Skip to main content

ભારત અને નેપાળ સરહદે પેટ્રોલીયમ પાઈપલાઈન યોજના

ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં ઘનિષ્ઠતાના ભાગરૂપે બંને દેશોએ સરહદ પર પેટ્રોલિયમ પાઈપલાઈન યોજના અમલી બનાવી છે. બંને દેશોના સંબંધો માટે આ એક સીમાચિહ્નરૂપ યોજના બની છે. બિહારના મોતીહારીથી નેપાળના અમલકગંજ વચ્ચે આ પાઈપલાઈન નાંખવામાં આવી છે. ૬૯ કિલોમીટર લાંબી પાઈપલાઈન છે, તેમાં ૩૨૭ કિલોમીટર ભારતમાં અને ૩૭.૨ કિલોમીટર નેપાળમાં છે, તે દ્વારા નેપાળમાં ૨૦ લાખ ટન જેટલો ખનીજ તેલનો જથ્થો નેપાળને પહોંચાડવામાં આવશે.

આ અંગેનો કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સથી યોજાયો હતો. ભારત અને નેપાળના પ્રધાનમંત્રી દ્વારા સંયુક્તરૂપે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટ દ્વારા બંને દેશોના સંબંધોમાં નવું પ્રકરણ જાડાયું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મોતીહારી-અમલકગંજ પાઈપલાઈન પ્રોજેક્ટ એ ગાઢ સંબંધોનું પ્રતિક બની છે, જેનાથી નેપાળની ઉર્જાની જરૂરિયાત પૂરી થશે અને પેટ્રોલીયમની આયાત પર લાગતો વાહન વ્યવહાર ખર્ચ ઘટી જશે. તેમણે સંતોષ દર્શાવ્યો કે, રાજકીય સ્તરે ઉચ્ચ નેતૃત્વ દ્વારા કરાયેલી કામગીરીના કારણે સમયસર અને સફળ પરિણામો મળી રહે છે તે દ્વારા ભારત અને નેપાળ વચ્ચેની ભાગીદારીમાં વિસ્તરણ થયું છે. પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાંથી વીડિયો કોન્ફરન્સથી તેનો આરંભ કર્યો હતો અને ત્યારે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધો અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો.

શ્રી મોદીએ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે એવી આશા દર્શાવી અને તે વિવિધ ક્ષેત્રમાં આગળ ધપશે તે માટેના પ્રયત્નો હાથ ધરાશે. પ્રધાનમંત્રીએ નેપાળના વિકાસમાં ભારતે આપેલા યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો અને તે માટેની ભારતની કટીબદ્ધતા દોહરાવી હતી.

કાઠમંડુમાં નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલીએ પણ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, વેપાર, માળખું, હેરફેર વગેરે બાબતોમાં ભારત અને નેપાળ વચ્ચે ઉદાહરણરૂપ પ્રગતિ થઈ છે. આ પાઈપલાઈન પ્રોજેક્ટ તેમાં મહત્વનો બની રહ્યો છે.

તેમણે કહ્યું કે, ભારત અને નેપાળ વિકાસ અને સમૃદ્ધિ માટે સહિયારા પ્રયત્નો કરવા કટીબદ્ધ છે. આ પ્રોજેક્ટથી નેપાળના લોકોને મહત્વનો લાભ થશે, એમ જણાવી શ્રી ઓલીએ કહ્યું કે, નેપાળમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં લીટર દીઠ બે રૂપિયાનો ઘટાડો થશે. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ સમયની પણ બચત કરશે.

નેપાળની ખનીજતેલની જરૂરિયાત ભારત દ્વારા પૂરી પાડવામાં આવે છે. ૧૯૭૩માં તેનો આરંભ થયો અને ત્યારથી ટેન્કરોથી પૂરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. ઈÂન્ડયન ઓઈલ કોર્પોરેશનની બરૌની રીફાયનરી અને રાકસોલ ડેપોમાંથી તેની કાર્યવાહી થાય છે.

પ્રધાનમંત્રી નરેનદ્ર મોદીની ૨૦૧૪માં થયેલી નેપાળ મુલાકાત બાદ આ પ્રસ્તાવને ગતી મળી. સપ્ટેમ્બર ૨૦૧૫માં બંને દેશોની ઈÂન્ડયન ઓઈલ કોર્પોરેશન અને નેપાળ ઓઈલ કોર્પોરેશન વચ્ચે આ અંગે એક કરાર પર હસ્તાક્ષર થયા હતા. ૨૦૧૪માં એપ્રિલ મહિનામાં શ્રી ઓલીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી ઓલીએ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતેથી રિમોટ કન્ટ્રોલથી ચા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

૩૦ મહિનામાં આ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરવાની યોજના હતી, પરંતુ બંને દેશોના અધિકારીઓના અવિરત પ્રયાસો બાદ આ લક્ષ્યાંક ૧૫ મહિનામાં જ હાંસલ કરાયો હતો. નેપાળમાં ભારતનો આ સૌથી ઝડપથી પૂર્ણ થનાર પહેલો પ્રોજેક્ટ છે. આ સિદ્ધી સાથે નેપાળમાં ભારતીય પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવામાં ભારત તરફથી થતાં વિલંબ અંગે ભારત ઉપર થતી ટીકા દૂર થવામાં મદદ મળી છે.

હાલ ચાલી રહેલી પ્રોજેક્ટની કામગીરી અંગે બંને દેશો દ્વારા સમયસર સમીક્ષા બેઠકો કરવામાં આવે છે. ગયા મહિનામાં જ કાઠમંડુ ખાતે ભારત – નેપાળ સંયુક્ત મંચની બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશોના વિદેશ મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમિક્ષા કરી હતી અને સહકારના નવા ક્ષેત્રો શોધવા મંત્રણા પણ કરી હતી.

બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ અંગે સમાધાન વ્યક્ત કર્યું હતું. શ્રી ઓલીએ ૨૦૧૫ના ભુકંપના અસરગ્રસ્ત લોકો માટે ૫૪ હજાર મકાનો બાંધવા બદલ ભારતનો આભાર માન્યો હતો.

લેખક ઃ રતન સલ્દી, રાજકીય સમીક્ષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...