રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વિપક્ષીય રાજકીય તેમજ આર્થિક સંબંધો વિકસાવવા આઇસલેન્ડ સ્વિત્ઝરલેન્ડ અને સ્લોવેનિયાની નવ દિવસની મુલાકાતે હતા. ભારત અને આઇસલેન્ડે મત્સ્ય ઉદ્યોગ સાંસ્કૃતિક સહકાર, અધિકારીઓને વિઝા આપવા માટે સરળ નીતી તેમજ યુનિવર્સિટી ઓફ આઇસલેન્ડ ખાતે હિન્દી કેન્દ્ર શરૂ કરવા જેવા વિવિધ મુદ્દાઓ અંગેના સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા. આઇસલેન્ડે નોર્ડિક જૂથના દેશોમાંથી એક છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આઇસલેન્ડ શાશ્વત મત્સ્યોધ્યોગ, દરિયાઈ અર્થતંત્ર, વહાણવટા , પર્યાવરણને અનુકૂળ વિકાસ, ઉર્જા ,બાંધકામ તેમજ કૃષિ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે.
આર્કટિક ક્ષેેત્રના શાશ્વત વિકાસ તેમજ પર્યાવરણની જાળવણી માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા આર્કટિક કાઉન્સિલની હાલની અધ્યક્ષતા આઇસલેન્ડ પાસે છે. આઇસલેન્ડ સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષાષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે ટેકો જાહેર કર્યો હતો.રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે આઇસલેન્ડ યુનિવર્સિટીમાં ઇન્ડિયા આઇસલેન્ડ ફોર ગ્રીન પ્લેનેટ વિષય પર વિદ્યાર્થીઓનેે સંબોધન કર્યું હતુંં. તેમણે આઇસલેન્ડને આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાં સહભાગી થવા આમંત્રણ પણ આપ્યું હતું. શ્રી કોવિન્દે પેરિસ કરાર હેઠળની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવતા ૨૦૨૨ સુધીમાં ફરી વપરાશમાં ન આવતા સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે ભારતના ઉદ્યોગકારોને પણ સંબોધન કર્યું હતું અને ભારતમાં રોકાણની તકો અંગે માહિતી આપી હતી. શ્રી કોવિંદે ભારતીય સમુદાય અને ફ્રેન્ડસ ઓફ ઈÂન્ડયા દ્વારા યોજાયેલા સમારોહમાં પણ હાજરી આપી હતી
બીજા તબક્કામાં શ્રી કોવિંદ સ્વીઝરલેન્ડની મુલાકાતે ગયા હતા. બર્ન ખાતેની યુનિવર્સિટીમાં ભારત સ્વિટ્ઝર્લૅન્ડની નવી ભાગીદારી અંગે સંબોધન કરતા શ્રી કોવિંદે પર્યાવરણને અનુકૂળ વિકાસ, આબોહવા પરિવર્તન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સંશોધન ક્ષેત્રે આલ્પ્સ અને હિમાલય વચ્ચે સહકાર અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી જૂની લોકશાહી તેમજ વિશ્વની સૈથી મોટી લોકશાહી વચ્ચેના ઐતિહાસિક સંબંધોને આજે વિશ્વભરમાં આવકાર મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ૧૮૯૬માં સ્વામી વિવેકાનંદે પૂર્વ અને પશ્ચિમ દેશોને જોડાવાની નેમ સાથે સ્વિટ્ઝરલેન્ડની મુલાકાત લીધી હતી ૧૯૩૧માં નોબેલ પુરસ્કાર વિજેતા રોમન રોનાલ્ડોના આમંત્રણ પર મહાત્મા ગાંધી લેન્ડ ની મુલાકાતે ગયા હતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી કોવિંદે વિલેનન્યુ શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
