લેખક : જે.એલ. કૌલ, જલાલી, રાજકીય સમીક્ષક
પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર મુદ્દે અપનાવેલ વલણ તેના માટે બંધનકર્તા રહ્યું છે. ભારતે, કાશ્મીરને ખાસ દરજ્જા આપતી ૩૭૦મી કલમ જયારથી રદ કરી છે. ત્યારથી પાકિસ્તાન કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા સઘન પ્રયાસો કરી રહ્યું છે. એક તબક્કે પાકિસ્તાને યુદ્ધની ભાષા પણ અપનાવી હતી. જાકે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. ખાસ કરીને અખાતી દેશોએ પણ પાકિસ્તાનને સમર્થન આપ્યું નથી. એટલું જ નહીં પણ ઇસ્લામિક દેશોએ આ સમગ્ર બાબતને ભારતની આંતરિક બાબત ઓળખાવી છે. માત્ર તુર્કી તથા મલેશિયાએ પાકિસ્તાનની વાત સાંભળી છે.
મલેશીયાને ભારતથી ભાગેલા ઝકીર નાઇકે મલેશીયાના સમાજ અંગે કરેલી ટિપ્પણીથી ઘણું સાંભળવું પડયું હતું. આથી જ મહાતીર મહંમદની સરકારે જમ્મુ અને કાશ્મીર મુદ્દે એકપણ ટિપ્પણી કરી નથી. એવી રીતે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદે પણ પાકિસ્તાનને મચક ન આપતા પાકિસ્તાને ઘરઆંગણે એવા નિવેદનો શરૂ કર્યા છે. જેથી પાકિસ્તાનના નાગરિકો મુંઝવણમાં મુકાયા છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી આ અઠવાડિયાની શરૂઆતમાં પારંપારિક યુદ્ધની ચીમકી આપી હતી. પ્રધાનમંત્રી ઇમરાન ખાને જણાવ્યું હતું કે, પાકિસ્તાનના લોકો કાશ્મીરીઓની સાથે જ છે. પણ તે કયા કાશ્મીરની વાત કરી રહ્યા હતા તેની સ્પષ્ટતા કરી ન હતી.
પાકિસ્તાના રેલવે મંત્રી શેખ રશીદે તો ત્યાં સુધી કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી ઓકટોબરમાં યુદ્ધ થશે. પાકિસ્તાનની અગ્રણીઓનાઆ પ્રકારના નિવેદનો દર્શાવે છે પાકિસ્તાન સ્વપ્ન સૃષ્ટિમાં રાચે છે.
ભારતે વર્ષ ૧૯૪૭માં રજુ કરેલો અભિગમ હજી પણ યથાવત રાખ્યો છે કે, કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે.
પાકિસ્તાને ભારતના કાશ્મીરનો ૧૩ હજાર ચોરસ કિલોમીટરનો હિસ્સો કબજે લીધો છે અને આ પૈકી કેટલીક ભૂમિ તેણે ચીનને પણ આપી છે.
ભારતે પણ હવે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર સિવાય કોઇપણ વાતચીત પાકિસ્તાન સાથે નહીં કરવાનો અભિગમ અપનાવ્યો.
ભારતે હવે એવું વલણ પણ અપનાવ્યું છે કે, પાકિસ્તાન સાથે મંત્રણા ત્યારે જ શક્ય બનશે જયારે પાકિસ્તાન આતંકવાદીઓને સમર્થન આપવાની તેની નીતિ બદલશે. પાકિસ્તાની અગ્રણીઓ દ્વારા કરાતા નિવેદનોને, ભારતે ઉગ્ર ઉશ્કેરણીજનક તથા બેજવાબદાર ગણાવ્યા છે.
ભારતે પોતાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ગણાવીને પાકિસ્તાનના વલણનો વિરોધ કર્યો હતો. ભારતના વિદેશ બાબતોના મંત્રાલયે પાકિસ્તાનના ટોચના નેતાઓના નિવેદનોની કડક શબ્દોમાં ટીકા કરી છે.
પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન સાથેની સાંઠગાંઠ તોડવાની સલાહ પણ અપાઇ છે. પાકિસ્તાન આર્થિક મુશ્કેલીના વમળમાં કેટલું ફસાયેલું છે તો બાબત બધા જ જાણે છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રીની ઓફિસનું ૪૧ લાખ રૂપિયા જેટલું વીજબીલ હજી ચૂકવાયું નથી અને ઇસ્લામાબાદ વીજ પુરવઠા કંપનીએ પ્રધાનમંત્રી સચિવાલયનો વીજપુરવઠો કાપવાની ચીમકી આપી છે.
પાકિસ્તાનના અદના નાગરીકને દરેક વસ્તુની ઉંચી કિંમત ચૂકવવી પડી રહી છે. આતંકવાદી સંગઠનોને મળતી આર્થિક મદદ ઉપર દેખરેખ રાખતી ફાયનાન્શીયલ એકશન ટાસ્ક ફોર્સ – FATF સંસ્થાએ પણ પોતાના અહેવાલ આતંકવાદને ડામવા માટેના ૪૦ પૈકી ૩૨ માપદંડોનું પાલન કરવામાં પાકિસ્તાન નિષ્ફળ ગયું હોવાનું નોધાયું છે. અને FATF એ પાકિસ્તાન સામે કડક પગલાં લેવાશે તેવી ચીમકી પણ આપી છે.
FATF સંસ્થા પાકિસ્તાનને જા બ્લેક લીસ્ટ અર્થાત પ્રતિબંધીત યાદીમાં મૂકે તો પાકિસ્તાનને વિશ્વ સમુદાય પાસેથી ધિરાણ મેળવવું લોઢાના ચણા ચાવવા સમુ બની રહેશે.
પાકિસ્તાન સરકારે વાસ્તવમાં તેની ઉર્જાનો ઉપયોગ પોતાના નાગરિકોના જીવનમાં વિકાસ કરવા તથા તેમના કલ્યાણ માટે ઉપયોગમાં લેવો જાઇએ.
પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર મુદ્દે અપનાવેલ વલણ તેના માટે બંધનકર્તા રહ્યું છે. ભારતે, કાશ્મીરને ખાસ દરજ્જા આપતી ૩૭૦મી કલમ જયારથી રદ કરી છે. ત્યારથી પાકિસ્તાન કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા સઘન પ્રયાસો કરી રહ્યું છે. એક તબક્કે પાકિસ્તાને યુદ્ધની ભાષા પણ અપનાવી હતી. જાકે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. ખાસ કરીને અખાતી દેશોએ પણ પાકિસ્તાનને સમર્થન આપ્યું નથી. એટલું જ નહીં પણ ઇસ્લામિક દેશોએ આ સમગ્ર બાબતને ભારતની આંતરિક બાબત ઓળખાવી છે. માત્ર તુર્કી તથા મલેશિયાએ પાકિસ્તાનની વાત સાંભળી છે.
મલેશીયાને ભારતથી ભાગેલા ઝકીર નાઇકે મલેશીયાના સમાજ અંગે કરેલી ટિપ્પણીથી ઘણું સાંભળવું પડયું હતું. આથી જ મહાતીર મહંમદની સરકારે જમ્મુ અને કાશ્મીર મુદ્દે એકપણ ટિપ્પણી કરી નથી. એવી રીતે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદે પણ પાકિસ્તાનને મચક ન આપતા પાકિસ્તાને ઘરઆંગણે એવા નિવેદનો શરૂ કર્યા છે. જેથી પાકિસ્તાનના નાગરિકો મુંઝવણમાં મુકાયા છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી આ અઠવાડિયાની શરૂઆતમાં પારંપારિક યુદ્ધની ચીમકી આપી હતી. પ્રધાનમંત્રી ઇમરાન ખાને જણાવ્યું હતું કે, પાકિસ્તાનના લોકો કાશ્મીરીઓની સાથે જ છે. પણ તે કયા કાશ્મીરની વાત કરી રહ્યા હતા તેની સ્પષ્ટતા કરી ન હતી.
