Skip to main content

Posts

Showing posts from November, 2019

જનરલ બાજવાની મુદત વધારવાના પગલે થયેલો વિવાદ

એક અસામાન્ય પગલામાં, પાકિસ્તાનના સર્વોચ્ચ અદાલતે સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવાની મુદત વધુ 3 વર્ષ માટે વધારવા માટેની પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને 19 ઓગસ્ટે રજૂ કરેલી દરખાસ્ત મંગલવારે ફગાવી દીધી 59 વર્ષીય જનરલ બાજવા તેમના પહેલા કાર્યકાળમાં 28 મી મધરાતે સેનાના વડા તરીકે નિવૃત્ત થવાના હતા, પરંતુ સંસદ આ સંબંધમાં કાયદો પસાર કરશે તેવી ખાતરી આપીને સર્વોચ્ચ અદાલતમાંથી તેમણે 6 મહિનાની શરતી મુદત મળી હતી. આ મામલે દેશમાં હવે વિવાદ સર્જાયો છે અને સર્વોચ્ચ અદલતમાં કાયદાકીય લડાઈ શરૂ થઈ છે. મુખ્ય ન્યાયાધીશ આસિફ સઇદ ખોસાની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની 3 જજોની ખંડપીઠે કાનૂની અને વહીવટી બાબતોના આધારે આ વલણ અપનાવ્યું છે. આખી પ્રક્રિયાની ઊંધી રીતે થઈ હોવાનું ખંડપીઠની સામે આવતા પ્રધાન મંત્રી ઇમરાન ખાન અને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી બંને માટે મૂંઝવણભરી સ્થિતિ ઉદભવી છે. અદાલતે ધ્યાન દોર્યું હતું કે દરખાસ્તને પહેલા મંત્રીમંડળની મંજૂરી મળવી આવશ્યક છે. તે પછી જ પ્રધાન મંત્રી અને રાષ્ટ્રપતિ તેના પર કાર્યવાહી કરી શકે છે. મીડિયા અહેવાલોમાં ખુલાસો થયો છે કે, 25 માંથી માત્ર 11 મંત્રીઓએ જ આ પ્રસ્તાવને મંજૂરી આપી ...

ભારતે અવકાશમાં ગોઠવેલી શકિતશાળી આંખ અંગે સમીક્ષા.

ભારતે ગયા બુધવારે સતીષ ધવન અવકાશ મથક ખાતેથી કાર્ટોસેટ – ત્રણ નામના ઉપગ્રહને સફળતાપુર્વક અવકાશમાં તરતો મુકીને સૌથી વધુ શકિતશાળી આંખ અવકાશમાં ગોઠવી છે. કાર્ટોસેટ – ત્રણ ઉપગ્રહ ભારતનો ત્રીજી પેઢીનો પૃથ્વી નીરક્ષણ અને મેપીંગ માટેનો ઉપગ્રહ છે. ઇસરોનો આ ઉપગ્રહ સૌથી વધુ શકિતશાળી કેમેરો ધરાવે છે. પીએસએલવી – સી – ૪૭ રોકેટ ઇસરોનું સૌથી શકિતશાળી અને અદ્યતન રોકેટ છે. આ રોકેટ ઉપર ન્યુ સ્પેસ ઇન્ડિયા લીમીટેડ સાથે થયેલી સમજુતી મુજબ બે અમેરીકન સહિત ૧૩ નાના ઉપગ્રહોને પણ અવકાશમાં તરતા મુકાયા હતા. કાર્ટોસેટ ત્રણ ઉપગ્રહને નિર્ધારીત પ૦૯ કિલોમીટરની ભ્રમણકક્ષામાં મુકયા બાદ પીએસએલવીએ ૧૩ નાના ઉપગ્રહોને અવકાશમાં મુકયા હતા. ઇસરોએ વર્ષ ર૦૦પ થી અત્યાર સુધીમાં કાર્ટોસેટ – એક શ્રેણીનો એક તથા કાર્ટોસેટ-બે શ્રેણીના સાત મળીને કુલ આઠ ઉપગ્રહો અવકાશમાં મુકયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ ઉપગ્રહો તરફથી ઘણી માહિતી મળવા લાગી છે. વર્તમાન કાર્ટોસેટ – ત્રણ ઉપગ્રહ એક હજાર, ૬રપ કિલોગ્રામ વજન ધરાવતો ઉપગ્રહ છે. આ ઉપગ્રહમાં ફલેકસીબલ કેમેરા, માહિતીનું ઝડપથી હસ્તાંતરણ તથા અદ્યતન કમ્પ્યુટર સિસ્ટમ અને પાવર ઇલેકટ્રોનીકસ જેવી અદ્યતન ટેકનોલોજ...

બ્રીટનમાં અચાનક જાહેર થયેલી ચુંટણી અંગે સમીક્ષા.

બ્રેકઝીટ યોજના માટે સંસદમાં બહુમતી મેળવવાના હેતુથી બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસને મુદત પુર્વે બારમી ડીસેમબરે બ્રિટનમાં ચુંટણી યોજવાની જાહેરાત કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં યોજાનારી આ ચોથી ચુંટણી હશે. વર્ષ ર૦૧૬માં બ્રિટનમાં બ્રેકઝીટ મુદેૃ જનમત લેવાયા બાદ ઉભી થયેલી રાજકીય મડાગાંઠ ઉકેલવાના હેતુથી ચુંટણીનો નિર્ણય લેવાયો છે. વર્ષ ર૦૧૭માં તે વખતના પ્રધાનમંત્રી થેરેસા મે એ જાહેર કરેલી ચુંટણીમાં કન્ઝર્વેટીવ પાર્ટીએ સંસદમાં બહુમતી ગુમાવી હતી. ત્યારબાદ સત્તામાં રહેવા કન્ઝર્વેટીવ પાર્ટીએ ડેમોક્રેટીક યુનિઅનીસ્ટ પાર્ટી – ડીયુપીનો ટેકો લીધો હતો. સામાન્ય ચુંટણી માટેનો ચુંટણી પ્રચાર હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશતા કન્ઝર્વેટીવ પાર્ટીએ તેમના હરીફ લેબર પાર્ટી ઉપર ૧૯ પોઇન્ટથી સરસાઇ મેળવી હોવાનો મત ઓપનીયન પોલમાં વ્યકત થયો છે. હાલ કન્ઝર્વેટીવ મતનો હિસ્સો ૪૭ ટકા જયારે લેબર પાર્ટી ર૮ ટકા ધરાવે છે. મોટા પક્ષોના ચુંટણી ઢંઢેરાઓમાં બ્રિટનને સીધા સ્પર્શતા બ્રેકઝીટ મદેૃ કેન્દ્રમાં સ્થાન મેળવ્યું છે. કન્ઝર્વેટીવ પક્ષે તેમની દ્રષ્ટીએ નવા બ્રિટનની રચના કરવા માટે પોતાનો ચુંટણી પ્રચાર બ્રેકઝીટની આસપાસ જ કેન્દ્રિત ...

