Skip to main content

ભારતના ખેડૂતોની કામગીરીને બિરદાવતા પ્રધાનમંત્રી અંગે સમીક્ષા



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, કોવિડના લીધે ઊભી થયેલી અસાધારણ પરિસ્થિતિમાં દેશના ખેડૂતોએ નોંધપાત્ર કામગીરી કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેતીનો પાયો મજબૂત હશે, તો આત્મનિર્ભર ભારત પણ મજબૂત બનશે. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ ખેતી ક્ષેત્ર ઘણાં નિયંત્રણોમાંથી મુક્ત બન્યું છે.

તેમણે હરિયાણાના કંવર ચૌહાણ ખેડૂતનું ઉદાહરણ આપ્યું હતું. કંવર ચૌહાણને વર્ષ 2014 સુધી પોતાના ખેતરમાં ઉત્પાદીત શાક તથા ફળોનું મંડીની બહાર વેચાણ કરવામાં તકલીફ પડતી હતી, પણ શાક તથા ફળોને એ.પી.એમ.સી. ધારામાંથી મુક્ત કરાયા બાદ તેને ઘણો લાભ થયો.

તેમણે બીજા ખેડૂતોની સાથે મળીને ખેત પેદાશ સંસ્થાની રચના કરી છે અને આ સંગઠન મકાઈની ખેતી કર્યા બાદ તેનું વેચાણ દિલ્હીની આઝાદપુર મંડીમાં પણ કરે છે. આમ કરવાથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખેડૂતો પોતાની કૃષિ ઉપજોને દેશના કોઈપણ ખૂણામાં વેચી શકે છે.

આ બાબત તેમના પ્રગતિનો પાયો બની રહેશે. ફળ અને શાકભાજીને એ.પી.એમ.સી. ધારામાંથી મુક્તિ અપાયા બાદ મહારાષ્ટ્રની ખેત ઉત્પાદન સંસ્થાને થયેલા લાભની વાત પણ શ્રી મોદીએ કરી હતી. તેમણે કહ્યું કે, મુંબઈ અને પુણેના ખેડૂતો સાપ્તાહિક બજારોમાં તેમની કૃષિ ઉપજોનું કોઈપણ વચેટિયા વગર વેચાણ કરી શકે છે.

તેમણે તમિલનાડુની બનાના ફાર્મર પ્રોડ્યુસ કંપનીની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે, લોકડાઉનના સમયમાં આ કંપનીએ આજુબાજુના ગામોમાંથી હજ્જારો ટન ફળ, શાકભાજી તથા ફળોની ખરીદી કરીને આ ઉપજોને ચેન્નાઈના બજારો સુધી પહોંચાડી હતી.

એવી જ રીતે લખનઉના ખેડૂતોના સહકારી સંગઠને પણ આસપાસના ગામોથી શાક, ફળ રૂપી કૃષિ ઉપજોને લખનઉ શહેર સુધી પહોંચાડી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, નવી ટેકનોલોજી તથા નવકલ્પનાની મદદથી ખેતી ક્ષેત્રનો વિકાસ હજી ઝડપી બની શકે છે.

તેમણે ગુજરાતના ઇસ્માઇલભાઈનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, કુટુંબીજનોએ ના કહી હોવા છતાં ઇસ્માઇલભાઈએ ખેતીને વ્યવસાય તરીકે અપનાવી હતી. તેમણે ટપક સિંચાઈ પધ્ધતિથી ઉચ્ચ ગુણવત્તાવાળા બટાકાનું ઉત્પાદન મેળવ્યું હતું. હવે તેઓ આ બટાકા વચેટીયા વગર મોટી કંપનીઓને વેચીને સારો નફો મેળવી રહ્યા છે.

મન કી બાતમાં પ્રધાનમંત્રીએ ભારતની શ્રેષ્ઠ વાર્તાકથનની પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, પંચતંત્ર અને હિતોપદેશ જેવા શ્રેષ્ઠ ગ્રંથો પણ ભારતની વાર્તાકથનની પરંપરાના આદર્શ ઉદાહરણ છે. તમિલનાડુ અને કેરળમાં પ્રાચીનકાળથી ધાર્મિકકથા સંભાળવવાની વીલુ પટ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. આ પરંપરામાં કથાકથન તથા સંગીતનું આગવું મિશ્રણ હોય છે.

તેમણે કહ્યું કે, હાલના સમયમાં વિજ્ઞાન કથાઓની નવી પરંપરા વિકસી રહી છે અને લોકપ્રિય બની રહી છે. પ્રધાનમંત્રીએ આઈ.આઈ.એમ. ના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી અમર વ્યાસ દ્વારા ગાથાસ્ટોરી – ડોટ – ઇન વેબસાઇટની મદદથી તથા મહારાષ્ટ્રમાં વૈશાલી વ્યવહારે દ્વારા વાર્તાકથન સ્વરૂપને પ્રોત્સાહન આપવા થઈ રહેલી કામગીરીની વિગતો જણાવીને તેમની કામગીરીની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ વાર્તાકથનની પરંપરા જાળવતા બધા જ લોકોને આ માધ્યમથી દેશહિતના કાર્યો કરનાર મહાન વ્યક્તિત્વોનો પરિચય આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, વાર્તા કહેવાની પરંપરાનું દરેક ઘરમાં જતન થવું જોઈએ.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...