Skip to main content

Posts

Showing posts from October, 2019

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

૧૮મી નામ શિખર પરિષદ અંગે સમીક્ષા

અઝરબૈજાનની રાજધાની સેલ્યુબ્રિયસના દરિયાકાંઠે બાકુમાં બિન જોડાણવાદી ચળવળ નોન એલાઇન્ડ મુવમેન્ટ નામ દેશોની ૧૮મી બે દિવસીય બેઠક મળી. જેનો નિષ્કર્ષ વિશ્વના દેશોને યાદ અપાવે છે કે નામ સંગઠન હજુ જીવંત છે અને સમૃધ્ધ છે. છ દાયકા અગાઉથી નામ દેશોના સંગઠનની શરૂઆતથી જ પશ્ચીમન્) ટિકાકારોની કોઇ કમી નથી. જેઓ તેના વિશે લખવા તૈયાર ન હતા, પણ તેઓ વારંવાર ખોટા સાબિત થયા છે. ખરેખર તો ૧૮મી નામ શિખર પરીષદનું આયોજન અઝરબૈજાન ધ્વારા કરાયું હતું. જે આ નામ સંગઠનમાં ર૦૧૧ ના અંતમાં જોડાયા હતા. આ બિન જોડાણવાદી દેશોનું સંગઠન હજી પણ સભ્ય દેશો માટે કંઇક અર્થ ધરાવે છે. ઝડપથી બદલાતી દુનિયામાં હજી પણ એવા ઘણા દેશો છે જે ત્રીજા વિશ્વના દેશો માટે એક અવાજે બોલવા માટે મંચ તરીકે નામ દેશો પર વિશ્વાસ રાખે છે અને આજ તક તેમને વિશ્વના દેશો સમક્ષ રજુઆતની એક શકિતશાળી રાજનીતી તરીકેની ઓળખ આપે છે. બિન જોડાણવાદી ચળવળના સંસ્થાપક દેશોમાંના એક એવા ભારત દેશે તેની પ્રગતિમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયાહ નાયડુએ ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યુ હતું. જેમણે શિખર પરીષદના સહયોગી દેશોને ભારતના તેના સિધ્ધાંતો અને ઉદે...

ભારત – અમેરીકા વ્યૂહાત્મક મંચે, આર્થિક દ્વષ્ટિકોણને સમર્થન આપ્યુ – એ અંગે સમીક્ષા

ભારત – અમેરીકા વ્યૂહાત્મક મંચની બીજી બેઠકમાં થયેલી ચર્ચાના પરિણામે ભારત અમેરીકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી એ તેમની તાજેતરની અમેરીકાની મુલાકાત વખતે ભારતના અર્થતંત્રને 5 ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો નિર્ધાર દોહરાવ્યો હતો. ભારત – અમેરીકા વ્યૂહાત્મક મંચે ભારતના આ આર્થિક ક્ષેત્રના નિર્ધાર તથા દ્રષ્ટિકોણને સમર્થન આપ્યું. આ આર્થિક મંચમાં ટોચની કંપનીઓના સી.ઇ.ઓ. રાજદ્વારીઓનો સમાવેશ થાય છે.  આ આર્થિક મંચે, પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા રજુ કરાયેલા આર્થિક દ્રષ્ટિકોણને સમર્થન જાહેર કર્યું છે. આ મંચમાં અધ્યક્ષપદે જોન ચેમ્બર છે, તથા અન્ય સભ્યોમાં શીતયુધ્ધ સમયગાળાના રાજદ્વારી હેનરી કિસીંજાર, ભૂતપૂર્વ અમેરીકાન વિદેશમંત્રી કોન્ડોલીના રાઇસ અને ટોચની કંપનીઓના 300 સી.ઇ.ઓ. નો સમાવેશ થાય છે. ભારત અને અમેરીકાના સંબંધોમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણી પરિપકવતા અને ગુણાત્મક સુધારો જોવા મળ્યો છે. વાણીજય મંત્રી પિયુષ ગોયલે આ બાબતને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો થવાની સાથે – સાથે બન્ને દેશો વચ્ચે...

આર.સી.ઇ.પી. વાટાઘાટોમાં ભારતની મકકમતા - અંગે સમીક્ષા

પ્રાદેશીક વ્યાપાક આર્થિક ભાગીદારી – આરસીઈપી અંતર્ગત ચાલી રહેલી વાટાઘાટો આગામી બે થી ચાર નવેમ્બર દરમ્યાન યોજાનાર ઈસ્ટ એશિયા સમિટ, આસીયાન પરીષદ અને અન્ય સંલગ્ન બેઠકો યોજાયતે પહેલા પુર્ણ થાય તેવી સંભાવના છે. આનાથી જુન ર૦ર૦ માં ઔપચારિક કરા માટેનો માર્ગ મોકળો બનશે. આવતા મહીનાના પ્રારંભે બેંગકોક ખાતે યોજાનાર ઈસ્ટ એશિયા સમિટ અને અન્ય બેઠકોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેશે. આરસીઈપી પણ આ બેઠકોના કેન્દ્રમાં હશે. આસીયાન સંગઠનના ૧૦ સભ્ય દેશો તથા ૬ સંવાદ ભાગીદાર ભારત, જાપાન, ઉત્તર કોરીયા, નયુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે નવેમ્બર ર૦૧ર થી આરસીઈપી વાટાઘાટોનો પ્રારંભ થયો છે. છેલ્લા સાત વર્ષમાં મુખ્ય એશિયાઈ અર્થતંત્ર સાથે સંકળાયેલા આસિયાન સંચાલિત બહુસ્તરીય વાટાઘાટોના અનેક તબકકાઓ યોજાયા છે. આ અઠવાડીયે બેંગકોકમાં આ મેગા પ્રાદેશિક વેપાર સંગઠનની બેઠક સમાપન થયુ હતું. જેમાં ૮૦ ટકા જેટલી વાટાઘાટો કરાર પુર્ણ થયા હતા. વાટાઘાટો કરનાર દેશે રરપ કરારમાંથી ૧૮પ કરારો માટે સંમત થયા હતા. દરેક કરારમાં વસ્તુ, સેવા અને રોકાણ ત્રણ ચાવીરૂપ મુદૃ પર વિશેષ ભવન કેન્દ્રીત કરાયું છે.  આસીયાન તથા ભારત સહિત ...

