Skip to main content

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય, 

દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક


સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે. 

નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે. 

ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે. 

સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે. 

નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે. 

આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે. 

જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે. 

વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે. 

આ સમગ્ર પાર્શ્વભૂમિમાં દિલ્હી ખાતેની રાયસીના મંત્રણાને મૂલવવી જોઈએ. આ મંત્રણાએ ભારતનો રાજકારણ તથા અર્થશાસ્ત્રના ક્ષેત્રે સહકારનો નવો મંચ છે, તેમ કહી શકાય. 

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વિદેશ નીતીને મહત્વ આપ્યું છે. તથા વિદેશનીતીના લક્ષ્યાંકો મેળવવા માટે ભારતની લોકશાહી, ભૌગોલિક સ્થાન અને મહત્વ તથા વિશાળ બજાર જેવા પરિબળોનો પણ ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. 

રાયસીના મંત્રણાની સફળતાનું રહસ્ય ભારતનું મજબૂત અર્થતંત્ર તથા તેની સક્રિય વિદેશ નીતીને આભારી છે. 

રાયસીના મંત્રણાની પાંચમી શ્રેણીમાં રશિયા, ઇરાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા સહિત બાર દેશોના વિદેશમંત્રીઓએ તેમજ ચિંતકો અને શિક્ષણ વિદોએ ભાગ લીધો. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાયસીના મંત્રણાના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મંત્રણા બેઠકમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારત અને ચીનના સંબંધો ખૂબ જ જટીલ છે., આમ છતાં બંને દેશો પૈકી કોઈપણ દેશ આ સંબંધ ઉપર વિપરીત અસર થાય તેવું કરશે નહીં. 

તેમણે વિઘટનકારી શક્તિઓ સામે ભારત સંતુલનની કામગીરી કરે છે, તે બાબત ભારપૂર્વક જણાવી હતી. 

શ્રી જયશંકરે સ્પષ્ટતા કરી હતી કે, ભારતે પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી – RCEP સમજૂતી માટેના દ્વાર હંમેશ માટે બંધ કર્યા નથી. વિશ્વ સમુદાયના ઘણાં નેતાઓ ભારતને પ્રાદેશિક તથા વૈશ્વિક બાબતોમાં મહત્વની ભૂમિકા ભજવનાર તરીકે જુએ છે. 

રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવારોવે ભારતના રાષ્ટ્રસંઘની સલામતી પરિષદના સભ્યપદ માટેના દાવાને રશિયાના સમર્થનની જાહેરાત કરી. જોકે, તેમણે ચીનના પ્રભાવને રોકવા હાથ ધરાયેલી ભારત – પ્રશાંત વિશ્વાસ પહેલની વિભાજનવાદી સંકલ્પના ઓળખાવીને તેની ટીકા કરી હતી. 

ઇરાનના વિદેશમંત્રી જાવેદ ઝરીફે અમેરિકાના એકહથ્થુ વલણની ટીકા કરી હતી અને તેની દબાણની નીતી સામે સાથે મળીને ઊભી રહેવાની અપીલ યુરોપીયન દેશોને કરી હતી. 

આ બેઠકમાં ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી હેલેન કલાર્ક, અફઘાનિસ્તાનમાંના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ હમીદ કરઝાઈ, કેનેડાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પર, ભૂતાનના ભૂતપૂર્વ વડા સેરિંગ તોગાબે અને દક્ષિણ કોરિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી હાંસ સેઉન સૂ સહિત અન્ય અગ્રણીઓએ સંબોધન કર્યું હતું. 

ભારતે અત્યાર સુધીમાં ઘણી પ્રગતિ કરી છે, આમ, છતાં તેની સામે ઘણાં પડકારો ઊભા છે, ખાસ કરીને પાડોશી દેશો તરફથી એવી જ રીતે ભારતે હજી ઉપયોગ કર્યો નથી તેવી તકો પણ છે. 

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતે જણાવ્યું છે કે, આતંકવાદ સૌથી મોટો પડકાર છે. 

જોકે, સરકાર જનરલ બીપીન રાવતે યુવાનોને ઉદ્દામવાદના પંથેથી પાછા બોલાવવા સૂચવેલા ઉપાયો અમલમાં મૂકે છે, કે કેમ તે જોવું રહ્યું.


શ્રીરંગ તેડુંલકર – રમેશ પરમાર



Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...