Skip to main content

ડોનાલ્ડ ટ્રમ્પે તાલીબાનો સાથેની વાતચીત રદ કરતા મુશ્કેલીમાં મૂકાયેલું અફઘાનિસ્તાન અંગે સમીક્ષા

તાલીબાનોએ અમેરિકા સાથેની મુશ્કેલ મંત્રણાઓ કરવા આ વર્ષની શરૂઆતમાં ૧૪ સભ્યોની એક સમિતીની રચના કરી હતી. એક તરફ અફઘાનિસ્તાન સરકાર સાથે શરૂ કરેલું યુદ્ધ ચાલુ રાખીને તાલીબાનો અમેરિકા સાથે મંત્રણા યોજવાના પ્રયાસો કરી રહ્યા હતા.

તાલીબાનો દ્વારા નિર્દોષ નાગરિકો ઉપર અવારનવાર કરાતા હૂમલાઓના કારણે શાંતિ મંત્રણા ચાલુ રાખવાની કામગીરી કપરી હતી. આ મંત્રણા વખતે તાલીબાનોમાં વહિવટની આકાંક્ષાઓ સંતોષવાની સાથે સાથે અફઘાનિસ્તાનમાં અન્ય રાજકીય ઈચ્છા ધરાવતા લોકો વચ્ચે સમજૂતીનો માર્ગ રચવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. અમેરિકા આ મંત્રણા વખતે તાલીબાનો પાસેથી તેઓ ૧૯૯૦ના દાયકામાં આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે આતંકવાદી હુમલાઓ કરતા હતા, તેવી નીતિ ફરી નહીં અપનાવે તેવી ખાતરી મેળવવા પ્રયાસો કરી રહ્યું હતું.

આ ખાતરી ઉપરાંત અફઘાનની ધરતી પરથી સૈનિકો પાછા ખેંચી લીધા બાદ અમેરિકા પોતાનું ગુપ્તચર તંત્ર અફઘાનિસ્તાનમાં યથાવત્‌ રાખવા ઈચ્છતું હતું.

જાકે તાલીબાનો બધા જ અમેરિકનો પાછા ફરે તે માગણી દોહરાવતા હતા.

આ મંત્રણાઓ નાજૂક તબક્કે પહોંચી ત્યારે જ તાલીબાનોએ કાબૂલ ખાતેનો સેનાના તાલીમ કેન્દ્રમાં કરેલા હૂમલામાં અન્યો સહિત એક અમેરિકન સૈનિક ઠાર થયો. તાલીબાનોએ કાબૂલના સેનાના કેન્દ્ર પરના હૂમલાની જવાબદારી સ્વીકારતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આ હૂમલાને વખોડી કાઢી હતી. પરિણામે અમેરિકા અને તાલીબાનો વચ્ચેની મંત્રણાનું ભાવિ જાખમાયું.

સતત બે દાયકા સુધીના સંઘર્ષ બાદ મંત્રણા દ્વારા રાજકીય ઉકેલ મેળવવાના પ્રયાસોથી ઊભી થયેલી આશા ફરી નિષ્ફળ જાય તેવી Âસ્થતિ ઉભી થઈ હતી.

આમ આ બનાવે અફઘાન સરકાર સામે યુદ્ધે ચડેલા જૂથ સાથે મંત્રણા કરવી એ કેટલી કપરી કામગીરી છે તે બાબત સ્પષ્ટ થઈ. તાલીબાનોએ તેઓ મંત્રણા માટે મુક્ત મન ધરાવતા હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ કેટલાક નિષ્ણાંતોએ અમેરિકાનું ગુપ્તચર તંત્ર અફઘાનિસ્તાનમાંથી પાછુ ફર્યા બાદ પાકિસ્તાન ખાતેના આતંકવાદીઓ તેમના તાલીમ કેન્દ્રો અફઘાનિસ્તાન ખસેડીને એશિયાના બીજા વિસ્તારોમાં આતંકી હુમલા કરી શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનિય છે કે, તાલીબાનોએ આજ સમયગાળામાં ચીન, રશીયા, ઈરાન તથા સાઉદી અરેબિયા અને કતાર સાથે પણ મંત્રણાના પ્રયાસો કર્યા જે નિષ્ફળ ગયા હતા. જાકે તાલીબાનોએ ભારત સાથે મંત્રણાના પ્રયાસો કર્યા ન હતા. જાકે અમેરિકા સાથેના રાજદ્વારી સ્તરની મંત્રણાના પ્રયાસો નિષ્ફળ થયા તે જાતા તાલીબાનો સાથેની અન્ય પ્રાદેશિક સ્તરના પ્રયાસો કેટલા સફળ થશે તે બાબતે અનિશ્ચિતતા હતી. ભારતે પ્રથમથી એક અભિગમ રાખ્યો છે કે, તે કોઈપણ આતંકવાદી જૂથ સાથે ક્યારેય મંત્રણા કરશે નહીં. તાજેતરના નિર્દેશો મુજબ જર્મની, કતાર અને નોર્વેએ અમેરિકા તથા તાલીબાનો વચ્ચે મંત્રણા ફરી શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે, જેથી હિંસાગ્રસ્ત અફઘાનિસ્તાનમાં શાંતિની સ્થાપના થઈ શકે. આ સમગ્ર બાબતની સીધી અસર ચાલુ માસના અંતે અફઘાનિસ્તાનમાં યોજાનારી ચૂંટણી ઉપર થઈ રહી છે.

તાલીબાનોએ આ ચૂંટણીને માન્યતા આપી નથી, તેથી તેઓ ચૂંટણી પ્રક્રિયામાં હિંસા પર ઉતરે તેવી સંભાવના નકારી શકાય નહીં.

આના પરિણામે છેલ્લા ૪-૪ દાયકાથી આંતર-વિગ્રહમાં સપડાયેલા અફઘાનિસ્તાનનું ભાવી વધુ અનિશ્ચિત બન્યું છે. આ તબક્કે તાલીબાનો અફઘાન સરકાર અમેરિકનો સામેની લડાઈ ચાલુ રાખે તથા મંત્રણા વાસ્તવમાં શરૂ થાય તે અંગે આશંકા છે.

અફઘાનિસ્તાનના કેટલાક વર્ગનું માનવું છે કે, અહીં ચૂંટણી યોજાઈ ગયા પછી મંત્રણા શરૂ થાય તેવી શક્યતા છે.

જાકે મંત્રણા ફરી શરૂ કરવા અમેરિકા તાલીબાનો પાસેથી આતંકવાદી હુમલાઓ નહીં થાય તેવી ખાતરીની માગણી વધુ દૃઢતાથી કરશે.

તાલીબાનો તેમના વલણમાં કેટલી બાંધછોડ કરશે તે કહી શકાય નહીં, આથી આ પરિÂસ્થતિમાં અફઘાનિસ્તાનમાં ફરી અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.



લેખક – કલ્લોલ ભટ્ટાચાર્યજી, હિંદુના ખાસ સંવાદદાતા

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...