ભારતની પૂર્વના દેશો તરફી નીતિના વિસ્તરણ અંગે સમીક્ષા

ભારતના રાષ્ટ્રપતિ જાપાન અને ફિલીપાઈન્સની મુલાકાતે ગયા છે. આ બંને દેશો ભારતની પૂર્વના દેશો તરફી નીતિમાં મહત્વના ગણી શકાય. રાષ્ટ્રપતિએ પ્રથમ તબક્કામાં ફિલીપાઈન્સની મુલાકાત લઈને ભારત અને ફિલીપાઈન્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાને 70 વર્ષ થયા તે ઘટનાને કેન્દ્રમાં મૂકી સંબંધો મજબૂત બનાવ્યા. ત્યારબાદ તેઓએ જાપાનની મુલાકાતે લઈને રાજા નારનહિતોના રાજ્યાભિષેક સમારંભમાં હાજરી આપી હતી. સમગ્ર વિશ્વ વ્યવસ્થા અંગે સમાન વિચારો તેમજ મૂલ્યો તથા પરસ્પર હિતના આધારે ભારત અને ફિલીપાઈન્સ વચ્ચેના સંબંધો તેમને સ્વાભાવિક રીતે ભાગીદાર દેશ બનાવે છે. વિકાસશીલ દેશો પરસ્પર મદદરૂપ બને તે સિદ્ધાંતના આધારે ભારત અને ફિલીપાઈન્સ વચ્ચે સ્થપાયેલા દ્વિપક્ષીય સંબંધોને ભારતની પૂર્વના દેશો તરફી નીતિના કારણે નવું બળ મળ્યું છે. રાષ્ટ્રપતિની મુલાકાત વખતે દરિયાઈ ક્ષેત્ર, સલામતી, પ્રવાસન તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સહકાર મજબૂત બનાવતી ચાર સમજૂતી ઉપર હસ્તાક્ષર કરાયા છે. આ ઉપરાંત બંને દેશોના નાગરિકો વચ્ચેના સંબંધો સુદ્રઢ બનાવવા, રાજકીય, અવકાશ ક્ષેત્રે સહકાર વધારવા અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી. ...

ભારત-બાંગ્લાદેશ વચ્ચે મોટા પ્રમાણમાં એલપીજી આયાત અંગેના સમજૂતી કરાર કરાયા એ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે તાજેતરમાં થયેલા LPGની આયાત અંગેના સમજૂતી કરાર બંને પડોશી દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવવા માટે મહત્વપૂર્ણ કહી શકાય. ઉત્તર-પૂર્વીય રાજ્ય ત્રિપુરામાં LPGનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાના અનોખા પડકારને પહોંચી વળવા ભારતનું આ સમજૂતી કરાર અંગેનું મહત્વપૂર્ણ પગલું છે. એકબીજાની મુશ્કેલીઓને સમજવા અને તેના યોગ્ય ઉકેલ લાવવા ભારત સરકારે સૌહાદપૂર્ણ પ્રાથમિકતા દર્શવી છે. આ બાબતે ભારતના સરહદી રાજ્યમાં બાંગ્લાદેશથી જથ્થાબંધ LPG આયાત માત્ર એક વર્ષમાં જ સુનિશ્ચિત કરાશે. વળી પરિવહન ખર્ચ અને સમયમાં નોંધપાત્ર ધટાડો થશે. જ્યારે ભારત બાંગ્લાદેશથી ટ્રકમાં બે નિમાયેલા ખાનગી સપ્લાયર્સ દ્વારા LPGની આયાત શરૂ કરાશે, ત્યારે બાંગ્લાદેશના બંદર મોંગલાથી પશ્ચિમ ત્રિપુરાના ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના પ્લાન્ટ સુધીનું અંતર માત્ર 120 કિ.મી. જેટલું થશે. શ્રી મોદી અને સુશ્રી હસીનાએ પડકારો છતાં દ્વિપક્ષી સંબંધોને પરસ્પર સૌહાર્દપૂર્ણ અને લાભદાયી બનાવવા પ્રયાસ કર્યો છે. LPG પુરવઠો, બાંગ્લાદેશની બે LPG કંપનીઓ દ્વારા અપાશે અને રાજ્ય હસ્તક...

