Skip to main content

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે.

ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી.

પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે.

કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ્યું નથી. અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન સહિતના ઘણા દેશોએ તેને મહત્વ આપ્યું નથી. એટલું જ નહીં પાકિસ્તાનને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કાશ્મીર મુદ્દે ભારતે કરેલી કાર્યવાહી તેની આંતરિક બાબત છે અને પરિણામે કોઈ અન્ય દેશ તેમાં દખલ કરે તે યોગ્ય નથી. ચીન પણ પાકિસ્તાનનું મહત્વનું સહયોગી છે, પરંતુ તે પણ તેનું ખુલ્લેઆમ સમર્થન કરતું નથી. ગયા શુક્રવારે ઈમરાન ખાને દેશભરમાં એક કલાક માટે જાહેરમાં દેખાવો માટે જણાવ્યું હતું, પરંતુ તેમાં કોઈ મહત્વનો પ્રતિભાવ જાવા મળ્યો ન હતો.

ઈમરાન ખાને કાશ્મીર મુદ્દે રાષ્ટ્રસંઘમાં લઈ જવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય અદાલત સમક્ષ પણ રજુઆત કરાશે તેમ કહ્યું છે. જાકે તે ભુલી જાય છે કે, રાષ્ટ્રસંઘ સલામતિ સમિતિના પાંચ કાયમી સભ્યો પૈકી ચાર ભારતના નિર્ણયનું સમર્થન કરી ચૂક્યા છે અને કાશ્મીર મુદ્દે દ્વિપક્ષી રીતે ઉકેલવામાં આવે તેવું જણાવી ચુક્યા છે.

ભારત સાથે વાતચીત મુદ્દે પણ નેતાગીરીમાં વિભાજન જાવા મળી રહ્યું છે. આ તેની હતાશા દેખાય છે. ઈમરાન ખાન કહે છે કે, ભારત સાથે મંત્રણાઓ કરવાનો કોઈ હેતુ નથી. તેમના વિદેશમંત્રી મહમૂદ કુરેશી કંઈક અલગ વાત કરે છે, તે કહે છે કે, પાકિસ્તાન ભારત સાથે વાતચીત માટે આતુર છે. જાકે તેના કારણે ઈમરાન ખાનને જાહેરમાં સ્પષ્ટતા કરવી પડી છે અને હાલ કોઈ મંત્રણા અંગે વિચારણા નહીં હોવાનું જણાવ્યું છે.

ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, પાકિસ્તાન દ્વારા ત્રાસવાદીઓને અપાતો સહયોગ બંધ થાય પછી જ મંત્રણાઓ કરી શકાય.

વિદેશમંત્રી એસ.જયશંકરે એ બાબતે પુનરૂચ્ચાર કર્યો છે કે, ભારત પાકિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ જમ્મુ-કાશ્મીર સિવાયના મુદ્દાઓ પર ચર્ચા થશે અને તે માટે પાકિસ્તાને ત્રાસવાદ અને હિંસા મુક્ત વાતાવરણ સર્જવું જાઈએ.

પાકિસ્તાન આંતરરાષ્ટ્રીયસ્તરે સહયોગ માટે પ્રયત્નો કરી રહ્યું છે. સાઉદી અરેબિયા અને કુવૈતના સંપર્કમાં છે અને કાશ્મીરમાં માનવઅધિકાર ભંગનો મુદ્દો ઉઠાવે છે પણ તેમના આશ્ચર્ય વચ્ચે કેટલાક દેશોએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું છે.

સંયુક્ત આરબ અમીરાતે ઓર્ડર ઓફ ઝાયેદ પુરસ્કાર એનાયત કર્યો છે. આ ત્યારે બન્યું છે જ્યારે પાકિસ્તાનનો રાજદૂત ત્યાં મુલાકાત લઈ આવ્યો હતો તે દ્વારા સ્પષ્ટ ઈશારો કર્યો છે કે, પાકિસ્તાનના ઈશારે કોઈ દેશ ભારત સાથેના સંબંધો નહીં બગાડે. ખનીજ તેલ નિકાસ કરતા કોઈપણ દેશો પાકિસ્તાનને કોઈ ટેકો આપ્યો નથી અને તમામ કાશ્મીર મુદ્દે મૌન રહ્યા છે.

કાશ્મીરમાં હિંસા કે માનવ અધિકારની વાત કરતા પાકિસ્તાને બલોચિસ્તાન તરફ કે ખૈબર પખ્તુનખ્વા અને પાકિસ્તાન હસ્તકના કાશ્મીર તરફ નજર કરવાની જરૂર છે તો વાસ્તવિકતા સમજાઈ જશે.

Comments

Popular posts from this blog

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...