પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, કોવિડના લીધે ઊભી થયેલી અસાધારણ પરિસ્થિતિમાં દેશના ખેડૂતોએ નોંધપાત્ર કામગીરી કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેતીનો પાયો મજબૂત હશે, તો આત્મનિર્ભર ભારત પણ મજબૂત બનશે. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ ખેતી ક્ષેત્ર ઘણાં નિયંત્રણોમાંથી મુક્ત બન્યું છે. તેમણે હરિયાણાના કંવર ચૌહાણ ખેડૂતનું ઉદાહરણ આપ્યું હતું. કંવર ચૌહાણને વર્ષ 2014 સુધી પોતાના ખેતરમાં ઉત્પાદીત શાક તથા ફળોનું મંડીની બહાર વેચાણ કરવામાં તકલીફ પડતી હતી, પણ શાક તથા ફળોને એ.પી.એમ.સી. ધારામાંથી મુક્ત કરાયા બાદ તેને ઘણો લાભ થયો. તેમણે બીજા ખેડૂતોની સાથે મળીને ખેત પેદાશ સંસ્થાની રચના કરી છે અને આ સંગઠન મકાઈની ખેતી કર્યા બાદ તેનું વેચાણ દિલ્હીની આઝાદપુર મંડીમાં પણ કરે છે. આમ કરવાથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખેડૂતો પોતાની કૃષિ ઉપજોને દેશના કોઈપણ ખૂણામાં વેચી શકે છે. આ બાબત તેમના પ્રગતિનો પાયો બની રહેશે. ફળ અને શાકભાજીને એ.પી.એમ.સી. ધારામાંથી મુક્તિ અપાયા બાદ મહાર...