Skip to main content

ઈરાને અણુ કરારની ખાતરીમાં પીછેહટ કરી

ઈરાન અને અમેરીકા વચ્ચેના તનાવપુર્ણ સંબંધોના કારણે આંતરરાષ્ટ્રીય સલામતીના પ્રશ્નો વધુ ઘેરા બન્યા છે. જુલાઈ ર૦૧પ ના કરારમાંથી અમેરીકા નીકળી જતાં ઈરાન પણ હવે આ કરારમાં પીછેહટ કરી રહયું છે. વિશ્વના દેશો સમક્ષ તેણે જાહેર કરેલી કટીબધ્ધતા અને આપેલી ખાતરીમાં હવે તે પાછુ ફરી રહયું છે. મુળ બાબત એ છે કે અમેરીકા બાદ હવે યુરોપીય સંઘ પણ તેની ખાતરીઓને જાળવી રહયું નથી. પરીણામે તે પણ મુકરર જઈ રહયું છે. ખરેખર તો ઈરાન અને યુરોપીય સંઘ ર૦૧પ ના અણુ કરારની કટીબધ્ધતા જળવાઈ રહે તેના માટે ખુબ જ પ્રયત્નશીલ છે. આ માટે યુરોપીય સંઘ ઈરાનને અપાયેલા આર્થિક વચનોને વળગી રહે તે જરૂરી છે અને તેના લાભ તેને મળવા જાઈએ. આમ બંને પરસ્પર સંકળાયેલા છે અને મર્યાદાઓથી બંધાયેલા પણ છે.

ઈરાનની અણુ ઉર્જા સંસ્થાના નિયામક અલી અકબર સાલેહીએ આ નિર્ણયો અંગે તાજેતરમાં કેટલીક સ્પષ્ટતાઓ કરી છે. તેમણે કહયું કે ઈરાન પોતાની સાર્વભૌમ સત્તાઓના આધારે કોઈપણ નિર્ણય લેવા સ્વતંત્ર છે. યુરોપીય સંઘ જયારે તેની ખાતરી અને કટીબધ્ધતાઓ જાળવવામાં નિષ્ફળ રહયું છે ત્યારે ઈરાન પણ તેની ખાતરીમાં પાછુ ફરી શકે છે. તેમણે કહયું કે યુરોપીય સંઘના દેશો ઈરાનને આર્થિક સહયોગ પુરો પાડવામાં નિષ્ફળ રહયાં છે. અમેરીકાએ મુકેલા પ્રતિબંધોના પગલે વિદેશ વેપારમાં ઈરાનને સહયોગ આપ્યો નથી. પરીણામે અણુ કરારની શરતોમાંથી ઈરાન પણ બહાર નીકળી રહયું છે.

ઈરાનની સમાચાર સંસ્થાએ ગયા અઠવાડીયામાં જણાવ્યું કે ઈરાનના વિદેશ મંત્રી જાવદ ઝરીફે યુરોપીય સંઘના વિદેશ નીતી બાબતોના વડાને એક પત્ર લખ્યો છે અને તેમાં અણુ સંશોધન અને વિકાસ કાર્યવાહીમાં ફેરફારો અંગેનો નિર્ણય જણાવ્યો છે. આ નિર્ણય અનુસાર ઈરાન યુરેનિયમ શુÂધ્ધકરણ માટેના પ્લાન્ટ કાર્યરત કરી શકે છે. જા કે તેણે સ્પષ્ટતા કરી છે કે આ પ્લાન્ટ માત્ર શાંતીપુર્ણ હેતુઓ માટે કાર્ય કરશે અને આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા સંસ્થાની દેખરેખ હેઠળ રહેશે. જા યુરોપીય સંઘ તેના વચન પાળશે તો ઈરાન આ નિર્ણય પાછો ખેંચવા પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું. જા કે ઈરાને કરેલી આ જાહેરાતનો અર્થ એ નથી કે ર૦૧પ નો અણુ કરાર રદ થઈ ગયો છે. આ ઈરાન દ્વારા ઉપયોગમાં લેવાયેલી દબાણ ઉભુ કરવાની તરકીબ છે અને તે દ્વારા યુરોપીય સંઘમાંથી મળતા આર્થિક લાભ ઝડપી બને તેવો આશય દેખાઈ રહયો છે. યુરોપીય સંઘે ફ્રાન્સના નેતૃત્વમાં અણુ કરાર યથાવત જળવાઈ રહે તેવા પ્રયત્નો ચાલુ રાખ્યા છે. જી-સાત દેશોની ગયા મહિને યોજાયેલી બેઠક દરમિયાન ફ્રાન્સે આ કરાર યથાવત રહે તે માટે કટીબધ્ધતા દર્શાવી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોનના આમંત્રણથી ઈરાનના વિદેશ મંત્રી જાવદ ઝરીફ જી-સાત દેશોની બેઠકમાં હાજર હતા. ત્યારે અમેરીકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ઉપÂસ્થત હતા. જા કે અમેરીકા અને ઈરાન વચ્ચેની બેઠકના પ્રયત્નો શકય બન્યા નહોતા.

અમેરીકા અને ઈરાન વચ્ચેના સંબંધો દીવસે દીવસે બગડી રહયાં છે, ત્યારે પર્શિયાના અખાતમાં પેટ્રોલીયમ ટેન્કરોને રોકવામાં આવે છે. તેના કારણે Âસ્થતિ વધુ કપરી બની રહી છે. આ Âસ્થતિ હળવી બને તે માટે તમામ પક્ષો પ્રયત્ન કરે તે વધુ જરૂરી બન્યું છે. અમેરીકા ઈરાન પર દબાણ વધારવાના પ્રયત્નોમાં કોઈ ફેરફાર કરતું નથી. આ ઉપરાંત ઈરાનની સાથે ખનીજ તેલના વ્યવહાર કરે તેની ઉપર પણ પ્રતિબંધો લાદવાની ધમકી આપી છે. અણુકરારમાં જાગવાઈ છે કે જા ઈરાન કરારની શરતો અનુસાર વર્તે તો તેને આર્થિક સહયોગ આપવામાં આવે. અમેરીકાના નિર્ણયથી સમગ્ર પરિÂસ્થતિ વધુ વકરી છે. ભારત આ પરિÂસ્થતિ પર નજર રાખી રહયું છે. ભારતની ઉર્જાની જરૂરીયાતો ઈરાન સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત પડોશી તરીકેના સંબંધો પણ છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...