Skip to main content

Posts

Showing posts from December, 2019

અફધાનીસ્તાનમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી અંગે સમીક્ષા

અફધાનિસ્તાનમાં રાષ્ટ્રપ્રમુખની યોજાયેલી ચૂંટણીના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ આંતરવિગ્રહથી અસરગ્રસ્ત એવા અફધાનિસ્તાને વિખેરાતી જતી લોકશાહી વ્યવસ્થા મજબૂત બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે, તેમ કહી શકાય. અફધાનિસ્તાનના ચૂંટણી પંચે, ચૂંટણી પરિણામોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ અશરફ ધનીને 50.46 ટકા મત મળ્યા છે અને શ્રી ધનીનો વિજય થયો છે.  અફધાનીસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી અને ધનીના મુખ્ય હરીફ અબ્દુલ્લાહ અબ્દુલ્લાહ બે લાખ મતોથી અશરફ ધની સામે હારી ગયા છે. ઘણાં સમયથી આંતરવિગ્રહ તથા તાલીબાનોના હુમલામાં સપડાયેલા અફધાનીસ્તાના ચૂંટણી પંચે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના આયોજન વખતે ચૂંટણીમાં ગેરરીતિઓની સંભાવના નાબૂદ કરવા ખુબ જ જહેમત ઉઠાવી હતી. આના લીધે જ ઘણાં મતદારો, બાયોમેટ્રિક તપાસમાં નિષ્ફળ જતા, તેઓ મતદાન કરી શક્યા ન હતા. એવી જ રીતે ચૂંટણી બાબતે થયેલી ઘણી ફરિયાદો પણ ચકાસી જવાની ખાતરી ચૂંટણી પંચે આપી છે. આ સમગ્ર કામગીરી કેટલાક અઠવાડીયા અથવા કેટલાક મહિનાઓ સુધી ચાલે તેવી સંભાવના છે. ફરિયાદોના નિવારણ બાદ અશરફ ધનીને મળેલા મતોની ટકાવારી જો 50 ...

એવરેસ્ટ પર્વત ઉપર પર્વતારોહણ કરવા માટેના નિયમો વધુ કડક બનાવવાનો નેપાળનો નિર્ણય આ અંગે સમીક્ષા

હિમાલયના સૌથી ઊંચા 8 હજાર 843 મીટરની ઉંચાઇવાળા માઉન્ટ એવરેસ્ટ ઉપર જતા પર્વતારોહક પાસેથી નેપાળને દર વર્ષે નોંધપાત્ર આવક મળે છે. જો કે એવરેસ્ટની ટોચ ઉપર જવાનો પ્રયાસ કરનાર પર્વતારોહકો પૈકી આ વર્ષના મે માસમાં 11 પર્વતારોહીઓના મૃત્યુ નીપજતાં નેપાળમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વર્ષ 2015માં 25મી એપ્રિલે હિમાલયના કેટલાક વિસ્તારોમાં વિનાશક ભૂકંપ અને તેના પગલે ભેખડો ધસી પડતા 22 પર્વતારોહકોના મૃત્યુ થયા હતા. આ વર્ષે 800થી વધુ પર્વતારોહકોએ એવરેસ્ટ સર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પૈકી ઘણા પર્વતારોહીઓ લગભગ એક જ સમયે એવરેસ્ટના 8 હજાર મીટરની ઊંચાઇએ આવેલા અને ડેથ ઝોન તરીકે ઓળખાતા વિસ્તારોમાં એકઠા થતા ઘણાં પર્વતારોહકોને આ ક્ષેત્રમાં કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી. દરેક પર્વતારોહક શીખર સર કરવા માટેના આબોહવાના અનુકૂળ સમયમાં જ એવરેસ્ટના શીખર ઉપર પહોંચવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. ખૂબ જ ઉંચાઇ ઉપર લાંબો સમય રહેવાથી થતી બીમારીના લીધે ઘણા પર્વતારોહકોના મૃત્યુ નીપજયા હતા. નેપાળ સરકારના જણાવ્યા મુજબ આ વર્ષે 22મી મે ના રોજ 223 લોકો એવરેસ્ટના શીખર ઉપર ગયા હતા. નેપાળ સરકાર પર્વતારોહણના યોગ્ય સીઝનમાં એવરેસ્ટ ઉ...

અમેરીકાએ ધાર્મિક ભેદભાવ અપનાવતા દેશોની યાદીમાં પાકિસ્તાનનું નામ જાળવી રાખ્યુ એ અંગે સમીક્ષા

અમેરીકાએ ધાર્મિક ભેદભાદ અપનાવતા દેશોની યાદીમાં પાકિસ્તાનું નામ જાળવી રાખ્યું છે. આ યાદીમાં સમાવેલા અન્ય દેશોના નામ છે., મ્યાનમાર, ચીન, ઇરાન, ઉત્તર કોરીયા, સાઉદી અરેબીયા, તાજીકિસ્તાન અને તુર્કમેનીસ્તાન. અમેરીકા આ દેશોને સી.પી.સી. એટલે કે ચોક્કસ ચિંતાવાળા દેશો તરીકે ઓળખવામાં આવે છે. અમેરીકાના વિદેશ વિભાગે વર્ષ 1998ના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય ધારા હેઠળ ખાસ દેશોની આ યાદી તૈયાર કરી છે. આ યાદી હેઠળ ધાર્મિક સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન કરનાર દેશોનો સમાવેશ કરવામાં આવે છે. આવા દેશો સામે અમેરીકા આર્થિક પ્રતિબંધો સહિત બીજા પગલાં ભરી શકે છે. જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે, અમેરીકા દ્વારા તૈયાર કરાયેલી સૂચિને પસંદગીપાત્ર દેશોને લક્ષ્ય, બનાવીને તૈયાર કરેલી સૂચિ ગણાવીને તેને નકારી કાઢી છે. પાકિસ્તાને દલીલ કરી છે કે પાકિસ્તાન એક થી વધુ ધર્મ અનુસરતા લોકોનો દેશ છે. અહીં બધા જ લોકો ધાર્મિક સ્વાતંત્ર્ય ભોગવે છે. પાકિસ્તાન સરકારની વહિવટી, ધારાસભા તથા ન્યાયતંત્ર જેવી બધી જ વહિવટી પાંખો પાકિસ્તાનમાં બધા જ ધર્મના લોકો સંપૂર્ણ ધાર્મિક સ્વાતંત્ર્ય ભોગવી શકે, તે બાબત સુનિશ્ચિત કરે છે. પાકિસ્તાનની અદાલતોએ ...

