Skip to main content

હાફિઝ સઇદ સામેનું આરોપનામું વાસ્તવિકતા કે માત્ર દેખાડો...

સંયુક્ત સંઘ દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા જમાત-ઉદ-દાવાનો વડો અને 26/11 મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદને લાહોર અદાલતે આતંકવાદ માટે નાણાંભંડોળ પૂરા પાડવામાં આરોપમાં દોષિત જાહેર કર્યો છે.

જુલાઈમાં પંજાબ પોલીસના આતંકવાદ – વિરોધી વિભાગ દ્વારા સઇદ અને તેના સાથીઓ વિરૂદ્ધ 23 પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. અને તેમને ન્યાયીક રીમાન્ડ માટે લાહોરના કોટ લખપત જેલમાં ખસેડાયા હતા. જ્યારે સજા ફરમાવાઈ ત્યારે સઈદ અદાલતમાં હાજર હતો. પાકિસ્તાનની આતંક-વિરોધી અદાલત દ્વારા 11 ડિસેમ્બરે સઇદ વિરૂદ્ધ આરોપ ઘડવામાં આવ્યા હતા.

હવે પ્રશ્નએ થાય છે કે, અદાલત તેની સાથે ગંભીરતાથી કેસ ચલાવશે ખરી.... પાકિસ્તાની વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે તે જાણનારા તમામને આ પ્રશ્ન થશે.

આતંક-વિરોધી નાણાં પર દેખરેખ રાખતું વૈશ્વિક દળ ફાયનાન્સીયલ એકશન ટ્રાસ્ક ફોર્સ FATF દ્વારા આતંકી નાણાં ભંડોળ બંદ કરવા બાબતે પાકિસ્તાન જબરદસ્ત દબાણ હેઠળ છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદ UNSCના દબાણ હેઠળ પાકિસ્તાન સઈદના બેન્ક ખાતા સહિતની નાણાંકીય અટકાયતો સ્થગિત કરવા મજબૂર બન્યું હતું. જોકે, આ પ્રતિબંધ છતાં પાકિસ્તાને UNSCને પરિવાર ખર્ચને પહોંચી વળવા નાણાં ઉપાડવા સઈદને મંજૂરી આપવા વિનંતી કરી હતી.

વધુમાં FATF ઉપરાંત ભારત પણ સઈદ ધાર્મિક પ્રવૃત્તિઓના નામે નાણાં એકઠા કરી તેનો ઉપયોગ ભારત વિરૂદ્ધ કરી રહ્યો હોવાનું જણાવી તેની વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી રહ્યું છે. અમેરિકાએ સઇદના માથે એક કરોડ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે.

FATFની ઓક્ટોબરમાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં નોંધ્યું છે કે, પાકિસ્તાને આતંક ભંડોળ અને નાણાંકીય ગેરરીતિ સંપૂર્ણ નાબૂદ કરવા હજી ઘણાં પગલાં લેવા પડશે. FATF એ આ પગલાં લેવા માટે પાકિસ્તાનને ફેબ્રુઆરી 2020 સુધીનો સમય આપ્યો છે. આમ નહીં કરાય તો તે ગ્રે લીસ્ટમાં યથાવત રહેશે. આતંકી-નાણાં ભંડોળ પુરું પાડવાના હાફીઝ સઈદ પરના આરોપ અને કાર્યવાહી આગામી FATF સમીક્ષા બેઠકમાં બ્લેક લિસ્ટમાં મુકાવાથી બચાવ માટેની પાકિસ્તાનની વ્યૂહરચના પણ હોઈ શકે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની અમેરિકા મુલાકાતના એક અઠવાડિયા પહેલા જ સઇદને દોષિત જાહેર કરાયો છે. શ્રી ખાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે. અમેરિકા દ્વારા પાકિસ્તાની ધરતી પરથી આતંકને ખતમ કરવાના વધારાના દબાણ અને છેલ્લા કેટલાંક વર્ષોથી અમેરિકા દ્વારા કરાઈ રહેલા કડક નિવેદનો સઈદ સામેની ઝડપી કાર્યવાહી માટેનું અન્ય પરિબળ છે.

એકબાજુ સઈદ આરોપ માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યાર તેનો પુત્ર તાલહા સઈદ લાહોરની બહાર એક દુકાનમાં ભેગા થયેલા લોકોને ભાષણ અપાતી ખાતે થયેલા હત્યાના પ્રયાસ દરમિયાન ભાગી છુટ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તો સાત સમર્થકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એ નોંધવું રહ્યું કે, તાલહા સઈદ તેના પિતા બાદ લશ્કરનો વડો બનશે.

કેટલાંક અહેવાલો મુજબ આ આતંકી જૂથના નાણાંકીય વ્યવહારો પર તાલહાના નિયંત્રણને લીધે જૂથના કેટલાંક વરિષ્ઠ નેતાઓ નારાજ છે. તાલહા પરનો આ હુમલો સતા માટેની આંતરિક ખેંચતાણનું પરિણામ પણ હોઈ શકે.

જોકે, અમેરિકાએ સઈદ સામેના પગલાને આવકાર્યું છે પણ ભારત, ઇમરાન સરકાર પહેલાની સરકારો કરતા શું જુદું કરી રહી છે. તેની પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. અગાઉ ઘણીવાર સઈદની ધરપકડ કરાઈ હતી અને તેની છોડી મૂક્યો હતો.

આરોપો ઘડાયાના થોડાં દિવસો અગાઉ સઈદને જમીન પચાવી પાડવાના કેસમાં જામીન મળ્યા હતા. ધરપકડની વિગતો પર નજર કરીએ તો પંજાબ પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઈ ત્યારે કેવું ઉદાસીન વલણ અપનાવ્યું હતું. તે જોવા મળે છે.

સઈદ સામેના આતંકી કેસોમાં પાકિસ્તાન કેટલું ગંભીર છે તેનું વિશ્લેષણ થવું જોઈએ.

શું પાકિસ્તાન FATF એ સૂચવેલા 27 મુદ્દાઓ પુરા કરવા તૈયાર છે. પાકિસ્તાનનો ભૂતકાળ જોતાં જો તે સઈદને કોઈપણ આરોપ વગર મુક્ત કરાશેતો FATF દ્વારા આતંકવાદના તેને ડામવાના પ્રયાસોમાં નિષ્ફળ રહેવા માટે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મુકશે કે નહીં તે જોવું રહ્યું.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...