એફ.એ.ટી.એફ. ની ચેતવણી બાદ પાકિસ્તાન ગ્રે લીસ્ટમાં રહેશે - એ અંગે સમીક્ષા

પાકિસ્તાને વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે સંઘર્ષ વિરામનો ભંગ કરીને ભારતીય ચોકી તથા ગામોને લક્ષ્ય બનાવીને ગોળીબાર અને તોપમારો કરતા ભારતીય સેનાના જવાનોએ પણ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આવેલા આતંકવાદીઓના શિબીરનો ખાત્મો કર્યો હતો. લશ્કરના વડા જનરલ બીપીન રાવતે દાવો કર્યો હતો કે ભારતીય સેનાની વળતી કાર્યવાહીમાં ઘણા પાકિસ્તાની સૈનિકો તથા આતંકવાદીઓ ઠાર થયા છે. પાકિસ્તાન અવાર નવાર સંઘર્ષ વિરામનો ભંગ કરે છે. ખાસ કરીને કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ કરવાના નિર્ણય બાદ આ પ્રમાણ વધ્યુ છે. કાશ્મીર મુદેૃ આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવામાં નીષ્ફળ ગયેલા પાકિસ્તાને સંઘર્ષ વિરામનો ભંગ કરીને ગોળીબારની આડમાં ઘુસણખોરોનો ભારતમાં ઘૂસાડવાના પ્રયાસ વધાર્યા છે. જો કે ભારતીય સેનાએ પાકિસ્તાનના પ્રયાસો સતત નીષ્ફળ બનાવ્યા છે. દરમ્યાન પેરીસમાં યોજાયેલી એફએટીએફની બેઠકમાં આતંકવાદ મુદેૃ અપુરતી કાર્યવાહી કરનાર પાકિસ્તાનને ફેબ્રુઆરી ર૦ર૦ સુધી ગ્રે લીસ્ટમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. આમ એફએટીએફ સંસ્થાએ આતંકવાદીઓ સામે વધુ અસરકારક પગલાં લેવા પાકિસ્તાનને વધુ ચાર માસનો સમય આપ્યો છે. એફએટીએફ એ પાકિસ્તાનને આ મુદેૃ કડક ચેતવણી પણ આપી છે. ...

નામ સંગઠન સામેના પડકારો અંગે સમીક્ષા

બિન જોડાણવાદી દેશોના સંગઠન – નામની 18 મી શીખર પરિષદ આવતા સપ્તાહે અઝરબૈજાનમાં યોજાવાની છે. એ વાસ્તવિકતા છે કે નામ સંગઠન અંગેના સમાચારો અગાઉની જેમ હવે વિશ્વ આલમનું ધ્યાન ખેંચતા નથી. એવુ નથી કે બિન જોડાણ વાદી દેશોના સંગઠન નામે પ્રસ્તુતતા ગુમાવી છે. પણ હવે વૈશ્વિક સત્તાઓના સમીકરણો તથા આંતરરાષ્ટ્રીય સંબંધો બદલાયા છે. સમગ્ર વિશ્વમાં આવેલા પરિવર્તનના લીધે જી – ઝીરો – વિશ્વની રચના થઇ છે, તેમ પણ કહી શકાય. જી – જીરો – વિશ્વ સંકલ્પનાનો અર્થ થાય છે કે કોઇપણ એક દેશ અથવા જૂથ – આર્થિક અને વ્યૂહાત્મક બાબતો ઉપર નિયંત્રણ ધરાવી શકે નથી. કેટલાક વર્ષો પહેલા ભારતના નિષ્ણાંતોએ બિન જોડાણવાદી દેશની સંકલ્પના રજુ કરી હતી. આ સંગઠનનો હેતુ ભારત પોતાની સ્વાયત્તતા તથા મૂલ્યોનું જતન કરીને, વિશ્વસ્તરે અગ્રણી દેશ તરીકે ભૂમિકા ભજવી શકે. અમેરીકા – રશિયા વચ્ચેના શીતયુધ્ધના અંતે બિન – જોડાણવાદી દેશની સંકલ્પના નવા સંદર્ભમાં અને નવા સ્વરૃપે રજુ કરવાની જરુરીયાત ઉભી થઇ. વિદેશમંત્રી એસ.જયશંકરે મુદ્દા આધારીત, વિશ્વસત્તાઓ સાથે સારા સંબંધો રાખતી, તથા વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા મહત્વની બનાવતી નવી વિદેશનીતી રજુ કરી છે. ટૂંકમાં કહી...

ભારત-ડચ સંબંધો નવી ઉંચાઇએ

સત્તરમી સદી તરફ પાછી નજર કરીએ તો, ભારત અને નેધરલેન્ડ વચ્ચેના સંબંધો, પુરાણા ઐતિહાસિક સંબંધો કહી શકાય. 1947માં ભારતને આઝાદી મળી ત્યારબાદ બંને દેશો વચ્ચે સત્તાવાર સંબંધો સ્થપાયા. 1970 અને 1980ના દાયકામાં આર્થિક સંબંધોમાં સતત વધારો થયો. પરંતુ 1990ના દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થાના ઉદારીકરણ પછી સંબંધો ખરેખર નવી ઉંચાઇએ પહોંચ્યા. રાજકીય આર્થિક અને સામાજિક - સાંસ્કૃતિક સ્તરે, દ્વિપક્ષીય સંબંધોમાં તીવ્ર વધારો થયો છે. ઉચ્ચ નેતૃત્વની પરસ્પર મુલાકાતો બાદ દ્વિપક્ષી સંબંધોમાં સ્પષ્ટ વધારો દેખાય છે. 2006માં ડચ પ્રધાનમંત્રી જેન પીટર બાલકેનન્ડે ભારતની મુલાકાતે આવ્યા. બંને વચ્ચે છેલ્લા ચાર વર્ષમાં પ્રધાનમંત્રી સ્તરે ત્રણ મુલાકાત થઈ છે. મે-2018માં નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ્ટે ભારતના સૌથી મોટા વ્યાવસાયિક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. જેણે બંને દેશો વચ્ચે વધતાં જતાં આર્થિક જોડાણના સંકેત આપ્યા. હાલમાં જ ડચ શાહિ દંપતિ રાજા વિલિય એલેકઝાન્ડર અને રાણી મેક્ઝિમા પાંચ દિવસની ભારત યાત્રાએ આવ્યા હતા. વર્ષ 2013માં સત્તારૂઢ થયા બાદ, ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી. તાલીમબદ્ધ પાઇલેટ એવા રાજાએ ...