જળવ્યવસ્થાપન પ્રત્યે ભારતનો સર્વગ્રાહી અભિગમ વિશે સમીક્ષા

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિને ‘અટલ ભૂજળ યોજના’ નામની મહત્વાકાંક્ષી જળવ્યવસ્થાપન યોજના જાહેર કરીને ભારતે લાખો લોકોને પાણી સંબંધિત તકલીફોમાંથી બહાર કાઢવાનો તેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. હકીકતમાં પાણીની અછતના નિવારણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજીવાર સત્તા સંભાળ્યા પછી જળ શક્તિ મંત્રાલયની રચના કરીને દેશનો આ વિષય પ્રત્યેનો અભિગમ સ્પષ્ટ કરી દીધો હતો. આ નિર્ણયથી પાણીની કટોકટીને એક વિભાગનો વિષય બનાવવાના બદલે તેને વધુ સર્વગ્રાહી અભિગમ બનાવવામાં મદદ કરી છે. લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને અનુકૂળ દેશની સમસ્યાઓનું નિરાકરણ લાવ્યા વિના નૂતન ભારતનું સપનું સાકાર કરી શકાય તેમ નથી. અટલ ભૂજળ યોજના દેશના ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના 78 જિલ્લામાં ઊંડા ઉતરેલા પાણીના સ્તરની સમસ્યા ઉકેલવામાં તો કામ આવશે જ પરંતુ સાથોસાથ દેશના ખેડૂતોને પાણી બચાવે તેવા વૈકલ્પિક પાકોની જરૂરિયાતો અંગે જાગ્રત કરવામાં પણ મદદરૂપ થશે. ભારતમાં ખેતી મોટાભાગે જમીનમાંના પાણીની સિંચાઇ આધારીત જ છે. જમીનમાંથી મોટા પ્રમાણમાં પાણી ખેંચાવાથી અને વરસાદની બદલાઈ રહેલી ત...

ભારત અને ઇરાનના સંયુક્ત પંચની 19મી બેઠક અંગે સમીક્ષા

ભારતના વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે ભારત અને ઇરાનના સંયુક્ત પંચની 19મી બેઠકમાં ભાગ લેવા તાજેતરમાં ઇરાનની મુલાકાત લીધી હતી. ભારત અને ઇરાનના વિદેશમંત્રીઓના અધ્યક્ષપદે સંયુકત પંચની બેઠક યોજવામાં આવી હતી. બંને મિત્રો દેશો દ્વારા દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા માટે તૈયાર કરેલી આ એક વ્યવસ્થા છે. ઇરાનની મુલાકાત વખતે શ્રી જયશંકરે ઇરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રૌહાનીની મુલાકાત લઈને સંયુક્ત પંચની બેઠકમાં થયેલી વાતચીત અંગે જાણકારી આપી હતી. શ્રી જયશંકરે ઇરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સલામતી પરિષદના વડા રીયર એડમિરલ અલી શામખાની અને શહેરી વિકાસમંત્રી મહમ્મદ ઇસ્લામી સાથે પણ મંત્રણાઓ કરી હતી. ઇરાન અને અમેરિકા વચ્ચે રાજકીય અને આર્થિક ક્ષેત્રે મડાગાંઠ સર્જાઈ છે અને અમેરિકાએ ઇરાન સામે રાજકીય અને આર્થિક પ્રતિબંધો લાદયા છે ત્યારે ભારત ઇરાન સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાના હેતુથી આ મુલાકાત યોજી હતી. ખૂબ જ ફળદાયી રહેલી આ સંયુક્ત પંચની બેઠકમાં ભારત અને ઇરાને દ્વિપક્ષીય સંબંધોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. એટલું જ નહીં ભારત અને ઇરાન ચાબહાર બંદર યોજના વધુ ઝડપી બનાવવા સહમત થયા હતા. ઇરાનના વિદેશમંત્રી જાવેદ ઝરીફે ...

