Skip to main content

ઈરાને અણુ કરારની ખાતરીમાં પીછેહટ કરી

ઈરાન અને અમેરીકા વચ્ચેના તનાવપુર્ણ સંબંધોના કારણે આંતરરાષ્ટ્રીય સલામતીના પ્રશ્નો વધુ ઘેરા બન્યા છે. જુલાઈ ર૦૧પ ના કરારમાંથી અમેરીકા નીકળી જતાં ઈરાન પણ હવે આ કરારમાં પીછેહટ કરી રહયું છે. વિશ્વના દેશો સમક્ષ તેણે જાહેર કરેલી કટીબધ્ધતા અને આપેલી ખાતરીમાં હવે તે પાછુ ફરી રહયું છે. મુળ બાબત એ છે કે અમેરીકા બાદ હવે યુરોપીય સંઘ પણ તેની ખાતરીઓને જાળવી રહયું નથી. પરીણામે તે પણ મુકરર જઈ રહયું છે. ખરેખર તો ઈરાન અને યુરોપીય સંઘ ર૦૧પ ના અણુ કરારની કટીબધ્ધતા જળવાઈ રહે તેના માટે ખુબ જ પ્રયત્નશીલ છે. આ માટે યુરોપીય સંઘ ઈરાનને અપાયેલા આર્થિક વચનોને વળગી રહે તે જરૂરી છે અને તેના લાભ તેને મળવા જાઈએ. આમ બંને પરસ્પર સંકળાયેલા છે અને મર્યાદાઓથી બંધાયેલા પણ છે.

ઈરાનની અણુ ઉર્જા સંસ્થાના નિયામક અલી અકબર સાલેહીએ આ નિર્ણયો અંગે તાજેતરમાં કેટલીક સ્પષ્ટતાઓ કરી છે. તેમણે કહયું કે ઈરાન પોતાની સાર્વભૌમ સત્તાઓના આધારે કોઈપણ નિર્ણય લેવા સ્વતંત્ર છે. યુરોપીય સંઘ જયારે તેની ખાતરી અને કટીબધ્ધતાઓ જાળવવામાં નિષ્ફળ રહયું છે ત્યારે ઈરાન પણ તેની ખાતરીમાં પાછુ ફરી શકે છે. તેમણે કહયું કે યુરોપીય સંઘના દેશો ઈરાનને આર્થિક સહયોગ પુરો પાડવામાં નિષ્ફળ રહયાં છે. અમેરીકાએ મુકેલા પ્રતિબંધોના પગલે વિદેશ વેપારમાં ઈરાનને સહયોગ આપ્યો નથી. પરીણામે અણુ કરારની શરતોમાંથી ઈરાન પણ બહાર નીકળી રહયું છે.

ઈરાનની સમાચાર સંસ્થાએ ગયા અઠવાડીયામાં જણાવ્યું કે ઈરાનના વિદેશ મંત્રી જાવદ ઝરીફે યુરોપીય સંઘના વિદેશ નીતી બાબતોના વડાને એક પત્ર લખ્યો છે અને તેમાં અણુ સંશોધન અને વિકાસ કાર્યવાહીમાં ફેરફારો અંગેનો નિર્ણય જણાવ્યો છે. આ નિર્ણય અનુસાર ઈરાન યુરેનિયમ શુÂધ્ધકરણ માટેના પ્લાન્ટ કાર્યરત કરી શકે છે. જા કે તેણે સ્પષ્ટતા કરી છે કે આ પ્લાન્ટ માત્ર શાંતીપુર્ણ હેતુઓ માટે કાર્ય કરશે અને આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા સંસ્થાની દેખરેખ હેઠળ રહેશે. જા યુરોપીય સંઘ તેના વચન પાળશે તો ઈરાન આ નિર્ણય પાછો ખેંચવા પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું. જા કે ઈરાને કરેલી આ જાહેરાતનો અર્થ એ નથી કે ર૦૧પ નો અણુ કરાર રદ થઈ ગયો છે. આ ઈરાન દ્વારા ઉપયોગમાં લેવાયેલી દબાણ ઉભુ કરવાની તરકીબ છે અને તે દ્વારા યુરોપીય સંઘમાંથી મળતા આર્થિક લાભ ઝડપી બને તેવો આશય દેખાઈ રહયો છે. યુરોપીય સંઘે ફ્રાન્સના નેતૃત્વમાં અણુ કરાર યથાવત જળવાઈ રહે તેવા પ્રયત્નો ચાલુ રાખ્યા છે. જી-સાત દેશોની ગયા મહિને યોજાયેલી બેઠક દરમિયાન ફ્રાન્સે આ કરાર યથાવત રહે તે માટે કટીબધ્ધતા દર્શાવી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોનના આમંત્રણથી ઈરાનના વિદેશ મંત્રી જાવદ ઝરીફ જી-સાત દેશોની બેઠકમાં હાજર હતા. ત્યારે અમેરીકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ઉપÂસ્થત હતા. જા કે અમેરીકા અને ઈરાન વચ્ચેની બેઠકના પ્રયત્નો શકય બન્યા નહોતા.

અમેરીકા અને ઈરાન વચ્ચેના સંબંધો દીવસે દીવસે બગડી રહયાં છે, ત્યારે પર્શિયાના અખાતમાં પેટ્રોલીયમ ટેન્કરોને રોકવામાં આવે છે. તેના કારણે Âસ્થતિ વધુ કપરી બની રહી છે. આ Âસ્થતિ હળવી બને તે માટે તમામ પક્ષો પ્રયત્ન કરે તે વધુ જરૂરી બન્યું છે. અમેરીકા ઈરાન પર દબાણ વધારવાના પ્રયત્નોમાં કોઈ ફેરફાર કરતું નથી. આ ઉપરાંત ઈરાનની સાથે ખનીજ તેલના વ્યવહાર કરે તેની ઉપર પણ પ્રતિબંધો લાદવાની ધમકી આપી છે. અણુકરારમાં જાગવાઈ છે કે જા ઈરાન કરારની શરતો અનુસાર વર્તે તો તેને આર્થિક સહયોગ આપવામાં આવે. અમેરીકાના નિર્ણયથી સમગ્ર પરિÂસ્થતિ વધુ વકરી છે. ભારત આ પરિÂસ્થતિ પર નજર રાખી રહયું છે. ભારતની ઉર્જાની જરૂરીયાતો ઈરાન સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત પડોશી તરીકેના સંબંધો પણ છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...