પાકિસ્તાને વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે સંઘર્ષ વિરામનો ભંગ કરીને ભારતીય ચોકી તથા ગામોને લક્ષ્ય બનાવીને ગોળીબાર અને તોપમારો કરતા ભારતીય સેનાના જવાનોએ પણ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આવેલા આતંકવાદીઓના શિબીરનો ખાત્મો કર્યો હતો. લશ્કરના વડા જનરલ બીપીન રાવતે દાવો કર્યો હતો કે ભારતીય સેનાની વળતી કાર્યવાહીમાં ઘણા પાકિસ્તાની સૈનિકો તથા આતંકવાદીઓ ઠાર થયા છે. પાકિસ્તાન અવાર નવાર સંઘર્ષ વિરામનો ભંગ કરે છે. ખાસ કરીને કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ કરવાના નિર્ણય બાદ આ પ્રમાણ વધ્યુ છે.
કાશ્મીર મુદેૃ આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવામાં નીષ્ફળ ગયેલા પાકિસ્તાને સંઘર્ષ વિરામનો ભંગ કરીને ગોળીબારની આડમાં ઘુસણખોરોનો ભારતમાં ઘૂસાડવાના પ્રયાસ વધાર્યા છે. જો કે ભારતીય સેનાએ પાકિસ્તાનના પ્રયાસો સતત નીષ્ફળ બનાવ્યા છે. દરમ્યાન પેરીસમાં યોજાયેલી એફએટીએફની બેઠકમાં આતંકવાદ મુદેૃ અપુરતી કાર્યવાહી કરનાર પાકિસ્તાનને ફેબ્રુઆરી ર૦ર૦ સુધી ગ્રે લીસ્ટમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. આમ એફએટીએફ સંસ્થાએ આતંકવાદીઓ સામે વધુ અસરકારક પગલાં લેવા પાકિસ્તાનને વધુ ચાર માસનો સમય આપ્યો છે.
એફએટીએફ એ પાકિસ્તાનને આ મુદેૃ કડક ચેતવણી પણ આપી છે. પાકિસ્તાન વધુ વખત નીષ્ફળ જશે તો તેને બ્લેકલીસ્ટમાં મુકવાનો ખતરો વધી જશે. જો આમ થાય તો તેને આર્થિક ફટકો પડી શકે છે. એફએટીએફ સંસ્થાએ પાકિસ્તાન માટે આતંકવાદ સામેની કાર્યવાહી માટે નિર્ધારીત કરેલા ર૭ પૈકી પાંચ માપદંડો બાબતે પાકિસ્તાને કાર્યવાહી કરી છે. ચીન, મલેશિયા અને તુર્કી પાકિસ્તાનને વધુ સમય આપવા ઇચ્છતા હોવાથી જ પાકિસ્તાન બ્લેકલીસ્ટમાં મુકાવાથી બચી ગયું છે.
અત્યાર સુધી એફએટીએફ સંસ્થા દ્વારા ઉત્તર કોરીયા તથા ઇરાન આ બે દેશોને જ બ્લેક લીસ્ટમાં મુકવામાં આવ્યા છે. જે દેશો બ્લેક લીસ્ટમાં મુકાય છે તેમની સામે પ્રતિબંધો મુકાય છે અને આઇએમએફ વિશ્વ બેંક અને અન્ય સંસ્થાઓ પાસેથી ધિરાણ આવા દેશોને મળતુ નથી. જો કે ચીન, મલેશીયા તથા તુર્કી પાકિસ્તાનને વધુ કડક ચેતવણી આપવા સંમત થયા હતા. ચીનના પ્રતિનિધિ અને એફએટીએફના વર્તમાન અધ્યક્ષે ટીપ્પણી કરી હતી કે પાકિસ્તાને આતંકવાદ મુદેૃ વધુ ઝડપથી કાર્યવાહી કરવી જોઇએ.