ભારત-ચીન વચ્ચે 22મી પ્રતિનિધિસ્તરની મંત્રણામાં પ્રગતિ

ચીનના વિદેશમંત્રી વાંગ યીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ સાથે મંત્રણા કરવા ભારતની મુલાકાત લીધી હતી. શ્રી વાંગે ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુની પણ મુલાકાત લીધી હતી. કેટલાંક પરિબળોને કારણે આ વખતની વિશેષ પ્રતિનિધિસ્તરની મુલાકાત નોંધપાત્ર હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ઓક્ટોબર મહિનામાં ચેન્નાઇ નજીક મમલ્લાપુરમ ખાતે બીજી અનૌપચારીક શિખર બેઠક યોજાઈ હતી. આ બેઠકના અંતે બંને નેતાઓ બંને દેશોના સરહદી મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ માટે વધુ વિશ્વસનીય પગલા લેવા સહમત થયા હતા. આ ભાવનાના પડઘારૂપે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલે જણાવ્યું છે કે, બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા અને સરહદી પ્રશ્નો ઉકેલવા, નવો દૃષ્ટિકોણ અને વ્યૂહાત્મક માર્ગદર્શન આપ્યું છે. ચીન તરફથી જણાવવાંમાં આવ્યું કે, બેઠકમાં બંને દેશો વ્યવસ્થાપન નિયમો ઘડવા, સરહદી દળો વચ્ચે આદાનપ્રદાન મજબૂત બનાવવા અને સરહદી બેઠક સ્થળો વધારવા સંમત થયા છે. આમ, આ બેઠકમાં બંને પક્ષો સલામત વાતાવરણ અને ઝડપી સૈન્ય આધુનિકરણની અનિશ્ચિતતા જોતા – સરહદ વ્યવસ્થાપન અને બંને પક્ષના લશ્કરો વચ્ચે સહભાગીતા વધારવા વધુ પગલા લ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારતીય અર્થતંત્ર વિસ્તરણના માર્ગે છે. તે સમીક્ષા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું છે કે, ભારતીય અર્થતંત્ર વિસ્તરણના માર્ગે આગળ વધી રહ્યું છે. જીડીપી દરમાં ધીમો ઘટાડો થવાની પૃષ્ઠભૂમિમાં પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો છે. કે, તેમની સરકાર આગામી પાંચ વર્ષમાં ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલીયન ડોલર સુધી લઇ જવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ સરકારની આર્થિક નીતિનું પુનઃમુલ્યાંકન કરતાં ભારપૂર્વક કહ્યું કે, ભૂતકાળમાં અનેક મક્કમ પગલા લેવામાં આવ્યા છે. જેના કારણે આવતા વર્ષોમાં તેના પરિણામ મળશે. એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી – એસોચેમે 100 વર્ષ પૂર્ણ કરવાના અવસરે સંબોધન કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થવ્યવસ્થામાં ઘટાડો થઇ રહ્યો હોવાની ધારણાને દૂર કરવા જબરજસ્ત હસ્તક્ષેપ કર્યો. વાસ્તવમાં છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં જી.ડી.પી.ના વિકાસ દરમાં ઘટાડા અંગે ઘણું બધું કહેવામાં આવ્યું છે. જે વૈશ્વિક આર્થિક મંદીની પૃષ્ઠભૂમિમાં પણ છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલો વેપાર યુદ્ધ પણ નિર્વિવાદ રીતે ભારતીય અર્થવ્યવસ્થાને અસર કરી રહ્યો છે. આ હકીકતને કોઇ નકારી શકે તેમ નથી કે પ્રધાનમંત્રી શ્રી મોદીને એક એવી અર્થવ્યવ...

ભારત અને અમેરીકા વચ્ચે યોજાયેલી બીજી ટૂ-પ્લસ – ટૂ બેઠક અંગે સમીક્ષા

ભારત અને અમેરીકાના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની અને ટૂ-પ્લસ-ટૂ તરીકે ઓળખાતી બેઠક આ સપ્તાહમાં વોશિંગ્ટનમાં યોજાઇ ગઇ. આ બેઠકમાં અફઘાનીસ્તાનમાં સ્થિરતા લાવવી, પ્રાદેશિક સલામતીની પરિસ્થિતી, આતંકવાદનો સામનો, તથા ભારત-પ્રશાંત વિસ્તારમાં સ્થિર વ્યવસ્થા જેવા મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકની સૌથી મહત્વની બાબત ઔદ્યોગિક સલામતી અંગેની સમજૂતી ગણાવી શકાય. આ સમજૂતીના કારણે બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્ર અને વિકાસને નવું બળ મળશે. ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં યોજાયેલી પ્રથમ ટૂ-પ્લસ-ટૂ બેઠકમાં કોમકાસા સમજૂતી ઉપર કરાયેલા હસ્તાક્ષરના લીધે ભારત અને અમેરીકાની સેનાઓ વચ્ચે પ્રત્યક્ષ કામગીરીમાં આદાન-પ્રદાન મજબૂત બનાવવાનો માર્ગ મોકળો બન્યો હતો. આ બેઠકના લીધે ભારત અને અમેરીકા વચ્ચેનો સલામતી ક્ષેત્રનો સહકાર વધુ સઘન બન્યો છે. હાલના સમયમાં અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે અમેરિકાની પ્રતિનિધિ સભામાં મહાભિયોગ હાથ ધરવાની મંજુરી મળતા, શ્રી ટ્રમ્પ અસાધારણ પડકારનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ ભારતમાં કેટલાક સ્થળોએ નવા ધારાના વિરોધ તો ક્યાંક સમર્થનમાં દેખાવો થઇ રહ્યા છ...