ચીન પાકિસ્તાન આર્થિક માર્ગ –સીપેક વિષે અમેરિકાએ પાકિસ્તાનને આપી ચેતવણી અંગે સમીક્ષા

ચીનની પરીવહન પટૃા અને માર્ગ પહેલ – બીઆરઆઇ ખાસ કરીને ચીન – પાકિસ્તાન આર્થિક માર્ગ – સીપેક એ ર૦૧૩માં તેની શરુઆતથી લઇને આજસુધી ભારતમાં ચિંતાઓ ચાલુ જ રાખી છે. તેનુ કારણ એ છે કે આ પ્રદેશમાં નિયમ આધારીત વ્યવસ્થા તેમજ ભારતના સાર્વભૌમત્વ માટે તે હંમેશા ચિંતાનો વીષય રહયો છે. તેથી જ ભારત સીપેકનો વીરોધ કરતુ રહયું છે. હકિકતમાં બીઆરઆઇનો વિરોધ કરનારો ભારત સૌ પહેલો દેશ હતો અને અગાઉ ચીનમાં યોજાયેલા આ અંગેના બંને મંચ પર પોતાની નારાજી વ્યકત કરનારો ભારત એકમાત્ર દેશ છે. ર૦૧૩ થી ભારત તેનો વીરોધ કરતુ આવ્યું છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થતાં આ માર્ગ અંગે ભારત પોતાનો વિરોધ નોંધાવતુ જ રહયું છે. અધિકૃત રીતે ભારતનું વલણ એવુ છે કે ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની બાબતમાં ભારતની ચિંતાને કહેવાતા સીપેક દ્વારા ધ્યાનમાં લેવામાં આવી નથી. માત્ર ભારત જ નહી બીજા કેટલાય દેશ આ બીઆરઆઇનો અને ખાસ કરીને સીપેકનો વિરોધ કરતાં જ રહયાં છે. અમેરીકાએ આ માર્ગ અંગે પોતાની નારાજી વ્યકત કરી છે. દક્ષિણ અને મધ્ય એશિયાની બાબતોના મદદનીશ મંત્રી એલીસ વેલ્સે વોશીગ્ટનમાં સીપેક અંગે પોતાની ટીપ્પણી વ્યકત કરતાં કહયુ...

જી-વીસ સંગઠનના દેશોના વિદેશમંત્રીઓની જાપાનમાં યોજાયેલી બેઠક અંગે સમીક્ષા

જી-વીસ દેશોનું સંગઠન એ વિશ્વના ટોચના વિકસીત તથા વિકાસશીલ દેશોનું એક મહત્વનું સંગઠન છે. જેમાં 19 દેશો તથા યુરોપીયન સંઘ સભ્ય દેશો છે. આ વર્ષે જૂન માસમાં ઓસાકા ખાતે યોજાયેલી જી-વીસ દેશોની શિખર બેઠક બાદ, જાપાનના નાગોયા શહેરમાં, જી-વીસ દેશોના વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ ગઈ. ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર સહિત જી-વીસ દેશોના વિદેશમંત્રીઓએ વિશ્વની સાંપ્રત રાજકીય સ્થિતિ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક મંદીના વાદળો ઘેરાયા છે, તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી. આ બેઠક બાદ જાપાનના વિદેશમંત્રી તથા જી-વીસ દેશોના અધ્યક્ષ તોશેમીત્સુ મોતેગીએ જણાવ્યું હતું કે, વિશ્વ વેપાર સંસ્થા WTO સાંપ્રત સમયની જરૂરિયાત મુજબ કામગીરી કરી શકે, તે હેતુથી WTOમાં જરૂરી સુધારા કરવા જી-વીસ દેશોના વિદેશમંત્રીઓ સંમત થયા છે. WTOનું ફરિયાદ નિવારણ તંત્ર વધુ સારૂ બનાવવા અંગે પણ ઓસાકામાં યોજાયેલી બેઠકમાં વિદેશમંત્રીઓએ સહમતી સાધી હતી. શ્રી મોતેગીએ જાહેરાત કરી હતી કે, ઓસાકાની બેઠકમાં, એશિયા-પ્રશાંત મુક્ત વેપાર સમજૂતીને આખરી ઓપ આપવા તથા ભારત સહિત બધા જ 16 દેશોએ આ મુદ્દે ચર્ચા કરીને તેને આખરી ઓપ આપવા બાબતે પણ સહમતી સધાઈ હતી. આ બેઠકમાં દરેક...

વિવિધ મુદ્દાઓમાં અટવાયેલું પાકિસ્તાન આ અંગે સમીક્ષા

છેલ્લા એકાદ મહિનામાં પાકિસ્તાનમાં જે ઘટનાઓ બની છે, તેના લીધે અગાઉથી જ સમસ્યાઓમાં અટવાયેલા પાકિસ્તાનના રાજકારણમાં નવા મુદ્દાઓ ઉમેરાયા છે. ફઝલુર રહેમાને આઝાદીની કૂચનું આયોજન કર્યુ ત્યારથી છેલ્લા એકાદ માસ સુધી પાકિસ્તાનનું રાજકારણ આ મુદ્દાની આસપાસ જ ફરી રહ્યું છે. એવી જ રીતે ઘણા સમયથી બિમાર એવા પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ને સારવાર માટે વિદેશ જવા દેવા કે નહી એ મુદ્દો – પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પાકિસ્તાનના સમુહ પ્રસાર માધ્યમોમાં ખાસ કરીને પાકિસ્તાનના ભવિષ્યને લગતા મહત્વના મુદ્દાઓના બદલે, આવા મુદ્દાઓ જ કેન્દ્રમાં રહ્યાહતા. ફઝલુર રહેમાને સુક્કુર ખાતેથી શરુ કરેલી આઝાદીની કૂચ, થોડાક દિવસો બાદ ઇસ્લામાબાદ પહોંચી હતી. દૈનિકોમાં આ કૂચને બહોળી પ્રસિદ્ધિ મળી. મૌલાનાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઇમરાન સરકારને શાસનમાંથી દૂર કરવી તે જ તેમની કૂચનું મુખ્ય ધ્યેય છે. મૌલાનાના કૂચમાં જોડાયેલા લોકો લાકડીઓ ફેરવતા આગળ વધતા હોય તેવા વિડિયો પણ જાહેર થયા. જેના લીધે વિશ્લેષકોએ મત વ્યક્ત કર્યો હતો કે હિંસક ઘટનાઓના પગલે વર્તમાન ઇમરાન સરકારનું પતન થઇ શકે છે. ત્યારપછી પાકિસ્તાન સર...

