Skip to main content

ભારત – દક્ષિણ પુર્વ એશિયા વચ્ચે મજબુત ભાગીદારીનું નિર્માણ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએએકટ ઇસ્ટ નીતી અને ભારત – પ્રશાંત દ્રષ્ટીકોણને આગળ વધારતા, તાજેતરમાં આસિયાન સમિટમાં ભાગ લેવા થાઇલેન્ડની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ થાઇલેન્ડની ત્રણ દિવસની મુલાકાત દરમ્યાન ૧૬મી ભારત – આસિયાન બેઠક તથા ૧૪મી પુર્વ એશિયા બેઠકમાં તેમજ આરસીઇપી – પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી બેઠકમાં ભાગ લીધો હતો અને આ ઉપરાંત તેમણે વ્યુહાત્મક ભાગીદારી બેઠકમાં ભાગ લીધો હતો અને આ ઉપરાંત તેમણે વ્યુહાત્મક ભાગીદારો સાથે અલગથી દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ અગાઉ વિદેશમંત્રી ડોકટર એમ. જયશંકરે ઓગષ્ટ માસમાં બેંગકોકમાં એશિયાની સંબંધિત મંત્રાલયની બેઠકમાં ભાગ લીધો હતો. ૧૬મી ભારત – આસિયાન શિખર પરીષદમાં પ્રધાનમંત્રી મોદીએ મુકત, ખુલ્લા, વ્યાપક અને નિયમો આધારીત ભારત – પ્રશાંત સંબંધોના પરસ્પર હિત અંગે સ્પષ્ટતા કરી હતી અને દરીયાઇ સહયોગ પ્રત્યક્ષ અને ડીજીટલ જોડાણ, અર્થ વ્યવસ્થા અને માનવતાવાદી સહાયને વધારવા અનુરોધ કર્યો હતો. ભારત, કૃષિ, વિજ્ઞાન, સંશોધન, માહિતી ટેકનોલોજી, એન્જીનીયરીંગ અને ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારત પાસે આસિયાન સંપર્ક પરીયોજના માટે એક અબજ અમેરીકન ડોલરની ક્રેડીટ લાઇન છે. અગાઉ ભારત અને આસિયાન વેપાર સંતુલનની સમસ્યાઓ દુર કરવા દ્વિપક્ષીય મુકત વેપાર કરાર (એફટીએ) સમીક્ષા શરૂ કરવા સહમત થયા હતા. પ્રધાનમંત્રીએ ૧૪મી પુર્વ એશિયા બેઠકમાં પણ ભાગ લીધો હતો. શ્રી મોદીએ આતંકવાદ અને આતંકવાદીઓને આશ્રય આપતા દેશો સામે કડક પગલાં લેવા આસીયાન સંગઠનના દેશોને અનુરોધ કર્યો હતો. તેમણે આર્થિક સહકાર વધારવાની ભારતની પ્રતિબધ્ધતા દોહરાવી હતી. પુર્વ એશિયા સમિટમાં નેતાઓએ મનિલા પ્લાન ઓફ એકશનની પ્રગતિ અંગે સમીક્ષા કરી હતી. પુર્વ એશિયા સમીટમાં ગેરકાયદેસર દવાઓ અને આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવા અને સ્થાયી ભાગીદારી બનાવવા અંગેના ત્રણ સમજુતી કરાર કરાયા હતા.