ભારત – પોર્ટુગલનો સંબંધો ઉત્થાન તરફ છે – એ અંગે સમીક્ષા

ફરીથી ચૂંટાયા બાદ પાર્ટુગીઝ પ્રધાનમંત્રી શ્રી એન્ટોનિયો કોસ્ટાની યુરોપની બહાર પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત ભારત માટે વિવિધ કારણોસર મહત્વની બની છે. શ્રી કોસ્ટા અત્યાર સુધી ત્રણ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી મળી ચૂક્યા છે. તેમણે જાન્યુઆરી 2017માં ભારતની મુલાકાત કરી ત્યારે ભારતે તેમને પ્રવાસી ભારતીય સન્માનથી નવાજ્યા હતા. શ્રી કોસ્ટાને ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં પણ સંબોધન કર્યું હતું. ત્યારબાદ એ જ વર્ષે ભારતીય પ્રધાનમંત્રીએ તેમની પોર્ટુગલ મુલાકાત દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને સહયોગના વિશિષ્ટ ક્ષેત્રોની ઓળખ કરી. શ્રી મોદીએ પોર્ટુગલના ૬પ હજાર ભારતીયોના યોગદાનની સરાહના પણ કરી. તેમને ભારતના વાસ્તવિક રાજદુત કહયા. ર૦૧૮માં ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ પોર્ટુગલની મુલાકાત લીધી હતી. દાયકાઓથી પરિધીય વ્યસ્તતાને પછી પોર્ટુગલ ભારતીય વિદેશ નીતી – ઘડનારાઓના રડાર પર છે. પોર્ટુગલને વિકસાવવા માટે ભારત પાસે વ્યવહારિક કારણો છે. જેમ કે પ્રધાનમંત્રી કોસ્ટાએ કહયું છે કે પોર્ટુગલ ભારતનો યુરોપનો પ્રેવેશધ્વાર બનવા ઇચ્છે છે. પોર્ટુગલ વાસ્તવમાં યુરોપિયન એકીકરણમાં કેન્દ્ર સ્થાને રહયું છે. પોર્ટુગ...

મેડ્રીડ પરીષદમાં આબોહવા પરીવર્તન ઘટાડવા ભારતે રજુ કરેલીક કાર્ય યોજના 

આબોહવા પરીવર્તન હકીકત છે અને તેનાથી દુર ભાગી શકાય તેમ નથી. આબોહવા પરીવર્તન કોઇ એક દેશની કામગીરી કે નિષ્ક્રીયતા પર આધારીત નથી માટે તેની અસરોથી દુનિયાનો કોઇપણ દેશ બાકી રહી શકે તેમ નથી. કમોસમી વરસાદ, અતિશય ગરમી અને અતિશય ઠંડી વિગેરે આબોહવા પરીવર્તનના પરીણામ છે. જેની અસર આરોગ્ય અને ખાદ્ય ઉત્પાદનો પર થાય છે. હમણા જ પુરી થયેલી આબોહવા પરીવર્તનની મેડ્રીડ પરીષદ અથવા કોપ-રપ પરિષદમાં આબોહવા પરીવર્તન સામે અસરકારક પગલાં માટે પેરીસ સંધી ર૦૧પ ના અમલીકરણ માટેની કાર્ય યોજના ઘડવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી. બે અઠવાડીયા ચાલેલી આ પરીષદમાં આબોહવા પરીવર્તનની અસરો અંગેની વૈજ્ઞાનીક ચેતવણીઓ, તેના પરીણામો અને તેની વિનાશકતાથી વિશ્વનો બચાવ જેવી બાબતોની સમીક્ષા કરાઇ હતી. આબોહવા પરીવર્તન માટેની સંયુક્ત રાષ્ટ્ર સંઘની સંસ્થા - આંતર સરકાર પેનલ – આઇપીસીસી એ આ પરીષદમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તમામ રાષ્ટ્રો આબોહવા પરીવર્તન સામે પોતાની કાર્યયોજનાને વધુ સઘન નહી બનાવે તો પ્રકૃતિને નુકશાન કરી રહેલા પરીબળોને ઘટાડવા માટેના ઇચ્છીત પરીણામો મળી શકશે નહી. સંયુકત રાષ્ટ્રસંઘ પર્યાવરણ કાર્યક્રમના એમિશન ગેપ રીપોર્ટ...

સંસદના ગત સપ્તાહ અંગે સમીક્ષા

સંસદના શિયાળુ સત્રની કામગીરીમાં નાગરીકત્વ સુધારા વિધેયકને મળેલી મંજુરી એ સૌથી મહત્વની કામગીરી ગણાવી શકાય. ગૃહમાં આ વિધેયકને રજુ કરતા ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું હતું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતીઓએ જે મુશ્કેલીઓ વેઠી છે, તેના નિવારણ માટે આ વિધેયક લાવવાની જરૂર ઉભી થઈ છે. દેશના વિભાજન પછી આ દેશોમાં ધાર્મિક લઘુમતી સમુદાયો ધાર્મિક સતામણીનો ભોગ બનતા આવ્યા છે. આ વિધેયક નાગરિકત્વ ધારો-1955માં સુધારો કરવાના હેતુથી રજુ કરાયું હતું, જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં ગેરકાયદેસર રીતે આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રીસ્તી સમુદાયના લોકોને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ હતી. બંધારણીય રીતે વિધેયકની યોગ્યતા અંગે બોલતા શ્રી શાહે જણાવ્યું હતું કે, આ અંગેની શરતોના પાલન હેતુથી વિધેયકમાં પૂરતા પ્રમાણમાં વર્ગીકરણ કરાયું છે. આ વિધેયક ઉતાવળમાં લાવવામાં આવ્યું છે તથા અન્ય મુદ્દાઓથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે લાવવામાં આવ્યું હોવાના વિપક્ષના સભ્યોના આક્ષેપોને ગૃહમંત્રીએ નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, અગાઉ શ્રીલંકા અને યુગાંડાના નાગરિકોને પણ ભારતીય નાગ...

હાફિઝ સઇદ સામેનું આરોપનામું વાસ્તવિકતા કે માત્ર દેખાડો...