કાલાપાની મુદૃા અંગે સમીક્ષા

જમ્મુ-કાશ્મીર રાજ્યના વિભાજન બાદ ભારતે બહાર પાડેલા સુધારેલા નકશાના પગલે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના હિમાલય ક્ષેત્રમાં ભારત, નેપાળ અને ચીનના ત્રિ-જંકશન પર આવેલા કાલાપાની વિસ્તારના નિયંત્રણ મુદ્દે ફરી એક વખત વિવાદ સર્જાયો છે. નકશામાં જેને ભારતીય પ્રદેશ તરીકે બતાવવામાં આવ્યો છે તે કાલાપાનીના એક ભાગ અને તેના નજીકના વિસ્તારો ઉપર નેપાળ પોતાનો દાવો કરે છે, , કાલાપાની વિવાદ નેપાળના રાજા અને તત્કાલીન બ્રિટીશ ભારત વચ્ચે 1816 માં થયેલી ઐતિહાસિક સાગૌલી સંધિ વખતનો છે. સંધિએમાં મહાકાળી નદીને બંને દેશોની સરહદ તરીકે દર્શાવાઈ છે, પરંતુ તેના નદીના ઉદગમ સ્થાન કે તેની સહાયક નદીઓમાંથી કઈ નદી મુખ્ય મહાકાળી નદી છે તેનો ઉલ્લેખ કરાયો નથી. જો કે ત્યાર બાદ બ્રિટીશ ભારતના સર્વેક્ષણ જનરલ દ્વારા જારી કરાયેલા પ્રાદેશિક નકશામાં કલાપાની, લિપુ લેખ અને લિમ્પીયાધુરા વિસ્તારોને ભારતીય ક્ષેત્ર તરીકે સ્પષ્ટ રીતે દર્શાવાયા છે જ્યારે નેપાળ મહાકાળી નદીના ઉદગમ સ્થાનના વિવાદને લઈને આ વિસ્તારો પર સાર્વભૌમત્વનો દાવો કરી રહ્યું છે. નેપાળ દાવો કરે છે કે કાલાપાની તેના દૂરના પશ્ચિમ ધરચુલા જિલ્લામાં વણઉકેલાયેલ પ્રદેશ છે. નેપાળની રા...

શ્રીલંકા સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા ભારતના વિદેશમંત્રીની શ્રીલંકાની મુલાકાત અંગે સમીક્ષા

ભારતના વિદેશમંત્રી એસ.જયસંકરે શ્રીલંકાની મુલાકાત લઈને શ્રીલંકાના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયેલા ગોતાબાયા રાજપક્ષેની સાથે મંત્રણા કરી હતી. તેમણે ભારતના પ્રધાનમંત્રી દ્વારા શ્રી રાજપક્ષેને આગામી 29મી નવેમ્બરે ભારતની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો શ્રી રાજપક્ષેએ સ્વીકાર કર્યો હતો. શ્રી રાજપક્ષેએ રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળ્યા પછીની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. ભારતે પોતાના વિદેશમંત્રીને શ્રીલંકાની મુલાકાતે મોકલીને સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ભારત શ્રીલંકાની નવી સરકાર સાથે કામ કરવા તથા શ્રીલંકા સાથેના સંબંધો મજબૂત બનાવવા ઉત્સુક છે. ભારત ઉપરાંત અમેરિકા, પાકિસ્તાન, ઈરાન અને ચીને પણ શ્રી રાજપક્ષેને રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાવા માટે અભિનંદન આપ્યા હતા. યુરોપીયન સંઘે સાવચેતી ભર્યું વલણ અપનાવ્યું છે અને નવા રાષ્ટ્રપ્રમુખને માનવ અધિકાર પ્રત્યેની કટિબદ્ધતા જાળવવાની અપીલ કરી છે. શ્રી ગોતાબાયા રાજપક્ષેનો ભવ્ય વિજય થતા શ્રીલંકા પોદુજાના પેરૂમુના SLPP પક્ષ મજબૂત બન્યો છે અને ભવિષ્યમાં સંસદમાં તે હજી વધુ મજબૂત પક્ષ બને તેવી સંભાવના છે. શ્રી ગોતાબાયાના ભાઈ અને ભુતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ...

રાજ્યસભામાં 250માં સત્ર અંગે સમીક્ષા

રાજ્યસભાના 250માં સત્રના આરંભ સાથે જ ભારતની લોકશાહી વ્યવસ્થા ટકાવીને તેની પ્રગતિમાં ઉપરના ગૃહ એટલે કે રાજ્યસભાએ કરેલી કામગીરીને ચોક્કસ યાદ કરવી જ પડે.  વર્ષ 1952માં તેની રચના થયા બાદ રાજ્યસભાએ જ્યારે જ્યારે રાષ્ટ્રહિતનો પ્રશ્ન આવ્યો ત્યારે ત્યારે તેની ભૂમિકા અદા કરી હતી.  વર્ષ 1952નું હિંદુ લગ્ન અને છૂટાછેડા વિધેયક હોય કે વર્ષ 2019નું મુસ્લીમ મહિલા લગ્ન અધિકાર રક્ષણ વિધેયક કે પછી જમ્મુ અને કાશ્મીરની પુનઃરચના વિધેયક હોય...  રાજ્યસભાએ તેની સરળ તથા અસાધારણ કામગીરી દ્વારા ભારતના રાજકીય ઈતિહાસમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે.  રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ યોગ્ય અવલોકન કર્યું છે કે, દેશની સામેના પડકારોને પહોંચી વળવામાં રાજ્યસભાએ ઘણી વખત જરૂરી કાર્યવાહી કરી છે.  જોકે ગૃહની કામગીરી સુચારૂરૂપે થાય અને તે પોતાની પૂર્ણ ક્ષમતાથી કામગીરી કરીને પોતાનું મહત્વ દેશને બતાવે તે હેતુથી હજી ઘણી કામગીરી કરવી પડશે.  વર્ષ 1952માં 13 મેના રોજ યોજાયેલી પહેલી બેઠકથી લઈને આજદિન સુધીમાં રાજ્યસભાની પાંચ હજાર 466 બેઠકો યોજાઈ ગઈ.  ...

