Skip to main content

ભારત-રશિયા ઉર્જા સહકાર નવી ઉંચાઇએ અંગે સમીક્ષા

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખૂબ જ ગાઢ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે.વ્યાપક સહયોગનાં જુદા જુદા ક્ષેત્રોમાં હવે ઉર્જાક્ષેત્ર ઉમેરાયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગઇકાલે રશિયાના વ્લાદિવોસ્ટોક જવા રવાના થયા છે. આજે તેઓ પૂર્વીય દેશોના આર્થિક મંચની બેઠકમાં હાજરી આપવાના છે. આ ઉપરાંત ભારત-રશિયા વાર્ષિક પરિષદની બેઠક પણ વ્લાદિવોસ્ટોકમાં યોજાવાની છે. આ બેઠક દરમિયાન ઉર્જાક્ષેત્રે મહત્વના કરાર થાય તેવી અપેક્ષા છે.

આ હેતુથી પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રશિયાની ગયા અઠવાડિયાએ મુલાકાત લીધી હતી. તેમાં બંને દેશો દ્વારા પરંપરાગત ઉર્જાક્ષેત્ર માટે અને અણુ ઉર્જા માટેના કરાર સંદર્ભમાં વ્યાપક વિચારણા કરવામાં આવી હતી.

ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં મૂળ ખૂબ જ ઊંડા છે. શીતયુદ્ધ સમયના ગાળામાં પરંપરાગત અને અણુ ઉર્જા સહકાર બંને દેશો વચ્ચે છે, જે એક ઐતિહાસિક બાબત બની રહી છે.

ભારત અને રશિયા વચ્ચેના ઉર્જાક્ષેત્રના સહયોગ માટે બજાર આધારિત અને જાખમ મુક્ત વ્યવસ્થા મહત્વની બની રહી છે. તેનું નેટવર્ક વિકાસવવા પર બંને દેશોએ ભાર મૂક્યો છે. ભારતે ખાસ કરીને અખાતના દેશો પરની ઉર્જાની જરૂરિયાત તથા નિર્ભરતા ઓછી કરવાના ભાગરૂપે રશિયા સાથે સહયોગ કરવા નિર્ણય કર્યો છે. અમેરિકાએ મૂકેલા પ્રતિબંધોના આધારે આ જરૂરિયાતોમાં વિક્ષેપ ઊભો ન થાય તે માટે આ વિશેષ જાગવાઈ વિચારવામાં આવી છે. આ પ્રકારની બહુધ્રુવીય વ્યવસ્થાથી દેશની ઉર્જાની જરૂરિયાતમાં વિક્ષેપ ન ઊભો થાય તે હેતુથી જ આ પ્રક્રિયા હાથ ધરી છે.

શ્રી ધર્મેન્દ્ર પ્રધાને તેમની મુલાકાત દરમિયાન રશિયાની સરકારના મંત્રીઓ તથા અધિકારીઓ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક યોજી હતી. આ ઉપરાંત ઉર્જા ક્ષેત્રના ખાનગી સાહસોના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજર રહયાં હતા. રશિયાના નાયબ પ્રધાનમંત્રી યુરી તૃટનેવ અને ઉર્જા મંત્રી એલેકઝાન્ડર નોવાકની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી. તેમાં હાઈડ્રોકાર્બન ક્ષેત્રના સહકાર માટે વિશેષ ચર્ચાઓ થઈ હતી. તેમાં ખનીજ તેલ, કુદરતી વાયુ અને કોલસા માટે રશિયાના પુર્વના પ્રાંતમાં પરસ્પર મુડી રોકાણ માટેની સંભાવનાઓ પણ વિચારવામાં આવી હતી. આ બેઠકના કારણે બંને દેશો વચ્ચે કેટલાક મુદૃઓમાં સમજુતી થઈ હતી. ખનીજ તેલ ઉત્પાદક દેશોના સંગઠનના સભ્ય દેશ તરીકે રશિયા દ્વારા ભારતની ઉર્જાક્ષેત્રની જરૂરીયાતોને પહોંચી વળવા માટે કટીબધ્ધતા દર્શાવવામાં આવી હતી. ખનીજ તેલના ભાવોમાં થઈ રહેલી વધ ઘટને પહોંચી વળવા માટે અને તેનો અવિરત પુરવઠો મળી રહે તેની ખાતરી કરવા માટે વિશેષ સમજુતી થઈ હતી. તે દ્વારા ઉત્પાદક દેશ અને વપરાશકર્તા દેશ વચ્ચેના પરસ્પરના વેપારી સહયોગ માટે સંમતી દર્શાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારતની ખનીજ તેલની જરૂરીયાતના ચોથો ભાગ તે ખનીજ તેલ ઉત્પાદક દેશો પાસેથી મેળવે છે તે દ્વારા ભારતીય ભૌગોલીક તેમજ રાજકીય ક્ષેત્રે જરૂરીયાતોને પહોંચી વળવાના પ્રયત્નો થાય છે.

