે, સરકારને બીજી પેઢીના આર્થિક સુધારા સાથે આગળ વધવું પડશે, તે ચાલુ પીએસયુ ડિસઈન્વેસ્ટમેન્ટને આગળ વધારશે. જીએસટીને વધુ સરળ બનાવશે, ઉદ્યોગોને અપાતા ધિરાણ સરળ બનાવાશે, આયાત જકાત ઘટાડાશે અને અમેરિકા ચીન વચ્ચેના વ્યાપાર યુદ્ધનો લાભ લઈ નિકાસની તકો વધારાશે.

એવું માનવામાં આવે છે કે, જા સરકાર ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થા સાથે મૂકી સારી છબી ઉપસાવવા ઈચ્છે છે તો તેણે નવીનત્તમ સુધારા કરવા પડશે. ૧૯૯૧માં ભારતના આર્થિક સુધારા દરમ્યાન ઉત્પાદનોને ખુલ્લા બજારોમાં મૂકી સ્પર્ધામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

સુધારાના આગળના તબક્કામાં જમીન, શ્રમ અને મૂડી જેવા ઉત્પાદનના પરિબળો પર ધ્યાન આપવાની જરૂર છે. જ્યાં સુધી આ ક્ષેત્રે સુધારાના દેખાય ત્યાં સુધી સરકારના પ્રયાસો ચાલુ રહેશે. ભારતીય ઉત્પાદન અને સેવાઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક હોવાનું સંભવ છે.

નિષ્ણાતો જણાવે છે કે, જમીન બજાર ખુલ્લા નહીં થાય ત્યાં સુધી ભારતીય ઉત્પાદકકો વૈશ્વિક સ્તર સુધી પહોંચી શકશે નહીં, આથી શ્રમ બજારમાં સુગમતા રહેશે. વધુ લોકોને સઘન ઉત્પાદન અને રોજગારી માટે માર્ગ મોકળો થશે અને રોજગારીની ઘણી તકો ઉપલબ્ધ થશે.

લેખક–આદિત્ય રાજ દાસ, વરિષ્ઠ આર્થિક બાબતોના પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...