Skip to main content

અમેરીકાએ ધાર્મિક ભેદભાવ અપનાવતા દેશોની યાદીમાં પાકિસ્તાનનું નામ જાળવી રાખ્યુ એ અંગે સમીક્ષા

અમેરીકાએ ધાર્મિક ભેદભાદ અપનાવતા દેશોની યાદીમાં પાકિસ્તાનું નામ જાળવી રાખ્યું છે.

આ યાદીમાં સમાવેલા અન્ય દેશોના નામ છે., મ્યાનમાર, ચીન, ઇરાન, ઉત્તર કોરીયા, સાઉદી અરેબીયા, તાજીકિસ્તાન અને તુર્કમેનીસ્તાન. અમેરીકા આ દેશોને સી.પી.સી. એટલે કે ચોક્કસ ચિંતાવાળા દેશો તરીકે ઓળખવામાં આવે છે.

અમેરીકાના વિદેશ વિભાગે વર્ષ 1998ના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય ધારા હેઠળ ખાસ દેશોની આ યાદી તૈયાર કરી છે. આ યાદી હેઠળ ધાર્મિક સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન કરનાર દેશોનો સમાવેશ કરવામાં આવે છે. આવા દેશો સામે અમેરીકા આર્થિક પ્રતિબંધો સહિત બીજા પગલાં ભરી શકે છે. જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે, અમેરીકા દ્વારા તૈયાર કરાયેલી સૂચિને પસંદગીપાત્ર દેશોને લક્ષ્ય, બનાવીને તૈયાર કરેલી સૂચિ ગણાવીને તેને નકારી કાઢી છે. પાકિસ્તાને દલીલ કરી છે કે પાકિસ્તાન એક થી વધુ ધર્મ અનુસરતા લોકોનો દેશ છે. અહીં બધા જ લોકો ધાર્મિક સ્વાતંત્ર્ય ભોગવે છે.

પાકિસ્તાન સરકારની વહિવટી, ધારાસભા તથા ન્યાયતંત્ર જેવી બધી જ વહિવટી પાંખો પાકિસ્તાનમાં બધા જ ધર્મના લોકો સંપૂર્ણ ધાર્મિક સ્વાતંત્ર્ય ભોગવી શકે, તે બાબત સુનિશ્ચિત કરે છે.

પાકિસ્તાનની અદાલતોએ ધાર્મિક સ્થાનોની પવિત્રતા અને સલામતી જાળવવા અંગેના ઘણા મહત્વના ચુકાદાઓ આપ્યા છે. વિદેશ મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે ધાર્મિક સ્વાતંત્ર્યના મુદ્દે સારી સમજણ કેળવવા અમેરીકા સહિત અન્ય દેશોનો સહકાર પણ મેળવ્યો છે. આ વર્ષની શરુઆતમાં અમેરીકાના રાજદૂત સેનેટર સેમ્યુઅલ બ્રાઉનહેકે પાકિસ્તાનની મુલાકાત લઇને વૈશ્વિક સ્તરે ધાર્મિક સ્વાતંત્ર્ય સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરી હતી.

પાકિસ્તાને જણાવ્યું છે કે આ બધી જ રચનાત્મક ઘટનાઓ અંગે આંખ આડા કાન કરવામાં આવ્યા છે. તે બાબત કમનસીબ ગણાવી શકાય.

તેણે આક્ષેપ કર્યો છે કે આ સૂચિમાં ભારતનો સમાવેશ નથી કરાયો, તે બાબત અમેરીકાનું પૂર્વગ્રહયુક્ત વલણ જ દર્શાવે છે.

પાકિસ્તાને ભારતને ધાર્મિક સ્વાતંત્ર્યનો સૌથી વધુ ભંગ કરનાર દેશ ઓળખાવ્યો છે. પાકિસ્તાને વધુ માં જણાવ્યું છે કે અમેરીકાના 70 જેટલા સાંસદો, ભારતમાં કાશ્મીરીઓ સાથે થતુ વર્તન તથા તેમના મૂળભૂત અધિકારોના દમન અંગે જાહેરમાં ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

વાસ્તવમાં સ્થિતિ એવી છે કે કલમ – 370 રદ કર્યા બાદ કાશ્મિરમાં પરિસ્થિતી ધીરે – ધીરે સામાન્ય બની રહી છે.

આ મુદ્દે પાકિસ્તાનના નજીકના મિત્રદેશોએ પણ પાકિસ્તાનના વલણની ટીકા કરી છે. પાકિસ્તાને અમેરીકા સાથેના પોતાના વિવાદમાં ભારતની આંતરિક બાબતોનો ઉલ્લેખ કરીને ભારતને કોઇપણ વગર આ વિવાદમાં ઢસડ્યુ છે.

પાકિસ્તાને ભારતમાં લઘુમતીઓ સાથેના વર્તન, રાષ્ટ્રીય નાગરિક નોધણીપત્રક – એન.આર.સી., નાગરિકત્વ સુધારા કાયદો – સી.એ.એ. જેવા મુદ્દાઓ અંગે પોતાને ફાવે તેમ ટિપ્પણી કરીને ભારત સરકારના પગલાઓને ભેદભાવપૂર્ણ ગણાવ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે અન્ય દેશોમાં ધાર્મિક સતામણીનો ભોગ બનનાર ભારતીયોને ભારતનું નાગરિકત્વ આપવાના હેતુથી જ સી.એ.એ. કાયદામાં સુધારો કરાયો છે.

જ્યારે રાષ્ટ્રીય નાગરિક નોધણીપત્રક એન.આર.સી. અંગે તો હજી ચર્ચા શરુ થઇ નથી. ખરેખર તો સમગ્ર વિશ્વ એ બાબતથી વાકેફ છે કે પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓની સ્થિતિ શું છે.

પાકિસ્તાનની વસતીમાં પાંચ ટકાથી ઓછો હિસ્સો ધરાવતા ધાર્મિક પાંચ ટકાથી ઓછો હિસ્સો ધરાવતા ધાર્મિક લઘુમતીઓ માત્ર ભેદભાવનો ભોગ બનવા ઉપરાંત તેઓની સામે રાષ્ટ્રદ્રોહી હોવાનો તથા જાસૂસ હોવાનો પણ આક્ષેપ કરાય છે.

હિંદુ, શીખ, ખ્રીસ્તી, જેવા ધાર્મિક લઘુમતી લોકોના પાકિસ્તાનમાં આવેલા ધર્મસ્થાનોને ઘણુ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને નવા પાકિસ્તાનનું વચન આપ્યું હતું પણ તેમના શાસનને 18 માસ પૂરા થયા, છતાં આ વચન પાળી શકાયું નથી.

વાસ્તવમાં પાકિસ્તાને બધા જ ધર્મમાં લોકો સાથે પરિપક્વતા અને સહિષ્ણુતાથી વર્તન કરવું જરુરી છે. તેમજ પોતાના બધા જ નાગરિકોને તેમના બધા જ નાગરિક અધિકારો આપવા જોઇએ.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...