સંયુક્ત સંઘ દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા જમાત-ઉદ-દાવાનો વડો અને 26/11 મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદને લાહોર અદાલતે આતંકવાદ માટે નાણાંભંડોળ પૂરા પાડવામાં આરોપમાં દોષિત જાહેર કર્યો છે. જુલાઈમાં પંજાબ પોલીસના આતંકવાદ – વિરોધી વિભાગ દ્વારા સઇદ અને તેના સાથીઓ વિરૂદ્ધ 23 પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. અને તેમને ન્યાયીક રીમાન્ડ માટે લાહોરના કોટ લખપત જેલમાં ખસેડાયા હતા. જ્યારે સજા ફરમાવાઈ ત્યારે સઈદ અદાલતમાં હાજર હતો. પાકિસ્તાનની આતંક-વિરોધી અદાલત દ્વારા 11 ડિસેમ્બરે સઇદ વિરૂદ્ધ આરોપ ઘડવામાં આવ્યા હતા. હવે પ્રશ્નએ થાય છે કે, અદાલત તેની સાથે ગંભીરતાથી કેસ ચલાવશે ખરી.... પાકિસ્તાની વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે તે જાણનારા તમામને આ પ્રશ્ન થશે. આતંક-વિરોધી નાણાં પર દેખરેખ રાખતું વૈશ્વિક દળ ફાયનાન્સીયલ એકશન ટ્રાસ્ક ફોર્સ FATF દ્વારા આતંકી નાણાં ભંડોળ બંદ કરવા બાબતે પાકિસ્તાન જબરદસ્ત દબાણ હેઠળ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદ UNSCના દબાણ હેઠળ પાકિસ્તાન સઈદના બેન્ક ખાતા સહિતની નાણાંકીય અટકાયતો સ્થગિત કરવા મજબૂર બન્યું હતું. જોકે, આ પ્રતિબંધ છતાં પાકિસ્તાને UNSCને પરિવાર ખર્ચને પહોંચી વળવા ...

ભારતીય અર્થતંત્રનો વિકાસદર વધી રહે તેવો ઓઇસીડી આર્થિક સર્વેક્ષણમાં વ્યકત કરાયેલો અંદાજ.

આર્થિક સહકાર અને વિકાસ સંસ્થા – ઓઇસીડી ધ્વારા નવી દિલ્હીમાં ગયા અઠવાડીયામાં ભારતનું આર્થિક સર્વેક્ષણ રજુ કરવામાં આવ્યું. જેમાં ભારતીય અર્થતંત્ર શાશ્વત વિકાસ તરફ આગળ વધશે તેવો અંદાજ વ્યકત કરવામાં આવ્યો. જો કે સર્વેક્ષણમાં ઘટી રહેલા ખાનગી રોકાણ અને ઔદ્યોગીક ઉત્પાદન અંગે ચિંતા વ્યકત કરવામાં આવી. વેરા પધ્ધતિમાં સુધારા, વેપાર સરળીકરણ માટે તથા માળખાકીય ક્ષેત્રમાં રોકાણ વધારવા લેવાયેલા પગલાઓના કારણે ભારતીય અર્થતંત્ર ફરી ગતી પકડશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે. તેમ છતાં ગુણવત્તાયુક્ત રોજગાર નિર્માણ અને ગ્રામીણ આવક વધારવા જેવા પડકારો અર્થતંત્ર સામે છે. ભારતના રાજયોમાં આર્થિક અભિસરણની અછત છે. એટલે કે ગરીબ રાજયો અમીર રાજયો સાથે હરીફાઇ નથી કરી શકયા. દેશની અંદર વધી રહેલી આર્થિક અસમાનતા ઉપર તાત્કાલિક ધ્યાન આપવું આવશ્યક છે. અહેવાલ રજુ કરતા ઓઇસીડીના મુખ્ય અર્થશાસ્ત્રી લોરેન્સ બુને જણાવ્યું કે વૈશ્વીક અર્થતંત્રમાં ભારત પ્રગતીશીલ રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થયું છે. અર્થતંત્રને ફરી પાટા ઉપર ચડાવવા ભારતને ચક્રીય તથા રચનાત્મક સુધારા લાવવાની જરૂર છે. ઓઇસીડીના આર્થિક સર્વેક્ષણમાં ભારતનો વિકાસદર વર્ષ ર૦ર૦ માં...

જુગનાથની ભારત મુલાકાત

મોરેશીયસના ફરી ચૂંટાયેલા પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથની ગયા અઠવાડિયાની ભારત મુલાકાત દર્શાવે છે કે, બંને દેશો દ્વિપક્ષીય અને સાંસ્કૃતિક સંબંધોને કેટલું મહત્વ આપે છે. મોરેશીયસની કુલ 13 લાખ લોકોની વસ્તીમાંથી બે તૃતિયાંશથી વધુ લોકો ભારતીય મૂળના છે. બંને દેશો સલામતી, આર્થિક તેમજ વિકાસ અંગેની બાબતમાં એકબીજાની પડખે ઉભા રહેવાની નૈસર્ગિક પકૃતિ ધરાવે છે. આમ તો શ્રી જગનાથની આ મુલાકાતને ખાનગી ગણાવાઇ હતી તેમ છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું હૈદરાબાદ હાઉસ ખાતે સ્વાગત કર્યું હતું. જે ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા મહાનુભાવો માટેનું મુલાકાત સ્થળ છે. બેઠક દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબુત કરવાની એકબીજાને ખાતરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સલામત, સ્થિર અને સમૃદ્ધ દેશ બનાવવાની મોરિશીયસની આકાંક્ષાને પૂર્ણ કરવા ભારતનો ટેકો જાહેર કર્યો હતો. ભારતના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મોરિશયસને સક્ષમ બનાવવામાં ભારત મોરેશિયસની સરકાર અને લોકોને સંપૂર્ણ સહકાર આપશે. પ્રધાનમંત્રી શ્રી જુગનાથે મોરિશયસના સૌ પ્રથમ મેટ્રો એક્સપ્રેસ પ્રોજેક્ટ, સ્પેશ્યાલાઇઝડ આંખ-નાક ગળાની હોસ્પિટલ તેમજ અન્ય સામાજિ...