ડોનાલ્ડ ટ્રમ્પે સિરીયામાં તુર્કીએ કરેલા આક્રમણને આંતરરાષ્ટ્રીય સ્તરે નામંજૂર ગણાવવાના સંકેત આપ્યા, એ અંગે સમીક્ષા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, તુર્કી સામે પ્રતિબંધો લાદવાની કરેલી જાહેરાતે અગાઉથી સંઘર્ષમાં સપડાયેલા મધ્ય-પૂર્વના દેશોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. અમેરિકાએ સીરિયામાંથી પોતાના દળો પાછા ખેંચવાની શરૂઆત કર્યા બાદ તુર્કીએ સિરીયા ઉપર આક્રમણ કરવાની શરૂઆત કરી. કુર્દીશ દળોના પ્રભાવવાળા સિરીયન ડેમોક્રેટિક ફોર્સ - એસડીએફ સામે બફર ઝોન ઊભો કરવા તુર્કીએ, ઉત્તર સિરીયામાં આક્રમણ કર્યું છે. કારણ કે, તુર્કીના કુર્દીશ કાર્યકારી પક્ષ પી.કે.કે. સાથે એસ.ડી.એફ.ની સાંઠગાંઠ હોવાથી, તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રીસેપ ઓર્દેગોન એસ.ડી.એફ.ને ત્રાસવાદી જૂથ ગણે છે. સિરીયાના કુર્દો સામે આક્રમણ વધારીને, તુર્કી પોતાના દેશમાં કુર્દ લોકોનો પ્રભાવ ઘટાડવા ઇચ્છે છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, સિરીયામાંથી પોતાના દળો પાછા ખેંચવાના લીધેલા નિર્ણયને આઈએસ ત્રાસવાદી સંગઠન સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવનાર સિરીયા અને ઇરાક , અમેરિકાએ કૂર્દો સાથે કરેલો વિશ્વાસઘાત તરીકે મૂલવે છે. માર્ચ 2019માં આઈએસ ત્રાસવાદી સંગઠન સંપૂર્ણ રીતે નાબૂદ કરાયું હોવાની જાહેરાત થઈ છે, આમ છતાં આ સંગઠન ફરીથી કાર્યરત થાય તેવી ભીતી હજી પણ અકબંધ છ...

ભારતે કોમોરોસ તથા સિએરા લિયોન સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કર્યા એ અંગે સમીક્ષા

આફ્રિકાના દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાના હેતુથી ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુએ તાજેતરમાં કોમોરોસ તથા સિએરા લિયોનની મુલાકાત લીધી છે. દરીયાઈ સરહદો ધ્યાનમાં લેતા ભારત પોતાની પ્રગતીના અનુભવો વહેંચવા તથા પાડોશી દેશ કોમોરોસની પ્રગતિમાં સહભાગી થવા હંમેશા ઉત્સુક છે. ઉપરાષ્ટ્રપતિએ કોમોરોસના રાષ્ટ્ર પ્રમુખ અઝાલી અસસૌમાની સાથે મંત્રણાઓ કરી. બંને આગેવાનોએ દ્વિપક્ષીય સહકાર વધારવાની નવી તકો ચકાસી હતી તથા બંને દેશો વચ્ચેના આરોગ્ય, આર્થિક, માહિતી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવાની સંમતી આપી. આ પ્રસંગે ભારત અને કોમોરોસ વચ્ચેના આરોગ્ય, સલામતી તથા સાંસ્કૃતિક ક્ષેત્રોના સંબંધો વધારવાની સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશોએ પરસ્પર દેશોની અને ટુંકા સમયગાળાની સત્તાવાર તથા રાજદ્વારી મુલાકાતે આવનાર અધિકારીઓ માટે વીઝા મુક્તિ આપવાનો નિર્ણય લીધો. ભારતે કોમોરોસમાં મોરોની ખાતે 18 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાવાળો વીજ પ્લાન્ટ સ્થાપવા તથા વ્યવસાયિક તાલીમ કેન્દ્ર સ્થાપવા 4 કરોડ 16 લાખ અમેરિકી ડોલરનું ધિરાણ આપવાનો નિર્ણય લીધો. આ ઉપરાંત ભારત 10 લાખ અમેરિકી ડોલરની કિંમતની દવાઓ, 20 લાખ અમેર...

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનની વધતી જતી સમસ્યા અંગે સમીક્ષા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાને ચીનની બે દિવસની મુલાકાત લીધી. તેમની આ મુલાકાતના બે દિવસ પહેલા પાકિસ્તાનની સેનાના વડા કમાર જાવેદ બાજવા પણ બીજીંગ પહોંચી ગયા હતા. તેમણે સેનાના વડા જનરલ ઝાંગ સાથે તેમજ ચીની સેનાના અન્ય ટોચના અધિકારીઓ સાથે મંત્રણાઓ કરી હતી. ત્યારબાદ જનરલ બાજવા, પ્રધાનમંત્રી ઇમરાનખાનની સાથે જ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગને પણ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ઇમરાનખાને છેલ્લા એક વર્ષમાં ત્રીજી વખત ચીનની મુલાકાત લીધી છે. બંને આગેવાનોએ તેમની મંત્રણાઓ બાદ જારી કરેલા સંયુક્ત નિવેદનમાં સમુદાય સહકારના આધારે નવા યુગના નિર્માણ માટે ચીન તથા પાકિસ્તાન વચ્ચેના સર્વકાલીન વ્યુહાત્મક સહકારને વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો. અપેક્ષા મુજબ આ નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ અંગે પણ એક ફકરામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  જો કે, ચીને કાશ્મીર મુદ્દે ભારત સાથે મંત્રણા વડે ઉકેલવાના પ્રયાસો કરવાના સ્પષ્ટ સંકેતો પાકિસ્તાનને આપ્યા છે. એક તરફ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગ ભારતની મુલાકાતે આવવાના હતા અને બીજી તરફ પેરીસમાં યોજાનારી આર્થિક કાર્યવાહી કાર્યદળ - એફ.એ.ટ...