વધુ સુદૃઢ બની રહેલા ભારત – ભૂતાન સંબંધો

ભૂતાનના વિદેશ મંત્રી ડો.લ્યોન્પો તાંડી દોરજીની એક અઠવાડિયું લાંબી ભારતની મુલાકાતે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો માટે નવું સિમાચીન્હ સ્થાપ્યું છે. ડો.દોરજીએ તેમના રોકાણ દરમિયાન ભારત - ભૂતાન સંબંધોની ભારતના વિદેશમંત્રી ડો.એસ.જયશંકર સાથે સમીક્ષા કરી હતી. અને આર્થિક સહકાર વિકાસ, સહભાગીતા તેમજ જળવિદ્યુત સહકાર અંગે વ્યાપક ચર્ચા કરી હતી. વિદેશમંત્રી સાથે બેઠક પહેલા ડો.દોરજી ભારતના વિદેશ સચીવ વિજય ગોખલેને પણ મળ્યા હતા. દિલ્હીની મુલાકાત પછી ડો.દોરજી હવે બિહારમાં બોધગયા અને રાજગીરની મુલાકાતે જવાના છે. ત્યાંથી તેઓ કોલકાતા જશે અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તથા મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજશે તેવી ધારણા છે.  લ્યોન્પો તાંડી દોરજીની આ મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચસ્તરીય મુલાકાત અને પરંપરાગત મંતવ્યોની આપ-લેના ભાગરૂપે યોજાઈ છે. આ મુલાકાત ગઇ સાતમી તારીખે પ્રધાનમંત્રી લોતે શેરિંગની આગેવાની હેઠળની દ્રુક ન્યામરૂપ ત્શોગપા સરકારે ભૂતાનમાં સત્તા સંભાળી તેને એક વર્ષ પૂરું થયું ત્યારે જ યોજાઈ છે. શેરિંગ સરકાર ભૂતાનમાં વિકાસ પરિયોજનાઓ ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રમાં યોજનાઓ હાથ ધરવા માટે નાણાં મેળવ...

શ્રી ગોતાબાયા રાજપક્ષે શ્રીલંકાના 17મા રાષ્ટ્રપ્રમુખ ચૂંટાયા એ અંગે સમીક્ષા

શ્રીલંકામાં ગત શનિવારે રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ ગઈ. આ ચૂંટણીમાં SLPP પક્ષના ઉમેદવાર શ્રી ગોતાબાયા રાજપક્ષે, શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખે તરીકે ચૂંટાયા હતા. તેમણે 52 ટકા મત મેળવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના અગ્રણીઓએ શ્રી રાજપક્ષેને વિજયી થવા માટે અભિનંદન આપ્યા હતા. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પવિત્ર ગણે છે, તેવા અનુરાધાપુરમાં શ્રી ગોતાબાયાએ રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયેલા શ્રી ગોતાબાયા રાજપક્ષે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. શ્રી મોદીએ શ્રીલંકાની સાથેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ, ભારતના નાગરિકો તથા પોતાના તરફથી શ્રી લંકાના વડા તરીકે ચૂંટાવા માટે શ્રી રાજપક્ષેને અભિનંદન આપ્યા હતા, તથા તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા શાંતિ અને સમૃદ્ધિના માર્ગ ઉપર આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ શ્રીલંકામાં રચાનારી નવી સરકારની સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી ગોતાબાયા રાજપક્ષેએ પણ ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો...

સંસદના શિયાળુસત્ર સમક્ષના મુદ્દાઓ અંગે સમીક્ષા

સંસદના શિયાળુ સત્રનો આજે 18મી નવેમ્બરથી આરંભ થઈ રહ્યો છે. આ સત્ર આગામી 13મી ડિસેમ્બર સુધી ચાલશે. સંસદના આ સત્ર દરમિયાન બે વટહુકમને વિધેયકમાં રૂપાંતરીત કરીને કાયદો બનાવવા સહિત મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા થશે. દેશ હિતમાં વિવિધ મુદ્દાઓ અંગે સર્વસમતી, નીતિ વિષયક પ્રગતી તથા ઉત્પાદકતા – આ ત્રણેય દ્રષ્ટિએ સંસદનું શિયાળુ સત્ર મહત્વનું ગણાવી શકાય. આ સત્રમાં વિપક્ષો વિવિધ સામાજીક, રાજકીય તથા આર્થિક બાબતો અંગે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે, તેથી શિયાળુ સત્ર તોફાની બની રહે તેવી સંભાવના છે. સંસદના આ વર્ષના ચોમાસુ સત્રમાં ટ્રિપલ તલાક, વાહન ધારો, રાષ્ટ્રીય તપાસ સંસ્થા ધારામાં સુધારો જેવા મહત્વના વિધેયકોને બહાલી આપવામાં આવી હતી. સૌથી મહત્વની કામગીરીમાં કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 રદ કરવાના વિધેયકને ગૃહની મળેલી મંજુરી ગણાવી શકાય, આના પરિણામે કાશ્મીરને દેશના મુખ્ય પ્રવાહમાં જોડી શકાયું છે. આસામમાં રાષ્ટ્રીય નાગરિક નોંદણીપત્ર – NRCની અંતિમ યાદી જાહેર થતા સત્તાધારી ભાજપ ગત 8મી જાન્યુઆરી 2018માં ગૃહમાં રજુ કરાયેલા નાગરિક સુધારા વિધેયકને સંસદમાં ફરી વખત રજુ કરે તેવી સંભાવના છે. એવી જ રીતે કેન્દ્રીય મંત્...