પાકિસ્તાના રેલવે મંત્રી શેખ રશીદે તો ત્યાં સુધી કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી ઓકટોબરમાં યુદ્ધ થશે. પાકિસ્તાનની અગ્રણીઓનાઆ પ્રકારના નિવેદનો દર્શાવે છે પાકિસ્તાન સ્વપ્ન સૃષ્ટિમાં રાચે છે.
ભારતે વર્ષ ૧૯૪૭માં રજુ કરેલો અભિગમ હજી પણ યથાવત રાખ્યો છે કે, કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે.
પાકિસ્તાને ભારતના કાશ્મીરનો ૧૩ હજાર ચોરસ કિલોમીટરનો હિસ્સો કબજે લીધો છે અને આ પૈકી કેટલીક ભૂમિ તેણે ચીનને પણ આપી છે.
ભારતે પણ હવે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર સિવાય કોઇપણ વાતચીત પાકિસ્તાન સાથે નહીં કરવાનો અભિગમ અપનાવ્યો.
ભારતે હવે એવું વલણ પણ અપનાવ્યું છે કે, પાકિસ્તાન સાથે મંત્રણા ત્યારે જ શક્ય બનશે જયારે પાકિસ્તાન આતંકવાદીઓને સમર્થન આપવાની તેની નીતિ બદલશે. પાકિસ્તાની અગ્રણીઓ દ્વારા કરાતા નિવેદનોને, ભારતે ઉગ્ર ઉશ્કેરણીજનક તથા બેજવાબદાર ગણાવ્યા છે.
ભારતે પોતાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ગણાવીને પાકિસ્તાનના વલણનો વિરોધ કર્યો હતો. ભારતના વિદેશ બાબતોના મંત્રાલયે પાકિસ્તાનના ટોચના નેતાઓના નિવેદનોની કડક શબ્દોમાં ટીકા કરી છે.
પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન સાથેની સાંઠગાંઠ તોડવાની સલાહ પણ અપાઇ છે. પાકિસ્તાન આર્થિક મુશ્કેલીના વમળમાં કેટલું ફસાયેલું છે તો બાબત બધા જ જાણે છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રીની ઓફિસનું ૪૧ લાખ રૂપિયા જેટલું વીજબીલ હજી ચૂકવાયું નથી અને ઇસ્લામાબાદ વીજ પુરવઠા કંપનીએ પ્રધાનમંત્રી સચિવાલયનો વીજપુરવઠો કાપવાની ચીમકી આપી છે.
પાકિસ્તાનના અદના નાગરીકને દરેક વસ્તુની ઉંચી કિંમત ચૂકવવી પડી રહી છે. આતંકવાદી સંગઠનોને મળતી આર્થિક મદદ ઉપર દેખરેખ રાખતી ફાયનાન્શીયલ એકશન ટાસ્ક ફોર્સ – FATF સંસ્થાએ પણ પોતાના અહેવાલ આતંકવાદને ડામવા માટેના ૪૦ પૈકી ૩૨ માપદંડોનું પાલન કરવામાં પાકિસ્તાન નિષ્ફળ ગયું હોવાનું નોધાયું છે. અને FATF એ પાકિસ્તાન સામે કડક પગલાં લેવાશે તેવી ચીમકી પણ આપી છે.
FATF સંસ્થા પાકિસ્તાનને જા બ્લેક લીસ્ટ અર્થાત પ્રતિબંધીત યાદીમાં મૂકે તો પાકિસ્તાનને વિશ્વ સમુદાય પાસેથી ધિરાણ મેળવવું લોઢાના ચણા ચાવવા સમુ બની રહેશે.
પાકિસ્તાન સરકારે વાસ્તવમાં તેની ઉર્જાનો ઉપયોગ પોતાના નાગરિકોના જીવનમાં વિકાસ કરવા તથા તેમના કલ્યાણ માટે ઉપયોગમાં લેવો જાઇએ.
Comments
Post a Comment