મોદી-શી જિનપિંગ બેઠક – વિકાસની ભાગીદારીનો પુનરોચ્ચાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મામલ્લાપુરમ ખાતે ચીનના રાષ્ટ્રપતિ શી-જિનપિંગને મળ્યા. અનૌપચારિક શિખર મંત્રણામાં બંને નેતાઓએ વિવિધ વિષયો પર મૈત્રીપૂર્ણ માહોલમાં વિચારોનું આદાન-પ્રદાન કર્યું. સીધી વાતચીત પરિણામની દૃષ્ટિએ સારી રહી. વૈશ્વિક અને પ્રાદેશિક રીતે અશાંતિના વાતાવરણમાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ અને સ્થિરતા સાથે વધારે વિસ્તરે તેવી અપેક્ષા છે. એશિયાની ઉભરતી અર્થવ્યવસ્થા ધરાવતા બંને દેશોના મજબૂત નેતાઓ વચ્ચે બીજી અનૌપચારિક શિખર મંત્રણા સપ્તાહના અંતમાં ચેન્નાઈ નજીક યોજાઈ હતી. પ્રથમ દિવસે આતંકવાદ ઉપરાંત મોટા વ્યૂહાત્મક મુદ્દા, સાંસ્કૃતિક સંબંધો અને રાષ્ટ્રીય વિકાસના માર્ગ, વ્યાપાર અને સુરક્ષાના મુદ્દે ચર્ચાઓ થઈ. બીજા દિવસે દ્વિપક્ષીય મુદ્દા સાથે સંબંધિત વધુ નોંધપાત્ર ચર્ચા-વિચારણા થઈ તેમજ સરહદ સ્થિરતા, આતંકવાદ, વ્યાપાર, મૂડીરોકાણ અને બંને દેશોના લોકો વચ્ચેના સંપર્કો જેવા દ્વિપક્ષીય સંબંધો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. એક દૃષ્ટિએ જોઈએ તો પલ્લવ યુગની સંસ્કૃતિના મહત્વ વિશે મામલ્લાપુરમ મંદિર પરિસરમાં મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રીનું વિસ્તૃત વર્ણન, ચીનના સર્વોચ્ચ નેતાને પણ નવાઈ...

તુર્કીની શાંતિ કાર્યવાહી એક પાંખડ

તુર્કીના લશ્કરી દળોએ ગયા બુધવારે શાંતિ કાર્યવાહીના નામે ઇશાન – સિરીયા પર આક્રમણ કર્યું. આ માટે તેને ત્રણ હેતુ હોવાનું જણાવ્યું હતું. તેમાં સિરીયા સાથેની તુર્કીની સરહદ પરની સુરક્ષા નિશ્ચિત કરવા એ પ્રદેશમાં કાર્યરત ત્રાસવાદીઓનો ખાતમો બોલાવવા અને સિરીયામાં વસતા નાગરીકોને ત્રાસવાદ સામે રક્ષણ આપવાનો હેતુ હોવાનું જણાવ્યું હતું. ભારતે આ આક્રમણ વિશેની પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે, તુર્કીએ ઇશાન – સિરીયા ઉપર કરેલા એકપક્ષીય લશ્કરી આક્રમણ અંગે ભારત ખૂબ ચિંતાતુર છે. ભારત એવું માને છે તુર્કીના આ પગલાથી તે પ્રદેશમાં સ્થિરતા અને ત્રાસવાદ સામેની લડાઇ નબળી પડશે. તેની સાથે સાથે ત્યાં વસતા નાગરિકોની પણ તકલીફો વધશે. ભારતે તુર્કીને સંયમ જાળવવા અને સિરીયાનું સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાને માન આપવાનું અનુરોધ કર્યો છે. ગયા મહિને રાષ્ટ્રસંઘની મહાસભામાં બોલતા તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગને જણાવ્યું હતું કે, ઇશાન – સિરીયામાં સ્થિતિ થાળે પાડવા તુર્કીએ સારો એવો ભોગ આપ્યો છે. તેમણે આ વિસ્તારમાં સલામતક્ષેત્ર ઉભું કરવાની દરખાસ્ત પણ મુકી હતી અને કહ્યું હતું કે, શાંતિ સ્થપાવાથી તાજેતરમાં સિરીયામાંથી આવેલા લગભ...