જો કે આ વર્ષની આસિયાન શિખર પરીષદનું મુખ્ય કેન્દ્ર પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી બેઠક હતી. વૈશ્વિક જીડીપીના ૩ર ટકા ઉત્પાદનનો અંદાજ ૧૬ રાષ્ટ્રનો મેગા એફટીએ મુકત વ્યાપાર નિયમ છે. ભારતે પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી આરસીઇપી કરારમાં નહી જોડાવવાનો નિર્ણય કર્યો છે. આરસીઇપી કરાર અંગેની વાતચીતમાં ભારતે વ્યકત કરેલી ચિંતા અને તેના ધ્વારા અંગેની વાતચીતમાં ભારતે વ્યકત કરેલી ચિંતા અને તેના ધ્વારા ઉપસ્થિત કરાયેલા મુદૃાઓનો ઉકેલ મેળવી શકાયો નથી. પ્રધાનમંત્રીએ કહયું કે કરારના વર્તમાન સ્વરૂપમાં માર્ગદર્શક સિધ્ધાંતો અને મુળ ભાવના પુર્ણ રીતે અભિવ્યકત થઇ નથી. એવી જ રીતે કરારમાં ભારતના મુદૃાઓ કે તેણે વ્યકત કરેલી ચિંતાઓનું નિરાકરણ કરાયુ નથી, ત્યારે ભારત આ કરારમાં જોડાય તે શકય નથી.

આરસીઇપીમાં બાકીના ૧પ સભ્યોએ ર૦ મુદૃા અને બજારના તમામ મુદૃાઓ માટે કર આધારીત વાટાઘાટોની પુષ્ટી કરી હોવા છતા, ભારતે વણઉકેલાયેલા બાકી મુદૃાઓ પર પ્રતિક્રિયા વ્યકત કરી છે. મુકત બજારમાં પ્રવેશ મેળવવા, ટેરીફ ન હોવાના અવરોધો અંગેની ચિંતા, ઉત્પાદનના નિયમોની અવગણના સહિતના ઘણા મુદૃા છે. ભારતે આરસીઇપી કરારમાં ન્યાય અને સમાનતાના આધારે નહી જોડાવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રીએ ભારપુર્વક જણાવ્યું હતું કે ભારત, વ્યાપક ક્ષેત્રને જોડવાની સાથે મુકત વેપાર તથા નિયમ આધારીત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાપનની તરફેણ કરે છે. ભારત તેના મુદૃા બાબતે કોઇ બાંધછોડ કરશે નહી, તેમના આરસીઇપીમાં જોડાવાથી ભારતના લોકો પર વિપરીત અસર થશે આથી દેશ હિતમાં જ આરસીઇપીમાં નહી જોડવાનો નિર્ણય લીધો છે.

થાઇલેન્ડમાં પ્રધાનમંત્રી મોદીએ જાપાન, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, વિયેતનામ, થાઇલેન્ડ, મ્યાન્મારના વડાઓ સાજે દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને ભારતના વ્યુહાત્મક હિતોને રજુ કર્યા હતા. દક્ષિણ પુર્વ અને પુર્વ એશિયા સાથે ભારતના બહુ પરીમાણીય સંબંધોને આગળ વધાર્યા હતા.

ભારત અમેરીકા જાપાન ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ સમિટથી અલગ પરસ્પર સંપર્ક, માળખાગત વિકાસ, આતંકવાદનો વિરોધ, સાયબર અને દરીયાઇ સુરક્ષા સહિતની સલામતી બાબતોમાં સહયોગ વધારવા બેઠકો યોજી હતી. ભારત અને પ્રશાંત વિસ્તારના દેશોના વડાઓએ સંબંધિત વિસ્તારમાં શાંતી, સમૃધ્ધિ તથા વિકાસ વધારવા દ્વિપક્ષીય સહકાર વધારવાની સંમતી આપી છે. દક્ષિણ પુર્વ એશિયાનું કેન્દ્ર બિંદુ ભારતની એકટ ઇસ્ટ પોલીસી છે. કારણ કે ભારતે દક્ષિણ આસિયાનના ૧૦ વડાઓને વર્ષ ર૦૧૮માં ભારતના પ્રજાસત્તાક દીવસની ઉજવણી માટે આમંત્રિત કરી મુખ્ય મહેમાન તરીકે આવકાર્યા હતા. આસિયાન સાથે ભારતની રપ વર્ષની ભાગીદારી નોંધાઇ હતી. ભારત, આસિયાન ભારત વ્યુહાત્મક ભાગીદારીને નવી ઉંચાઇએ લઇ જવાના લક્ષ્ય સાથે આસિયાનમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...