Skip to main content

બેવડા વલણ અંગે પાકિસ્તાનની થતી ટીકા – અંગે સમીક્ષા

જમ્મુ અને કાશ્મીર અંગેના દુરાગ્રના કારણે પાકિસ્તાન પ્રક્ષોભકારી અવસ્થામાંથી ગુજરી રહયું છે. ભારતીય બંધારણમાંથી કલમ ૩૭૦ રદ કરવાનો નિર્ણય ભારતની આંતરીક બાબત હોવાનું જણાવતા વિશ્વના લગભગ બધા જ શકિતશાળી દેશોએ પાકિસ્તાનને ઠપકાર આપ્યો છે. સમર્થન મેળવવા પાકિસ્તાન હવે અથાક પ્રયાસ કરી રહયું છે.

એક ખાનગી ટીવી ચેનલ સાથે કરેલી વાતચીતમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાતે કબુલ કર્યુ હતું કે પાકિસ્તાન ભારતની સામે પરંપરાગત યુધ્ધ જીતી શકશે નહી તેમણે પરમાણુ ખતરાનો પુનરૂચ્ચાર કર્યો.

વિશ્વના દેશોને કાશ્મીર તરફ ધ્યાન દોરવા જણાવ્યું હતું. તેમણે વિશ્વને ચેતવણી આપી કે જા તે ભારતના પરમાણુ શ†ગાર પર ધ્યાન આપવામાં નિષ્ફળ જશે તો તે ત્યારબાદ થનાર ભારે આપત્તી માટે જવાબદાર ગણાશે. તેમણે ઉમેર્યુ હતું કે તેમણે વિશ્વને જાણ કરી દીધી છે કે પાકિસ્તાન યુધ્ધ ઈચ્છતું નથી પરંતુ તે તેની સુરક્ષા અને અખંડિતતાની સામે ઉભા થયેલા પડકારોથી અજાણ રહી શકે નહી.

તેમણે એમ પણ સ્વીકાર્યુ હતું કે નાણાંકીય કાર્યવાહી દળ એફએટીએફે આવતા મહિને આતંકવાદ માટે અપાતા સહાય મામલે પાકિસ્તાનને બ્લેકલીસ્ટ કરવા અંગે સુનાવણી હાથ ધરશે. ત્યારે પાકિસ્તાનને મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે. આ મુલાકાતમાં શ્રી ખાતે વધુમાં કહયું હતું કે વિશ્વ ધ્વારા પાકિસ્તાનનું અર્થતંત્ર તોડવાનું કાવતરૂ કરવામાં આવી રહયું છે. તેમણે ભારત સાથે વાતચીત શરૂ કરવા અંગે તેઓએ કરેલા પ્રયાસો અંગે પણ માહિતી આપી હતી.

આ વાત સત્યથી બહુ જ દુર છે. જાન્યુઆરી ર૦૧૬ માં થયેલા પઠાણકોટ હુમલા બાદ ભારતે સતત કહયું છે કે આતંકવાદ અને વાટાઘાટો એક સાથે ન થઈ શકશે. હકીકતમાં ભારતે કેટલીક વાર પાકીસ્તાનની સામે મૈત્રીનો હાથ આગળ કર્યો છે પણ તેને પાકિસ્તાન તરફથી હંમેશા જ અવરોધો થાય છે.

પાકિસ્તાન પોતાની ષડયંત્રના કારણે કાશ્મીર મુદૃ અલગ પડયું છે. ભારતના જમ્મુ અને કાશ્મીરમાં પ્રોકસી યુધ્ધ કરવા પાકિસ્તાને છેલ્લા ત્રણ દાયકાથી આતંકી જુથોને સહાય, આર્થિક ભંડોળ તેમજ તાલીમ પુરી પાડી છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રીના ઈન્ટરવ્યુ બાદ તરત જ તેઓને ચીનના જીનીયાંગ પ્રાંતમાં ઉઈઘુર મુસ્લીમો અંગેના પ્રશ્નોનો સામનો કરવો પડયો છે. વિશ્વ ઉઈઘુર કોંગ્રેસ ધ્વારા પાકિસ્તાનના પ્રધાનમંત્રી પર બેવડા ધોરણો અપનાવવાનો તથા ચીનના ઉઈઘુર મુસ્લીમોની સતામણી અંગે આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો કરાયા. પાકિસ્તાન આ મુદૃ સુપકીદી એવી રહયું છે અને ચીનની રીતીઓને સમર્થન આપી રહયું છે તે બાબત શરમજનક છે.

કેટલાક મહિના અગાઉ આંતરરાષ્ટ્રીય પત્રકારો એ શ્રી ઈમરાન ખાનને ઉઈઘુર મુદૃ પ્રશ્નો પુછયા હતા. ત્યારે તેમણે કહયું કે તેઓ આ મુદૃ અજાણ છે. જીનીવા ખાતે સંસ્થાના પ્રમુખ શેલકુન ઈસ્તએ કહયું કે શ્રી ખાન સારી રીતે જાણે છે કે ચીન સરકાર ઉઈઘુર મુસ્લીમો સામે શું કહી રહી છે છતાં તેઓ આ મુદૃ વાત કરવા તૈયાર નથી. તેમણે ઉમેર્યુ કે પાકિસ્તાન માનવ અધિકારોનો ભંગ કરનાર સૌથી મોટો દેશ છે અને ચીન હકીકત છુપાવી રહયું છે.

ઉઈઘુર અટકાયત શિબિરો ખરેખર તાલીમ કેન્દ્રો છે. એવા ચીનના દાવા અંગે ઉઈઘુર આંદોલનકારે કહયું કે આ જુઠાણુ છે અને ચીન હકીકતો છુપાવી રહયું છે. શ્રી ઈસાએ ઉમેર્યુ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી જમ્મુ કાશ્મીરના મુદૃ ઉઠાવે છે. પરંતુ ઉઈઘુર મુદૃ આખ આડા કાન કરી ચીનની નીતીઓને ટેકો આપે છે. આ બેવડા ધોરણો નીંદનીય છે.

ઈમરાન ખાન પોતાને કાશ્મીરી લોકોના મિત્ર તરીકે ગણાવવા પ્રયાસ કરી રહયાં છે. પણ બલોચ લોકોની નજરમાં તેઓ આવી ગયા છે. ગત સપ્તાહે જીનીવામાં સંયુકત રાષ્ટ્રના માનવ અધિકાર પંચના સંમેલન દરમ્યાન બલોચ નેતાઓએ ઈમરાન ખાન વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. બલુચિસ્તાનમાં પાકિસ્તાન નરસંહાર કરીને માનવ અધિકારનું ઉલ્લંધન કરે છે છતાં પણ આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે કાશ્મીરના માનવ અધિકારની વાતો કરે છે. એટલે જ એમ લાગે છે કે પાકિસ્તાન તેના બેવડા વલણના કારણે સતત મુશ્કેલીમાં જ રહે છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...