ભારતીય હવાઇદળને આવતા માસના બીજા સપ્તાહમાં ફ્રાંસના દસોલ્ટ એવી એશન કંપની તરફથી રાફેલ વિમાન સુપરત કરાશે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ પ્રસંગે ફ્રાંસમાં ઉપÂસ્થત રહેશે. ભારતીય હવાઇ દળ આગામી વર્ષના મે માસ સુધીમાં ત્રણ – તબક્કામાં ૨૪ પાયલટોને રાફેલના ઉડ્ડયનની તાલીમ આપશે.
આગામી વર્ષના મે – જુનના સમયગાળામાં રાફેલ જેટ વિમાનોનો પહેલો જથ્થો ભારતને સુપરત કરાશે. ભારતીય હવાઇદળમાં કાર્યરત મીગ – ૨૧, મીગ – ૨૩ અને મીગ – ૨૭ લાંબી સેવા બાદ સેવામાંથી નિવૃત્ત થઇ રહ્યા છે, ત્યારે તેમના સ્થાને નવા વિમાનો મુકવાની તાતી જરૂર હોવાથી રાફેલની તાકીદે કરાયેલી ખરીદી તાર્કિક રીતે વાજબી ગણાવી શકાય.
આતંકવાદને પ્રોત્સાહન આપવાની અપનાવેલી નીતિ બાબતે આક્રમક વલણ અપનાવી રહ્યો છે. એટલુ જ નહી ભારતે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જા જરૂર જણાશે તો ભારત પરમાણુ શસ્ત્રનો પ્રથમ ઉપયોગ નહી કરવાના સિદ્ધાંતને પડતો મૂકશે. ભારતે ગયા ફેબ્રુઆરીમાં બાલાકોટમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઇકના પગલાથી ભારતીય સેના હવે કેવુ વલણ અપનાવશે તેનો સ્પષ્ટ સંદેશો વિશ્વઆલમને મળ્યો છે.
રાફેલ વિમાનની સ્ટીલ્થ અને ક્ષમતાઓને ધ્યાનમાં લાઇનેજ શ્રી મોદીએ આ વિધાન કર્યું હતું. આ કાર્યવાહી વખતે ભારતીય સેનાને મીરાજ બે હજાર યુધ્ધ વિમાન ઉપર જ આધાર રાખવો પડ્યો હતો.
રાફેલ વિમાનના અત્યારસુધીના અહેવાલો પરથી કહી શકાય કે અમેરીકાના એફ – બાવીસ રાપ્ટર યુધ્ધ વિમાન પછી રાફેલ ક્ષમતાની દ્રષ્ટિએ બીજા ક્રમાંકના શ્રેષ્ઠ વિમાનો છે. વિવિધ પ્રકારના અદ્યતન શસ્ત્રોના કારણે રાફેલના કારણે ભારતીય હવાઇદળની ક્ષમતામાં ચોક્કસ વધારો થવાનો છે.
આ વિમાનો દૂર – અંતરીયાળ વિસ્તારો સુધી પ્રહાર કરવાની તથા પરમાણુ શસ્ત્રો લઇ જવાની ક્ષમતા ધરાવે છે.રાફેલ યુધ્ધ વિમાન લેહ જેવા ઉંચાઇવાળા વિમાન મથકેથી ઝડપથી ઉડ્ડયન કરવાની દુશ્મન દેશની મીસાઇલ શોધી – તેને નિષ્ફળ બનાવવાની વ્યવસ્થા તથા અદ્યતન રડાર પ્રણાલી ધરાવે છે.
આ વિમાન ઉપર ૩૦૦ કિલોમીટર અંતર ઉપરના લક્ષ્ય ઉપર ચોકસાઇથી ત્રાટકી શકે તેવી અદ્યતન મીસાઇલ પણ છે.
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય બનાવટના તેજસ વિમાનમાં ઉડ્ડયન કહ્યું હતું. તેજસ વિમાન હવામાંથી હવામાં તથા જમીન ઉપર પ્રહાર કરી શકે તેવી મીસાઇલો લઇ જવાની ક્ષમતા ધરાવે છે.
તેજસનો પણ ભારતીય હવાઇદળમાં ટૂંક સમયમાં વિધિવત સમાવેશ કરાશે. સતત વિકાસ સાધી રહેલા ભારતના હિતોને સાચવવા માટે ભારતીય સેનાની ક્ષમતામાં પણ વધારો કરવો જરૂરી બન્યો છે.
આના કારણે જ ભારતે સ્વદેશી ટેકનોલોજી વડે બનાવેલા અદ્યતન શસ્ત્રો ઉપર ભાર મૂક્યો છે. ભારતીય હવાઇદળની જરૂરીયાતો ધ્યાનમાં લેતા રાફેલ યુધ્ધ વિમાનો ખુબ જ સારી રીતે આ જરૂરીયાતો પૂરી કરી શકશે,એવું જણાય છે.
લેખક ઃ ઉત્તમકુમાર બીશ્વાસ, સંરક્ષણ વિશ્લેષક
Comments
Post a Comment