ભારત અને ઇરાન વચ્ચેની વિદેશ કચેરી સ્તરની ૧૬મા દોરની મંત્રણાઓ આ સપ્તાહમાં યોજાઈ ગઈ.
પશ્ચિમ એશિયા વિસ્તારમાં તનાવપૂર્ણ તથા ચિંતાજનક વાતાવરણ વચ્ચે આ મંત્રણાઓ યોજાઈ હતી.
ભારતના વિદેશ વિભાગના સચિવ વિજય ગોખલેના ભારતીય પ્રતિનિધિમંડળના જ્યારે ઇરાનના વિદેશ રાજ્યમંત્રી ડોક્ટર સૈય્યદ અબ્બાસ અરાગચીએ તેમના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.
શ્રી ગોખલેએ ઇરાનના વિદેશમંત્રી અલી અકબર વિલાયતી સાથે પણ મંત્રણાઓ કરી હતી. બંને પક્ષોએ સંપર્ક, માળખાકીય સુવિધાના પ્રોજેક્ટો શાહિદ બહેશ્તી પોર્ટ, ચાબહાર બંદરજેવા પ્રોજેક્ટો સહિત દ્વિપક્ષીય સહકારના બધા જ મુદ્દાઓને આવરી લઈને ચર્ચા વિચારણા કરી.
આ બેઠકમાં ભારત, ઇરાન તથા અફઘાનિસ્તાન વચ્ચે સધાયેલી ત્રિપક્ષીય સમજૂતી અંગે પણ ચર્ચા થઈ હતી.
ભારત અને ઇરાને, પરસ્પર હિતકારક સહકાર વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
આ બેઠકમાં વિદેશમંત્રી સ્તરની સંયુક્ત પંચની હવે પછીની બેઠક શક્ય એટલી વહેલી તકે ઇરાનમાં યોજવાનો નિર્ણર્ય લેવાયો હતો.
અમેરિકાએ છ માસની મુદત પૂર્ણ થયા પછી ગત મે ૨૦૧૯થી ઇરાન પાસેથી ખનીજતેલ ખરીદવાનું બંધ કર્યું છે.
આ ઘટનાની પાશ્વભૂમિમાં ભારત અને ઇરાન વચ્ચે વિદેશ મંત્રાલય સ્તરની જે મંત્રણા થઈ છે, તેનું વિશ્લેષણ થવું જાઈએ.
ભારત ખાતેના ઇરાનના રાજદૂત અલી એગેનીએ જણાવ્યું છે કે, તુર્કી, રશિયા અને ચીને ઇરાન પાસેથી ખનીજ તેલની ખરીદી યથાવત રાખી છે. પણ ભારતે જુદો નિર્ણય લીધો છે.
જાકે, ભારતે ખનીજ તેલની ખરીદીને બાદ કરતા બાકીના ક્ષેત્રોમાં ઇરાન સાથેના સંબંધો યથાવત રાખ્યા છે.
ભારત અને ઇરાન અફઘાનિસ્તાન સાથે હજી પણ મંત્રણા કરી રહ્યા છે.
ભારત ઇરાન સાથેના વેપાર તથા આર્થિક સંબંધો હજી વધારવા પ્રયાસો કરી રહ્યા છે.
માર્ગ ૨૦૧૯માં યોજાયેલી ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્ઝીર કોરીડોર કાઉÂન્સલની સાતમી બેઠકમાં ભારતે પણ ઇરાન સાથેના વેપાર ક્ષેત્રના સંબંધો હજી મજબૂત બનાવવાની પ્રતિબદ્ધત વ્યક્ત કરી હતી.
આ વર્ષના મે મહિનાથી ઇરાન અને અમેરિકા વચ્ચે ઊભા થયેલા તનાવના કારણે ભારત અને ઇરાન વચ્ચેના સંબંધો ઉપર પણ અસર થઈ છે અને તેમાં નવા પડકારો ઊભા થયા છે.
ભારત ઇરાન સાથેના ઉર્જાક્ષેત્રના સંબંધો બીજી રીતે કેવી રીતે ફરીથી સ્થાપી શકાય તે અંગે વિચારણા કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૬ સુધી ભારતને ખનીજ તેલ આપનાર દેશોની સૂચિમાં ઇરાનનો બીજા ક્રમ હતો, જે વર્ષ ૨૦૧૩-૧૪ સુધીમાં સાતમો થયો હતો.
