Skip to main content

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે.

ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી.

પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે.

કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ્યું નથી. અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન સહિતના ઘણા દેશોએ તેને મહત્વ આપ્યું નથી. એટલું જ નહીં પાકિસ્તાનને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કાશ્મીર મુદ્દે ભારતે કરેલી કાર્યવાહી તેની આંતરિક બાબત છે અને પરિણામે કોઈ અન્ય દેશ તેમાં દખલ કરે તે યોગ્ય નથી. ચીન પણ પાકિસ્તાનનું મહત્વનું સહયોગી છે, પરંતુ તે પણ તેનું ખુલ્લેઆમ સમર્થન કરતું નથી. ગયા શુક્રવારે ઈમરાન ખાને દેશભરમાં એક કલાક માટે જાહેરમાં દેખાવો માટે જણાવ્યું હતું, પરંતુ તેમાં કોઈ મહત્વનો પ્રતિભાવ જાવા મળ્યો ન હતો.

ઈમરાન ખાને કાશ્મીર મુદ્દે રાષ્ટ્રસંઘમાં લઈ જવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય અદાલત સમક્ષ પણ રજુઆત કરાશે તેમ કહ્યું છે. જાકે તે ભુલી જાય છે કે, રાષ્ટ્રસંઘ સલામતિ સમિતિના પાંચ કાયમી સભ્યો પૈકી ચાર ભારતના નિર્ણયનું સમર્થન કરી ચૂક્યા છે અને કાશ્મીર મુદ્દે દ્વિપક્ષી રીતે ઉકેલવામાં આવે તેવું જણાવી ચુક્યા છે.

ભારત સાથે વાતચીત મુદ્દે પણ નેતાગીરીમાં વિભાજન જાવા મળી રહ્યું છે. આ તેની હતાશા દેખાય છે. ઈમરાન ખાન કહે છે કે, ભારત સાથે મંત્રણાઓ કરવાનો કોઈ હેતુ નથી. તેમના વિદેશમંત્રી મહમૂદ કુરેશી કંઈક અલગ વાત કરે છે, તે કહે છે કે, પાકિસ્તાન ભારત સાથે વાતચીત માટે આતુર છે. જાકે તેના કારણે ઈમરાન ખાનને જાહેરમાં સ્પષ્ટતા કરવી પડી છે અને હાલ કોઈ મંત્રણા અંગે વિચારણા નહીં હોવાનું જણાવ્યું છે.

ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, પાકિસ્તાન દ્વારા ત્રાસવાદીઓને અપાતો સહયોગ બંધ થાય પછી જ મંત્રણાઓ કરી શકાય.

વિદેશમંત્રી એસ.જયશંકરે એ બાબતે પુનરૂચ્ચાર કર્યો છે કે, ભારત પાકિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ જમ્મુ-કાશ્મીર સિવાયના મુદ્દાઓ પર ચર્ચા થશે અને તે માટે પાકિસ્તાને ત્રાસવાદ અને હિંસા મુક્ત વાતાવરણ સર્જવું જાઈએ.

પાકિસ્તાન આંતરરાષ્ટ્રીયસ્તરે સહયોગ માટે પ્રયત્નો કરી રહ્યું છે. સાઉદી અરેબિયા અને કુવૈતના સંપર્કમાં છે અને કાશ્મીરમાં માનવઅધિકાર ભંગનો મુદ્દો ઉઠાવે છે પણ તેમના આશ્ચર્ય વચ્ચે કેટલાક દેશોએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું છે.

સંયુક્ત આરબ અમીરાતે ઓર્ડર ઓફ ઝાયેદ પુરસ્કાર એનાયત કર્યો છે. આ ત્યારે બન્યું છે જ્યારે પાકિસ્તાનનો રાજદૂત ત્યાં મુલાકાત લઈ આવ્યો હતો તે દ્વારા સ્પષ્ટ ઈશારો કર્યો છે કે, પાકિસ્તાનના ઈશારે કોઈ દેશ ભારત સાથેના સંબંધો નહીં બગાડે. ખનીજ તેલ નિકાસ કરતા કોઈપણ દેશો પાકિસ્તાનને કોઈ ટેકો આપ્યો નથી અને તમામ કાશ્મીર મુદ્દે મૌન રહ્યા છે.

કાશ્મીરમાં હિંસા કે માનવ અધિકારની વાત કરતા પાકિસ્તાને બલોચિસ્તાન તરફ કે ખૈબર પખ્તુનખ્વા અને પાકિસ્તાન હસ્તકના કાશ્મીર તરફ નજર કરવાની જરૂર છે તો વાસ્તવિકતા સમજાઈ જશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...