ભારતનો તકનીકી અને આર્થિક સહયોગ નવી ઉંચાઈએ – અંગે સમીક્ષા

ભારતે તેના સહયોગી દેશો સાથે પરસ્પર સમાનતા અને સંપ્રભુતા માટે સન્માન કરતા, વિકાસ સહયોગની પ્રતિબધ્ધતાને દોહરાવી છે. ભારતે તાજેતરમાં જ ઈ-વિદ્યાભારતી અને ઈ-આરોગ્ય ભારતીની શરૂઆત સાથે આફ્રિકા માટે ટેલી એજયુકેશન અને ટેલી મેડીસીન પ્રોજેકટ રજુ કર્યા છે, જે ભારતના તકનીકી અને આર્થિક રૂપના પપ વર્ષ નિમિત્તે વિદેશ મંત્રાલય દ્વારા અમલી સૌથી મોટી તકનીકી અને આર્થિક સહયોગ આઈટીઈએલ પરીયોજનાઓમાંની એક છે. આ પરિયોજનાઓ આફ્રિકાના વિદ્યાર્થીઓને મુખ્યત્વે પોતાના ઘરે સુવિધાપુર્ણ માધ્યમ દ્વારા ભારતીય શિક્ષણ ઉપલબ્ધ કરાવવા તેમજ આફ્રિકન ડોકટરોને તેમજ દર્દીઓને ભારતીય ચિકિત્સા તજજ્ઞતાનો લાભ આપવા મદદરૂપ નીવડશે. વિદેશ મંત્રી ડોકટર એસ.જયશંકરે કહયું કે વિકાસ સહયોગ એ ભારતની વિદેશનીતીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે અને દેશ સાત દાયકાથી વધુ સમયનો બહોળો અનુભવ ધરાવતો ટકાઉ અને વિશ્વસનીય વિકાસ સહયોગી દેશ બનવા પ્રતિબધ્ધ છે. વિદેશ મંત્રી ડોકટર એસ. જયશંકર તકનીક અને આર્થિક સહયોગના પંચાવન વર્ષ નિમિત્તે સંબોધન કરી રહયાં હતા. આઈટીઈસીએ સમગ્ર આફ્રિકન પ૪ દેશો માટેની એક પહેલ છે, જે આફ્રિકાના યુવાનોને ભારતની ડીજીટલ ક્રાંતિનો લાભ આપવા માટ...

ભારતીય હવાઈદળમાં રાફેલ યુદ્ધ વિમાનનો સમાવેશ અંગે સમીક્ષા

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ફ્રાન્સના મેરીગનેક શહેરમાં યોજાયેલા ખાસ સમારંભમાં અદ્યતન ટેકનોલોજીવાળા રાફેલ વિમાનને ભારતીય હવાઈદળમાં વિધીવત સામેલ કર્યું હતું. ભારતે ફ્રાંસ પાસેથી ખરીદેલા કુલ 36 વિમાનો પૈકી આ પ્રથમ વિમાન ભારતને સોંપવામાં આવ્યું છે. આ સાથે જ ભારતીય સેના ઘણા સમયથી ઈચ્છતી હતી તેવા અદ્યતન ટેકનોલોજીવાળા યુદ્ધ વિમાનો હવે તેને મળશે. ભારતીય સેના પારંપારીક વ્યુહાત્મક તથા બિન-પારંપારીક એમ ત્રણેય પ્રકારના યુદ્ધમાં દુશ્મનો ઉપર પ્રભુત્વ મેળવવા માગે છે. ભારતનો પાડોશી દેશ સંયુક્તસંઘની મહાસભા જેવા તટસ્થ મંચ ઉપર પણ પરમાણુ યુદ્ધની ચિમકી આપી ચૂક્યો છે. આ બાબત ધ્યાનમાં લેતા હવાઈદળમાં રાફેલ યુદ્ધ વિમાનના સમાવેશથી સેનાનું મનોબળ ચોક્કસ વધાર્યું છે. પાડોશી દેશ દ્વારા ચલાવાતા શસ્ત્ર ખરીદી કાર્યક્રમ, ટેકનોલોજીનો સતત થઈ રહેલો વિકાસ અને વિશ્વવ્યવસ્થા આ બધા જ પરિબળોના લીધે ભારતને પણ પોતાની ક્ષમતા વધારવા તથા નવા ટેકનોલોજીવાળા શસ્ત્રો મેળવવા જરૂરી બન્યું છે. ભારતીય હવાઈદળે પ્રથમ છ વિદેશી યુદ્ધ વિમાનોની ક્ષમતાઓ ચકાસી હતી. આ પ્રક્રિયામાં ભારતીય હવાઈદળે 600 માપદંડો નિર્ધારીત કર્યા હતા. આ પૈકી 590 માપદંડો ર...

ભારતીય આર્થિક શિખર સંમેલન વિકાસની કૂચ તરફ

નવજીવન સર્વસમાવેશી અને ટકાઉ અર્થવ્યવસ્થાની દૂરંદેશિતાથી પ્રેરિત ભારતની સમાધાનકારી નીતિ દસ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થાનો લક્ષ્યાંક વૈશ્વિક સ્તરે મજબૂત રીતે સુનિશ્ચિત કરશે. વિશ્વ આર્થિક મંચના પ્રમુખ બર્ગે બ્રેન્ડેએ નવી દિલ્હી ખાતે ભારતીય ઉદ્યોગ સંઘ દ્વારા સંયુક્તપણે આયોજિત ભારતીય આર્થિક શિખર સંમેલનમાં વ્યાપકપણે પોતાનું મંતવ્ય રજૂ કરવા આમ જણાવ્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે, દેશ-વિદેશના અગ્રણી નેતાઓ અને ઉદ્યોગ સાહસિકો સહિત બુદ્ધિજનોના નીરિક્ષણમાં એકમત રહ્યો, એટલે કે સર્વાનિમતે ભારત પોતાને એક રોલ મોડેલ અને પ્રેરણા તરીકે સાબિત કરી શકે છે. વિશ્વના અન્ય દેશો માટે વૈશ્વિક પડકારોના સમાધાન માટે પ્રતિકૃતિરૂપ દાખલો બેસાડી ભારત વિશ્વગુરૂ તરીકે ઉભરી શકે છે. વિશ્વ આર્થિક મંચના મેનેજિંગ ડિરેક્ટર સરિતા નૈયરે યોગ્યરીતે નોંધ્યું છે કે, બેંકોના વિલિનીકરણ અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો જેવા તાજેતરના સુધારાઓ દ્વારા ભારત મૂડીરોકાણ માટેનું વધુ આકર્ષક સ્થળ બન્યું છે. અર્થવ્યવસ્થા માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો ઈચ્છિત પગલું હતું, તેના કારણે ભારતનું તેના દક્ષિણ અને દક્ષિણપૂર્વીય એશિયન સાથી દેશો સાથે જોડાણ થય...