ભારતે બ્રીક્સ દેશો સાથેના સંબંધો મજબૂત બનાવ્યા એ અંગે સમીક્ષા

બ્રિક્સ સંગઠનની રચના થઇ ત્યારથી ભારતના બ્રીક્સના અન્ય સભ્ય દેશો સાથેના બહુસ્તરીય સંબંધો ભારતની વિદેશ નિતીમાં વ્યૂહાત્મક અને મહત્વનું સ્થાન ધરાવતા થયા છે. બ્રિક્સ દેશોની આર્થિક બાબતોની નોંધ વૈશ્વિક સ્તરે લેવાય છે અને આ સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બ્રાઝીલના બ્રાસીલીયા ખાતે યોજાયેલી 11મી બ્રિક્સ સંગઠનની શિખર પરિષદમાં આપેલી હાજરી આગવું મહત્વ ધારણ કરે છે. આ વખતની બેઠકમાં, બ્રિક્સ દેશોએ સંગઠનના માળખામાં રહીને આતંકવાદ વિરોધી કામગીરીમાં સહકાર વધારવા વિચારણા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, બ્રિક્સ વેપાર પરિષદને સંબોધતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, બ્રિક્સ દેશો વિશ્વના અર્થતંત્રના વિકાસમાં 50 ટકા જેટલું યોગદાન આપે છે. વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસની ગતિ થોડી મંદ પડી છે છતાં બ્રિક્સ સંગઠનના દેશોએ આર્થિક વિકાસ ઝડપી બનાવ્યો છે અને લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે. તેમણે કહ્યું કે, બ્રિક્સ દેશોની વિવિધતા, તેમના બજારોનું કદ આ બધી જ બાબતો સંગઠનના સભ્ય દેશો માટે મહત્વની બની રહેશે. ભારત એ ઘણી બધી તકો પૂરો પાડતો દેશ છે તેમ જણાવીને પ્રધાનમંત્રી શ્રી મોદી...

બ્રાઝીલીયા ખાતે ૧૧મું બ્રિકસ સંમેલન

બ્રાઝીલીયામાં અગીયારમાં બ્રિકસ શિખર સંમેલનનું સફળ સમાપન જુથની ગતિશિલતા અને વધતી જતી સુસંગતતાનું એક માપ છે. સંયુકત નિવેદનમાં કહયું છે તેમ બ્રિકસ દેશો છેલ્લા એક દાયકામાં વૈશ્વિક વૃધ્ધિના મુખ્ય ચાલકો રહયાં છે. બ્રિકસનું આગમત નવી ઉભરતી વૈશ્વિક અર્થ વ્યવસ્થાના બદલાતા વલણને દર્શાવે છે ? બ્રિકસે ફકત પશ્ચિમના વૈશ્વિક વર્ચસ્વ પર જ પ્રશ્ન ઉઠાવ્યો નથી, તે એક નવી વિચારસરણી અને નવા વિશ્વ દ્રષ્ટીકોણને આકાર આપવાનો પ્રયત્ન કરે છે. અગિયારમાં બ્રિકસ શિખર સંમેલનનો વિષય હતો નવા ભવિષ્ય માટે આર્થિક વિકાસ. ઇનોવેશન એ ખરેખર ભવિષ્યનું કોલીંગ કાર્ડ છે. નવીનીકરણ ઇતિહાસએ વિચારોની વાર્તા છે. જો આપણે નવીનીકરણ નથી કરતા તો આપણે વિસ્મૃતિમાં સરી પડીએ છીએ. અપેક્ષા મુજબ બ્રિકસના નેતાઓ ધ્વારા જાહેર કરાયેલા સંયુકત નિવેદનમાં સંયુકત રાષ્ટ્ર, અને વિશ્વ વ્યાપાર સંગઠન અને આઇએમએફ સહીત અન્ય બહુપક્ષીય સંગઠનોને મજબુત બનાવવા તથા સુધારો કરવાની તાતી જરૂરીયાત માટે આહવાન કરાયું છે. એવા સમયમાં જયારે બહુપક્ષીકરણ પર વિવિધ આંતરરાષ્ટ્રીય ભાગોમાંથી હુમલાઓ થઇ રહયું છે, ત્યારે બ્રિકસની બહુપક્ષીયતા પ્રત્યેની અડીખમ પ્રતિબધ્ધતાએ અપવાદરૂપ ...

ભારત અને અમેરિકાની સેનાની ત્રણેય પાંખોની સંયુક્ત ક્વાયત – 2019 અંગે સમીક્ષા

કેન્દ્રની મોદી સરકારે, તેની બીજી મુદતના સમયગાળામાં અમેરિકા સાથેની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ભારતના આર્થિક ક્ષેત્રના પરિવર્તનમાં અમેરિકાની ભૂમિકા ખૂબ જ મહત્વની બની છે. એવી જ રીતે વૈશ્વિક સ્તરે ભારતને મહત્વની ભૂમિકા ભજવવાની જે ખેવના છે, તે અમેરિકાની મદદથી જ પૂર્ણ થઈ શકશે. કોઈપમ બે દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં સંરક્ષણ ક્ષેત્રના સંબંધો, આધારસ્તંભ સમા હોય છે. ભારત અને અમેરિકાની સેનાની ત્રણેય પાંખોના જવાનો આંધ્રપ્રદેશના દરિયાકિનારા નજીકના જળવિસ્તારમાં 13મીથી – 21મી નવેમ્બર દરમિયાન સંયુક્ત ક્વાયત યોજી રહ્યા છે. માનવતાના ધોરણે સહાય અને આપત્તિ રાહત અંગેની આ સંયુક્ત ક્વાયતને ટાયગર ટ્રાયમ્ફ નામ આપવામાં આવ્યું છે. આ ક્વાયતમાં અમેરિકાની મરીન કોર્પસ અને સ્પેશલ ફોર્સ, ભારતીય નૌકાદળના પી-8, તથા મિસાઇલ વિરોધી યુદ્ધવિમાનો આ સંયુક્ત ક્વાયતમાં ભાગ લઈ રહ્યા છે. પ્રથમ તબક્કામાં સંયુક્ત ક્વાયતો 16મી નવેમ્બર સુધી વિશાખાપટ્ટનમ નજીક જ્યારે બીજા તબક્કામાં 17થી 21 નવેમ્બર દરમિયાન કાકીનાડા નજીકના જળવિસ્તારમાં આ ક્વાયત હાથ ધરાશે. આ ક્વાયતમાં ...

