Skip to main content

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા

શ્રીલંકાની આબોહવાની જેમ શ્રીલંકાનું રાજકીય વાતાવરણ પણ મનસ્વી છે તેમ કહી શકાય. 

શ્રીલંકામાં આગામી 16મી નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઈ છે. 

સમગ્ર શ્રીલંકામાં ચૂંટણી પ્રચાર સાવ શુષ્ક નહીં પણ હજી પૂરો વેગવંતો બન્યો નથી. 

દેશના બંધારણની દ્રષ્ટિએ જોતા સર્વોચ્ચ પદ માટેની આ ચૂંટણીની દ્રષ્ટિએ આ પરિસ્થિતિને અસાધારણ ગણાવી શકાય. 

આ ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ નહીં હોવાનું એક કારણ એવું છે કે, ઈસ્ટર સન્ડે પ્રસંગે આતંકવાદીઓએ કરેલા હુમલાના આઘાતમાંથી લોકો હજી બહાર આવ્યા નથી. 

એવીજ રીતે શ્રીલંકાના મોટાભાગના લોકો એવું માને છે કે, દેશના મુખ્ય બે રાજકીય પક્ષો પાસે લોકોને આપવા માટે નવું કશું નથી. 

ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મહિન્દા રાજપક્ષેના નાના ભાઈ અને ભુતપૂર્વ સલામતી સચિવ ગોટાબાયા રાજપક્ષેએ ઝડપથી નિર્ણય લઈ ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો. 

આ વર્ષના આરંભે જ ગોટાબાયાએ પોતાનું અમેરિકાનું નાગરીકત્વ જતું કરીને શ્રીલંકાનું નાગરીકત્વ અપનાવવાનો નિર્ણય લીધો હતો. 

આમ કરવાથી તેઓ ચૂંટણી લડવા પાત્ર ઠરશે. 

આમ તેમણે શ્રીલંકાનું નાગરીકત્વ મેળવી લીધું છે, પણ દેશના કાયદા મુજબ નાગરીકત્વ આપવાની પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન નહીં થયું હોવાની આશંકાઓ વ્યક્ત થાય છે. 

હજી બીજા કેટલાક મુદ્દાઓ ઉકેલાવાના બાકી છે. આ પૈકી કેટલીક બાબતો તો અદાલતમાં પેન્ડીંગ છે. 

ઉલ્લેખનિય છે કે, ગોટાબાયા રાજપક્ષેએ LTTE સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

નિષ્ણાંતોનું માનવું છે કે, તેઓ પોતાના મોટાભાઈની નીતિઓનું અનુકરણ કરે તેવી સંભાવના છે. 

શ્રી ગોટાબાયાએ જણાવ્યું છે કે, તેઓ તટસ્થ વલણ અપનાવીને દેશના વિકાસ માટે કામ કરશે. 

તેમને દક્ષિણ શ્રીલંકાના સિંહલી લોકોનું સમર્થન મળે તેવી શક્યતા વધુ છે. 

તો બીજી તરફ જમણેરી તથા મધ્યમ વિચારધારા ધરાવતા યુનાઈટેડ નેશનલ પાર્ટી પ્રધાનમંત્રી રાનીલ વિક્રસિંઘેને પોતાનો ઉમેદવાર પસંદ કરે તેવી શક્યતા છે. 

તેઓ પાંચ વખત પ્રધાનમંત્રી રહી ચૂક્યા હોવાથી રાજકારણનો તેમની પાસે બહોળો અનુભવ છે. 

જોકે તેમના પક્ષના સહિત ઘણાં નાગરિકો વિક્રમસિંઘે રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર બને તેવું ઈચ્છતા નથી. 

તેના બદલે તેઓ વધુ યુવાન ઉમેદવારનું સમર્થન કરી શકે છે. 

વર્તમાન સીરીસેના સરકારમાં મંત્રી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ રણસિંઘે પ્રેમદાસાના પુત્ર સાજીથ પ્રેમદાસા – આ જરૂરીયાત પરિપૂર્ણ કરી શકે છે. 

પણ વિક્રમસિંઘેની ઉપસ્થિતિમાં આ નિર્ણય લેવાનું અશક્ય જણાય છે. 

શ્રી સાજીથ પ્રેમદાસા તેમની ઉમેદવારીની જાહેરાત ટૂંક સમયમાં કરે તેવી ધારણા છે. 

આમ જો થાય તો જ બે વિશ્વસનીય અને મોટા ઉમેદવારો નોંધાતા ચૂંટણી પ્રક્રિયા વેગવાન બને તેવી સંભાવના છે. 

શ્રી વિક્રમસિંઘે કોલંબોના સત્તાધારી પક્ષના વર્ગમાં ઊંચુ સ્થાન ધરાવે છે, તો સાજીથ પ્રેમદાસાનો પ્રભાવ દક્ષિણ શ્રીલંકાના સિંહલી લોકો ઉપર વધારે છે. 

તેમના પિતા રણસીંઘે પ્રેમદાસા પોતાના કાર્યકાળ વખતે સિંહલી લોકોના પ્રખર સમર્થક હોવાથી આ છબીનો લાભ સાજીથને મળે તેવી શક્યતા છે. 

આમ સમગ્ર રીતે જોતા આ વખતની પ્રમુખપદની ચૂંટણી વધુ રસપ્રદ બની રહેશે. 

આવતા વર્ષે શ્રીલંકામાં સંસદીય ચૂંટણી યોજાવાની છે. 

આથી જ આગામી નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીનો પ્રભાવ આવતા વર્ષે યોજાનારી સંસદીય ચૂંટણી ઉપર ચોક્કસ પડશે. 

ત્યારપછી પ્રોવીન્સના કાઉન્સીલની ચૂંટણી પણ યોજાવાની છે. 

આ બધી જ બાબતો ધ્યાનમાં લેતા હાલ શાંત જણાતો ચૂંટણી પ્રચાર આગામી સપ્તાહમાં ચોક્કસ વેગવંતો બનવાનો છે. 

ભારત પોતાના પાડોશી દેશ શ્રીલંકામાં ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાયતેની તરફેણ કરે છે. 

લોકશાહી પદ્ધતિ ધરાવતું અને વિવિધતાને અપનાવતું શ્રીલંકા સમગ્ર દક્ષિણ એશિયામાં શાંતિ અને પ્રગતી માટે મદદરૂપ બની શકે છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...