Skip to main content

લેખક ઃ પ્રોફેસર ચિંતામણી મહાપાત્ર, જેએનયુના અમેરીકન અભ્યાસના ચેરમેન

રાજદ્વારી કુનેહ અને વ્યકિતત્વના પ્રભાવની દ્રષ્ટીએ સમગ્ર વિશ્વમાં સાંપ્રત સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમકક્ષ નેતા હાલ નથી. તેઓ જયાં જાય છે તયાંના નેતાઓ તેમના પ્રભાવ હેઠળ આવતા જણાય છે. તાજેતરમાં અમેરીકાના હ્યુસ્ટન ખાતેના એક કાર્યક્રમમાં તેમના આ વ્યકિતત્વનો પરીચય મળ્યો. અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરીકાના પ્રમુખ તરીકે કાર્યભાળ સંભાળ્યો ત્યારપછીના સમયગાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સાથે છ વખતથી વધુ દ્વિપક્ષીય બેઠક યોજી છે.

આ ઐતિહાસીક ક્ષણો, ભારત – અમેરીકાના મજબુત બનતા સંબંધો દર્શાવે છે. આ મુલાકાતોથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ થયા છે. આ બંને આગેવાનોએ ન્યુયોર્કમાં સંયુકત રાષ્ટ્રસંઘની મહાસભામાં ઉપÂસ્થત રહયાં બાદ પણ વાતચીત કરી હતી. ભારત – અમેરીકાના મજબુત બનતા દ્વિપક્ષીય સંબંધોએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ બધી જ બેઠકો સમગ્ર રીતે જાતાં ઓછા સમયગાળાની હોવા છતાં તેમાં મહત્વના નિર્ણયો લેવાયા હતના. હયુસ્ટન ખાતેના કાર્યક્રમમાં આ બંને આગેવાનોનું સમગ્ર વર્તન એક મિત્ર દેશોના વડાઓ વચ્ચે હોય તેવું હતું. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સિÂધ્ધઓને સ્વીકારી હતી અને તેમને સાંપ્રત ભારતીય રાજકારણમાં રાષ્ટ્રપિતા સમાન વ્યકિતત્વ ધરાવતા નેતા તરીકે ઓળખાવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોમાં બે દેશોનાવડાઓ વચ્ચેના વર્તન – બંને દેશો વચ્ચેના સંબંધો મજબુત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોવાથી શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંવાદની તથા મિત્રતાની અભિવ્યકિતને અવગણી શકાય નહી. સમીક્ષકો દ્વારા વ્યકત કરાયેલી આશંકાના તદૃન વિરૂધ્ધ વલણ સપનાવીને શ્રી ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ કાશ્મીર મુદૃ મધ્યસ્થી કરશે નહી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન આવું વલણ અપનાવવા શ્રી ટ્રમ્પને ઘણી વખત વિનંતી કરી ચુકયા છે, જે ધ્યાનમાં લેતા શ્રી ટ્રમ્પનું નિવેદન આગવુ મહત્વ ધારણ કરે છે. અગાઉ પ્રસાર માધ્યમો સતત કહેતા હતા કે શ્રી ટ્રમ્પે કાશ્મીર મુદૃ મધ્યસ્થી કરવા છ વખત જણાવ્યું છે.

જા કે શ્રી ટ્રમ્પે એમ પણ કહયું હતું કે જા ભારત ઈચ્છે તો અને તો જ તેઓ કાશ્મીર મુદૃ દરમિયાનગીરી કરવા ઉત્સુક છે. આ બાબત સમીક્ષકોએ અવગણી હતી. બંને દેશોના વડાઓની મંત્રણાઓની મોટી ફળશ્રુતી એ છે કે બંને દેશોએ વેપાર ક્ષેત્રે ઉભા થયેલા મતભેદો ટુંક સમયમાં ઉકેલવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. આ બાબત સ્પષ્ટ રીતે સંકેત આપે છે કે વેપાર ક્ષેત્રના મતભેદો ભારત અને અમેરીકા વચ્ચેના વ્યુહાત્મક ભાગીદારીના સંબંધો ઉપર અસર પડશે નહી.

એવી જ રીતે સરહદપારના આતંકવાદ અંગેના ભારતના પ્રધાનમંત્રીના અભિગમ, પધ્ધતિ અને તેમની ક્ષમતામાં અમેરીકા પુર્ણ વિશ્વાસ ધરાવે છે તે બાબત પણ આ દ્વિપક્ષીય મંત્રણામાં સ્પષ્ટ રીતે જાવા મળી હતી. આનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે ભારત સરકાર કાશ્મીર મુદૃ જે વલણ અને પધ્ધતિ અપનાવી રહી છે તેને અમેરીકા સંપુર્ણ સમર્થન આપી રહયું છે અને તે વિરોધ કરશે નહી. અમેરીકા તરફથી વર્તમાન પરીÂસ્થતિમાં આનાથી સ્પષ્ટ સમર્થનની અપેક્ષા રાખી શકાય નહી.

કારણ કે અમેરીકાના સેનિકોની અફઘાનીસ્તાનમાં હાજરી હોવા છતાં તાલીબાનો જે રીતે હિંસા કરી રહયાં છે તે જાતાં તાલીબાનો ઉપર અંકુશ મેળવવા અમેરીકાને પાકીસ્તાનના સહકારની જરૂર છે. સમગ્ર રીતે જાતા શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે શ્રી મોદીને આપેલા સમર્થનથી કાશ્મીરમાં શાંતિ અને વિકાસને નવુબળ મળશે.

શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીત અને તેમના પરીણામો શ્રી મોદીના રાજદ્વારી વલણનો વિજય ગણાવી શકાય.

લેખક ઃ પ્રોફેસર ચિંતામણી મહાપાત્ર, જેએનયુના અમેરીકન અભ્યાસના ચેરમેન

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...