અફધાનિસ્તાનમાં રાષ્ટ્રપ્રમુખની યોજાયેલી ચૂંટણીના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે.
આ સાથે જ આંતરવિગ્રહથી અસરગ્રસ્ત એવા અફધાનિસ્તાને વિખેરાતી જતી લોકશાહી વ્યવસ્થા મજબૂત બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે, તેમ કહી શકાય.
અફધાનિસ્તાનના ચૂંટણી પંચે, ચૂંટણી પરિણામોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ અશરફ ધનીને 50.46 ટકા મત મળ્યા છે અને શ્રી ધનીનો વિજય થયો છે.
અફધાનીસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી અને ધનીના મુખ્ય હરીફ અબ્દુલ્લાહ અબ્દુલ્લાહ બે લાખ મતોથી અશરફ ધની સામે હારી ગયા છે. ઘણાં સમયથી આંતરવિગ્રહ તથા તાલીબાનોના હુમલામાં સપડાયેલા અફધાનીસ્તાના ચૂંટણી પંચે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના આયોજન વખતે ચૂંટણીમાં ગેરરીતિઓની સંભાવના નાબૂદ કરવા ખુબ જ જહેમત ઉઠાવી હતી.
આના લીધે જ ઘણાં મતદારો, બાયોમેટ્રિક તપાસમાં નિષ્ફળ જતા, તેઓ મતદાન કરી શક્યા ન હતા. એવી જ રીતે ચૂંટણી બાબતે થયેલી ઘણી ફરિયાદો પણ ચકાસી જવાની ખાતરી ચૂંટણી પંચે આપી છે.
આ સમગ્ર કામગીરી કેટલાક અઠવાડીયા અથવા કેટલાક મહિનાઓ સુધી ચાલે તેવી સંભાવના છે. ફરિયાદોના નિવારણ બાદ અશરફ ધનીને મળેલા મતોની ટકાવારી જો 50 ટકાથી ઓછી થાય તો બન્ને મુખ્ય ઉમેદવારો માટે મતદાનનો બીજો રાઉન્ડ યોજાશે.
આ સમગ્ર પ્રક્રિયા વધુ સમય સુધી ચાલવાની હોવાથી, અફધાનિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતતા સર્જવા સ્થાપિત હિતો કોઇ અયોગ્ય પગલું ન લે તે બાબત સુનિશ્ચિત કરવી જોઇએ. આ બધી જ આશંકાઓ વચ્ચે વિશ્વઆલમના મોટાભાગાન નેતાઓ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ અફધાનના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાવા માટે શ્રી અશરફ ધનીને અભિનંદન આપ્યા છે. તેમણે ભારત, અફધાનિસ્તાનનો સૌથી નજીકનો મિત્ર દેશ હંમેશા રહેશે, તથા સંયુક્ત સાર્વભૌમ, લોકશાહી વ્યવસ્થા ધરાવતા, શાંતિપૂર્ણ અને સમૃધ્ધ અફધાનિસ્તાન પ્રત્યે ભારત પ્રતિબધ્ધ રહેશે. તેમ જણાવ્યું છે, ઉલ્લેખનીય છે કે ભારતે અફધાનિસ્તાના વડપણ હેઠળ હાથ ધરાતી શાંતિ પ્રક્રિયાને હંમેશા ટેકો આપ્યો છે.
ભારતે અફધાનિસ્તાનમાં વિકાસ, શાંતિની જાળવણી અને આતંકવાદ સામેની લડતમાં અફધાનિસ્તાનને સહકાર આપવાની પ્રતિબધ્ધતા દોહરાવી છે. ભારત, અફધાનિસ્તાનની લોકશાહી માટે ખુબ જ ઉપયોગી એવી રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી સફળતાપૂર્વક યોજાય તેની હંમેશા તરફેણ કરી છે.
તાલીબાનોએ વર્ષ 2001 માં સત્તા ગુમાવી ત્યાર પછી અફધાનિસ્તાનમાં રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી ચોથી વખત યોજાઇ રહી છે. આ સમયથી તાલીબાનોની ભલે પીછે હઠ થઇ હોય, પણ તેઓ સંપૂર્ણ રીતે નાબૂદ થયા નથી. રાષ્ટ્રપ્રમુખ ની ચૂંટણીના પરિણામો ગત સપ્તાહમાં જાહેર થયા પછી તાલીબાનોએ ઉત્તર અફધાનિસ્તાના બલખ પ્રાંતમાં હુમલો કરીને સલામતીદળના 15 જવાનોને ઠાર કર્યા હતા.
આજ સમયગાળામાં તાલીબાનોએ પશ્ચિમ ફરાહ પ્રાંતમાં શાંતિરક્ષક દળના 27 જવાનોનું અપહરણ કર્યું હતું. આ બધી જ વિપરીત સ્થિતિમાં અફધાની લોકો નાગરિક શાસન સ્થિર કરવા પ્રયાસો કરી રહ્યા છે. ભારત પણ ભારપૂર્વક જણાવી રહ્યું છે કે તાલીબાનોના શાસનમાંથી અફધાનિસ્તાનને બહાર લાવવાનો એકમાત્ર માર્ગ છે. અહીં લોકશાહી વ્યવસ્થાની સ્થાપના કરવી. તાજેતરમાં રાષ્ટ્રપ્રમુખની યોજાયેલી ચૂંટણી આજ દિશામાં લેવાયેલું પગલું ગણાવી શકાય. રાષ્ટ્રપ્રમુખ અશરફ ધની તથા ડોક્ટર અબ્દુલ્લાહ અબ્દુલ્લા પણ લોકતાંત્રિક ઢબે સત્તાની વહેંચણીના ઉપાયથી અજાણ્યા નથી. ત્રીજી વખત યોજાયેલી રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી બાદ આ બન્ને મહાનુભાવોને સાથે મળીને સરકારમાં જવાબદારી ઉપાડવા સમજાવવામાં આવ્યા હતા.
ડોક્ટર અબ્દુલ્લાહ ભારતમાં ઉચ્ચ શિક્ષણનો અનુભવ ધરાવે છે તો શ્રી અશરફ ધની અફધાનીસ્તાનના બૌધ્ધિક વર્તુળમાં સ્થાન ધરાવે છે. આ બન્ને મહાનુભાવો સાથે મળીને સરકારનું કામકાજ આગળ વધારે તે વાત અશક્ય નથી.
જો કે, અફધાનીસ્તાન માટે તાલીબાનો દ્વારા ઉભા કરાતા પડકારોનો સામનો કરી, તેનો ઉકેલ લાવવો ખુબ જ આવશ્યક બાબત છે.
શ્રીરંગ - અશોક
લેખક- એમ.કે. ટિક્કુ, રાજકીય વિશ્લેષક
Comments
Post a Comment