શ્રીલંકાની આબોહવાની જેમ શ્રીલંકાનું રાજકીય વાતાવરણ પણ મનસ્વી છે તેમ કહી શકાય. શ્રીલંકામાં આગામી 16મી નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઈ છે. સમગ્ર શ્રીલંકામાં ચૂંટણી પ્રચાર સાવ શુષ્ક નહીં પણ હજી પૂરો વેગવંતો બન્યો નથી. દેશના બંધારણની દ્રષ્ટિએ જોતા સર્વોચ્ચ પદ માટેની આ ચૂંટણીની દ્રષ્ટિએ આ પરિસ્થિતિને અસાધારણ ગણાવી શકાય. આ ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ નહીં હોવાનું એક કારણ એવું છે કે, ઈસ્ટર સન્ડે પ્રસંગે આતંકવાદીઓએ કરેલા હુમલાના આઘાતમાંથી લોકો હજી બહાર આવ્યા નથી. એવીજ રીતે શ્રીલંકાના મોટાભાગના લોકો એવું માને છે કે, દેશના મુખ્ય બે રાજકીય પક્ષો પાસે લોકોને આપવા માટે નવું કશું નથી. ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મહિન્દા રાજપક્ષેના નાના ભાઈ અને ભુતપૂર્વ સલામતી સચિવ ગોટાબાયા રાજપક્ષેએ ઝડપથી નિર્ણય લઈ ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો. આ વર્ષના આરંભે જ ગોટાબાયાએ પોતાનું અમેરિકાનું નાગરીકત્વ જતું કરીને શ્રીલંકાનું નાગરીકત્વ અપનાવવાનો નિર્ણય લીધો હતો. આમ કરવાથી તેઓ ચૂંટણી લડવા પાત્ર ઠરશે....