ખનીજ તેલ વિશ્વસનીય રીતે આપનાર દેશ તરીકે ઇરાનનું મહત્વ ભારત માટે ઘણું છે. યુરોપ-એશિયાના દેશો સાથેના ભારતના સંબંધો માટે ઇરાન પ્રવેશદ્વાર સમુ હોવાથી ભારતે ઇરાન સાથેના સંબંધો મજબૂત કરવાના પ્રયાસો ઉપર ભાર મૂક્યો છે. રશિયા પણ મધ્ય એશિયાના પ્રજાસત્તા દેશો સાથેના સંબંધો તથા ઇરાન – ચીન – રશિયા જેવા જૂથોનને ધ્યાનમાં લઈ સંતુલન સાધવા ભારત અને ઇરાનના સંબંધો પણ મજબૂત થાય તેવું ઇચ્છે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મે ૨૦૧૬માં ઇરાનની મુલાકાત લીધી હતી ત્યારે ભારત અને ઈરાનના દ્વિપક્ષીય સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો.
બંને દેશોએ સર્વગ્રાહી આર્થિક તથા માળખાકીય સુવિધા ક્ષેત્રે વિકાસ વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર કર્યો હતો. ત્યારપછી ઇરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રોહાનીએ ફેબ્રુઆર ૨૦૧૮માં ભારતની ત્રણ દિવસની મુલાકાત લીધી હતી. ઇરાન સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની ભારતની તત્પરતા તાજેતરની વિદેશ મંત્રાલય કચેરી સ્તરની મંત્રણામાં જાઈ શકાઈ છે.
ભારતના વિદેશમંત્રી તહેરાનની મુલાકાતે જાય તેવી પણ સંભાવના છે.
આ બધી જ બાબતો દર્શાવે છે કે, અમેરિકાના વધતા દબાણ વચ્ચે, ભારતની એનડીએ સરકાર ઇરાન સાથેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવા કૃતનિશ્ચયી છે.
બીજી રીતે જાઈએ તો આ પ્રકારની મંત્રણા ઉશ્કેરાટની તીવ્રતા ઘટાડવામાં જેટલી મદદરૂપ થશે, તો બૃહદ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે તનાવ ઘટાડવામાં પણ મદદરૂપ થશે.
લેખકઃ ડોક્ટર મીનાસિંહ રોય, રશિયા અને પશ્ચિમ એશિયાના વિશ્લેષક
પશ્ચિમ એશિયા વિસ્તારમાં તનાવપૂર્ણ તથા ચિંતાજનક વાતાવરણ વચ્ચે આ મંત્રણાઓ યોજાઈ હતી.
ભારતના વિદેશ વિભાગના સચિવ વિજય ગોખલેના ભારતીય પ્રતિનિધિમંડળના જ્યારે ઇરાનના વિદેશ રાજ્યમંત્રી ડોક્ટર સૈય્યદ અબ્બાસ અરાગચીએ તેમના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.
શ્રી ગોખલેએ ઇરાનના વિદેશમંત્રી અલી અકબર વિલાયતી સાથે પણ મંત્રણાઓ કરી હતી. બંને પક્ષોએ સંપર્ક, માળખાકીય સુવિધાના પ્રોજેક્ટો શાહિદ બહેશ્તી પોર્ટ, ચાબહાર બંદરજેવા પ્રોજેક્ટો સહિત દ્વિપક્ષીય સહકારના બધા જ મુદ્દાઓને આવરી લઈને ચર્ચા વિચારણા કરી.
આ બેઠકમાં ભારત, ઇરાન તથા અફઘાનિસ્તાન વચ્ચે સધાયેલી ત્રિપક્ષીય સમજૂતી અંગે પણ ચર્ચા થઈ હતી.
ભારત અને ઇરાને, પરસ્પર હિતકારક સહકાર વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
આ બેઠકમાં વિદેશમંત્રી સ્તરની સંયુક્ત પંચની હવે પછીની બેઠક શક્ય એટલી વહેલી તકે ઇરાનમાં યોજવાનો નિર્ણર્ય લેવાયો હતો.
અમેરિકાએ છ માસની મુદત પૂર્ણ થયા પછી ગત મે ૨૦૧૯થી ઇરાન પાસેથી ખનીજતેલ ખરીદવાનું બંધ કર્યું છે.
આ ઘટનાની પાશ્વભૂમિમાં ભારત અને ઇરાન વચ્ચે વિદેશ મંત્રાલય સ્તરની જે મંત્રણા થઈ છે, તેનું વિશ્લેષણ થવું જાઈએ.