સંસદનું ગત સપ્તાહ

ચાલુ શિયાળું સત્રમાં રાજ્યસભામાં ઇલેક્ટ્રિક સિગારેટ પ્રતિબંધક વિધેયક 2019, વિશેષ સુરક્ષા ગ્રુપ સંશોધન વિધેયક 2019 અને દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશોનું વિલીનીકરણ વિધેયક 2019 પસાર કરવામાં આવ્યા. લોકસભામાં તોફાની ચર્ચા બાદ કરવેરા કાયદા સુધારા વિધેયક 2019 પસાર કરવામાં આવ્યું. ચર્ચા દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, રોકાણકારોને આકર્ષવા તથા રોજગારીના સર્જન હેતુથી આ નિર્ણય કરાયો છે. તેમણે ઉમેર્યુ કે અમેરિકા – ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ બાદ બહુરાષ્ટ્રીય કંપનીઓ ચીનનો વિકલ્પ શોધી રહી છે ત્યારે ભારતને સ્પર્ધાત્મક સ્થળ બનાવવાના માટે આ લેવાયેલો આ વ્યુહાત્મક નિર્ણય છે. તેમણે કહ્યું કે, પહેલી ઓક્ટોબર પછી સમાવેલા કોઇપણ કંપની તથા ઉત્પાદન એકમમાં રોકાણ કરનાર 15 ટકાના દરે ચૂકવણી કરી શકશે. જો કે તેણે અન્ય છૂટોનો લાભ લીધો હોવો જોઇએ નહી અને 2023ની 31 માર્ચ પહેલા ઉત્પાદન કરવાનું શરૂ કરવું પડશે આગ્રણી ઉદ્યોગપતિઓએ કરદરોમાં કરાયેલા ઘટાડાને ભારતીય કંપનીઓને સ્પર્ધાત્મક બનાવવા મોદી સરકારે લીધેલાં હકારાત્મક પગલું ગણાવ્યું હતું. રાજ્યસભામાં ઇલેક્ટ્રોનીક સિગરેટ...

સ્વીડનના રાજવી દંપતીની ભારતની મુલાકાત અંગે સમીક્ષા

સ્વીડનના રાજા કાર્લ ગુસ્તાફ અને રાણી સિલ્વીયા ભારતની પાંચ દિવસની મુલાકાતે આવ્યા હતા. સ્વિડનના વિદેશમંત્રી ઍન લીન્ડે અને વેપાર મંત્રી ઇબ્રાહીમ બેલાન પણ તેમની સાથે ભારત આવ્યા હતા. તેમની સાથે સ્વિડનની 50 કંપનીઓ તથા સ્ટાર્ટ અપના પ્રતિનિધીઓ પણ ભારત આવ્યા. આ અગાઉ 1993 તથા 2005માં સ્વિડનના રાજાએ ભારતની મુલાકાત લીધી હતી. ભારત અને સ્વિડન વચ્ચે સમયાંતરે યોજાતી ઉચ્ચકક્ષાની મુલાકાતોના લીધે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુને – વધુ મજબૂત બની રહ્યા છે. રાજા ગુસ્તાફ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રણાઓ કરી હતી તથા ઇનોવેશન અર્થાત નવકલ્પના અંગેની નીતિ બાબતની ઉચ્ચસ્તરીય બેઠકનું ઉદ્દઘાટન કર્યું હતું. આ બેઠકમાં ભવિષ્યમાં સહકાર મજબૂત બનાવવો, આબોહવામાં પરિવર્તનના પરિણામોની અસર ઘટાડવી, સાતત્યપૂર્ણ વિકાસ જેવા મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી.  સ્વિડનના રાજાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ વાતચીત કરી હતી. આ પ્રસંગે ભારત અને સ્વિડને ત્રણ સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. પ્રથમ સમજૂતી સ્વિડનની ઉર્જા એજન્સી અને ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે હસ્તાક્ષર કર્યા હતા. સ્વ...

ઇરાનમાં થઇ રહેલા દેખાવોના કારણે અખાતી વિસ્તારમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે સમીક્ષા

ગયા મહિને ઇરાન સરકારે જાહેરાત કરી હતી કે તેઓ ગરીબ નાગરીકોને મદદ કરવા માટે વધારાના પૈસા બચાવવા માટે પેટ્રોલ રાશન ઉપર આપી રહી છે. તેલથી સમૃધ્ધ દેશની સરકાર ધ્વારા અચાનક કરવામાં આવેલી આ જાહેરાતથી પેટ્રોલની કિંમતોમાં વધારો થયો અને લોકોએ કરેલો વિરોધ ઝડપથી ઘણા શહેરોમાં ફેલાઇ ગયો અને આ વિરોધે શાસનની સ્થિરતા સામે પડકાર ઊભો કરતી રાજકીય અશાંતિનું સ્વરૂપ ધારણ કર્યુ.  ઇરાની અધિકારીઓએ આ વિરોધાભાષ માટે નિર્વાસિત વિરોધી સમુહો અને વિદેૃશી દુશ્મનોને દોષી ગણાવ્યા છે અને નિર્ણાયક પ્રતિક્રિયા આપી છે. સરકારે વિરોધી પ્રદર્શનો ફેલાતા રોકવા માટે ઇન્ટરનેટ સેવાને બંધ કરી દીધી. ઇરાની રિવાલ્યુશનરી ગાર્ડ કોર્પસ – આઇઆરજીએસના મુખ્ય કમાન્ડરના મતે આ અશાંતીના માધ્યમથી ઇરાનના દૂશ્મનોનો ઉદેૃશ ઇસ્લામી ગણતંત્રના અસ્તિત્વને જોખમમાં મુકવાનો છે. તેમ છતાં ઇરાને વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકો અંગે કોઇપણ સત્તાવાર આંકડાઓ જાહેર નથી કર્યા. એમનેસ્ટી ઇન્ટરનેશનલે દાવો કર્યો છે કે તેણે વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા ર૦૮ લોકોના મોત નોંધાયા છે. એક અહેવાલ મુજબ ઇરાનમાં હાલની અશાંતીના સમયમાં આશરે બે હજાર લોકો ઇજાગ્રસ્ત થયા છે અન...

