તાલીબાનોએ અમેરિકા સાથેની મુશ્કેલ મંત્રણાઓ કરવા આ વર્ષની શરૂઆતમાં ૧૪ સભ્યોની એક સમિતીની રચના કરી હતી. એક તરફ અફઘાનિસ્તાન સરકાર સાથે શરૂ કરેલું યુદ્ધ ચાલુ રાખીને તાલીબાનો અમેરિકા સાથે મંત્રણા યોજવાના પ્રયાસો કરી રહ્યા હતા.
તાલીબાનો દ્વારા નિર્દોષ નાગરિકો ઉપર અવારનવાર કરાતા હૂમલાઓના કારણે શાંતિ મંત્રણા ચાલુ રાખવાની કામગીરી કપરી હતી. આ મંત્રણા વખતે તાલીબાનોમાં વહિવટની આકાંક્ષાઓ સંતોષવાની સાથે સાથે અફઘાનિસ્તાનમાં અન્ય રાજકીય ઈચ્છા ધરાવતા લોકો વચ્ચે સમજૂતીનો માર્ગ રચવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. અમેરિકા આ મંત્રણા વખતે તાલીબાનો પાસેથી તેઓ ૧૯૯૦ના દાયકામાં આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે આતંકવાદી હુમલાઓ કરતા હતા, તેવી નીતિ ફરી નહીં અપનાવે તેવી ખાતરી મેળવવા પ્રયાસો કરી રહ્યું હતું.
આ ખાતરી ઉપરાંત અફઘાનની ધરતી પરથી સૈનિકો પાછા ખેંચી લીધા બાદ અમેરિકા પોતાનું ગુપ્તચર તંત્ર અફઘાનિસ્તાનમાં યથાવત્ રાખવા ઈચ્છતું હતું.
જાકે તાલીબાનો બધા જ અમેરિકનો પાછા ફરે તે માગણી દોહરાવતા હતા.
આ મંત્રણાઓ નાજૂક તબક્કે પહોંચી ત્યારે જ તાલીબાનોએ કાબૂલ ખાતેનો સેનાના તાલીમ કેન્દ્રમાં કરેલા હૂમલામાં અન્યો સહિત એક અમેરિકન સૈનિક ઠાર થયો. તાલીબાનોએ કાબૂલના સેનાના કેન્દ્ર પરના હૂમલાની જવાબદારી સ્વીકારતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આ હૂમલાને વખોડી કાઢી હતી. પરિણામે અમેરિકા અને તાલીબાનો વચ્ચેની મંત્રણાનું ભાવિ જાખમાયું.
સતત બે દાયકા સુધીના સંઘર્ષ બાદ મંત્રણા દ્વારા રાજકીય ઉકેલ મેળવવાના પ્રયાસોથી ઊભી થયેલી આશા ફરી નિષ્ફળ જાય તેવી Âસ્થતિ ઉભી થઈ હતી.
આમ આ બનાવે અફઘાન સરકાર સામે યુદ્ધે ચડેલા જૂથ સાથે મંત્રણા કરવી એ કેટલી કપરી કામગીરી છે તે બાબત સ્પષ્ટ થઈ. તાલીબાનોએ તેઓ મંત્રણા માટે મુક્ત મન ધરાવતા હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ કેટલાક નિષ્ણાંતોએ અમેરિકાનું ગુપ્તચર તંત્ર અફઘાનિસ્તાનમાંથી પાછુ ફર્યા બાદ પાકિસ્તાન ખાતેના આતંકવાદીઓ તેમના તાલીમ કેન્દ્રો અફઘાનિસ્તાન ખસેડીને એશિયાના બીજા વિસ્તારોમાં આતંકી હુમલા કરી શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનિય છે કે, તાલીબાનોએ આજ સમયગાળામાં ચીન, રશીયા, ઈરાન તથા સાઉદી અરેબિયા અને કતાર સાથે પણ મંત્રણાના પ્રયાસો કર્યા જે નિષ્ફળ ગયા હતા. જાકે તાલીબાનોએ ભારત સાથે મંત્રણાના પ્રયાસો કર્યા ન હતા. જાકે અમેરિકા સાથેના રાજદ્વારી સ્તરની મંત્રણાના પ્રયાસો નિષ્ફળ થયા તે જાતા તાલીબાનો સાથેની અન્ય પ્રાદેશિક સ્તરના પ્રયાસો કેટલા સફળ થશે તે બાબતે અનિશ્ચિતતા હતી. ભારતે પ્રથમથી એક અભિગમ રાખ્યો છે કે, તે કોઈપણ આતંકવાદી જૂથ સાથે ક્યારેય મંત્રણા કરશે નહીં. તાજેતરના નિર્દેશો મુજબ જર્મની, કતાર અને નોર્વેએ અમેરિકા તથા તાલીબાનો વચ્ચે મંત્રણા ફરી શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે, જેથી હિંસાગ્રસ્ત અફઘાનિસ્તાનમાં શાંતિની સ્થાપના થઈ શકે. આ સમગ્ર બાબતની સીધી અસર ચાલુ માસના અંતે અફઘાનિસ્તાનમાં યોજાનારી ચૂંટણી ઉપર થઈ રહી છે.
તાલીબાનોએ આ ચૂંટણીને માન્યતા આપી નથી, તેથી તેઓ ચૂંટણી પ્રક્રિયામાં હિંસા પર ઉતરે તેવી સંભાવના નકારી શકાય નહીં.
આના પરિણામે છેલ્લા ૪-૪ દાયકાથી આંતર-વિગ્રહમાં સપડાયેલા અફઘાનિસ્તાનનું ભાવી વધુ અનિશ્ચિત બન્યું છે. આ તબક્કે તાલીબાનો અફઘાન સરકાર અમેરિકનો સામેની લડાઈ ચાલુ રાખે તથા મંત્રણા વાસ્તવમાં શરૂ થાય તે અંગે આશંકા છે.
અફઘાનિસ્તાનના કેટલાક વર્ગનું માનવું છે કે, અહીં ચૂંટણી યોજાઈ ગયા પછી મંત્રણા શરૂ થાય તેવી શક્યતા છે.
જાકે મંત્રણા ફરી શરૂ કરવા અમેરિકા તાલીબાનો પાસેથી આતંકવાદી હુમલાઓ નહીં થાય તેવી ખાતરીની માગણી વધુ દૃઢતાથી કરશે.
તાલીબાનો તેમના વલણમાં કેટલી બાંધછોડ કરશે તે કહી શકાય નહીં, આથી આ પરિÂસ્થતિમાં અફઘાનિસ્તાનમાં ફરી અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.
Comments
Post a Comment