Skip to main content

ફરી એકવાર એકલ પડતું પાકિસ્તાન

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ફસાઈ ગયું છે. કાશ્મીરને અપાતા વિશેષ દરજ્જાને રદ કરવાના ભારતના નિર્ણય અંગે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયનો ધ્યાન દોરવાના સઘન પ્રયાસો કરી રહ્યું છે જોકે ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ નિર્ણય તેની આંતરિક બાબત છે અને ભારત પોતાનો અભિગમ રજૂ કરવામાં સફળ રહ્યું છે. વિશ્વના મોટાભાગના દેશોએ ભારતના નિર્ણયને આવકાર્યું છે તેમ છતાં પાકિસ્તાન આ અંગે હજુ સમાધાની થયું નથી. પાકિસ્તાનને તેના નજીકના મિત્ર દેશો દ્વારા પણ એકલ પાડવામાં આવી રહ્યું છે ગયા અઠવાડિયે પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને આર્મીના વડાએ સાઉદી અરેબિયાના અને સંયુક્ત અરબ અમીરાતના વિદેશ મંત્રીઓને આમંત્રિત કર્યા હતા. બધા આગેવાનો વચ્ચે થયેલી મંત્રણામાં બંને વિદેશ મંત્રીઓએ પાકિસ્તાનનો પક્ષ સાંભળ્યો હતો ત્યારબાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે આ બંને દેશો પાકિસ્તાન અને નિરાશ નહીં કરે તે અંગે તેઓ આશાવાદી છે. આનાથી વધારે મૂર્ખામી ભરેલું નિવેદન બીજું કોઈ નથી. પાકિસ્તાનના વિશ્લેષકો પણ એવું માને છે કે બંને વિદેશ મંત્રીઓની મુલાકાત માત્ર ફોટા પાડવા માટેની તક હતી. પાકિસ્તાન એવો દાવો કરે છે કે તે સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાત સાથે ની રાજદ્વારી મંત્રણામાં સફળ રહ્યું છે જોકે બંને ટોચના અરબ દેશો આ અંગે તટસ્થ રહ્યા હતા. એનાથી એ સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનની રજુઆતો નિષ્ફળ રહી છે. બેઠક બાદ પાકિસ્તાની મીડિયામાં આ અંગે રોષ સર્જાયો હતો પરંતુ મીડિયાના પ્રમુખોને સમયસર આ રોષ અટકાવવામાં સફળતા મળી હતી. આ ગેરરીતિ માટે પાકિસ્તાન પોતે જવાબદાર છે. પાકિસ્તાનને અરબ દેશો દ્વારા સમયાંતરે આર્થિક સહાય મળે છે ગયા વર્ષે સાઉદી અરેબિયા અને યુએઈ દ્વારા પાકિસ્તાનને છ અબજ ડોલર જેટલી આર્થિક સહાય આપવામાં આવી હતી સાઉદી અરેબિયામાં રહેતા પાકિસ્તાની લોકોને સાઉદીઓ દ્વારા ગરીબ ગણવામાં આવે છે જે વાસ્તવિકતા અંગે અવગણી શકાય નહીં. જ્યારે સૌદી માં રહેતા ભારતીય લોકો ત્યાં આ વિદેશી ર્વકિંગ ફોર્સ નો મોટો હિસ્સો ધરાવે છે. અખાતી દેશોમાં રહેતા ભારતીય લોકો તેમના કૌશલ્ય શિક્ષણ ટેકનીકલ જ્ઞાન માટે ઓળખાય છે તેઓ જ્યાં રહેતા હોય તે દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે ૨૦૧૬માં સાઉદી અરેબિયાના કિંગ સલમાને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન કિંગ

અબ્દુલ અઝીઝ સાશ એનાયત કર્યો હતો સાઉદીના રાજા મોહમ્મદ બિન સલમાએ ૨૦૨૧ સુધીમાં ભારતમાં ૧૦૦ અબજ ડોલર રોકાણ કરવાની નેમ વ્યક્ત કરી હતી અગાઉ તેમણે પાકિસ્તાનને ૨૦ અબજ ડોલર રૂપિયાની રોકાણ કરવાનું આશ્વાસન આપ્યું હતું જેનાથી સ્પષ્ટ થાય છે કે અરબ દેશો લોકોને લાભદાયી થાય એવા સંબંધો વિકસાવવા ઉત્સુક છે અને તેઓ ધર્મનો મુદ્દો ધ્યાનમાં નથી લેતાં.

સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાનની વાત સાથે ખાસ સંમતિ દર્શાવી નથી. સંયુક્ત આરબ અમીરાતના ભારત ખાતેના રાજૂદત અહમદ અલ બન્નાએ ભારતના પગલાને તેની આંતરિક બાબત અને Âસ્થરતા તથા શાંતિ તરફનું પગલું ગણાવ્યું હતું. બાદમાં યુ.એ.ઇ એ તેના સર્વોચ્ચ નાગરીક પુરસ્કાર ઓર્ડર ઓફ ઝાયેદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત કર્યા હતા. જેનાથી પાકિસ્તાન વિચલિત થતા તેમના સેનેટ ચેરમેન સાદીક સંજરાનીએ યુ.એ.ઇ.ની મુલાકાત રદ કરી હતી.

જયારે પાકિસ્તાનના સમીક્ષકો દ્વારા આરબ દેશોએ ભારતને કરેલા સમર્થનની ટીકા કરાઇ રહી છે. ત્યારે પાકિસ્તાનની ગલીઓમાં લોકો તેમના નેતા તથા લશ્કરને – ચીન ખાતે ઉઇઘર મુÂસ્લમોને જબરજસ્તી શિબીરો મોકલાઇ રહ્યા છે, તે અંગે કેમ બોલતા નથી તેવો પ્રશ્ન પૂછી રહ્યા છે તેમને પણ ખબર છે કે ચીન-પાકિસ્તાન કોરીડોર તેમના દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પાકિસ્તાન, યમન ખાતે થઇ રહેલા મરણો કે વિનાશ અંગે પણ ચૂપ છે. લશ્કરી તથા નાગરીક સહાય માટેના પાકિસ્તાનના લોભે ઘણા દાયકાઓથી બીજાના હિતોની સેવા કરી છે.

વિશ્લેષકોના મતે ઉર્જા યુક્ત મુત્સુદીગીરી પાકિસ્તાન માટે લાભદાયી નીવડશે નહીં, પાકિસ્તાન મુÂસ્લમ દેશો પાસેથી સમર્થન મળશે તેવી આશા રાખી મુર્ખામી કરી રહ્યું છે.

ઇસ્લામિક દેશોને સમજાઇ ગયું છે કે, પાકિસ્તાનને એક જ રાગ આલાપવામાં રસ છે. ૭૨ વર્ષમાં તેણે કાદવમાંથી બહાર આવવા કંઇપણ કર્યું હતું. જયારે પાડોશી દેશોમાં ખુબ વિકાસ થયો છે. તથા ઇસ્લામાબાદ બીજાની સહાય પર ટકી રહેલું અને આતંકવાદ નિકાસ કરતું રાજ્ય છે. જે તેની વૈશ્વિક Âસ્થતિ સૂચવે છે. હવે પાકિસ્તાને ઉપચારાત્મક પગલા લેવાનો સમય આવી ગયો છે.

લેખક આકાશવાણીના સમાચાર વિશ્લેષણ કૌશિક રોય

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...