કરતારપુરના મહત્વ અંગે સમીક્ષા

ભારતના વિભાજન બાદ બે દેશોની રચનાના પગલે અલગ પડી ગયેલા શીખ ધર્મસ્થળોએ સરળતાથી જઈ શકાય, તે હેતુથી શીખ લોકો દરરોજ પ્રાર્થના કરતા હતા. કરતાર પુર ગુરૂદ્વારા આવા જ પવિત્ર સ્થળો પૈકી એક ધર્મસ્થળ હતું. રાવી નદીના કાંઠે આવેલું આ ધર્મસ્થળ શીખ લોકો માટે આગવું અને આદરનું સ્થાન ધરાવે છે. કારણ કે, સંત ગુરૂનાનક દેવજીએ અહીં 18 વર્ષ સુધી વસવાટ કર્યો હતો અને અહીં જ તેમનો દેહવિલય થયો હતો. પણ ભારતમાંથી જોઈ શકાય તેવુ આ ધર્મસ્થળ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર ચાર કિલોમીટર અંતરે આવેલું છે. હવે કરતારપુર કોરીડોર શરૂ થતાં, શીખ ભાવિકો દરરોજ તથા સરળતાથી આ પવિત્ર સ્થળે જઇ શકશે. આ બાબત ધાર્મિક લાગણીની દૃષ્ટિએ અગત્યની ગણાવી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પંજાબના ગુરૂદાસપુર ખાતેથી કરતારપુર કોરીડોરની સંકલિત ચેકપોસ્ટનું ઉદઘાટન કર્યું છે. પ્રધાનમંત્રીએ ડેરાબાબા નાનક ગુરૂદ્વારા ખાતે કોરીડોરનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, ભાવિકો હવે દરબાર સાહેબ ગુરૂદ્વારામાં સરળતાથી જઈને પ્રાર્થન દર્શન કરી શકશે. દરબાર સાહેબ ગુરૂદ્વારા તરફ કરતારપુર કોરીડોર મારફતે પાકિસ્તાનમાં જનાર પ્રથમ શીખ જથ્થામાં ભૂતપૂર્વ પ્રધાનમં...

અમેરિકાનો પેરીસ સમજૂતીમાંથી ખસી જવાનો નિર્ણય એ ચિંતાનો વિષય હોવા અંગે સમીક્ષા

આબોહવામાં પરિવર્તન થતું રોકવા અંગેની વર્ષ 2015માં સધાયેલી પેરીસ સમજૂતીમાંથી અમેરિકાએ ખસીજવાનો લીધેલો સત્તાવાર નિર્ણય સમગ્ર વિશ્વ તથા અમેરિકા માટે પણ ચિંતાનો વિષય ગણાવી શકાય. ગયા સોમવારે ટ્રમ્પ વહિવટીતંત્રે આ અંગેનું જાહેરનામું બહાર પાડતા જ પેરીસ સમજૂતીમાંથી અમેરિકાના ખસી જવાની પ્રક્રિયાનો વિધીવત આરંભ થયો છે. આગામી એક વર્ષમાં આ પ્રક્રિયા પૂરી થશે. આગામી બીજીથી તેરમી ડિસેમ્બર દરમ્યાન સ્પેનના મદ્રીદ શહેરમાં રાષ્ટ્રસંઘના ઉપક્રમે આબોહવા અંગેની COP-25 પરિષદ યોજવાની છે, ત્યારે અમેરિકાએ આ નિર્ણય લીધો છે. અગાઉ આ બેઠક ચીલીમાં યોજાવાની હતી પણ સ્થાનિક મુશ્કેલીઓના લીધે હવે આ પરિષદ સ્પેનમાં યોજાશે. વર્ષ 2015માં આશરે 200 દેશોએ પેરીસ સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી હેઠળ પૃથ્વીનું તાપમાન વધારતા વાયુઓનું ઉત્સર્જન ઘટાડીને નિયંત્રણમાં લેવાની પ્રતિબદ્ધતા દર્શાવાઈ છે. પેરીસ સમજૂતી મુજબ વૈશ્વિક સ્તરનું તાપમાન બે ડિગ્રીથી વધે નહીં તે રીતે પગલાં ભરવાની પ્રતિબદ્ધતા બધા જ દેશોએ દર્શાવી. અમેરિકાના નિર્ણયથી સમગ્ર વિશ્વે નિર્ધારીત કરેલો લક્ષ્યાંક મેળવવામાં મુશ્કેલી ઉભી થશે. અત્યાર સુધી અમેરિકા એકમાત્ર એવો...

જમીન જાગીરને પ્રોત્સાહન આપવા સરકારના સકારાત્મક પગલા

પ્રવર્તમાન વૈશ્વિક મંદીના વમળોની અસર હેઠળ અર્થતંત્રનો વૃદ્ધિદર દબાવ હેઠળ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન સરકાર દ્વારા નિર્ણાયક એવા સ્થાવર જમીન ક્ષેત્રના પુનરુત્થાન માટે ભંડોળ ફાળવવાનો નિર્ણય, વ્યાપ માંગને પ્રોત્સાહિત કરવા માટેનું ભારતીય અર્થ વ્યવસ્થાનું યોગ્ય દિશામાં લીધેલું આવશ્યક પગલું છે. અર્થતંત્રના વિસ્તરણને વૃદ્ધિની દિશામાં રાખવા માટેના પડકારનો સામનો કરીને સરકારે 1600 પ્રોજેક્ટમાં ચાર લાખ 58 હજાર હાઉસિં યુનિટને પુનઃ જીવીત કરવા 250 અબજ રૂપિયા ફાળવ્યા છે. આ પ્રોજેક્ટમાં બાંધકામના કાર્યોને આવરી લેવાશે. જેમાં બેન્કો દ્વારા બિન પરફોર્મિંગ સંપત્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. અથવા તો જેને નાદારીની પ્રક્રિયાનો સામનો કરવો પડ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સૂચન કર્યા મુજબ દેશભરમાં અટવાયેલા પ્રોજેક્ટમાં હોમ લોન – ઇએમઆઈ ની ચૂકવણી માટે કસૂરવાર સાબિત થયેલા લોકોને થોડી રાહત મળશે. સરકારે આ પેટે 200 અબજ રૂપિયાના ફંડને જાહેર કર્યું છે. નિષ્ણાંતોના મત પ્રમાણે આ પગલાને ધ્યાનમાં લેતા, સ્થાવર મિલકત ક્ષેત્રના પુનરુત્થાનમાં આ નોંધપાત્ર મદદ કરશે, જે પ્રવાહિ...

