Skip to main content

ભારતના ખેડૂતોની કામગીરીને બિરદાવતા પ્રધાનમંત્રી અંગે સમીક્ષા



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, કોવિડના લીધે ઊભી થયેલી અસાધારણ પરિસ્થિતિમાં દેશના ખેડૂતોએ નોંધપાત્ર કામગીરી કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેતીનો પાયો મજબૂત હશે, તો આત્મનિર્ભર ભારત પણ મજબૂત બનશે. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ ખેતી ક્ષેત્ર ઘણાં નિયંત્રણોમાંથી મુક્ત બન્યું છે.

તેમણે હરિયાણાના કંવર ચૌહાણ ખેડૂતનું ઉદાહરણ આપ્યું હતું. કંવર ચૌહાણને વર્ષ 2014 સુધી પોતાના ખેતરમાં ઉત્પાદીત શાક તથા ફળોનું મંડીની બહાર વેચાણ કરવામાં તકલીફ પડતી હતી, પણ શાક તથા ફળોને એ.પી.એમ.સી. ધારામાંથી મુક્ત કરાયા બાદ તેને ઘણો લાભ થયો.

તેમણે બીજા ખેડૂતોની સાથે મળીને ખેત પેદાશ સંસ્થાની રચના કરી છે અને આ સંગઠન મકાઈની ખેતી કર્યા બાદ તેનું વેચાણ દિલ્હીની આઝાદપુર મંડીમાં પણ કરે છે. આમ કરવાથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખેડૂતો પોતાની કૃષિ ઉપજોને દેશના કોઈપણ ખૂણામાં વેચી શકે છે.

આ બાબત તેમના પ્રગતિનો પાયો બની રહેશે. ફળ અને શાકભાજીને એ.પી.એમ.સી. ધારામાંથી મુક્તિ અપાયા બાદ મહારાષ્ટ્રની ખેત ઉત્પાદન સંસ્થાને થયેલા લાભની વાત પણ શ્રી મોદીએ કરી હતી. તેમણે કહ્યું કે, મુંબઈ અને પુણેના ખેડૂતો સાપ્તાહિક બજારોમાં તેમની કૃષિ ઉપજોનું કોઈપણ વચેટિયા વગર વેચાણ કરી શકે છે.

તેમણે તમિલનાડુની બનાના ફાર્મર પ્રોડ્યુસ કંપનીની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે, લોકડાઉનના સમયમાં આ કંપનીએ આજુબાજુના ગામોમાંથી હજ્જારો ટન ફળ, શાકભાજી તથા ફળોની ખરીદી કરીને આ ઉપજોને ચેન્નાઈના બજારો સુધી પહોંચાડી હતી.

એવી જ રીતે લખનઉના ખેડૂતોના સહકારી સંગઠને પણ આસપાસના ગામોથી શાક, ફળ રૂપી કૃષિ ઉપજોને લખનઉ શહેર સુધી પહોંચાડી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, નવી ટેકનોલોજી તથા નવકલ્પનાની મદદથી ખેતી ક્ષેત્રનો વિકાસ હજી ઝડપી બની શકે છે.

તેમણે ગુજરાતના ઇસ્માઇલભાઈનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, કુટુંબીજનોએ ના કહી હોવા છતાં ઇસ્માઇલભાઈએ ખેતીને વ્યવસાય તરીકે અપનાવી હતી. તેમણે ટપક સિંચાઈ પધ્ધતિથી ઉચ્ચ ગુણવત્તાવાળા બટાકાનું ઉત્પાદન મેળવ્યું હતું. હવે તેઓ આ બટાકા વચેટીયા વગર મોટી કંપનીઓને વેચીને સારો નફો મેળવી રહ્યા છે.

મન કી બાતમાં પ્રધાનમંત્રીએ ભારતની શ્રેષ્ઠ વાર્તાકથનની પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, પંચતંત્ર અને હિતોપદેશ જેવા શ્રેષ્ઠ ગ્રંથો પણ ભારતની વાર્તાકથનની પરંપરાના આદર્શ ઉદાહરણ છે. તમિલનાડુ અને કેરળમાં પ્રાચીનકાળથી ધાર્મિકકથા સંભાળવવાની વીલુ પટ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. આ પરંપરામાં કથાકથન તથા સંગીતનું આગવું મિશ્રણ હોય છે.

તેમણે કહ્યું કે, હાલના સમયમાં વિજ્ઞાન કથાઓની નવી પરંપરા વિકસી રહી છે અને લોકપ્રિય બની રહી છે. પ્રધાનમંત્રીએ આઈ.આઈ.એમ. ના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી અમર વ્યાસ દ્વારા ગાથાસ્ટોરી – ડોટ – ઇન વેબસાઇટની મદદથી તથા મહારાષ્ટ્રમાં વૈશાલી વ્યવહારે દ્વારા વાર્તાકથન સ્વરૂપને પ્રોત્સાહન આપવા થઈ રહેલી કામગીરીની વિગતો જણાવીને તેમની કામગીરીની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ વાર્તાકથનની પરંપરા જાળવતા બધા જ લોકોને આ માધ્યમથી દેશહિતના કાર્યો કરનાર મહાન વ્યક્તિત્વોનો પરિચય આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, વાર્તા કહેવાની પરંપરાનું દરેક ઘરમાં જતન થવું જોઈએ.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...