ફેબ્રુઆરી ર૦ર૦ સુધી પાકિસ્તાન જો નોંધપાત્ર કામગીરી કરશે નહી તો તેને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવશે. ગત જુન ર૦૧૮ માં પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં મુકવામાં આવ્યુ હતું. પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને નાણાંકીય પીઠબળ પુરૂ પાડતુ હોવાના અહેવાલને ગંભીરતાથી લઇને એફએટીએફ દ્વારા નીર્ણય લેવાયો હતો.
ત્યારપછી અત્યાર સુધીના સમયાંતરે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં જ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પાકિસ્તાન, આતંકવાદ સામે તે પુરતા પગલાં લઇ રહયું હોવાની સતત રજુઆત એફએટીએફ સમક્ષ કરતુ આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો ઉપર પાકિસ્તાની સત્તાવાળાઓ ધ્વારા આતંકવાદને નાથવા માટે ગંભીરતાપુર્વક પગલાં લઇ રહયું હોવાના દાવાઓ કર્યા છે.
જો કે વિશ્વ સમુદાયે પાકિસ્તાનને અત્યાર સુધી આપેલી દરેક તકનો ઉપયોગ કરવામાં પાકિસ્તાન નીષ્ફળ રહયું હોવાનું જણાય છે. આતંકવાદીઓને મળતાં નાણાંના પ્રવાહને રોકવામાં પાકિસ્તાન નિર્ણાયક કાર્યવાહી કરી શકયુ નથી. પાકિસ્તાન પ્રેરીત આતંકવાદની સીધી અસર ભારત ઉપર થઇ રહી છે. ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લેવાય તેની રજુઆત કરી છે. જેને અમેરીકા સહિત ઘણા દેશોએ ટેકો આપ્યો છે.
ભારતે વિશ્વ આલમનું ધ્યાન દોર્યુ હતું કે જૈશ એ મહંમદ આતંકવાદી સંગઠનના બેંક ખાતા ફ્રીઝ કરાયા હોવા છતાં સંગઠનનો વડો મસૂદ અઝર નાણાં બેંક ખાતામાંથી ઉપાડવામાં સફળ રહયો હતો.
એફએટીએફની ચેતવણી બાદ પાકિસ્તાન શું પગલાં લે છે. તેની પર વિશ્વની નજર છે. આ ચેતવણીને ગંભીરતાથી લઇ કાર્યવાહી કરવી તે પાકિસ્તાન જ હિતમાં છે. જો પાકિસ્તાને ગ્રે લીસ્ટ માંથી બહાર આવવુ હશે અને દેશને વિકાસના પંથે લઇ જવો હશે તો તેણે તાત્કાલિક પગલાં લેવા જ પડશે.
કાશ્મીર મુદેૃ આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવામાં નીષ્ફળ ગયેલા પાકિસ્તાને સંઘર્ષ વિરામનો ભંગ કરીને ગોળીબારની આડમાં ઘુસણખોરોનો ભારતમાં ઘૂસાડવાના પ્રયાસ વધાર્યા છે. જો કે ભારતીય સેનાએ પાકિસ્તાનના પ્રયાસો સતત નીષ્ફળ બનાવ્યા છે. દરમ્યાન પેરીસમાં યોજાયેલી એફએટીએફની બેઠકમાં આતંકવાદ મુદેૃ અપુરતી કાર્યવાહી કરનાર પાકિસ્તાનને ફેબ્રુઆરી ર૦ર૦ સુધી ગ્રે લીસ્ટમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. આમ એફએટીએફ સંસ્થાએ આતંકવાદીઓ સામે વધુ અસરકારક પગલાં લેવા પાકિસ્તાનને વધુ ચાર માસનો સમય આપ્યો છે.
એફએટીએફ એ પાકિસ્તાનને આ મુદેૃ કડક ચેતવણી પણ આપી છે. પાકિસ્તાન વધુ વખત નીષ્ફળ જશે તો તેને બ્લેકલીસ્ટમાં મુકવાનો ખતરો વધી જશે. જો આમ થાય તો તેને આર્થિક ફટકો પડી શકે છે. એફએટીએફ સંસ્થાએ પાકિસ્તાન માટે આતંકવાદ સામેની કાર્યવાહી માટે નિર્ધારીત કરેલા ર૭ પૈકી પાંચ માપદંડો બાબતે પાકિસ્તાને કાર્યવાહી કરી છે. ચીન, મલેશિયા અને તુર્કી પાકિસ્તાનને વધુ સમય આપવા ઇચ્છતા હોવાથી જ પાકિસ્તાન બ્લેકલીસ્ટમાં મુકાવાથી બચી ગયું છે.
