Skip to main content

અરામકો હુમલાના કારણે અમેરિકા – ઈરાન વચ્ચેના તણાવમાં થયેલા વધારો અંગે સમીક્ષા

સાઉદી અરેબીયાની ટોચની તેલ કંપની અરામકો ધ્વારા સંચાલિત વિશ્વના સૌથી મોટી કાચા તેલની સુવિધા કેન્દ્ર – અબકાઈક પર તાજેતરમાં થયેલા ડ્રોન હુમલા બાદ ઈરાન – અમેરીકા વચ્ચેના તણાવ વધ્યો છે. જેનાપગલે ૧૯૯૧ ના અખાતી યુધ્ધ બાદ પહેલી આંતરાષ્ટ્રીય તેલની કિંમતોમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. યેમેન ખાતેના અંસાર અલ્લાહ હોતી દળોએ આ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. જા કે આ હુમલામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. અંસાર અલ્લાહે સાઉદી અરેબીયાને ચેતવણી આપી છે કે સાઉદી અરેબીયામાં હૌથી હુમલાઓ વધશે. સાઉદીના તેલ ભંડારો ઉપર થયેલો આ પહેલો હુમલો નથી. ગયા મહિનામાં હૌથીઓ ધ્વારા સાઉદી અરેબીયાની મહત્વના તેલ ખાણ શાયબાહને નિશાણ બનાવવામાં આવ્યું હતું.

સાઉદીના રાજા મહંમદ બિન સલમાને આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો છે અને જણાવ્યું હતું કે સાઉદી અરેબીયા આ હુમલાનો સામનો કરી શકશે. હુમલા બાદ સાઉદી અરેબીયાએ તેની તેલ પાઈપ લાઈન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જે ધ્વારા સાઉદી અરામકોથી બહારીન પેટ્રોલીયમ કંપનીને દરરોજ ૦-ર મીલીયન બેરેલ કાચુ તેલ પહોંચાડવામાં આવે છે. હજી પણ તે અરામકોનુ ઈનીશીયલ પબ્લીક ઓફરીંગ તેના કુલ વેલ્યુએશનના એટલે કે બે ટ્રીલીયનના એક ટકા લીસ્ટ કરવાનો પ્રયાસ કરી રહયું છે. આ ઉપરાંત સાઉદી અરેબીયા મધ્ય પુર્વ એશિયાના જળમાર્ગોની સલામતી માટે અમેરીકાના આગેવાની હેઠળના ઓસ્ટ્રેલિયા, બહારીન અને યુનાઈટેડ કિંગડમના મોર્ચામાં જાડાશે. સાઉદીના મંત્રીમંડળના જણાવ્યા મુજબ આ હુમલાના લીધે વહાણવટા સ્વાતંત્ર્ય તેમજ વૈશ્વિક આર્થિક વિકાસને Âસ્થરતા સામે ખતરો ઉભો થયો છે.

સાઉદી અરેબીયાએ યુન એન સહિતની વૈશ્વિક સંસ્થાઓને આ ડ્રોન હુમલો અનેતેમાં ઈરાની હથિયારોના ઉપયોગ અંગે તપાસ હાથ ધરવાનું આમંત્રણ આવ્યું છે. વિશ્વભરમાં આ હુમલાની નિંદા થઈ રહી છે. સાઉદી અરેબીયાના માર્યા અમેરીકાએ હુમલાનો સખત વિરોધ કર્યો છે. અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હુમલા માટે જવાબદાર ગણાવતા કહયું હતું કે અમેરીકા આ હુમલાનો વળતો જવાબ આપવા તૈયાર છે. અમેરીકાએ સાઉદી અરેબીયા સાથે ગુપ્તચર બાતમીઓની આદાન પ્રદાન વધારી દીધી છે. 

આ ક્ષેત્રમાં ઈરાનના આક્રમણનો સામનો કરવાના સહિયારા પ્રયાસોના સંકુલ અને હુમલા વિષે ચર્ચા કરવા અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓ સાઉદી અરેબીયા અને સંયુકત આરબ અમિરાત યુએઈની મુલાકાત લે તેવી ધારણા છે. ઈરાને આ આક્ષેપોને ધરાર નકારી કાઢયા છે અને યુધ્ધ માટે તૈયાર હોવાનું કહયું છે. તેણે દાવો કર્યો છે કે અમેરીકા જા એપ્રિલ ર૦૧પ ની ઈરાનની પરમાણુ સંધિને સ્વીકારે તો જ આ સંઘર્ષ નિવારી શકાશે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહયું કે હૌથી બળવાખોરોએ સાઉદી તેલ ઠેકાણા પર હુમલો કર્યો હતો. યેમેનમાં લાંબા સમયથી ચાલતા યુધ્ધનો અંત લાવવા રીયાધને ચેતવણી આપવા આ હુમલો કરાયો હતો. ઈરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફે કહયું હતું કે અમેરિકા મહત્તમ દબાણ નીતી છોડીને મહત્તમ છળકપટની નીતી તરફ વળ્યું છે. આ હુમલા વૈશ્વિક ઉર્જા સલામતી જાખમાવી શકે તેમ છે.

એબ્કૈક પરના હુમલાના પરીણામે સાઉદી અરેબીયાનું તેલ ઉત્પાદન અર્ધાથી પણ ઓછુ થઈ ગયું છે અને ૧૯પ૦ થી અત્યાર સુધીમાં સૌથી મોટો દૈનિક પ૭ લાખ બેરલ જેટલો ઘટાડો થયો છે. વિશ્વના કુલ પુરવઠામાં પાંચ ટકા ઘટાડો થયો છે અનેતેલના ભાવમાં ૧પ ટકા જેટલો ઉછાળો આવ્યો છે.

વૈશ્વિક તેલનો પુરવઠો ખુટી ગયો છે અને તેલના ભાવમાં ૧પ ટકાનો વધારો થયો છે. તેલ પુરવઠાની ચિંતા દુર કરવાના પ્રયાસ રૂપે સાઉદી અરેબીયાએ તેના એશિયન ગ્રાહકોને ખાત્રી આપી હતી કે તેમની ઓકટોબરની માંગને પહોંચી વળાશે. જયારે અરામકો તેના નિષ્ક્રીય ઓઈલ એકમો પર ગોળીબાર કરે છે ત્યારે રિયાધે ભારતને ખાત્રી આપી છે કે ઉત્પાદન ઘટાડા છતાં તે તેના પુરવઠાને પહોંચી વળવા પ્રયાસ કરશે.

સાઉદી અરેબીયાએ ભારતને કાચા તેલની નિકાસ કરતો બીજા નંબરનો દેશ છે. જા કે તાજેતરના હુમલા બાદ ભારતે રશિયા અને ઈરાન સહિતના તેલ માટેના વૈકÂલ્પક †ોત શોધી કાઢયા છે. એક બાજુ અમેરીકા – ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે ભારતના પાડોશી સાથેના વધારેલા સંબંધ ગમે તેવા નથી અને બીજી બાજુ તેલના

આભાર - નિહારીકા રવિયા વધતા ભાવ વૈશ્વિક અર્થતંત્ર માટે ગંભીર પરીણામ લાવી શકે છે.

ખાડી પ્રદેશમાં વસવાટ કરતી ભારતની મોટી વસતી છે. તેમની સલામતી પણ નવી દિલ્હી માટે મોટી ચિંતાનો વિષય છે, તેથી તમામ પક્ષોએ સંભાળવું જાઈએ અને કટોકટી કે તણાવ સર્જાય તેવા સંજાગો ટાળવા જાઈએે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...