Skip to main content

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા

શ્રીલંકાની આબોહવાની જેમ શ્રીલંકાનું રાજકીય વાતાવરણ પણ મનસ્વી છે તેમ કહી શકાય. 

શ્રીલંકામાં આગામી 16મી નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઈ છે. 

સમગ્ર શ્રીલંકામાં ચૂંટણી પ્રચાર સાવ શુષ્ક નહીં પણ હજી પૂરો વેગવંતો બન્યો નથી. 

દેશના બંધારણની દ્રષ્ટિએ જોતા સર્વોચ્ચ પદ માટેની આ ચૂંટણીની દ્રષ્ટિએ આ પરિસ્થિતિને અસાધારણ ગણાવી શકાય. 

આ ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ નહીં હોવાનું એક કારણ એવું છે કે, ઈસ્ટર સન્ડે પ્રસંગે આતંકવાદીઓએ કરેલા હુમલાના આઘાતમાંથી લોકો હજી બહાર આવ્યા નથી. 

એવીજ રીતે શ્રીલંકાના મોટાભાગના લોકો એવું માને છે કે, દેશના મુખ્ય બે રાજકીય પક્ષો પાસે લોકોને આપવા માટે નવું કશું નથી. 

ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મહિન્દા રાજપક્ષેના નાના ભાઈ અને ભુતપૂર્વ સલામતી સચિવ ગોટાબાયા રાજપક્ષેએ ઝડપથી નિર્ણય લઈ ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો. 

આ વર્ષના આરંભે જ ગોટાબાયાએ પોતાનું અમેરિકાનું નાગરીકત્વ જતું કરીને શ્રીલંકાનું નાગરીકત્વ અપનાવવાનો નિર્ણય લીધો હતો. 

આમ કરવાથી તેઓ ચૂંટણી લડવા પાત્ર ઠરશે. 

આમ તેમણે શ્રીલંકાનું નાગરીકત્વ મેળવી લીધું છે, પણ દેશના કાયદા મુજબ નાગરીકત્વ આપવાની પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન નહીં થયું હોવાની આશંકાઓ વ્યક્ત થાય છે. 

હજી બીજા કેટલાક મુદ્દાઓ ઉકેલાવાના બાકી છે. આ પૈકી કેટલીક બાબતો તો અદાલતમાં પેન્ડીંગ છે. 

ઉલ્લેખનિય છે કે, ગોટાબાયા રાજપક્ષેએ LTTE સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

નિષ્ણાંતોનું માનવું છે કે, તેઓ પોતાના મોટાભાઈની નીતિઓનું અનુકરણ કરે તેવી સંભાવના છે. 

શ્રી ગોટાબાયાએ જણાવ્યું છે કે, તેઓ તટસ્થ વલણ અપનાવીને દેશના વિકાસ માટે કામ કરશે. 

તેમને દક્ષિણ શ્રીલંકાના સિંહલી લોકોનું સમર્થન મળે તેવી શક્યતા વધુ છે. 

તો બીજી તરફ જમણેરી તથા મધ્યમ વિચારધારા ધરાવતા યુનાઈટેડ નેશનલ પાર્ટી પ્રધાનમંત્રી રાનીલ વિક્રસિંઘેને પોતાનો ઉમેદવાર પસંદ કરે તેવી શક્યતા છે. 

તેઓ પાંચ વખત પ્રધાનમંત્રી રહી ચૂક્યા હોવાથી રાજકારણનો તેમની પાસે બહોળો અનુભવ છે. 

જોકે તેમના પક્ષના સહિત ઘણાં નાગરિકો વિક્રમસિંઘે રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર બને તેવું ઈચ્છતા નથી. 

તેના બદલે તેઓ વધુ યુવાન ઉમેદવારનું સમર્થન કરી શકે છે. 

વર્તમાન સીરીસેના સરકારમાં મંત્રી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ રણસિંઘે પ્રેમદાસાના પુત્ર સાજીથ પ્રેમદાસા – આ જરૂરીયાત પરિપૂર્ણ કરી શકે છે. 

પણ વિક્રમસિંઘેની ઉપસ્થિતિમાં આ નિર્ણય લેવાનું અશક્ય જણાય છે. 

શ્રી સાજીથ પ્રેમદાસા તેમની ઉમેદવારીની જાહેરાત ટૂંક સમયમાં કરે તેવી ધારણા છે. 

આમ જો થાય તો જ બે વિશ્વસનીય અને મોટા ઉમેદવારો નોંધાતા ચૂંટણી પ્રક્રિયા વેગવાન બને તેવી સંભાવના છે. 

શ્રી વિક્રમસિંઘે કોલંબોના સત્તાધારી પક્ષના વર્ગમાં ઊંચુ સ્થાન ધરાવે છે, તો સાજીથ પ્રેમદાસાનો પ્રભાવ દક્ષિણ શ્રીલંકાના સિંહલી લોકો ઉપર વધારે છે. 

તેમના પિતા રણસીંઘે પ્રેમદાસા પોતાના કાર્યકાળ વખતે સિંહલી લોકોના પ્રખર સમર્થક હોવાથી આ છબીનો લાભ સાજીથને મળે તેવી શક્યતા છે. 

આમ સમગ્ર રીતે જોતા આ વખતની પ્રમુખપદની ચૂંટણી વધુ રસપ્રદ બની રહેશે. 

આવતા વર્ષે શ્રીલંકામાં સંસદીય ચૂંટણી યોજાવાની છે. 

આથી જ આગામી નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીનો પ્રભાવ આવતા વર્ષે યોજાનારી સંસદીય ચૂંટણી ઉપર ચોક્કસ પડશે. 

ત્યારપછી પ્રોવીન્સના કાઉન્સીલની ચૂંટણી પણ યોજાવાની છે. 

આ બધી જ બાબતો ધ્યાનમાં લેતા હાલ શાંત જણાતો ચૂંટણી પ્રચાર આગામી સપ્તાહમાં ચોક્કસ વેગવંતો બનવાનો છે. 

ભારત પોતાના પાડોશી દેશ શ્રીલંકામાં ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાયતેની તરફેણ કરે છે. 

લોકશાહી પદ્ધતિ ધરાવતું અને વિવિધતાને અપનાવતું શ્રીલંકા સમગ્ર દક્ષિણ એશિયામાં શાંતિ અને પ્રગતી માટે મદદરૂપ બની શકે છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...