Skip to main content

રાષ્ટ્રસંઘની બેઠકમાં આબોહવા પરિવર્તનને પ્રધાનમંત્રીએ મુખ્ય પડકાર ગણાવ્યો એ અંગે સમીક્ષા.

વાતાવરણ અને પર્યાવરણમાં અનુભવાતી રહેલી ગરમી અને તેના કારણોસર થતાં પરિવર્તનથી સમગ્ર વિશ્વમાં ચિંતા ફેલાઈ છે.આબોહવા પરિવર્તનના કારણે પર્યાવરણવાદીઓ ખૂબ જ ઉગ્ર રીતે દેખાવો કરી રહ્યા છે અને પર્યાવરણ બચાવવા માટેના સામૂહિક પ્રયત્નો પર ભાર મૂકી રહ્યા છે. ૧૬ વર્ષના પર્યાવરણ કોમના ચળવળીયા ગ્રેટા થમ્બર્ગનું અરણ્યરૂદન વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાત ઉભા કરી રહ્યું છે. સ્વીડનની આ કિશોરીએ સમગ્ર વિશ્વને અપીલ કરી છે કે પર્યાવરણ બચાવવામાં આવે.ન્યુયોર્કમાં મળેલી રાષ્ટ્રસંઘ સામાન્યસભાના તમામ નેતાઓને તેણે અપીલ કરી હતી કે સૌ સહિયારો પ્રયત્ન કરે અને પર્યાવરણ બચાવી લે.તેણે વિશ્વના નેતાઓને આ પડકારનો સામનો કરવામાં સંગઠીત બનવા પર ભાર મૂક્યો, અને જણાવ્યું કે ભાવિ પેઢી નું ભવિષ્ય આપ સૌ પર છે. આપના પ્રયત્નોથી જ અમારી સફળતા ટકેલી છે.અમારી નિષ્ફળતા માટે જો તમે કામ કરશો તો અમે તમને ક્યારેય માફ નહીં કરીયે.

એક ૧૬ વર્ષની કિશોરીનું નિવેદન રુદનપૂર્વકનું જાહેર વક્તવ્ય આબોહવા પરિવર્તન માટે લોકોને હચમચાવી ગયું છે.

આબોહવા પરિવર્તન એ આજે માનવજાત સામેનો સૌથી મોટો ખતરો છે તેના કારણે સમગ્ર વિશ્વ પર ભયાનક જોખમ મંડરાયું છે અને તેની ગંભીર અસરો સમગ્ર વિશ્વને ભોગવવી પડે તેવી હાલાકી છે.

અમેરિકામાં ન્યુયોર્ક ખાતે મળેલા આબોહવા પરિવર્તન અને પર્યાવરણલક્ષી સંમેલનમાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ પણ આ ચિંતાનો પુનરૂચ્ચાર કર્યો.રાષ્ટ્રસંઘના મહામંત્રી દ્વારા આયોજીત વૈશ્વિક પરિષદને

સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વિશ્વની નેતાગીરી માટે આ બહુ મોટો પડકાર છે, અને હાલ જે પ્રયાસો થઈ રહ્યા છે તે પૂરતા નથી. આ માટે વૈશ્વિક સ્તરે વ્યાપક ચળવળ ચલાવવા અને તેમાં લોકોની ભાગીદારી ઊભી કરવા પર મોદીએ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ વર્તણૂંક બદલવાને મહત્વની ગણાવી. અને લોકોને ઉદાર બનવા તથા ખૂબ જ લોભી પ્રકૃતિથી ન વર્તવા જણાવ્યું. પરિણામે કુદરતી સંશાધનોનો વ્યાપક દુરૂપયોગ ન થઈ શકે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી આપણે ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ કોઈ નક્કર પગલાં લીધાં નથી. માત્ર વાતો કરવાથી કંઈ જ ના થઈ શકે. આ પ્રશ્ને ગંભીર બનવાની જરૂર છે અને સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે.

દરમિયાન જર્મનીની આબોહવા પરિવર્તન અંગેની સંશોધન અંગેની સંસ્થા પોટ્સડેમ ઇન્સ્ટીટ્યૂટે જાહેર કરેલા આંકડા વધુ ચિંતા ઉપજાવે તેવા છે. તેના અંદાજ મુજબ આ સદીના અંતે એશિયામાં સરેરાશ તાપમાનમાં છ ડિગ્રી સેલ્સીયસન્સનો વધારો રહેશે. તેના કારણે પૃથ્વી પરના પ્રશ્નો અને સમસ્યાઓ વધુ ઘેરી બનશે. વાતાવારણ અને હવામાનમાં ગંભીર પરિવર્તન આવી શકે છે. ખેતી, પશુપાલન, જમીન, દરિયાઈ જૈવિક વિવિધતા પ્રાદેશિક સલામતિ, વેપાર, શહેરીવિકાસ , સ્થળાંતર અને આરોગ્ય સહિતના પ્રશ્નો ઊભા થાય તેવી બાબત છે. આ પ્રકારની સ્થિતિથી કેટલાંક દેશોમાં જનજીવન વધુ ભયભીત બનશે અને સાતત્યપૂર્ણ વિકાસ માટેના સ્વપ્નો અધૂરાં રહેશે.

જોકે, પ્રયત્નો કરવાથી કશું જ અશક્ય બનતું નથી. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, વિશ્વભરના નેતાઓએ સંકલિત પ્રયાસો કરવાની જરૂર છે. શિક્ષણથી માંડીને મૂલ્ય નિષ્ઠા જેથી તમામ બાબતો તેમાં આવરી લેવી જોઈએ અને લોકોની જીવનશૈલીમાં સુધારા ઉપરાંત વિકાસલક્ષી વિચારધારા પર ભાર મૂકાવો જોઈએ.

શ્રી નરેન્દ્ર મોદીએ સખ્યકાર્ય સૂચના અપનાવવા જણાવ્યું અને ભારતે લીધેલાં પગલાંઓની વિગતો આપી હતી. તે દ્વારા એક માર્ગદર્શક પક્ષ તૈયાર કરવાની પણ તેમણે રૂપરેખા આપી હતી. પુનઃ પ્રાપ્ય ઉર્જા અંગે એક આંતરરાષ્ટ્રીય સંગઠન રચવાની પણ તેમણે હિમાયત કરી હતી. કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આધુનિક ટેકનોલોજી અપનાવવા તથા પૂર અને અછતની સ્થિતિને પહોંચી વળવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, વિશ્વના 20 શહેરોમાં ખૂબ જ ભયાનક અસર જોવા મળી રહી છે. તેમાં ભારતમાં મુંબઈ, ચેન્નાઇ, સુરત અને કોલકાતાનો સમાવેશ થાય છે.

અનાજનું ઉત્પાદન ઘટતાં વિશ્વમાં ભૂખમરાનો પ્રશ્ન પણ વિકટ બને તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. દર વર્ષે પ્રદૂષણ અને અન્ય ખતરાના કારણે 33 લાખ લોકોનાં મોત થતાં હોય છે. તેમાં ટોચના ચાર દેશોમાં ચીન, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સૌરમંડળનો ઉલ્લેખ કર્યો અને ફ્રાન્સના સહયોગથી હાથ ધરાયેલા પ્રયત્નોથી કુદરતી ઉર્જા સ્ત્રોતના ઉપયોગ વધારવા જમાવ્યું. 2022 સુધીમાં ભારતમાં 175 ગીગાવોર ઉત્પાદન સૌર ઉર્જાથી મળે તેવો લક્ષ્યાંક તેમણે જાહેર કર્યો હતો.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...