Skip to main content

ભારતીય હવાઇદળની ક્ષમતામાં થનાર વધારા અંગે સમીક્ષા

ભારતીય હવાઇદળને આવતા માસના બીજા સપ્તાહમાં ફ્રાંસના દસોલ્ટ એવી એશન કંપની તરફથી રાફેલ વિમાન સુપરત કરાશે. 

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ પ્રસંગે ફ્રાંસમાં ઉપÂસ્થત રહેશે. ભારતીય હવાઇ દળ આગામી વર્ષના મે માસ સુધીમાં ત્રણ – તબક્કામાં ૨૪ પાયલટોને રાફેલના ઉડ્ડયનની તાલીમ આપશે. 

આગામી વર્ષના મે – જુનના સમયગાળામાં રાફેલ જેટ વિમાનોનો પહેલો જથ્થો ભારતને સુપરત કરાશે. ભારતીય હવાઇદળમાં કાર્યરત મીગ – ૨૧, મીગ – ૨૩ અને મીગ – ૨૭ લાંબી સેવા બાદ સેવામાંથી નિવૃત્ત થઇ રહ્યા છે, ત્યારે તેમના સ્થાને નવા વિમાનો મુકવાની તાતી જરૂર હોવાથી રાફેલની તાકીદે કરાયેલી ખરીદી તાર્કિક રીતે વાજબી ગણાવી શકાય. 

આતંકવાદને પ્રોત્સાહન આપવાની અપનાવેલી નીતિ બાબતે આક્રમક વલણ અપનાવી રહ્યો છે. એટલુ જ નહી ભારતે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જા જરૂર જણાશે તો ભારત પરમાણુ શસ્ત્રનો પ્રથમ ઉપયોગ નહી કરવાના સિદ્ધાંતને પડતો મૂકશે. ભારતે ગયા ફેબ્રુઆરીમાં બાલાકોટમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઇકના પગલાથી ભારતીય સેના હવે કેવુ વલણ અપનાવશે તેનો સ્પષ્ટ સંદેશો વિશ્વઆલમને મળ્યો છે. 

રાફેલ વિમાનની સ્ટીલ્થ અને ક્ષમતાઓને ધ્યાનમાં લાઇનેજ શ્રી મોદીએ આ વિધાન કર્યું હતું. આ કાર્યવાહી વખતે ભારતીય સેનાને મીરાજ બે હજાર યુધ્ધ વિમાન ઉપર જ આધાર રાખવો પડ્યો હતો. 

રાફેલ વિમાનના અત્યારસુધીના અહેવાલો પરથી કહી શકાય કે અમેરીકાના એફ – બાવીસ રાપ્ટર યુધ્ધ વિમાન પછી રાફેલ ક્ષમતાની દ્રષ્ટિએ બીજા ક્રમાંકના શ્રેષ્ઠ વિમાનો છે. વિવિધ પ્રકારના અદ્યતન શસ્ત્રોના કારણે રાફેલના કારણે ભારતીય હવાઇદળની ક્ષમતામાં ચોક્કસ વધારો થવાનો છે. 

આ વિમાનો દૂર – અંતરીયાળ વિસ્તારો સુધી પ્રહાર કરવાની તથા પરમાણુ શસ્ત્રો લઇ જવાની ક્ષમતા ધરાવે છે.રાફેલ યુધ્ધ વિમાન લેહ જેવા ઉંચાઇવાળા વિમાન મથકેથી ઝડપથી ઉડ્ડયન કરવાની દુશ્મન દેશની મીસાઇલ શોધી – તેને નિષ્ફળ બનાવવાની વ્યવસ્થા તથા અદ્યતન રડાર પ્રણાલી ધરાવે છે. 

આ વિમાન ઉપર ૩૦૦ કિલોમીટર અંતર ઉપરના લક્ષ્ય ઉપર ચોકસાઇથી ત્રાટકી શકે તેવી અદ્યતન મીસાઇલ પણ છે. 

તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય બનાવટના તેજસ વિમાનમાં ઉડ્ડયન કહ્યું હતું. તેજસ વિમાન હવામાંથી હવામાં તથા જમીન ઉપર પ્રહાર કરી શકે તેવી મીસાઇલો લઇ જવાની ક્ષમતા ધરાવે છે. 

તેજસનો પણ ભારતીય હવાઇદળમાં ટૂંક સમયમાં વિધિવત સમાવેશ કરાશે. સતત વિકાસ સાધી રહેલા ભારતના હિતોને સાચવવા માટે ભારતીય સેનાની ક્ષમતામાં પણ વધારો કરવો જરૂરી બન્યો છે. 

આના કારણે જ ભારતે સ્વદેશી ટેકનોલોજી વડે બનાવેલા અદ્યતન શસ્ત્રો ઉપર ભાર મૂક્યો છે. ભારતીય હવાઇદળની જરૂરીયાતો ધ્યાનમાં લેતા રાફેલ યુધ્ધ વિમાનો ખુબ જ સારી રીતે આ જરૂરીયાતો પૂરી કરી શકશે,એવું જણાય છે.



લેખક ઃ ઉત્તમકુમાર બીશ્વાસ, સંરક્ષણ વિશ્લેષક 

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...