Skip to main content

જમીનની ગુણવત્તા ઘટતી રોકવા પ્રતિબધ્ધ થતો દેશ – અંગે સમીક્ષા

જીવન માટે જમીન ખુબ જ મહત્વનો સ્રોત છે. તે માનવીને જીવન તથા સુખાકારી માટે અન્ન શુધ્ધ – મીઠુ પાણી, તથા વિવિધ પર્યાવરણ ઉપયોગી સુવિધાઓ પૂરી પાડે છે. આબોહવાની જાળવણીમાં જમીન મહત્વની ભૂમિકા ભજવે છે.

ઘણાં વર્ષોથી ઉપયોગ થતો રહેતા તથા વધતી જતી લોકવસતીના કારણે જમીનની ગુણવત્તાને અસર થઇ છે. કૃષિનું વધતુ દબાણ, વનોનો નાશ, તથા આબોહવામાં પરિવર્તન તથા દુકાળ જેવા પરિબળો ના કારણે જમીનની ગુણવત્તામાં ઘટાડો થયો છે. માનવીના જીવન – વ્યવહારની પણ બરફ વગરની જમીન ઉપર અસર થઇ છે. હાલ મોટા ભાગના દેશોમાં જમીનની ગુણવત્તામાં ઘટાડો તથા રણોના વિસ્તારોમાં વધારો – મુખ્ય સમસ્યાઓ બની રહી છે.

આ બધી જ સમસ્યાઓ અંગે ચર્ચા કરવા તથા માનવજાતિ અને પર્યાવરણના હિતમાં આ સમસ્યાઓ ઉકેલવા દિલ્હી નજીક ગત બીજી સપ્ટેમ્બરથી કોપ – ફોર્ટીન તરીકે ઓળખાતા સભ્ય દેશોની બેઠક યોજાઇ ગઇ. જેમાં ૧૯૭ દેશોના ૯ હજારથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ પરિષદમાં જમીન વ્યવસ્થાપન, જમીનની ગુણવત્તામાં વધારો કરવો, આબોહવામાં પરિવર્તન, પાણીની તંગી સહિત મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સરકારી પ્રતિનિધિઓ – મંત્રી ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘના અધિકારીઓ તેમજ બિન – સરકારી સંસ્થાના પ્રતિનિધિઓ પણ ઉપÂસ્થત રહ્યા હતા.

બાર દિવસની ચર્ચા વિચારણા બાદ બેઠકે દિલ્હી ઘોષણાપત્રને મંજુરી આપી. આમાં, જમીનની ગુણવત્તા વધુ કથળે નહી તે હેતુથી કાર્યયોજના તૈયાર કરાઇ હતી. ઘોષણાપત્રમાં જણાવ્યું છેકે પેરિસ સમજૂતીના લક્ષ્યાંકો મેળવવા માટે જમીન આધારિત પ્રયાસોથી આબોહવા અને જમીન અંગેની સમસ્યાઓનો ઉકેલ મેળવવો જાઇએ. આ ઘોષણા પત્રમાં હસ્તાક્ષર કરનારાઓએ રણનો વિસ્તાર અટકાવવા, જમીનની ગુણવત્તા જાળવવા ૩૫ નિર્ણયો માન્ય રાખ્યા છે.

આ ૩૫ નિર્ણયો સંબંધિત ૧૯૭ દેશોને કાયદાકીય રીતે બંધન કર્તા રહેશે. આ ૧૯૭ દેશો દુકાળ તથા આબોહવામાં થતા પરિવર્તનની સમસ્યાના ઉકેલ માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો વધારવા સંમત થયા. ઘોષણાપત્રમાં જમીનની ગુણવત્તા જાળવવા માટે ભવિષ્યની કાર્યયોજના ધડવાનો પણ નિર્ધાર વ્યક્ત કરાયો છે.

સંબંધિત દેશો આગામી ૨૦૩૦ સુધીમાં જમીનની ગુણવત્તા ઘટતી જતી અટકાવવા સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકો ઘડવા પણ સંમત થયા છે. દિલ્હી ખાતેની આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે જમીનની ગુણવત્તામાં થયેલા ઘટાડાથી આશરે ત્રણ અબજ ૨૦ કરોડ લોકોને સીધી અસર થઇ છે.

ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતો તથા ગરીબ લોકો ઉપર આ સમસ્યાની સીધી અસર થઇ છે. લેન્ડ ડિગ્રેડેશન ન્યુટ્રાલીટીની સંકલ્પના જમીન વ્યવસ્થાપનની નીતિઓ અને કામગીરીમાં આમૂલ પરિવર્તન લાવવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ જમીન માટેની વૈશ્વિક કાર્યયોજના પ્રત્યે ભારતની કટિબધ્ધતા દોહરાવી હતી.

આના ભાગરૂપે ભારતે આગામી ૨૦૩૦ સુધીમાં ૨૬ લાખ હેક્ટર જમીનની ગુમાવેલી ગુણવત્તા ફરીથી સ્થાપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

ભારત કોપ – ફોર્ટીન સંગઠનનો વર્તમાન અધ્યક્ષદેશ છે અને આગામી બે વર્ષ સુધી તે સંગઠનનો અધ્યક્ષ રહેશે. બેઠકમાં ભાગ લેનાર દરેક દેશ એ બાબતે સંમત થયો હતો કે વધતા જતા રણની સમસ્યાની સીધી અસર સંબંધિત વિસ્તારોના નાગરિકોના આરોગ્ય તથા સમૃÂધ્ધ ઉપર થઇ રહી છે.

બેઠકમાં ઉપÂસ્થત મંત્રીઓ પણ નાગરિકોના આરોગ્ય તથા સમૃÂધ્ધમાં વધારો કરવા પર્યાવરણની સમસ્યા ઉકેલવા નવી પહેલો હાથ ધરવા સંમત થયા. દિલ્હી ઘોષણાપત્રમાં જે તે વિસ્તારની સ્થાનિક સરકારોએ જમીનની ગુણવત્તા વધારવા સંકલિત વ્યવસ્થાપન અપનાવવું જાઇએ તેવો નિર્દેશ અપાયો છે. તેમાં જમીનના વધુ પડતો ઉપયોગ ઘટાડવા જૈવ વૈવિધ્યની સાથે જમીનની ફળદ્રપતા જાળવવાના પ્રયાસો વધારવા તથા રણની સમસ્યા ઘટાડવા યોગ્ય અભિગમ અપનાવવા સંમતી અપાઇ છે.

લેખક ઃ કે.વી. વેંકટસુબ્રહ્મણ્ય, વરિષ્ઠ પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...