Skip to main content

દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરતી નવી સીધી વિદેશી રોકાણ નીતિ પરની સમીક્ષા

દેશની આર્થિક નીતિને પ્રોત્સાહિત કરતી અને રોજગારીની તકો વધારતી નવી સીધી વિદેશી રોકાણ નીતિ ભારત સરકારે જાહેર કરી છે, જેનાથી વિવિધ ક્ષેત્રોમાં વિકાસને વેગ મળશે અને રોજગારીની તકો વધશે. વિદેશી રોકાણ નીતિમાં આ સુધારો સરળીકરણ પ્રદાન કરનારો છે, જેનાથી દેશમાં વેપાર કરવાની સરળતા હજુ પણ વધશે. ભારતમાં વિદેશી રોકાણ અંગે બે મહત્વપૂર્ણ પરિબળો જવાબદાર છે, પહેલું સીધું વિદેશી રોકાણ નીતિ અને બીજું ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ... આ નીતિ વિદેશમાંથી આવતા રોકાણને Âસ્થરતા બક્ષશે. કારણ કે આ સુધારાઓ અંતર્ગત હવે રોકાણ અંગે અÂસ્થર રહેલા ક્ષેત્રોને પણ Âસ્થરતા મળશે. અન્ય રોકાણોના વ્યાજદરો કરતાં અહીં વ્યાજ દર ઓછા હોવાથી પણ વિવિધ ક્ષેત્રોને નોંધ પાત્ર લાભ મળશે. આ પગલાંને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સીધા વિદેશી રોકાણને વિદેશી રોકાણમાં પરિવર્તીત કરતી આ નીતિથી Âસ્થરતાની સાથે ટકાઉ રોકાણ મળશે, જે આર્થિક વિકાસમાં ઉદ્દીપકનું કામ કરશે અને રોજગારીની અનેક તકો ઉભી થશે.

સંરક્ષણ, સંચાર, ઉડ્ડયન, બાંધકામ વિકાસ, વેપાર, ફાર્માસ્યુટીકલ્સ, વિમો, પેન્શન અને બીજી નાણાંકીય સેવાઓને સરકાર દ્વારા જાહેર કરાયેલ ૧૦૦ ટકા સુધીના સીધા વિદેશી રોકાણની મંજુરીથી મહત્તમ ફાયદો થશે. વર્ષ ૨૦૧૯-૨૦ના સામાન્ય અંદાજપત્રમાં નાણાંમંત્રી દ્વારા એફડીઆઈ પોલીસીમાં કરાયેલ સુધારાની દરખાસ્તને પગલે વિદેશી રોકાણ માટે ભારત એક આકર્ષક સ્થળ બન્યું છે. અધિકારીક અંદાજ અનુસાર વર્ષ ૨૦૧૪-૧૫થી વર્ષ ૨૦૧૮-૧૯ સુધીમાં ૨૮૬ બિલિયન અમેરિકી ડોલરનું વિદેશી રોકાણ નોંધાયુ છે, જે વર્ષ ૨૦૦૯-૧૦થી વર્ષ ૨૦૧૩-૧૪ સુધીના સમયગાળાના વિદેશી રોકાણ ૧૮૯ બિલિયન ડોલરની સરખામણીએ એકંદરે ઘણું વધારે છે.

વર્ષ ૨૦૧૮-૧૯માં અંદાજીત વિદેશી રોકાણ ૬૪.૩૭ બિલિયન અમેરિકી ડોલર અંદાજવામાં આવ્યું છે, જે કોઈપણ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીનું સર્વોચ્ચ રોકાણ છે. તાજેતરની જાહેરાત મુજબ સ્વયં સંચાલિત માર્ગે ૧૦૦ ટકા એફડીઆઈ કોલસાની ખાણોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઉદ્યોગો માટે કરાઈ છે, જે કોલસાની ખાણોની માળખાકીય સુવિધાઓની સાથે સાથે કોલસાની ખાણ અંગેની જાગવાઈનો ધારો ૨૦૧૫ અને ખાણ ખનીજ ક્ષેત્રે સુધારેલો ધારો ૧૯૫૭ સાથે સંકળાયેલ છે ત્યારે હવે આ પહેલથી ખનીજ મહેસૂલ રોયલ્ટી વધવાની શક્યતા ઉભી થઈ છે.

મેક ઈન ઈÂન્ડયા પહેલને મજબૂત બનાવતા હવે આ નીતિ કરાર આધારીત ઉત્પાદક ક્ષેત્રોને પણ નવો વેગ આપશે. સિંગલ બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગમાં પણ એફડીઆઈ અંગેના નિયમોમાં સરકારે ઘણા સુધારાઓ જાહેર કર્યા છે, જેનાથી નાની કંપનીઓને પણ લાભ મળી રહેશે અને તેઓ પણ પોતાના માલની નિકાસ કરી શકશે. આ સાથે ઓનલાઈન વેપારને વધારવા માટે પણ નવા ક્ષેત્રોને જાડવાનો પ્રયાસ થયો છે, જેમાં ઘણા ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે.

સરકાર માને છે કે, ઓનલાઈન વેપાર વધવાથી ડિઝીટલ પેમેન્ટ, કસ્ટમર કેર જેવા ક્ષેત્રોમાં રોજગારીની તકો વધશે. નવી જાહેરાત અંતર્ગત ડિઝીટલ મીડિયા અને સમાચાર ચેનલોને સરકારે ૪૯ ટકા એફડીઆઈ અંતર્ગત સમાવી છે. ડિઝીટલ મીડિયા સમાચારો અપલોડ કરતી કે સ્ટ્રીમિંગ કરતી ન્યુઝ ચેનલોને તથા પ્રિન્ટ મીડિયાને ૨૬ ટકા એફડીઆઈ અંતર્ગત સમાવાયા છે.

વિશ્વના વિકસીત દેશો સાથે કદમ મિલાવવા નવી નીતિ, નવું બળ પુરુ પાડશે, તેવું માનવામાં આવે છે. વિશ્વ કક્ષાના વર્ષ ૨૦૧૯ના યુએનસીટીએડીના અહેવાલ અનુસાર વૈશ્વિક કક્ષાએ એફડીઆઈનું પ્રમાણ વર્ષ ૨૦૧૮માં ૧૩ ટકા જેટલું ઘટ્યું હતું, જે લગભગ ૧.૩થી ૧.૫ ટ્રિલિયન અમેરિકી ડોલર જેટલું થાય છે. નવી એફડીઆઈ નીતિની જાહેરાત એ હકારાત્મક અભિગમ સાથે કરાઈ છે કે વેપાર નીતિ સરળ અને ઉદાર બનશે, જેથી દેશમાં વિદેશી મૂડીરોકાણ વધશે.

લેખકઃ- ડો.લેખા ચક્રવર્તી, પ્રોફેસર, એનઆઈપીએફપી

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...