Skip to main content

ભારત-રશિયા ઉર્જા સહકાર નવી ઉંચાઇએ અંગે સમીક્ષા

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખૂબ જ ગાઢ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે.વ્યાપક સહયોગનાં જુદા જુદા ક્ષેત્રોમાં હવે ઉર્જાક્ષેત્ર ઉમેરાયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગઇકાલે રશિયાના વ્લાદિવોસ્ટોક જવા રવાના થયા છે. આજે તેઓ પૂર્વીય દેશોના આર્થિક મંચની બેઠકમાં હાજરી આપવાના છે. આ ઉપરાંત ભારત-રશિયા વાર્ષિક પરિષદની બેઠક પણ વ્લાદિવોસ્ટોકમાં યોજાવાની છે. આ બેઠક દરમિયાન ઉર્જાક્ષેત્રે મહત્વના કરાર થાય તેવી અપેક્ષા છે.

આ હેતુથી પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રશિયાની ગયા અઠવાડિયાએ મુલાકાત લીધી હતી. તેમાં બંને દેશો દ્વારા પરંપરાગત ઉર્જાક્ષેત્ર માટે અને અણુ ઉર્જા માટેના કરાર સંદર્ભમાં વ્યાપક વિચારણા કરવામાં આવી હતી.

ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં મૂળ ખૂબ જ ઊંડા છે. શીતયુદ્ધ સમયના ગાળામાં પરંપરાગત અને અણુ ઉર્જા સહકાર બંને દેશો વચ્ચે છે, જે એક ઐતિહાસિક બાબત બની રહી છે.

ભારત અને રશિયા વચ્ચેના ઉર્જાક્ષેત્રના સહયોગ માટે બજાર આધારિત અને જાખમ મુક્ત વ્યવસ્થા મહત્વની બની રહી છે. તેનું નેટવર્ક વિકાસવવા પર બંને દેશોએ ભાર મૂક્યો છે. ભારતે ખાસ કરીને અખાતના દેશો પરની ઉર્જાની જરૂરિયાત તથા નિર્ભરતા ઓછી કરવાના ભાગરૂપે રશિયા સાથે સહયોગ કરવા નિર્ણય કર્યો છે. અમેરિકાએ મૂકેલા પ્રતિબંધોના આધારે આ જરૂરિયાતોમાં વિક્ષેપ ઊભો ન થાય તે માટે આ વિશેષ જાગવાઈ વિચારવામાં આવી છે. આ પ્રકારની બહુધ્રુવીય વ્યવસ્થાથી દેશની ઉર્જાની જરૂરિયાતમાં વિક્ષેપ ન ઊભો થાય તે હેતુથી જ આ પ્રક્રિયા હાથ ધરી છે.

શ્રી ધર્મેન્દ્ર પ્રધાને તેમની મુલાકાત દરમિયાન રશિયાની સરકારના મંત્રીઓ તથા અધિકારીઓ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક યોજી હતી. આ ઉપરાંત ઉર્જા ક્ષેત્રના ખાનગી સાહસોના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજર રહયાં હતા. રશિયાના નાયબ પ્રધાનમંત્રી યુરી તૃટનેવ અને ઉર્જા મંત્રી એલેકઝાન્ડર નોવાકની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી. તેમાં હાઈડ્રોકાર્બન ક્ષેત્રના સહકાર માટે વિશેષ ચર્ચાઓ થઈ હતી. તેમાં ખનીજ તેલ, કુદરતી વાયુ અને કોલસા માટે રશિયાના પુર્વના પ્રાંતમાં પરસ્પર મુડી રોકાણ માટેની સંભાવનાઓ પણ વિચારવામાં આવી હતી. આ બેઠકના કારણે બંને દેશો વચ્ચે કેટલાક મુદૃઓમાં સમજુતી થઈ હતી. ખનીજ તેલ ઉત્પાદક દેશોના સંગઠનના સભ્ય દેશ તરીકે રશિયા દ્વારા ભારતની ઉર્જાક્ષેત્રની જરૂરીયાતોને પહોંચી વળવા માટે કટીબધ્ધતા દર્શાવવામાં આવી હતી. ખનીજ તેલના ભાવોમાં થઈ રહેલી વધ ઘટને પહોંચી વળવા માટે અને તેનો અવિરત પુરવઠો મળી રહે તેની ખાતરી કરવા માટે વિશેષ સમજુતી થઈ હતી. તે દ્વારા ઉત્પાદક દેશ અને વપરાશકર્તા દેશ વચ્ચેના પરસ્પરના વેપારી સહયોગ માટે સંમતી દર્શાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારતની ખનીજ તેલની જરૂરીયાતના ચોથો ભાગ તે ખનીજ તેલ ઉત્પાદક દેશો પાસેથી મેળવે છે તે દ્વારા ભારતીય ભૌગોલીક તેમજ રાજકીય ક્ષેત્રે જરૂરીયાતોને પહોંચી વળવાના પ્રયત્નો થાય છે.

