Skip to main content

એફ.એ.ટી.એફ. ની ચેતવણી બાદ પાકિસ્તાન ગ્રે લીસ્ટમાં રહેશે - એ અંગે સમીક્ષા

પાકિસ્તાને વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે સંઘર્ષ વિરામનો ભંગ કરીને ભારતીય ચોકી તથા ગામોને લક્ષ્ય બનાવીને ગોળીબાર અને તોપમારો કરતા ભારતીય સેનાના જવાનોએ પણ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આવેલા આતંકવાદીઓના શિબીરનો ખાત્મો કર્યો હતો. લશ્કરના વડા જનરલ બીપીન રાવતે દાવો કર્યો હતો કે ભારતીય સેનાની વળતી કાર્યવાહીમાં ઘણા પાકિસ્તાની સૈનિકો તથા આતંકવાદીઓ ઠાર થયા છે. પાકિસ્તાન અવાર નવાર સંઘર્ષ વિરામનો ભંગ કરે છે. ખાસ કરીને કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ કરવાના નિર્ણય બાદ આ પ્રમાણ વધ્યુ છે.

કાશ્મીર મુદેૃ આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવામાં નીષ્ફળ ગયેલા પાકિસ્તાને સંઘર્ષ વિરામનો ભંગ કરીને ગોળીબારની આડમાં ઘુસણખોરોનો ભારતમાં ઘૂસાડવાના પ્રયાસ વધાર્યા છે. જો કે ભારતીય સેનાએ પાકિસ્તાનના પ્રયાસો સતત નીષ્ફળ બનાવ્યા છે. દરમ્યાન પેરીસમાં યોજાયેલી એફએટીએફની બેઠકમાં આતંકવાદ મુદેૃ અપુરતી કાર્યવાહી કરનાર પાકિસ્તાનને ફેબ્રુઆરી ર૦ર૦ સુધી ગ્રે લીસ્ટમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. આમ એફએટીએફ સંસ્થાએ આતંકવાદીઓ સામે વધુ અસરકારક પગલાં લેવા પાકિસ્તાનને વધુ ચાર માસનો સમય આપ્યો છે.

એફએટીએફ એ પાકિસ્તાનને આ મુદેૃ કડક ચેતવણી પણ આપી છે. પાકિસ્તાન વધુ વખત નીષ્ફળ જશે તો તેને બ્લેકલીસ્ટમાં મુકવાનો ખતરો વધી જશે. જો આમ થાય તો તેને આર્થિક ફટકો પડી શકે છે. એફએટીએફ સંસ્થાએ પાકિસ્તાન માટે આતંકવાદ સામેની કાર્યવાહી માટે નિર્ધારીત કરેલા ર૭ પૈકી પાંચ માપદંડો બાબતે પાકિસ્તાને કાર્યવાહી કરી છે. ચીન, મલેશિયા અને તુર્કી પાકિસ્તાનને વધુ સમય આપવા ઇચ્છતા હોવાથી જ પાકિસ્તાન બ્લેકલીસ્ટમાં મુકાવાથી બચી ગયું છે.

અત્યાર સુધી એફએટીએફ સંસ્થા દ્વારા ઉત્તર કોરીયા તથા ઇરાન આ બે દેશોને જ બ્લેક લીસ્ટમાં મુકવામાં આવ્યા છે. જે દેશો બ્લેક લીસ્ટમાં મુકાય છે તેમની સામે પ્રતિબંધો મુકાય છે અને આઇએમએફ વિશ્વ બેંક અને અન્ય સંસ્થાઓ પાસેથી ધિરાણ આવા દેશોને મળતુ નથી. જો કે ચીન, મલેશીયા તથા તુર્કી પાકિસ્તાનને વધુ કડક ચેતવણી આપવા સંમત થયા હતા. ચીનના પ્રતિનિધિ અને એફએટીએફના વર્તમાન અધ્યક્ષે ટીપ્પણી કરી હતી કે પાકિસ્તાને આતંકવાદ મુદેૃ વધુ ઝડપથી કાર્યવાહી કરવી જોઇએ.

ફેબ્રુઆરી ર૦ર૦ સુધી પાકિસ્તાન જો નોંધપાત્ર કામગીરી કરશે નહી તો તેને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવશે. ગત જુન ર૦૧૮ માં પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં મુકવામાં આવ્યુ હતું. પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને નાણાંકીય પીઠબળ પુરૂ પાડતુ હોવાના અહેવાલને ગંભીરતાથી લઇને એફએટીએફ દ્વારા નીર્ણય લેવાયો હતો.

ત્યારપછી અત્યાર સુધીના સમયાંતરે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં જ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પાકિસ્તાન, આતંકવાદ સામે તે પુરતા પગલાં લઇ રહયું હોવાની સતત રજુઆત એફએટીએફ સમક્ષ કરતુ આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો ઉપર પાકિસ્તાની સત્તાવાળાઓ ધ્વારા આતંકવાદને નાથવા માટે ગંભીરતાપુર્વક પગલાં લઇ રહયું હોવાના દાવાઓ કર્યા છે.

જો કે વિશ્વ સમુદાયે પાકિસ્તાનને અત્યાર સુધી આપેલી દરેક તકનો ઉપયોગ કરવામાં પાકિસ્તાન નીષ્ફળ રહયું હોવાનું જણાય છે. આતંકવાદીઓને મળતાં નાણાંના પ્રવાહને રોકવામાં પાકિસ્તાન નિર્ણાયક કાર્યવાહી કરી શકયુ નથી. પાકિસ્તાન પ્રેરીત આતંકવાદની સીધી અસર ભારત ઉપર થઇ રહી છે. ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લેવાય તેની રજુઆત કરી છે. જેને અમેરીકા સહિત ઘણા દેશોએ ટેકો આપ્યો છે.

ભારતે વિશ્વ આલમનું ધ્યાન દોર્યુ હતું કે જૈશ એ મહંમદ આતંકવાદી સંગઠનના બેંક ખાતા ફ્રીઝ કરાયા હોવા છતાં સંગઠનનો વડો મસૂદ અઝર નાણાં બેંક ખાતામાંથી ઉપાડવામાં સફળ રહયો હતો.

એફએટીએફની ચેતવણી બાદ પાકિસ્તાન શું પગલાં લે છે. તેની પર વિશ્વની નજર છે. આ ચેતવણીને ગંભીરતાથી લઇ કાર્યવાહી કરવી તે પાકિસ્તાન જ હિતમાં છે. જો પાકિસ્તાને ગ્રે લીસ્ટ માંથી બહાર આવવુ હશે અને દેશને વિકાસના પંથે લઇ જવો હશે તો તેણે તાત્કાલિક પગલાં લેવા જ પડશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...