ભારત ખાતેના ઇરાનના રાજદૂત અલી એગેનીએ જણાવ્યું છે કે, તુર્કી, રશિયા અને ચીને ઇરાન પાસેથી ખનીજ તેલની ખરીદી યથાવત રાખી છે. પણ ભારતે જુદો નિર્ણય લીધો છે.
જાકે, ભારતે ખનીજ તેલની ખરીદીને બાદ કરતા બાકીના ક્ષેત્રોમાં ઇરાન સાથેના સંબંધો યથાવત રાખ્યા છે.
ભારત અને ઇરાન અફઘાનિસ્તાન સાથે હજી પણ મંત્રણા કરી રહ્યા છે.
ભારત ઇરાન સાથેના વેપાર તથા આર્થિક સંબંધો હજી વધારવા પ્રયાસો કરી રહ્યા છે.
માર્ગ ૨૦૧૯માં યોજાયેલી ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્ઝીર કોરીડોર કાઉÂન્સલની સાતમી બેઠકમાં ભારતે પણ ઇરાન સાથેના વેપાર ક્ષેત્રના સંબંધો હજી મજબૂત બનાવવાની પ્રતિબદ્ધત વ્યક્ત કરી હતી.
આ વર્ષના મે મહિનાથી ઇરાન અને અમેરિકા વચ્ચે ઊભા થયેલા તનાવના કારણે ભારત અને ઇરાન વચ્ચેના સંબંધો ઉપર પણ અસર થઈ છે અને તેમાં નવા પડકારો ઊભા થયા છે.
ભારત ઇરાન સાથેના ઉર્જાક્ષેત્રના સંબંધો બીજી રીતે કેવી રીતે ફરીથી સ્થાપી શકાય તે અંગે વિચારણા કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૬ સુધી ભારતને ખનીજ તેલ આપનાર દેશોની સૂચિમાં ઇરાનનો બીજા ક્રમ હતો, જે વર્ષ ૨૦૧૩-૧૪ સુધીમાં સાતમો થયો હતો.
ખનીજ તેલ વિશ્વસનીય રીતે આપનાર દેશ તરીકે ઇરાનનું મહત્વ ભારત માટે ઘણું છે. યુરોપ-એશિયાના દેશો સાથેના ભારતના સંબંધો માટે ઇરાન પ્રવેશદ્વાર સમુ હોવાથી ભારતે ઇરાન સાથેના સંબંધો મજબૂત કરવાના પ્રયાસો ઉપર ભાર મૂક્યો છે. રશિયા પણ મધ્ય એશિયાના પ્રજાસત્તા દેશો સાથેના સંબંધો તથા ઇરાન – ચીન – રશિયા જેવા જૂથોનને ધ્યાનમાં લઈ સંતુલન સાધવા ભારત અને ઇરાનના સંબંધો પણ મજબૂત થાય તેવું ઇચ્છે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મે ૨૦૧૬માં ઇરાનની મુલાકાત લીધી હતી ત્યારે ભારત અને ઈરાનના દ્વિપક્ષીય સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો.
બંને દેશોએ સર્વગ્રાહી આર્થિક તથા માળખાકીય સુવિધા ક્ષેત્રે વિકાસ વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર કર્યો હતો. ત્યારપછી ઇરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રોહાનીએ ફેબ્રુઆર ૨૦૧૮માં ભારતની ત્રણ દિવસની મુલાકાત લીધી હતી. ઇરાન સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની ભારતની તત્પરતા તાજેતરની વિદેશ મંત્રાલય કચેરી સ્તરની મંત્રણામાં જાઈ શકાઈ છે.
ભારતના વિદેશમંત્રી તહેરાનની મુલાકાતે જાય તેવી પણ સંભાવના છે.
આ બધી જ બાબતો દર્શાવે છે કે, અમેરિકાના વધતા દબાણ વચ્ચે, ભારતની એનડીએ સરકાર ઇરાન સાથેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવા કૃતનિશ્ચયી છે.
બીજી રીતે જાઈએ તો આ પ્રકારની મંત્રણા ઉશ્કેરાટની તીવ્રતા ઘટાડવામાં જેટલી મદદરૂપ થશે, તો બૃહદ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે તનાવ ઘટાડવામાં પણ મદદરૂપ થશે.
લેખકઃ ડોક્ટર મીનાસિંહ રોય, રશિયા અને પશ્ચિમ એશિયાના વિશ્લેષક
Comments
Post a Comment