ત્રિભેટે આવી પહોંચેલા ઈરાક અંગે સમીક્ષા

ઈરાકના યુવાનો છેલ્લા બે મહિનાથી દેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવી ઉભી થયેલી સમસ્યાઓ તથા ઈરાન અને અમેરિકા દ્વારા ઈરાકની આંતરિક બાબતોમાં દરમિયાનગીરી કરવાના બનાવોનો વિરોધ કરી રહ્યા છે. આરંભમાં માત્ર વિરોધના સ્વરૂપવાળાં દેખાવોએ હવે સરકાર સામે નાગરિક અસહકાર ચળવળનું સ્વરૂપ ધારણ કર્યું છે. ઈરાકના નજફ, કરબલા, બસરા તથા બગદાદમાં સરકાર સામે મોટી સંખ્યામાં નાગરિકો ધરણામાં જોડાઈ રહ્યા છે. દરમ્યાન સરકાર વિરોધી દેખાવ કરનાર લોકો સામે સલામતીદળોએ કરેલી કાર્યવાહીમાં 400 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. ગયા શુક્રવારે શીયા ધર્મગુરૂ આયાતોલ્લાહ અલી અલ સીસ્તાનીએ સરકારને ટેકો આપવાના નિર્ણયની સમીક્ષા કરવાની અપીલ કરતા ઈરાકના પ્રધાનમંત્રી અબદેલ અબદુલ મહાદીએ પદ પરથી રાજીનામું આપ્યું છે. ઈરાકની સંસદે પ્રધાનમંત્રીના રાજીનામાનો સ્વીકાર કરીને નવા પ્રધાનમંત્રીની નિમણૂક કરવા રાષ્ટ્રપ્રમુખને નિર્દેશ આપ્યો હતો. જોકે દેખાવો ચાલુ જ રહ્યા હતા અને ચળવળનું કેન્દ્ર બગદાદનો તાહરીર ચોક બન્યો. આર્થિક મુશ્કેલી તથા ભ્રષ્ટાચારના દૂષણોએ ઈરાકના યુવાનોમાં વિરોધનો જુવાળ ઉભો કર્યો છે. અમેરિકાએ વર્ષ 20...

ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલની વસાહતોને કાયદેસરતા આપી તે અંગે સમીક્ષા

અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીઓએ ઈઝારયેલ હસ્તકના વિસ્તારોમાં ઉભી કરાયેલી ઈઝરાયેલની વસાહતોને કાયદેસર ગણવાની કરેલી જાહેરાત આંતરરાષ્ટ્રીય સમુદાયના સર્વ-સંમતીથી ઉભા થયેલા મતથી સંપૂર્ણરીતે વિપરીત હતી. એટલું જ નહીં વર્ષ 1967માં શરૂ થયેલા આ ક્ષેત્રના યુદ્ધ બાદ અમેરિકાએ અત્યાર સુધી જાળવી રાખેલી તેની નીતિને પણ ફગાવી દેનારી હતી. શ્રી પોમ્પીઓએ જણાવ્યું હતું કે, વેસ્ટ બેંક વિસ્તારમાં ઈઝરાયેલે ઉભી કરેલી વસાહતો આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અનુરૂપ છે છતાં આ મુદ્દે ઈઝરાયેલ તથા પેલેસ્ટીની લોકોએ ચર્ચા વિચારણા કરવી જોઈએ. આ વસાહતોમાં જૂન 1967ના યુદ્ધ બાદ ઈઝરાયેલે કબજે કરેલા સીનાઈ પેનીનસુલા, ગોલાન હાઈટ્સ, ગાઝા પટ્ટી અને પશ્ચિમી કાંઠા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ઈઝરાયેલે યુદ્ધ પુરૂ થતાં જ રહેણાંક એકમો બાંધવાની શરૂઆત કરી હતી. યુદ્ધ પહેલા યેરૂસલેમ શહેરના પૂર્વ વિસ્તારમાં જોર્ડનનો કબજો હતો, તે ક્ષેત્ર ઈઝરાયેલે પોતાના કબજામાં લીધું. ત્યારબાદ તેણે ગોલાન હાઈટ્સ વિસ્તારોમાં આવાસો બાંધવાની શરૂઆત કરી. આ કામગીરી ઈઝરાયેલે પોતાના હસ્તક લીધેલા બીજા વિસ્તારોમાં પણ કરી હતી. હાલ વેસ્ટ બેંક વ...