ભારત – દક્ષિણ પુર્વ એશિયા વચ્ચે મજબુત ભાગીદારીનું નિર્માણ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએએકટ ઇસ્ટ નીતી અને ભારત – પ્રશાંત દ્રષ્ટીકોણને આગળ વધારતા, તાજેતરમાં આસિયાન સમિટમાં ભાગ લેવા થાઇલેન્ડની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ થાઇલેન્ડની ત્રણ દિવસની મુલાકાત દરમ્યાન ૧૬મી ભારત – આસિયાન બેઠક તથા ૧૪મી પુર્વ એશિયા બેઠકમાં તેમજ આરસીઇપી – પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી બેઠકમાં ભાગ લીધો હતો અને આ ઉપરાંત તેમણે વ્યુહાત્મક ભાગીદારી બેઠકમાં ભાગ લીધો હતો અને આ ઉપરાંત તેમણે વ્યુહાત્મક ભાગીદારો સાથે અલગથી દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ અગાઉ વિદેશમંત્રી ડોકટર એમ. જયશંકરે ઓગષ્ટ માસમાં બેંગકોકમાં એશિયાની સંબંધિત મંત્રાલયની બેઠકમાં ભાગ લીધો હતો. ૧૬મી ભારત – આસિયાન શિખર પરીષદમાં પ્રધાનમંત્રી મોદીએ મુકત, ખુલ્લા, વ્યાપક અને નિયમો આધારીત ભારત – પ્રશાંત સંબંધોના પરસ્પર હિત અંગે સ્પષ્ટતા કરી હતી અને દરીયાઇ સહયોગ પ્રત્યક્ષ અને ડીજીટલ જોડાણ, અર્થ વ્યવસ્થા અને માનવતાવાદી સહાયને વધારવા અનુરોધ કર્યો હતો. ભારત, કૃષિ, વિજ્ઞાન, સંશોધન, માહિતી ટેકનોલોજી, એન્જીનીયરીંગ અને ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારત પાસે આસિયાન સંપર્ક પરીયોજના માટે એક અબજ અમેરીકન ડોલરની ક્રેડીટ લા...

SCO સંગઠનના સભ્યદેશોના વડાઓની તાશ્કંદમાં યોજાયેલી બેઠક અંગે સમીક્ષા

શાંધાઈ સહકાર સંગઠન SCOના સભ્ય દેશોના વડાઓની પરિષદ ગત સપ્તાહમાં ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં યોજાઇ ગઇ. ભારતે – યુરોપ તથા એશિયાને કેન્દ્રમાં રાખતા આ સંગઠનમાં વર્ષ 2017માં સભ્યપદ મેળવ્યું. SCOના સંગઠનના સભ્યદેશોના વડાઓની આ ત્રીજી બેઠક હતી. પ્રથમ બેઠક રશિયાના સોચીમાં અને બીજી બેઠક તાજીકીસ્તાનમાં યોજાઇ હતી. SCO સંગઠનના સભ્યદેશોમાં ભારત ઉપરાંત કઝકસ્તાન, ચીન, કિર્ગીઝસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજીકીસ્તાન અને ઉઝબેકીસ્તાનનો સમાવેશ થાય છે. તેમાં ચાર નિરીક્ષકો અને છ મંત્રણા ભાગીદારો પણ છે. આ સંગઠનના નિર્ણયનો અધિકાર લેતી સર્વોચ્ચ સંસ્થાને સભ્ય દેશોના વડાઓની પરિષદ કહેવાય છે. તેની નીચે સરકારી વડાઓની પરિષદ આવે છે. સરકારી વડાઓની પરિષદની બેઠક દર વર્ષે યોજાય છે. જેમાં વાર્ષિક બજેટ, વ્યુહરચના અંગે ચર્ચા તથા બહુસ્તરીય સહકાર જેવા મુદ્દાઓ બાબતે ચર્ચાવિચારણા થાય છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પ્રધાનમંત્રીના ખાસ પ્રતિનિધી તરીકે આ બેઠકમાં ભાગ લેવા ગયા છે. બધા દેશોએ આતંકવાદ અને અંતિમવાદ અંગે ચિંતા દર્શાવી છે. શ્રી રાજનાથસિંહે આતંકવાદનો અસરકારક રીતે સામનો કરવા. SCOના સંગઠનના સભ્ય દેશોને સંગઠીત થવા તથા આંતરરાષ્ટ્રીય કા...

પાકિસ્તાનમાં રાજકારણ અંગે સમીક્ષા

પાકિસ્તાન એ સત્યનો સ્વીકાર કરી શકતુ નથી કે, આંતરરાષ્ટ્રીય સમુદાય માટે કાશ્મીર હવે ભૂતકાળનો મુદ્દો બની ગયું છે. ભારતે કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 રદ કરી છે, ત્યારથી પાકિસ્તાને આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચવા મરણીયા પ્રયાસો કર્યા છે. જોકે ભારત કાશ્મીર મુદ્દે બંધારણ મુજબની કાર્યવાહી થઈ છે એ બાબત વિશ્વ સમુદાયને સમજાવવામાં સફળ રહ્યો છે. હવે કાશ્મીર મુદ્દે વિશ્વમાં અળગુ પડી ગયાનો અહેસાસ થતા પાકિસ્તાનના રાજકીય નેતાઓ આ મુદ્દે રાજકારણ કરવાની શરૂઆત કરી છે. કાશ્મીર બાબતોના પાકિસ્તાનના મંત્રી અલી અમીને ખૂલ્લી ધમકી આપતા જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દે મીસાઈલનો ઉપયોગ કરી શકીએ છીએ. તેમણે પાકિસ્તાનની ખાનગી સમાચાર ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, જો કાશ્મીર મુદ્દે યુદ્ધ શરૂ થાય તો કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન આપનાર દેશોને પણ પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. ભારતને કાશ્મીર મુદ્દે સમર્થન આપનાર કોઈપણ દેશ પાકિસ્તાનનો દુશ્મન ગણાશે. અલી અમીલ એ પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદની જેમ બેફામ નિવેદનો આપવા માટે જાણીતા છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાને આવા માણસોને ઉચ્ચ પદ ઉપર બેસાડ્યા...

જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલની ભારતની મુલાકાતથી સુદ્રઢ બનેલા દ્વિપક્ષીય સંબંધો અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલના અધ્યક્ષપદે પાંચમી આંતર સરકારી મસલતી બેઠક દિલ્હીમાં યોજાઇ ગઇ. ભારત એક એવો પસંદગીપાત્ર દેશ છે કે જેમની સાથે જર્મની ઉચ્ચસ્તરીય રાજદ્વારી બેઠક યોજે છે. સુ.શ્રી માર્કેલની ભારતની આ ચોથી મુલાકાત હતી. તેમની સાથે બાર મંત્રીઓ અને વેપારક્ષેત્રના અગ્રણીઓનું પ્રતિનિધીમંડળ પણ ભારત આવ્યું હતું. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા અને વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. શ્રી રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, ભારત અને જર્મની વચ્ચે વેપારક્ષેત્રના સંબંધો ઘણા મજબૂત છે. આથી જ યુરોપીયન સંઘ સાથેનો વેપાર સંતુલીત રીતે આગળ વધે તે હેતુથી ભારતને સમર્થન આપવામાં જર્મની મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. યુરોપીયન સંઘના દેશોની તુલનાએ જર્મની ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે. રાષ્ટ્રપતિના નિવેદન પરથી ભારત યુરોપીયન સંઘ સાથે વેપાર અંગે સમજૂતી કરવા તત્પર હોવાના સંકેત મળે છે. શ્રી કોવિંદે આતંકવાદ સામેની લડતમાં બન્ને દેશોને સહકાર વધારવાનું સૂચન કર્યું છે. આંતર સરકારી મસલતી બેઠકમાં બંને દેશોના વડાઓએ ભારત અને જર્મની વચ્ચેની ...

જમ્મુ કાશ્મીર અને લદાખ માટે નવું પ્રભાત અંગે સમીક્ષા

એવુ કહી શકાય કે ગઇકાલ સુધી આપણે જેને જાણતા હતા તે સંયુકત જમ્મુ અને કાશ્મીર એ ઇતિહાસના કેટલાક અકસ્માતોનું પરીણામ હતું. દક્ષિણ જમ્મુ ક્ષેત્ર અને કાશ્મીર ઘાટીનું જોડાવુ તે પણ ૧૮૪૬ માં બ્રીટીશ સત્તાધીશો અને ડોગરા શાસક મહારાજા ગુલાબસિંહ વચ્ચે થયેલી અમૃતસર સંધિનું પરીણામ હતું. લીટલ તીબેટના નામે ઓળખાતું બૌધ્ધ વાતાવરણ પ્રભાવિત લદાખ ડોગરા સલ્તનતનો ભાગ બન્યુ તે જનરલ જોરાવર સિંહની જીત હતી. ત્રણ મુખ્ય ઘટકોની પુનઃરચના બે નવા કેન્દ્ર શાસીત પ્રદેશો તરીકે ૩૧ ઓકટોબર ર૦૧૯ એ કરવામાં આવી. તેનાથી જમ્મુ કાશ્મીરની ભુગોળ બદલાઇ ગઇ છે. લદાખના લોકો માટે તેને કેન્દ્ર શાસીત પ્રદેશનો દરજજો મ/યો તે તેમની પ્રાર્થનાઓના જવાબ સમાન છે. આ દરજજો લદાખીઓ ઓછામાં ઓછા પચાસ વર્ષથી માંગતા હતા. ૧૯૭૦ની શરૂઆતમાં લામા લોબઝનાએ લદાખના બૌધ્ધ નેતાઓમાંથી એક હતા જેમણે આ પ્રદેશને કેન્દ્રના સીધા શાસન અંતર્ગત લાવવાની લદાખીઓની પસંદગીને વાચા આપી હતી. લદાખીઓના મતે તે જ ઓછા વિકાસની ક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ હતો. તેમના મતે ઘણા લાંબા સમયથી શ્રીનગરના સતાધીશોએ લદાખને જમ્મુ કાશ્મીરની ખાડી તરીકે ગણ્યો છે. જેમ કે તેને પોતાની અલગ સાંસ્કૃતિ ઓળખને વ...

વિવાદનું નવું કેન્દ્ર બની રહેલો દક્ષિણ ચીની સમુદ્ર વિસ્તાર અંગે સમીક્ષા

ચીન સામે એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, તેણે દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરીને વિએતનાના ખાસ આર્થિક વિસ્તાર - EEZમાં પ્રવેશ કર્યો છે. એવો પણ આક્ષેપ કરાય છે કે, ચીનનું સર્વે માટેનું જહાજ વિએતનામના દરિયાકાંઠાથી 60 નોટીકલ માઇલ નજીક પહોંચી ગયું હતું. આ થવાથી વિએતનામની આર્થિક સલામતી જોખમમાં મૂકાઈ છે.  ચીનના સર્વેક્ષણ માટેના જહાજે પોતાના રક્ષણ માટે બીજા ચાર ચીની જહાજોને લઈને દક્ષિણ પૂર્વ વિએતનામના ફૂ ક્યુ ટાપુથી માત્ર 102 કિલોમીટર અંતર સુધી જઈને કામગીરી કરી હતી.  અહેવાલો મુજબ આ સ્થળ વિએતનામના ફાન થીએટ શહેરના બીચ વિસ્તારથી 185 કિલોમીટર અંતરે આવેલ છે.  સામાન્ય રીતે કોઈપણ દેશના દરિયાકાંઠાથી 200 નોટીકલ માઇલ અથવા 370 કિલોમીટર સુધીના જળ વિસ્તારને, જે તે દેશનો ખાસ આર્થિક વિસ્તાર EEZ ગણવામાં આવે છે. સંબંધીત વિસ્તારમાં આવેલ કુદરતી જળ સંપદા અને પેટાળની કુદરતી સંપત્તિનો અધિકાર જે તે દેશને મળતો હોય છે.  દક્ષિણ ચીન, સમુદ્ર વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા ટકી રહે તેવું ઇચ્છતા લોકોએ, ચીનને પોતાના સર્વેક્ષણ માટેના જહાજો સંબંધિત વિસ્તારમાંથી પાછા ખેંચવ...