Skip to main content

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો. 

સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ. 

પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથી દૂર રહીને ભારત માતાની સલામતી સુનિશ્ચિત કરતા આપણા વીર સૈનિકોને ભૂલવું જોઇએ નહિં. આ વખતના તહેવારોમાં ભારત માતાના આ વીર સપૂતો માટે એક દિવો પ્રગટાવવા પ્રધાનમંત્રીએ દરેક નાગરિકને અપીલ કરી હતી. 

સ્થાનિક ઉત્પાદનો અંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સાદગીનું પ્રતિક સમી ખાદી હવે પર્યાવરણને અનુકૂળ ફેબ્રિક તરીકે જાણીતી બની છે. બધી ઋતુમાં આરોગ્યની દ્રષ્ટિએ અનુકૂળ ખાદીને હવે ફેશન ક્ષેત્રે પણ સ્વીકૃતિ મળી છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ વર્ષે દિલ્હીમાં કનોટ પ્લેસ ખાતે આવેલા ખાદીના સ્ટોરમાં ગાંધીજી જયંતિના દિવસે એક જ દિવસમાં એક કરોડ રૂપિયાથી વધુ રકમના ખાદીના વસ્ત્રો અને ઉત્પાદનોની ખરીદી કરાઇ હતી. ખાદીના માસ્ક પણ હવે લોકપ્રિય બની રહ્યા છે. 

દેશભરના સ્વ-સહાય જૂથ અને અન્ય સંસ્થાઓ દ્વારા કોવિડથી રક્ષણ આપતા ખાદીના માસ્ક બનાવવામાં આવે છે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમણે પોતાનું સંપૂર્ણ જીવન દેશની એકતા સુનિશ્ચિત કરવા સમર્પિત કર્યું હતું. આ ઉપરાંત સરદાર પટેલે ખેડૂતોના મુદ્દાઓને પણ આઝાદીની ચળવળ સાથે સાંકળી લીધા હતા. ભારત જયારે આઝાદ થયું ત્યારે એ સમયે અસ્તિત્વ ધરાવતા વિવિધ સંસ્થાનોને ભારતમાં ભેળવીને અખંડ ભારતનું નિર્માણ કરવામાં સરદાર પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે એકતા સુનિશ્ચિત કરવા વિવિધતામાં એકતા એ સૂત્ર આપ્યું હતું. 

કૃષિ ઉપજોની ખરીદી કરતી વખતે એક કંપનીએ અપનાવેલી નવી પહેલને પ્રધાનમંત્રીએ બિરદાવી હતી. તેમણે કહ્યું કે, મકાઇની ખરીદી વખતે આ કંપનીએ ખેડૂતોને ખરીદ કિંમત ઉપરાંત બોનસ પણ આપ્યું હતું. ખેડૂતોને બોનસ મળતા જ તેઓ ખૂબ ખુશ થયા હતા. 

શ્રી મોદીએ કહ્યું કે, બોનસની આ રકમ કદાચ બહુ ઓછી હશે પણ આ નવતર પહેલ ખેડૂતો ઉપર થનાર સકારાત્મક અસરના લીધે ખૂબ જ મોટી અને મહત્વની છે. 

પ્રધાનમંત્રીએ આવનાર સમયમાં ઉજવવામાં આવનાર વિવિધ તહેવારો નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ આપી હતી. તેમણે કહ્યું કે, આગામી તહેવારોની ઉજવણી વખતે માસ્ક પહેરવાનું, હાથ સ્વચ્છ રાખવાનું અને યોગ્ય અંતર જાળવવાનું લોકોએ ભૂલવું ન જોઇએ.




લેખક–આકાશવાણીના સમાચાર વિશ્લેષક કૌશિક રોય

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...