Skip to main content

અનિશ્ચીતતાના વમળમાં ફસાયેલા પાકિસ્તાન અંગે સમીક્ષા

લેખક : જે.એલ. કૌલ, જલાલી, રાજકીય સમીક્ષક

પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર મુદ્દે અપનાવેલ વલણ તેના માટે બંધનકર્તા રહ્યું છે. ભારતે, કાશ્મીરને ખાસ દરજ્જા આપતી ૩૭૦મી કલમ જયારથી રદ કરી છે. ત્યારથી પાકિસ્તાન કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા સઘન પ્રયાસો કરી રહ્યું છે. એક તબક્કે પાકિસ્તાને યુદ્ધની ભાષા પણ અપનાવી હતી. જાકે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. ખાસ કરીને અખાતી દેશોએ પણ પાકિસ્તાનને સમર્થન આપ્યું નથી. એટલું જ નહીં પણ ઇસ્લામિક દેશોએ આ સમગ્ર બાબતને ભારતની આંતરિક બાબત ઓળખાવી છે. માત્ર તુર્કી તથા મલેશિયાએ પાકિસ્તાનની વાત સાંભળી છે.

મલેશીયાને ભારતથી ભાગેલા ઝકીર નાઇકે મલેશીયાના સમાજ અંગે કરેલી ટિપ્પણીથી ઘણું સાંભળવું પડયું હતું. આથી જ મહાતીર મહંમદની સરકારે જમ્મુ અને કાશ્મીર મુદ્દે એકપણ ટિપ્પણી કરી નથી. એવી રીતે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદે પણ પાકિસ્તાનને મચક ન આપતા પાકિસ્તાને ઘરઆંગણે એવા નિવેદનો શરૂ કર્યા છે. જેથી પાકિસ્તાનના નાગરિકો મુંઝવણમાં મુકાયા છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી આ અઠવાડિયાની શરૂઆતમાં પારંપારિક યુદ્ધની ચીમકી આપી હતી. પ્રધાનમંત્રી ઇમરાન ખાને જણાવ્યું હતું કે, પાકિસ્તાનના લોકો કાશ્મીરીઓની સાથે જ છે. પણ તે કયા કાશ્મીરની વાત કરી રહ્યા હતા તેની સ્પષ્ટતા કરી ન હતી.

પાકિસ્તાના રેલવે મંત્રી શેખ રશીદે તો ત્યાં સુધી કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી ઓકટોબરમાં યુદ્ધ થશે. પાકિસ્તાનની અગ્રણીઓનાઆ પ્રકારના નિવેદનો દર્શાવે છે પાકિસ્તાન સ્વપ્ન સૃષ્ટિમાં રાચે છે.

ભારતે વર્ષ ૧૯૪૭માં રજુ કરેલો અભિગમ હજી પણ યથાવત રાખ્યો છે કે, કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે.

પાકિસ્તાને ભારતના કાશ્મીરનો ૧૩ હજાર ચોરસ કિલોમીટરનો હિસ્સો કબજે લીધો છે અને આ પૈકી કેટલીક ભૂમિ તેણે ચીનને પણ આપી છે.

ભારતે પણ હવે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર સિવાય કોઇપણ વાતચીત પાકિસ્તાન સાથે નહીં કરવાનો અભિગમ અપનાવ્યો.

ભારતે હવે એવું વલણ પણ અપનાવ્યું છે કે, પાકિસ્તાન સાથે મંત્રણા ત્યારે જ શક્ય બનશે જયારે પાકિસ્તાન આતંકવાદીઓને સમર્થન આપવાની તેની નીતિ બદલશે. પાકિસ્તાની અગ્રણીઓ દ્વારા કરાતા નિવેદનોને, ભારતે ઉગ્ર ઉશ્કેરણીજનક તથા બેજવાબદાર ગણાવ્યા છે.

ભારતે પોતાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ગણાવીને પાકિસ્તાનના વલણનો વિરોધ કર્યો હતો. ભારતના વિદેશ બાબતોના મંત્રાલયે પાકિસ્તાનના ટોચના નેતાઓના નિવેદનોની કડક શબ્દોમાં ટીકા કરી છે.

પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન સાથેની સાંઠગાંઠ તોડવાની સલાહ પણ અપાઇ છે. પાકિસ્તાન આર્થિક મુશ્કેલીના વમળમાં કેટલું ફસાયેલું છે તો બાબત બધા જ જાણે છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રીની ઓફિસનું ૪૧ લાખ રૂપિયા જેટલું વીજબીલ હજી ચૂકવાયું નથી અને ઇસ્લામાબાદ વીજ પુરવઠા કંપનીએ પ્રધાનમંત્રી સચિવાલયનો વીજપુરવઠો કાપવાની ચીમકી આપી છે.

પાકિસ્તાનના અદના નાગરીકને દરેક વસ્તુની ઉંચી કિંમત ચૂકવવી પડી રહી છે. આતંકવાદી સંગઠનોને મળતી આર્થિક મદદ ઉપર દેખરેખ રાખતી ફાયનાન્શીયલ એકશન ટાસ્ક ફોર્સ – FATF સંસ્થાએ પણ પોતાના અહેવાલ આતંકવાદને ડામવા માટેના ૪૦ પૈકી ૩૨ માપદંડોનું પાલન કરવામાં પાકિસ્તાન નિષ્ફળ ગયું હોવાનું નોધાયું છે. અને FATF એ પાકિસ્તાન સામે કડક પગલાં લેવાશે તેવી ચીમકી પણ આપી છે.

FATF સંસ્થા પાકિસ્તાનને જા બ્લેક લીસ્ટ અર્થાત પ્રતિબંધીત યાદીમાં મૂકે તો પાકિસ્તાનને વિશ્વ સમુદાય પાસેથી ધિરાણ મેળવવું લોઢાના ચણા ચાવવા સમુ બની રહેશે.

પાકિસ્તાન સરકારે વાસ્તવમાં તેની ઉર્જાનો ઉપયોગ પોતાના નાગરિકોના જીવનમાં વિકાસ કરવા તથા તેમના કલ્યાણ માટે ઉપયોગમાં લેવો જાઇએ.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...