શ્રી નરેન્દ્ર મોદીની વ્લાદિવોસ્ટોકની મુલાકાત સમયે ભારત અને રશિયા વચ્ચે ઉર્જા ક્ષેત્રના સહકાર માટેના કરાર થશે અને તે દ્વારા સંકલિત સહભાગી વ્યવસ્થા માટે પાયો નંખાશે. રશિયાના પુર્વ પ્રાંતમાં ખનીજ તેલનો વિપુલ જથ્થો છે. પરીણામે એક ઉર્જા પથ જાડવા માટે પણ વિચારણા ચાલી રહી છે. આ માટે પરસ્પર મુડી રોકાણની પણ તૈયારીઓ છે. ઓનએનજીસી, ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન સહિતની ભારતીય કંપનીઓ અને રશિયાની સરકારી તથા ખાનગી કંપનીઓ વચ્ચે આ મુદૃ પરામર્શ ચાલી રહયો છે. ભારતીય કંપનીઓએ ત્યાં મુડીરોકાણ કરેલુ છે. ખાસ કરીને સખાલી, વાંકોર અને તાસ યુરીખ ખાતે સહભાગી સંબંધોથી પ્રોજેકટ શરૂ કરાયેલા છે.

રશિયાની દ્રષ્ટીએ જાઈએ તો ચીન દ્વારા સાઈલેરિયામાં થઈ રહેલા ઉર્જા ક્ષેત્રના વિસ્તરણને ધ્યાનમાં રાખીને ભારત સાથેનો સહયોગ વ્યુહાત્મક બની રહે છે. ગેસ ઓથોરીટી ઓફ ઈÂન્ડયા દ્વારા રશિયાના ગાઝપ્રોમમાં ર૦૧૮માં પ્રવાહી કુદરતી વાયુ માટે મંત્રણાઓ થઈ હતી. રશિયાની કંપનીઓ રોસનેફટ દ્વારા એસ્સાર ઓઈ જેવી કંપનીમાં મુડી રોકાણ કરીને નયારા પ્રોજેકટ અમલી બનાવાયો છે. ભારતે નોવાટેક કંપનીને પણ ભારતમાં ખનીજ તેલ સંશોધન, ગેસ વિતરણ જેવા પ્રોજેકટો માટે આમંત્રીત કરી છે. બંને દેશોના નેતાઓ વચ્ચેની બેઠક અને કરારના કારણે ઉર્જા સહકારનું નવુ પ્રકરણ ઉમેરાઈ રહયું છે. વ્લાદિવોસ્ટોકમાં યોજાઈ રહેલી આ મંત્રણાઓથી દ્વિપક્ષી અને રાજદ્વારી સંબંધોમાં વધુ મહત્વનું પ્રકરણ ઉમેરાયું છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...