અત્યાર સુધી એફએટીએફ સંસ્થા દ્વારા ઉત્તર કોરીયા તથા ઇરાન આ બે દેશોને જ બ્લેક લીસ્ટમાં મુકવામાં આવ્યા છે. જે દેશો બ્લેક લીસ્ટમાં મુકાય છે તેમની સામે પ્રતિબંધો મુકાય છે અને આઇએમએફ વિશ્વ બેંક અને અન્ય સંસ્થાઓ પાસેથી ધિરાણ આવા દેશોને મળતુ નથી. જો કે ચીન, મલેશીયા તથા તુર્કી પાકિસ્તાનને વધુ કડક ચેતવણી આપવા સંમત થયા હતા. ચીનના પ્રતિનિધિ અને એફએટીએફના વર્તમાન અધ્યક્ષે ટીપ્પણી કરી હતી કે પાકિસ્તાને આતંકવાદ મુદેૃ વધુ ઝડપથી કાર્યવાહી કરવી જોઇએ.
ફેબ્રુઆરી ર૦ર૦ સુધી પાકિસ્તાન જો નોંધપાત્ર કામગીરી કરશે નહી તો તેને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવશે. ગત જુન ર૦૧૮ માં પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં મુકવામાં આવ્યુ હતું. પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને નાણાંકીય પીઠબળ પુરૂ પાડતુ હોવાના અહેવાલને ગંભીરતાથી લઇને એફએટીએફ દ્વારા નીર્ણય લેવાયો હતો.
ત્યારપછી અત્યાર સુધીના સમયાંતરે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં જ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પાકિસ્તાન, આતંકવાદ સામે તે પુરતા પગલાં લઇ રહયું હોવાની સતત રજુઆત એફએટીએફ સમક્ષ કરતુ આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો ઉપર પાકિસ્તાની સત્તાવાળાઓ ધ્વારા આતંકવાદને નાથવા માટે ગંભીરતાપુર્વક પગલાં લઇ રહયું હોવાના દાવાઓ કર્યા છે.
જો કે વિશ્વ સમુદાયે પાકિસ્તાનને અત્યાર સુધી આપેલી દરેક તકનો ઉપયોગ કરવામાં પાકિસ્તાન નીષ્ફળ રહયું હોવાનું જણાય છે. આતંકવાદીઓને મળતાં નાણાંના પ્રવાહને રોકવામાં પાકિસ્તાન નિર્ણાયક કાર્યવાહી કરી શકયુ નથી. પાકિસ્તાન પ્રેરીત આતંકવાદની સીધી અસર ભારત ઉપર થઇ રહી છે. ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લેવાય તેની રજુઆત કરી છે. જેને અમેરીકા સહિત ઘણા દેશોએ ટેકો આપ્યો છે.
ભારતે વિશ્વ આલમનું ધ્યાન દોર્યુ હતું કે જૈશ એ મહંમદ આતંકવાદી સંગઠનના બેંક ખાતા ફ્રીઝ કરાયા હોવા છતાં સંગઠનનો વડો મસૂદ અઝર નાણાં બેંક ખાતામાંથી ઉપાડવામાં સફળ રહયો હતો.
એફએટીએફની ચેતવણી બાદ પાકિસ્તાન શું પગલાં લે છે. તેની પર વિશ્વની નજર છે. આ ચેતવણીને ગંભીરતાથી લઇ કાર્યવાહી કરવી તે પાકિસ્તાન જ હિતમાં છે. જો પાકિસ્તાને ગ્રે લીસ્ટ માંથી બહાર આવવુ હશે અને દેશને વિકાસના પંથે લઇ જવો હશે તો તેણે તાત્કાલિક પગલાં લેવા જ પડશે.
Comments
Post a Comment