શ્રી નરેન્દ્ર મોદીની વ્લાદિવોસ્ટોકની મુલાકાત સમયે ભારત અને રશિયા વચ્ચે ઉર્જા ક્ષેત્રના સહકાર માટેના કરાર થશે અને તે દ્વારા સંકલિત સહભાગી વ્યવસ્થા માટે પાયો નંખાશે. રશિયાના પુર્વ પ્રાંતમાં ખનીજ તેલનો વિપુલ જથ્થો છે. પરીણામે એક ઉર્જા પથ જાડવા માટે પણ વિચારણા ચાલી રહી છે. આ માટે પરસ્પર મુડી રોકાણની પણ તૈયારીઓ છે. ઓનએનજીસી, ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન સહિતની ભારતીય કંપનીઓ અને રશિયાની સરકારી તથા ખાનગી કંપનીઓ વચ્ચે આ મુદૃ પરામર્શ ચાલી રહયો છે. ભારતીય કંપનીઓએ ત્યાં મુડીરોકાણ કરેલુ છે. ખાસ કરીને સખાલી, વાંકોર અને તાસ યુરીખ ખાતે સહભાગી સંબંધોથી પ્રોજેકટ શરૂ કરાયેલા છે.

રશિયાની દ્રષ્ટીએ જાઈએ તો ચીન દ્વારા સાઈલેરિયામાં થઈ રહેલા ઉર્જા ક્ષેત્રના વિસ્તરણને ધ્યાનમાં રાખીને ભારત સાથેનો સહયોગ વ્યુહાત્મક બની રહે છે. ગેસ ઓથોરીટી ઓફ ઈÂન્ડયા દ્વારા રશિયાના ગાઝપ્રોમમાં ર૦૧૮માં પ્રવાહી કુદરતી વાયુ માટે મંત્રણાઓ થઈ હતી. રશિયાની કંપનીઓ રોસનેફટ દ્વારા એસ્સાર ઓઈ જેવી કંપનીમાં મુડી રોકાણ કરીને નયારા પ્રોજેકટ અમલી બનાવાયો છે. ભારતે નોવાટેક કંપનીને પણ ભારતમાં ખનીજ તેલ સંશોધન, ગેસ વિતરણ જેવા પ્રોજેકટો માટે આમંત્રીત કરી છે. બંને દેશોના નેતાઓ વચ્ચેની બેઠક અને કરારના કારણે ઉર્જા સહકારનું નવુ પ્રકરણ ઉમેરાઈ રહયું છે. વ્લાદિવોસ્ટોકમાં યોજાઈ રહેલી આ મંત્રણાઓથી દ્વિપક્ષી અને રાજદ્વારી સંબંધોમાં વધુ મહત્વનું પ્રકરણ ઉમેરાયું છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...