ઈમરાન ખાન કપરા સંજોગોનો સામનો કરી રહ્યા અંગે સમીક્ષા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને તેમની તાજેતરની અમેરિકાની મુલાકાત વખતે પ્રસાર માધ્યમો સાથેના તેમના કાશ્મીર અંગેના સંવાદ બાબતે વિશ્વસમુદાયે આપેલા પ્રતિભાવ અંગે નારાજગી વ્યક્ત કરી છે. આ માટે બે વાસ્તવિક પરિસ્થિતિ જવાબદાર ગણાવી શકાય. એક તો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકામાં યોજાયેલા “હાઉડી મોદી” કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિના કારણે અમેરિકાના પ્રસાર માધ્યમોમાં હાઉડી કાર્યક્રમ અને મોદી છવાયેલા રહ્યા છે. બીજુ તુર્કી અને મલેશિયાએ આપેલા નબળા પ્રતિભાવને બાદ કરતા બીજા કોઈ મુસ્લીમ રાષ્ટ્રે ઈમરાન ખાનના સંબોધન અને અપીલને સકારાત્મક પ્રતિભાવ આપ્યો નથી. ભારતે પાકિસ્તાનના પ્રધાનમંત્રીના સંબોધનનો પ્રતિભાવ આપવા માટે ભારતના યુવાસચિવને સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં તક આપતાં પાકિસ્તાનનો કેસ વધુ નબળો બન્યો. પાકિસ્તાનમાં પણ શરૂઆતના સામાન્ય પ્રતિભાવ બાદ ઈમરાન ખાનના UN ખાતેના સંબોધન તથા કાશ્મીર મુદ્દે ભારત સાથેની તેની વ્યૂહરચના બાબતે પ્રશ્નો ઉઠાવવાની શરૂઆત થઈ છે. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે, તેમ આંતરિક બાબતો તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ...

ભારતના સાઉદી અરેબીયા સાથેના વિકસી રહેલા સંબંઘો અંગે સમીક્ષા

ભારત અને સાઉદી અરેબીયા વચ્ચે ૫રં૫રાગત મૈત્રીપુર્ણ સંબંઘો છે. બંને વ્યુહાત્મક ભાગીદારો છે અને વિવિઘ મોરચે સાથે કામ કરે છે. આ સંદર્ભમાં ભારતના રાષ્ટ્રીય સુક્ષ્મા સલાહકાર અજીત ડોવાલે સાઉદી અરેબીયાની બે દિવસની મુલાકાત લીઘી. તેઓ યુવરાજ મુહમ્મદ બિન સલમાનને મળ્યા અને સાઉદીના તેમના સમકક્ષ બિન ઐબાન સાથે મંત્રણા કરી. આ બેઠકો દરમિયાન ઘણા દ્વિ૫ક્ષીય, પ્રાદેશીક અને આંતરરાષ્ટ્રીય મુદૃાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુવરાજ મુહમદ બીન સલમાનની સહ અઘ્યક્ષતામાં ભારત – સાઉદી વ્યુહાત્મક ભાગીદારી ૫રીષદ રચવા માટેની સ્થિતિ એ એક મહત્વનો મુદૃો હતો. મહત્વપુર્ણ રીતે પાકિસ્તાની પ્રઘાનમંત્રી ઇમરાન ખાને ગયા મહિને ૭૪મી સંયુકત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે અમેરીકા જતી વખતે રીયાઘની મુલાકાત લીઘી હતી. જમ્મુ કાશ્મીરમાં ૩૩૦મી કલમ હટાવવાના ભારતના નિર્ણય અંગે પાકિસ્તાનના રાજઘ્વારી વિરોઘને ઘ્યાને લેતાં ખાનની સાઉદી અરેબીયાની મુલાકાત મહત્વ ઘરાવે છે. ખાનની મુલાકાતનો મુખ્ય ઉદેશ્ય ભારતના નિર્ણય અંગે પાકિસ્તાની સ્થિતિ માટે સાઉદીનુ સમર્થન મેળવવાનુ હતો. આમ, શ્રી દોવાલની મુલાકાત...