ભારત અને સ્વીઝરલેન્ડના સંબંધો મજબુત આર્થિક ભાગીદારીના છે. ભારતમાં રપ૦ થી વધુ સ્વીસ કંપનીઓ કાર્યરત છે અને ચેન્નાઈમાં સ્વીઝરલેન્ડની નાણાંકીય સહાયથી સ્થપાયેલ ઈન્ટર ગલ રેલવે કોચ ફેકટરીએ ર૦૧પમાં તેની ડાયમંડ જુબીલીની ઉજવણી કરી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી જે દ્વિપક્ષી સંબંધોને મુર્તીમંત કરે છે તેના ઉપર ભાર મુકી રાષ્ટ્રપતિએ કહયું કે, સ્વીઝરલેન્ડ શોધખોળો – નાવિન્યકરણ માટે વિશ્વમાં અગ્રેસર છે. ભારત તેમાંથી પ્રેરણા લઈ શકે. તેમણે કહયું કે સ્વીસના અર્થતંત્રના નિષ્ણાંતો અને સક્ષમ ગુણવત્તાના જાણકારો ભારતને ટકાઉ, શહેરી વ્યવસ્થા, નદીઓની સફાઈ, ખાદ્ય પદાર્થોની પ્રક્રિયામાં કેવી રીતે મદદરૂપ બની શકે તે વિચારવુ જરૂરી છે. તેમણે ભારત – સ્વીઝરલેન્ડના વ્યાપારી સમુદાયને પણ સંબોધન કર્યુ હતું. રાષ્ટ્રપતિએ વર્લ્ડ બેંકની ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ ઈન્ડેક્ષ અને ભારતની મહત્વની યોજનાઓ જેવી કે, મેક ઈÂન્ડયા, સ્માર્ટ સીટી, ડીજીટલ ઈÂન્ડયા, કલીન ઈÂન્ડયા, સ્ટાર્ટઅપ ઈÂન્ડયા કાર્યક્રમોનો ઉદય થઈ રહયો છે તેમાં સ્વીસ મદદરૂપ બની શકે.
ભારત અને સ્વીઝરલેન્ડ ટ્રીટી ઓફ ફ્રેન્ડશીપ ઉપર ૧૯૪૮માં હસ્તાક્ષર થયા હતા. તેની ૭૦મી વાર્ષિક ઉજવણીએ બંને દેશોના દ્વિપક્ષી સંબંધોને મજબુત બનાવવામાં પાયારૂપ છે. તેમના પ્રવાસની આખરમાં રાષ્ટ્રપતિએ સ્લોવેનીયાની મુલાકાત લીધી હતી. આ દેશની મુલાકાત લેનાર તેઓ પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ છે. તેમણે ઝડપી આર્થિક પરીવર્તન પર ભાર મુકી જણાવ્યું કે, સ્લોવેનીયાની ઉચ્ચકક્ષાની લીવરેજ ટેકનોલોજી અને ટકાઉ વેપારી પરંપરાઓ સંશોધન, જ્ઞાન વગેરે ઝડપી વિકાસ માટે ઉપયોગી બનતી શોધખોળોમાં ભારતને રસ છે. ભારત અને સ્લોવેનીયા વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સાત સમજુતી કરાર થયા હતા. જેમાં રોકાણ, રમત ગમત, સાંસ્કૃતિક, નદીઓની સફાઈ – કલીન ગંગા મિશન, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સ્ટાન્ડર્ડ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમણે ભારત સ્લોવેનીયાના વેપારી સમુદાયને પણ સંબોધન કર્યુ હતું. તેમણે ભારત વિશ્વમાં
આભાર - નિહારીકા રવિયા સ્ટાર્ટઅપનું સૌથી વધુ નેટવર્ક ધરાવતો દેશ છે તે પ્રત્યે ધ્યાન દોર્યુ હતું. સ્લોવેનીયાએ યુએન કાઉન્સીલમાં ભારતને કાયમી સભ્યપદ મળે તે માટે સમર્થન આપવાનું જાહેર કર્યુ હતું. ચાલુ મહિના પછી સ્લોવેનીયા સરકાર મહાત્મા ગાંધી અંગેની ઉજવણી પ્રસંગે પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડશે.
Comments
Post a Comment