Skip to main content

ભારત અને ઇરાન સહકારની નવી વ્યૂહરચનાઓ ચકાસી રહ્યા હોવા અંગે સમીક્ષા

ભારત અને ઇરાન વચ્ચેની વિદેશ કચેરી સ્તરની ૧૬મા દોરની મંત્રણાઓ આ સપ્તાહમાં યોજાઈ ગઈ.

પશ્ચિમ એશિયા વિસ્તારમાં તનાવપૂર્ણ તથા ચિંતાજનક વાતાવરણ વચ્ચે આ મંત્રણાઓ યોજાઈ હતી.

ભારતના વિદેશ વિભાગના સચિવ વિજય ગોખલેના ભારતીય પ્રતિનિધિમંડળના જ્યારે ઇરાનના વિદેશ રાજ્યમંત્રી ડોક્ટર સૈય્યદ અબ્બાસ અરાગચીએ તેમના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

શ્રી ગોખલેએ ઇરાનના વિદેશમંત્રી અલી અકબર વિલાયતી સાથે પણ મંત્રણાઓ કરી હતી. બંને પક્ષોએ સંપર્ક, માળખાકીય સુવિધાના પ્રોજેક્ટો શાહિદ બહેશ્તી પોર્ટ, ચાબહાર બંદરજેવા પ્રોજેક્ટો સહિત દ્વિપક્ષીય સહકારના બધા જ મુદ્દાઓને આવરી લઈને ચર્ચા વિચારણા કરી.

આ બેઠકમાં ભારત, ઇરાન તથા અફઘાનિસ્તાન વચ્ચે સધાયેલી ત્રિપક્ષીય સમજૂતી અંગે પણ ચર્ચા થઈ હતી.

ભારત અને ઇરાને, પરસ્પર હિતકારક સહકાર વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

આ બેઠકમાં વિદેશમંત્રી સ્તરની સંયુક્ત પંચની હવે પછીની બેઠક શક્ય એટલી વહેલી તકે ઇરાનમાં યોજવાનો નિર્ણર્ય લેવાયો હતો.

અમેરિકાએ છ માસની મુદત પૂર્ણ થયા પછી ગત મે ૨૦૧૯થી ઇરાન પાસેથી ખનીજતેલ ખરીદવાનું બંધ કર્યું છે.

આ ઘટનાની પાશ્વભૂમિમાં ભારત અને ઇરાન વચ્ચે વિદેશ મંત્રાલય સ્તરની જે મંત્રણા થઈ છે, તેનું વિશ્લેષણ થવું જાઈએ.

ભારત ખાતેના ઇરાનના રાજદૂત અલી એગેનીએ જણાવ્યું છે કે, તુર્કી, રશિયા અને ચીને ઇરાન પાસેથી ખનીજ તેલની ખરીદી યથાવત રાખી છે. પણ ભારતે જુદો નિર્ણય લીધો છે.

જાકે, ભારતે ખનીજ તેલની ખરીદીને બાદ કરતા બાકીના ક્ષેત્રોમાં ઇરાન સાથેના સંબંધો યથાવત રાખ્યા છે.

ભારત અને ઇરાન અફઘાનિસ્તાન સાથે હજી પણ મંત્રણા કરી રહ્યા છે.

ભારત ઇરાન સાથેના વેપાર તથા આર્થિક સંબંધો હજી વધારવા પ્રયાસો કરી રહ્યા છે.

માર્ગ ૨૦૧૯માં યોજાયેલી ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્ઝીર કોરીડોર કાઉÂન્સલની સાતમી બેઠકમાં ભારતે પણ ઇરાન સાથેના વેપાર ક્ષેત્રના સંબંધો હજી મજબૂત બનાવવાની પ્રતિબદ્ધત વ્યક્ત કરી હતી.

આ વર્ષના મે મહિનાથી ઇરાન અને અમેરિકા વચ્ચે ઊભા થયેલા તનાવના કારણે ભારત અને ઇરાન વચ્ચેના સંબંધો ઉપર પણ અસર થઈ છે અને તેમાં નવા પડકારો ઊભા થયા છે.

ભારત ઇરાન સાથેના ઉર્જાક્ષેત્રના સંબંધો બીજી રીતે કેવી રીતે ફરીથી સ્થાપી શકાય તે અંગે વિચારણા કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૬ સુધી ભારતને ખનીજ તેલ આપનાર દેશોની સૂચિમાં ઇરાનનો બીજા ક્રમ હતો, જે વર્ષ ૨૦૧૩-૧૪ સુધીમાં સાતમો થયો હતો.

ખનીજ તેલ વિશ્વસનીય રીતે આપનાર દેશ તરીકે ઇરાનનું મહત્વ ભારત માટે ઘણું છે. યુરોપ-એશિયાના દેશો સાથેના ભારતના સંબંધો માટે ઇરાન પ્રવેશદ્વાર સમુ હોવાથી ભારતે ઇરાન સાથેના સંબંધો મજબૂત કરવાના પ્રયાસો ઉપર ભાર મૂક્યો છે. રશિયા પણ મધ્ય એશિયાના પ્રજાસત્તા દેશો સાથેના સંબંધો તથા ઇરાન – ચીન – રશિયા જેવા જૂથોનને ધ્યાનમાં લઈ સંતુલન સાધવા ભારત અને ઇરાનના સંબંધો પણ મજબૂત થાય તેવું ઇચ્છે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મે ૨૦૧૬માં ઇરાનની મુલાકાત લીધી હતી ત્યારે ભારત અને ઈરાનના દ્વિપક્ષીય સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો.

બંને દેશોએ સર્વગ્રાહી આર્થિક તથા માળખાકીય સુવિધા ક્ષેત્રે વિકાસ વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર કર્યો હતો. ત્યારપછી ઇરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રોહાનીએ ફેબ્રુઆર ૨૦૧૮માં ભારતની ત્રણ દિવસની મુલાકાત લીધી હતી. ઇરાન સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની ભારતની તત્પરતા તાજેતરની વિદેશ મંત્રાલય કચેરી સ્તરની મંત્રણામાં જાઈ શકાઈ છે.

ભારતના વિદેશમંત્રી તહેરાનની મુલાકાતે જાય તેવી પણ સંભાવના છે.

આ બધી જ બાબતો દર્શાવે છે કે, અમેરિકાના વધતા દબાણ વચ્ચે, ભારતની એનડીએ સરકાર ઇરાન સાથેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવા કૃતનિશ્ચયી છે.

બીજી રીતે જાઈએ તો આ પ્રકારની મંત્રણા ઉશ્કેરાટની તીવ્રતા ઘટાડવામાં જેટલી મદદરૂપ થશે, તો બૃહદ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે તનાવ ઘટાડવામાં પણ મદદરૂપ થશે.



લેખકઃ ડોક્ટર મીનાસિંહ રોય, રશિયા અને પશ્ચિમ એશિયાના વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...