ભારતના સાઉદી અરેબીયા સાથેના વિકસી રહેલા સંબંઘો અંગે સમીક્ષા

ભારત અને સાઉદી અરેબીયા વચ્ચે ૫રં૫રાગત મૈત્રીપુર્ણ સંબંઘો છે. બંને વ્યુહાત્મક ભાગીદારો છે અને વિવિઘ મોરચે સાથે કામ કરે છે. આ સંદર્ભમાં ભારતના રાષ્ટ્રીય સુક્ષ્મા સલાહકાર અજીત ડોવાલે સાઉદી અરેબીયાની બે દિવસની મુલાકાત લીઘી. તેઓ યુવરાજ મુહમ્મદ બિન સલમાનને મળ્યા અને સાઉદીના તેમના સમકક્ષ બિન ઐબાન સાથે મંત્રણા કરી. આ બેઠકો દરમિયાન ઘણા દ્વિ૫ક્ષીય, પ્રાદેશીક અને આંતરરાષ્ટ્રીય મુદૃાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુવરાજ મુહમદ બીન સલમાનની સહ અઘ્યક્ષતામાં ભારત – સાઉદી વ્યુહાત્મક ભાગીદારી ૫રીષદ રચવા માટેની સ્થિતિ એ એક મહત્વનો મુદૃો હતો. મહત્વપુર્ણ રીતે પાકિસ્તાની પ્રઘાનમંત્રી ઇમરાન ખાને ગયા મહિને ૭૪મી સંયુકત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે અમેરીકા જતી વખતે રીયાઘની મુલાકાત લીઘી હતી. જમ્મુ કાશ્મીરમાં ૩૩૦મી કલમ હટાવવાના ભારતના નિર્ણય અંગે પાકિસ્તાનના રાજઘ્વારી વિરોઘને ઘ્યાને લેતાં ખાનની સાઉદી અરેબીયાની મુલાકાત મહત્વ ઘરાવે છે. ખાનની મુલાકાતનો મુખ્ય ઉદેશ્ય ભારતના નિર્ણય અંગે પાકિસ્તાની સ્થિતિ માટે સાઉદીનુ સમર્થન મેળવવાનુ હતો. આમ, શ્રી દોવાલની મુલાકાત...

અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી: શાંતિ માટે એક તક મળશે?

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના પતન બાદ આયોજિત ચોથા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી બે વાર મુલતવી રહ્યા બાદ સઘન સુરક્ષા અને હિંસાના ઓથાર હેઠળ 28 સપ્ટેમ્બરે યોજાઈ ગઈ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે ૧૫ ઉમેદવારો મેદાનમાં હતા. કુલ ૯ પોઇન્ટ 6 મિલિયન મતદારો માટે દેશભરમાં ૪૯૦૦ મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા. જોકે છેલ્લી ચૂંટણીમાં નોંધાયેલા ૬૦ ટકા મતદાનની સરખામણીએ આ વખતે માત્ર 20 ટકા જેટલું ઓછું મતદાન થયું હતું શાંતિ દાવ પર લાગેલી છે, તેવા સમયે ચૂંટાયેલા શાસન પાસે મુખ્યત્વે તાલિબાનો સાથે મંત્રણા કરવાની કાયદેસર સત્તા હશે. ચૂંટણીના દિવસે મતદારોને ડરાવવા દેશભરમાં હુમલા તથા બોમ્બ હુમલા સહિત 400 જેટલા હુમલાઓ થયા હતા. કેટલાક મતદારોએ મતદારયાદીમાં પોતાના નામ નહીં હોવાના આક્ષેપો કરતા મતદાનમાં અવરોધો પણ ઉભા થયા હતા. રાષ્ટ્રપતિ પદ માટેના દાવેદારોમાં હાલના રાષ્ટ્રપતિ અશરફ ગની તથા વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ ડોક્ટર અબ્દુલ અબ્દુલ હતા, જેઓ રાષ્ટ્રપતિ ગની સાથે સત્તા વહેંચી રહ્યા છે એ નોંધવું રહ્યું કે, 2014માં યોજાયેલી ચૂંટણી વિવાદાસ્પદ રહી હતી, જેના પગલે 100% ધ્વનિ મતથી ઓડિટ કરાયું હતું અને ડોક્ટર અબ્દુલ્લાહ ને સમાવવા એક સમાધાન સમ...

પાકિસ્તાનના તિરસ્કારયુક્ત વલણને કોઈનું સમર્થન મળ્યું નહીં એ અંગે સમીક્ષા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને, સંયુક્ત રાષ્ટ્રસંઘની ન્યૂયોર્કમાં યોજાયેલી મહાસભામાં કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ કરવાના કરેલા પ્રયાસને સંપૂર્ણ નિષ્ફળતા મળી હતી. તેમણે ભારતના કાશ્મીર રાજ્યમાં મુસ્લિમ નાગરિકોની કહેવાતી સ્થિતિનું વર્ણન કરીને બીજા દેશોનો ટેકો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહાસભામાં ઉપસ્થિત સભ્યો પૈકી કોઈએ, આ સંબોધન તરફ ધ્યાન આપ્યું નથી. ઇમરાન ખાને તો એક ડગલું આગળ વધીને પરમાણુ યુદ્ધ કરવાની પણ ચીમકી આપી હતી. પાકિસ્તાની અગ્રણીને અમેરિકાના વહિવટીતંત્રનો પણ કોઈ પ્રતિભાવ મળ્યો નથી. અમેરિકાના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની ટિકા કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન ભારતના કાશ્મીરના મુસ્લિમોના કહેવાતા દુઃખો અંગેબોલે છે, તો ચીનના ઉયધુર-મુસ્લિમના મુદ્દાઓ અંગે શા માટે ચૂપકીદી સેવે છે? અમેરિકાની દક્ષિણ અને મધ્ય એશિયા બાબતોની સહાયક રાજ્યમંત્રી એલીસ વેલ્સે બંને પાડોશી દેશો વચ્ચેની ઉગ્રતા ઘટાડવાની સલાહ આપી છે. તેમણે કહ્યં કે, ચીને આશરે દસ લાખ ઉયઘુર મુસ્લિમોને બંધી બનાવ્યા છે. તો આ મુદ્દે પાકિસ્તાને ચીનને પણ પ્રશ્નો પૂછવા જોઈએ. શ્રી ઇમરાન ખાને તો પાકિસ્તાન અને ચીન ખાસ સંબંધો ધરાવે ...