ભારત – જાપાન સંરક્ષણ અને વિદેશમંત્રીઓની પહેલી બેઠક અંગે સમીક્ષા

બે વત્તા બે થી જાણીતી વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની પ્રથમ બેઠક નવી દિલ્હીમાં યોજાઇ ગઇ. જાપાનના વિદેશ મંત્રી ટોશી મિત્સુ મોતેગી અને સંરક્ષણ મંત્રી તારોકોનોએ ભારતના વિદેશ મંત્રી ડોકટર એસ. જયંશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંગ સાથે ચર્ચા મંત્રણા કરી હતી. બંને મંત્રીઓની આ બેઠકો ભારત અને જાપાન વચ્ચેના સંરક્ષણ તેમજ વ્યુહાત્મક સંબંધો વધુ ગાઢ બનાવવામાં મદદરૂપ બનશે. ભારત અને જાપાન વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારી ર૦૧૦ થી સુદૃઢ બની રહી છે. ર૦૧૦ થી બંને દેશોના સંયુકત કાર્યજુથોની અધિકારી સ્તરની બેઠક યોજાતી હતી. પરંતુ તે સચિવ સ્તરની યોજવામાં આવતી હતી, જે હવે સુધારીને મંત્રી કક્ષાની કરવામાં આવી છે. આ પ્રકારની દ્વિપક્ષીય બેઠક યોજવાની સૌ પહેલી દરખાસ્ત ભુતપુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇ અને તે વખતના જાપાનના ભુતપુર્વ પ્રધાનમંત્રી યોશીરો મોરીના કાર્યકાળ દરમિયાન ર૦૦૦ – ર૦૦૧માં કરવામાં આવી હતી. ત્યારપછી આ સંબંધો વધુ ને વધુ સારા થતાં રહયાં છે. બેઠક બાદ ભારત અને જાપાનના મંત્રીઓએ બહાર પાડેલા સંયુકત નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન બહાર કાર્યરત એવા ત્રાસવાદીઓ પ્રાદેશિક શાંતી અને સલામતી માટે મોટો ખતરો ઉભો ...

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખની ભારતની મુલાકાતથી મજબુત બનેલા દ્વિપક્ષીય સંબંધો અંગે સમીક્ષા

શ્રીલંકાના નવા ચુંટાયેલા રાષ્ટ્રપ્રમુખ અથવા પ્રધાનમંત્રી ભારતની મુલાકાતે આવે તેવુ પ્રથમવાર બન્યું નથી. અગાઉ ભુતકાળમાં પણ શ્રીલ;કાની ટોચનો હોદૃો ધરાવતી વ્યકિતએ ભારતની મુલાકાત લીધી જ છે. જો કે શ્રી ગોતાબાયા રાજપક્ષેએ શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા પછી તેમણે કાર્યકાળના માત્ર ૧૦ દિવસમાં ભારતની મુલાકાત લીધી, તે બાબતમાં ભારત તરફથી થોડી અપેક્ષાઓ પણ હતી અને પરિસ્થિતિ તાકીદની ગણાવી શકાય. રાષ્ટ્રપ્રમુખ રાજપક્ષેની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબુત બન્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે, રાજયપક્ષેની રાષ્ટ્રપ્રમુખ તરીકેની ચુંટણી પછી શ્રીલંકાની મુલાકાત લઇને શ્રી રાજપક્ષેને રાષ્ટ્રપ્રમુખ તરીકે ચુંટાવા માટે અભિનંદન આપ્યા હતા. તેમણે ભારતવતી રાજપક્ષેને અભિનંદન આપવાની સાથે સાથે શ્રી રાજપક્ષેને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપતો પ્રધાનમંન્રી નરેન્દ્ર મોદીનો પત્ર પણ તેમને આપ્યો હતો. શ્રી રાજપક્ષેએ ભારતના પ્રધાનમંત્રી ધ્વારા વિધિવત રીતે અપાયેલા આમંત્રણનો સ્વીકાર કરીને શ્રી મોદીને પણ શ્રીલંકાની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યુ હતું. આ મુલાકાતની વિસ્તૃત વિગતો ટુંક સમયમાં નકકી કર...

સંસદના ગત સપ્તાહ વિશે સમીક્ષા

1949માં બંધારણ વિધાનસભા દ્વારા ભારતીય બંધારણના કરાયેલા સ્વીકાર નિમિત્તે 26મી નવેમ્બરે દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી કરાઇ. 26 જાન્યુઆરી 1950ના રોજે બંધારણના અમલ બાદ ભારતીય પ્રજાસત્તાકના ઇતિહાસના યુગનો પ્રારંભ થયો. ઉજવણીના ભાગરૂપે સંસદભવન ખાતે બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજાઇ હતી. આ સંયુક્ત બેઠકને સંબોધતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, અધિકારો અને જવાબદારીઓ સિક્કાની બે બાજુ છે. તેમણે લોકોને તેમની ફરજો પ્રત્યે સજાગ બનવા અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે, લોકોએ તેમની ફરજો અદા કરવી જોઇએ. જેનાથી તેમના હકોનું અસરકારક રક્ષણ સુનિશ્ચિત થશે. આ પ્રસંગે તેમણે ભારતીય સંસદીય લોકશાહીમાં રાજ્યસભાનું યોગદાન વિષય પરના પુસ્તક, સ્મૃતિ સિક્કા તથા ટિકિટનું વિમોચન કર્યું હતું. તેમણે ડીજીટલ પ્રદર્શનને પણ ખુલ્લું મુક્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરની આકાંક્ષાઓ રજૂ કરતા બંધારણને પવિત્ર અને પથદર્શક પુસ્તક ગણાવ્યું હતું. તેમણે બંધારણને સર્વસમાવેચી અને મજબૂત ગણાવતા કહ્યું કે, તેમાં નાગરીકોના અધિકારો અને ફરજો દર્શાવાઇ છે. જે તેનું મહત્વનું પાસું છે. રાજ્યસભાના સભાપતિ – ઉપરાષ્ટ્રપતિ ...